માણસ જો ઈચ્છે તો તેને પથ્થરમાં પણ દેવતાનાં દર્શન થાય છે
ડાયમંડ વેપારી કનુ અસોદરિયાએ થોડા વર્ષો પહેલાં બેલ્જીયમથી રફ ડાયમંડની ખરીદી કરી હતી
બેલ્જીયમમાંથી મંગાવેલાં રફ હિરામાંથી આ એક ગણેશજીનાં આકારનો હિરો અમને પ્રાપ્ત થયો - કનુ અસોદરિયા
WatchGujarat. જ્યાં શ્રધ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર ? જી હાં આ જાણીતી કહેવત સાચી પડે છે ડાયમંડ સીટી સુરત શહેરમાં. વાત છે સુરતનાં જ એક ડાયમંડ વેપારીની જેમને મળ્યો એક એવો રફ ડાયમંડ. જે બની ગયો તેમનાં માટે અમુલ્ય. જે લઇ આવ્યો તેમનાં માટે શુભ સમય. કારણ કે આ કોઇ મામુલી રફ ડાયમંડ નહિં હતો. આ રફ ડાયમંડની પુજા તેઓ ગણેશ ઉત્સવમાં અચુકથી કરે છે. આ છે ગણેશજીનાં આકારમાં આવેલો રફ ડાયમંડ.
માણસ જો ઈચ્છે તો તેને પથ્થરમાં પણ દેવતાનાં દર્શન થાય છે. ફક્ત શ્રદ્ધાની જરૂર છે. ડાયમંડ સીટી સુરતમાં છે રફ ડાયમંડનાં આકારમાં આવેલા ગણેશજી બિરાજમાન છે. જે સમગ્ર દુનિયામાં ફક્ત એક જ હોવાનું કહેવાય રહ્યું છે. આ પહેલાં કે આ પછી ગણપતિનાં આવા જ આકારમાં રફ ડાયમંડ મળવો મુશ્કેલ છે. જેમાં અદ્દલ ગણપતિના સ્વરૂપમાં રફ ડાયમંડમાં ગણેશજીની આંખ,ગણેશજીની સુંઢ અને ગણેશજી જેવા જ પગ અને આકાર દેખાતા હોય.
ડાયમંડ વેપારી કનુ અસોદરિયા અવારનવાર ડાયમંડની ખરીદી માટે બેલ્જીયમ જતાં હોય છે. થોડા વર્ષો પહેલાં તેમણે બેલ્જીયમથી રફ ડાયમંડની ખરીદી કરી હતી. જેનું સુરત આવીને એસોર્ટીંગ કરતાં રફ ડાયમંડનાં જથ્થામાં તેમને એક અલગ જ હિરો મળી આવ્યો હતો. કનુ અસોદરિયાએ આ હિરાની ચકાસણી માટે ઇન્ડિયન ડાયમંડ એસોસિયેશનનો સંપર્ક કર્યો હતો. અને ત્યાંની જેમોલોજીકલ લેબોરેટરીમાં તેનું કદ,તેના રંગ અને તેના વજનની જાણકારી મેળવી.
ડાયમંડ ગણેશાની ખાસિયત
હિરો આછા પીળા રંગનો છે.
તેનું વજન 36.50 ગ્રામ છે.
આ ડાયમંડ 48 એમએમ ઉંચો,32 એમએમ પહોળો અને 20 એમએમ જાડાઇનો છે.
ડાયમંડ એક્ષપર્ટનાં જણાવ્યા પ્રમાણે આ હિરાની અંદાજીત કિંમત 600 કરોડ રૂપિયા છે.
કનુભાઇ અસોદરિયા જણાવે છે કે બેલ્જીયમમાંથી મંગાવેલાં રફ હિરામાંથી આ એક ગણેશજીનાં આકારનો હિરો અમને પ્રાપ્ત થયો છે. તે મળતાં અમારા પરિવાર માટે ખુબ સારો સમય આવ્યો છે. 182 કેરેટનો હિરો છે. તેની કિંમત અમુલ્ય છે. લંડનની એક કંપનીએ તેને ખરીદવા માટે બોલી પણ લગાવી હતી. પણ અમે તેને વેચવા માટે ના પાડી દીધી. અમે ગણેશચતુર્થીમાં જ તેની પુજા કરીએ છીએ.
તેમનાં માટે કોહીનુર હિરા કરતાં પણ વધુ અમુલ્ય છે. હિરો કિંમતી હોવાથી તે પ્રદર્શન માટે મુકવો મુશ્કેલ છે. સામાન્ય દિવસોમાં સેફ્ટી બોક્ષમાં રહેતો આ ડાયમંડ ગણેશ ચતુર્થીમાં પુજા માટે કાઢવામાં આવે છે. ગણેશજીને જોવા આવનાર અવિનાશ પાટીલ કહે છે કે મેં પહેલી વખત જ આ પ્રકારનાં ગણપતિ જોયા છે. હુબહુ ગણપતિનું સ્વરૂપ લાગે છે..અને સુરત માટે આ સારી વાત કહેવાય કે આ પ્રકારના ગણપતિ સુરત પાસે છે.
