લીંબાયતમાં ગીરીરાજ નગર પાસે સંચાના ખાતાઓ ચાલે છે
રાત્રીના 12 વાગ્યાની આસપાસ ત્યાં ધર્મેશભાઈ ઉર્ફે યોગેશ ઈશ્વરભાઈ બોરડે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો
યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને મૃત જાહેર કર્યો
WatchGujarat. સુરતના લીંબાયતમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ત્રણેક જેટલા ઈસમોએ એક યુવકને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
https://youtu.be/jJMCCXubjRU
સુરતના લીંબાયત વિસ્તારમાં ગીરીરાજ નગર પાસે સંચાના ખાતાઓ ચાલે છે. રાત્રીના 12 વાગ્યાની આસપાસ ત્યાં ધર્મેશભાઈ ઉર્ફે યોગેશ ઈશ્વરભાઈ બોરડે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ત્રણેક જેટલા ઈસમો તેને પેટમાં ચપ્પુ કે છરીના ઘા મારતા નજરે ચડે છે. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ હત્યાના આ બનાવ સંદર્ભે લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ શરુ કરી છે.
એસીપી એ.એમ.પરમારે જણાવ્યું હતું કે રાત્રીના 12 વાગ્યા ના અરસમાં લીંબાયત વિસ્તારમાં ગીરીરાજ નગર સ્થિત પ્લોટ નબર ૭૫ નજીક કે જ્યાં સંચાના ખાતા ચાલે છે. ત્યાં ત્રણ અજાણ્યા ઈસમોએ ધર્મેશભાઈ ઉર્ફે યોગેશ ઈશ્વરભાઈ બોરડેની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ મામલે તેઓની માતાની ફરિયાદ લઇ હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે. હાલમાં પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. હત્યારાઓની ઓળખ પણ થઇ ગયી છે અને ટુક સમયમાં આરોપીઓને ઝડપી લેવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હત્યા કેમ કરવામાં આવી તે આરોપીની ધરપકડ થયા બાદ તેની પૂછપરછમાં સામે આવશે. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
લીંબાયતમાં ગીરીરાજ નગર પાસે સંચાના ખાતાઓ ચાલે છે
રાત્રીના 12 વાગ્યાની આસપાસ ત્યાં ધર્મેશભાઈ ઉર્ફે યોગેશ ઈશ્વરભાઈ બોરડે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો
યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને મૃત જાહેર કર્યો
WatchGujarat. સુરતના લીંબાયતમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ત્રણેક જેટલા ઈસમોએ એક યુવકને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
સુરતના લીંબાયત વિસ્તારમાં ગીરીરાજ નગર પાસે સંચાના ખાતાઓ ચાલે છે. રાત્રીના 12 વાગ્યાની આસપાસ ત્યાં ધર્મેશભાઈ ઉર્ફે યોગેશ ઈશ્વરભાઈ બોરડે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ત્રણેક જેટલા ઈસમો તેને પેટમાં ચપ્પુ કે છરીના ઘા મારતા નજરે ચડે છે. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ હત્યાના આ બનાવ સંદર્ભે લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ શરુ કરી છે.
એસીપી એ.એમ.પરમારે જણાવ્યું હતું કે રાત્રીના 12 વાગ્યા ના અરસમાં લીંબાયત વિસ્તારમાં ગીરીરાજ નગર સ્થિત પ્લોટ નબર ૭૫ નજીક કે જ્યાં સંચાના ખાતા ચાલે છે. ત્યાં ત્રણ અજાણ્યા ઈસમોએ ધર્મેશભાઈ ઉર્ફે યોગેશ ઈશ્વરભાઈ બોરડેની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ મામલે તેઓની માતાની ફરિયાદ લઇ હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે. હાલમાં પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. હત્યારાઓની ઓળખ પણ થઇ ગયી છે અને ટુક સમયમાં આરોપીઓને ઝડપી લેવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હત્યા કેમ કરવામાં આવી તે આરોપીની ધરપકડ થયા બાદ તેની પૂછપરછમાં સામે આવશે. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.