સુરતમાં એક શખ્સે ઠપકો આપવાની અદાવત રાખી ભાઈનો બદલો ભત્રીજાઓ સાથે લીધો
ભત્રીજાઓને એક પછી એક ત્રીજા માળેથી નીચે ફેંકીને હત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ, આરોપી ફરાર
આ બન્ને બાળકોની હત્યાના પ્રયાસ પાછળ તેના કાકાનું પ્રેમ પ્રકરણ હોવાનું મનાઈ રહ્યું છે
સદનસીબે જીવ બચતાં બન્ને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
WatchGujarat. સુરતના પાંડેસરામાં એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવતીના પ્રેમમાં પાગલ કાકાએ પોતાના સગા બે ભત્રીજાઓનો જીવ લેવાનો પ્રયાસ કર્યો છે. પ્રેમમાં અંધ બનેલા કાકાએ બે માસૂમોને ત્રીજા માળેથી ઝાંડી ઝાંખરામાં ફેંકી દીધા હતા. જોકે સદનસીબે બન્ને બાળકોનો જીવ બચી ગયો છે. પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ થતાં બન્ને બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જયપ્રકાશ ગૌતમ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે, તેઓ છેલ્લા 7 વર્ષથી સુરતમાં રોજગારી મેળવી પરિવાર સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. તેમનો ભાઈ (આરોપી) નાગેન્દ્ર નશાનો બંધાણી છે. 6 વર્ષ પહેલાં તેને રોજગારી માટે સુરત લઈ આવ્યો હતો. ઘટના અંગે મીડિયા સાથે વાતચીતમાં બાળકોના પિતા જયપ્રકાશ ગૌતમે જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ મારો તેની સાથે ઝઘડો થયો હતો. ભાઈઓ વચ્ચે જોરદાર ગાળાગાળી થઈ હતી. તેઓ વધુમાં જણાવે છે કે, તેમણે નશામાં ધૂત ભાઈને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને બદલો લેવા માટે નાના ભાઈએ તેના બન્ને ભત્રીજાઓને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. આ માટે કાકાએ ખુદ તેના જ ભત્રીજાઓને એક પછી એક ત્રીજા માળેથી નીચે પડક્યા હતા.
વતન જવાનું મોટા ભાઈને કહીને હુમલાખોર ભાઈ નાસી ગયો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર બન્ને બાળકો મુકુંદ (ઉં.વ. 14) અને આદિત્ય (ઉં.વ. 13)ને ત્રીજા માળેથી ફેંકીને આરોપી નાગેન્દ્ર પીડિત બાળકોના પિતાને મળવા ગયો હતો. જ્યા તેને પોતે ગામડે જઈ રહ્યો છે તેમ કહી ફરાર થઈ ગયો હતો. બાળકો સાથે બનેલી ઘટનાની જાણ થતાં તેમના પિતાના હોંશ ઊડી ગયા હતાં. આ અંગે જણાવતા પીડિતોના પિતાએ કહ્યું કે, હું દોડીને ઘરે પહોચ્યો તો મુકુંદ એ તમામ હકીકત જણાવી હતી. કાકા નાગેન્દ્રએ પહેલા આદિત્યને રૂમમાંથી લઈ ગયો હતો. થોડીવાર બાદ મને લઈ ગયો અને કમરમાંથી ઊંચકી નીચે ફેંકી દીધો હતો. કંઈ પણ વિચાર આવે એ પહેલાં કાકાએ બન્ને ભાઈઓને મારી નાખવાના ઇરાદે લગભગ 35-40 ફૂટ નીચે ફેંકી દીધા હોવાનું પુત્રએ જણાવ્યું હતું.