માણસ જો ઈચ્છે તો તેને પથ્થરમાં પણ દેવતાનાં દર્શન થાય છે
ડાયમંડ વેપારી કનુ અસોદરિયાએ થોડા વર્ષો પહેલાં બેલ્જીયમથી રફ ડાયમંડની ખરીદી કરી હતી
બેલ્જીયમમાંથી મંગાવેલાં રફ હિરામાંથી આ એક ગણેશજીનાં આકારનો હિરો અમને પ્રાપ્ત થયો - કનુ અસોદરિયા
WatchGujarat. જ્યાં શ્રધ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર ? જી હાં આ જાણીતી કહેવત સાચી પડે છે ડાયમંડ સીટી સુરત શહેરમાં. વાત છે સુરતનાં જ એક ડાયમંડ વેપારીની જેમને મળ્યો એક એવો રફ ડાયમંડ. જે બની ગયો તેમનાં માટે અમુલ્ય. જે લઇ આવ્યો તેમનાં માટે શુભ સમય. કારણ કે આ કોઇ મામુલી રફ ડાયમંડ નહિં હતો. આ રફ ડાયમંડની પુજા તેઓ ગણેશ ઉત્સવમાં અચુકથી કરે છે. આ છે ગણેશજીનાં આકારમાં આવેલો રફ ડાયમંડ.
માણસ જો ઈચ્છે તો તેને પથ્થરમાં પણ દેવતાનાં દર્શન થાય છે. ફક્ત શ્રદ્ધાની જરૂર છે. ડાયમંડ સીટી સુરતમાં છે રફ ડાયમંડનાં આકારમાં આવેલા ગણેશજી બિરાજમાન છે. જે સમગ્ર દુનિયામાં ફક્ત એક જ હોવાનું કહેવાય રહ્યું છે. આ પહેલાં કે આ પછી ગણપતિનાં આવા જ આકારમાં રફ ડાયમંડ મળવો મુશ્કેલ છે. જેમાં અદ્દલ ગણપતિના સ્વરૂપમાં રફ ડાયમંડમાં ગણેશજીની આંખ,ગણેશજીની સુંઢ અને ગણેશજી જેવા જ પગ અને આકાર દેખાતા હોય.
ડાયમંડ વેપારી કનુ અસોદરિયા અવારનવાર ડાયમંડની ખરીદી માટે બેલ્જીયમ જતાં હોય છે. થોડા વર્ષો પહેલાં તેમણે બેલ્જીયમથી રફ ડાયમંડની ખરીદી કરી હતી. જેનું સુરત આવીને એસોર્ટીંગ કરતાં રફ ડાયમંડનાં જથ્થામાં તેમને એક અલગ જ હિરો મળી આવ્યો હતો. કનુ અસોદરિયાએ આ હિરાની ચકાસણી માટે ઇન્ડિયન ડાયમંડ એસોસિયેશનનો સંપર્ક કર્યો હતો. અને ત્યાંની જેમોલોજીકલ લેબોરેટરીમાં તેનું કદ,તેના રંગ અને તેના વજનની જાણકારી મેળવી.
ડાયમંડ ગણેશાની ખાસિયત
હિરો આછા પીળા રંગનો છે.
તેનું વજન 36.50 ગ્રામ છે.
આ ડાયમંડ 48 એમએમ ઉંચો,32 એમએમ પહોળો અને 20 એમએમ જાડાઇનો છે.
ડાયમંડ એક્ષપર્ટનાં જણાવ્યા પ્રમાણે આ હિરાની અંદાજીત કિંમત 600 કરોડ રૂપિયા છે.
કનુભાઇ અસોદરિયા જણાવે છે કે બેલ્જીયમમાંથી મંગાવેલાં રફ હિરામાંથી આ એક ગણેશજીનાં આકારનો હિરો અમને પ્રાપ્ત થયો છે. તે મળતાં અમારા પરિવાર માટે ખુબ સારો સમય આવ્યો છે. 182 કેરેટનો હિરો છે. તેની કિંમત અમુલ્ય છે. લંડનની એક કંપનીએ તેને ખરીદવા માટે બોલી પણ લગાવી હતી. પણ અમે તેને વેચવા માટે ના પાડી દીધી. અમે ગણેશચતુર્થીમાં જ તેની પુજા કરીએ છીએ.
તેમનાં માટે કોહીનુર હિરા કરતાં પણ વધુ અમુલ્ય છે. હિરો કિંમતી હોવાથી તે પ્રદર્શન માટે મુકવો મુશ્કેલ છે. સામાન્ય દિવસોમાં સેફ્ટી બોક્ષમાં રહેતો આ ડાયમંડ ગણેશ ચતુર્થીમાં પુજા માટે કાઢવામાં આવે છે. ગણેશજીને જોવા આવનાર અવિનાશ પાટીલ કહે છે કે મેં પહેલી વખત જ આ પ્રકારનાં ગણપતિ જોયા છે. હુબહુ ગણપતિનું સ્વરૂપ લાગે છે..અને સુરત માટે આ સારી વાત કહેવાય કે આ પ્રકારના ગણપતિ સુરત પાસે છે.