ભત્રીજાઓની હત્યા પાછળ કાકાનું પ્રેમપ્રકરણ હોવાનું કહેવાય રહ્યું છે
આ બન્ને બાળકોની હત્યાના પ્રયાસ પાછળ તેના કાકાનું પ્રેમ પ્રકરણ હોવાનું મનાઈ રહ્યું છે. હાલ બન્ને બાળતોને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તાત્કાલીક ઓપરેશન કરીને તેમના જીવ બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ હજી તેઓની સારવાર ચાલું છે. જ્યારે આ મામલે પાંડેસરા પોલીસે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
- સુરતમાં એક શખ્સે ઠપકો આપવાની અદાવત રાખી ભાઈનો બદલો ભત્રીજાઓ સાથે લીધો
- ભત્રીજાઓને એક પછી એક ત્રીજા માળેથી નીચે ફેંકીને હત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ, આરોપી ફરાર
- આ બન્ને બાળકોની હત્યાના પ્રયાસ પાછળ તેના કાકાનું પ્રેમ પ્રકરણ હોવાનું મનાઈ રહ્યું છે
- સદનસીબે જીવ બચતાં બન્ને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
WatchGujarat. સુરતના પાંડેસરામાં એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવતીના પ્રેમમાં પાગલ કાકાએ પોતાના સગા બે ભત્રીજાઓનો જીવ લેવાનો પ્રયાસ કર્યો છે. પ્રેમમાં અંધ બનેલા કાકાએ બે માસૂમોને ત્રીજા માળેથી ઝાંડી ઝાંખરામાં ફેંકી દીધા હતા. જોકે સદનસીબે બન્ને બાળકોનો જીવ બચી ગયો છે. પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ થતાં બન્ને બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જયપ્રકાશ ગૌતમ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે, તેઓ છેલ્લા 7 વર્ષથી સુરતમાં રોજગારી મેળવી પરિવાર સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. તેમનો ભાઈ (આરોપી) નાગેન્દ્ર નશાનો બંધાણી છે. 6 વર્ષ પહેલાં તેને રોજગારી માટે સુરત લઈ આવ્યો હતો. ઘટના અંગે મીડિયા સાથે વાતચીતમાં બાળકોના પિતા જયપ્રકાશ ગૌતમે જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ મારો તેની સાથે ઝઘડો થયો હતો. ભાઈઓ વચ્ચે જોરદાર ગાળાગાળી થઈ હતી. તેઓ વધુમાં જણાવે છે કે, તેમણે નશામાં ધૂત ભાઈને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને બદલો લેવા માટે નાના ભાઈએ તેના બન્ને ભત્રીજાઓને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. આ માટે કાકાએ ખુદ તેના જ ભત્રીજાઓને એક પછી એક ત્રીજા માળેથી નીચે પડક્યા હતા.
વતન જવાનું મોટા ભાઈને કહીને હુમલાખોર ભાઈ નાસી ગયો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર બન્ને બાળકો મુકુંદ (ઉં.વ. 14) અને આદિત્ય (ઉં.વ. 13)ને ત્રીજા માળેથી ફેંકીને આરોપી નાગેન્દ્ર પીડિત બાળકોના પિતાને મળવા ગયો હતો. જ્યા તેને પોતે ગામડે જઈ રહ્યો છે તેમ કહી ફરાર થઈ ગયો હતો. બાળકો સાથે બનેલી ઘટનાની જાણ થતાં તેમના પિતાના હોંશ ઊડી ગયા હતાં. આ અંગે જણાવતા પીડિતોના પિતાએ કહ્યું કે, હું દોડીને ઘરે પહોચ્યો તો મુકુંદ એ તમામ હકીકત જણાવી હતી. કાકા નાગેન્દ્રએ પહેલા આદિત્યને રૂમમાંથી લઈ ગયો હતો. થોડીવાર બાદ મને લઈ ગયો અને કમરમાંથી ઊંચકી નીચે ફેંકી દીધો હતો. કંઈ પણ વિચાર આવે એ પહેલાં કાકાએ બન્ને ભાઈઓને મારી નાખવાના ઇરાદે લગભગ 35-40 ફૂટ નીચે ફેંકી દીધા હોવાનું પુત્રએ જણાવ્યું હતું.
ભત્રીજાઓની હત્યા પાછળ કાકાનું પ્રેમપ્રકરણ હોવાનું કહેવાય રહ્યું છે
આ બન્ને બાળકોની હત્યાના પ્રયાસ પાછળ તેના કાકાનું પ્રેમ પ્રકરણ હોવાનું મનાઈ રહ્યું છે. હાલ બન્ને બાળતોને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તાત્કાલીક ઓપરેશન કરીને તેમના જીવ બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ હજી તેઓની સારવાર ચાલું છે. જ્યારે આ મામલે પાંડેસરા પોલીસે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.