હીરાબાગ માં ખાનગી લકઝરી બસ સળગાવવાની ઘટનામાં એક ચોંકાવનારો ખુલાસો
આરટીઓની તપાસમાં કેટલીક મહત્વની બાબતો સામે આવી
જોકે હજી પણ એફ.એસ.એલ.ના રિપોર્ટ ની રાહ જોવામાં આવી રહી છે
WatchGujarat.સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ માં ખાનગી લકઝરી બસ સળગાવવાની ઘટનામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મંગળવારે મોડી સાંજે હચમચાવી દે તેવી આ ઘટના સામે આવી હતી, જેમાં ખાનગી બસમાં આગ લાગતા એક મહિલા બળીને ભડથું થઈ ગઈ હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.
મળતી માહિતી પ્રમાણે આ બસ સુરત થી ભાવનગર જઇ રહી હતી અને દરમિયાન બસમાં એસીનું કોમ્પ્રેસર ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું હતું. તે પછી આ બસમાં આગ લાગી હતી.
જોકે આજે આરટીઓ ઓફિસર હાર્દિક પટેલ તેમજ એફ.એસ.એલ.ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આરટીઓની તપાસમાં કેટલીક મહત્વની બાબતો સામે આવી છે, જે પ્રમાણે આ બસ નોન એસી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સવાલ હવે એ ઉભો થઇ રહ્યો છે કે જો લકઝરી બસ નોન એસી હતી તો આગની લપેટમાં કેવી રીતે આવી ? અને બસમાં બ્લાસ્ટ કેવી રીતે થયો ?
કાપોદ્રા પોલીસ મથકના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે બસની ડીકીમાં સેનીટાઇઝર, પર્ફ્યુમ, કોસ્મેટિક સાધનો, ઇલેક્ટ્રોનિક સાધનો જેવા અન્ય જ્વલનશીલ પદાર્થો પણ હતા. જેના કારણે પણ બળતામાં ઘી હોમવા જેવી સ્થિતિ ઊભી થઇ હતી.
જોકે હજી પણ એફ.એસ.એલ.ના રિપોર્ટ ની રાહ જોવામાં આવી રહી છે તે પછી જ વધુ વિગતો બહાર આવશે તેવી સંભાવના છે. નોંધનીય છે કે આ પહેલા પણ સુરતના સરથાણા વિસ્તારવા આગનો ગંભીર બનાવ બન્યો હતો. જેમાં તક્ષશિલા કોમ્પ્લેક્સ મા ક્લાસીસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને તેમાં 22 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા.
હીરાબાગ માં ખાનગી લકઝરી બસ સળગાવવાની ઘટનામાં એક ચોંકાવનારો ખુલાસો
આરટીઓની તપાસમાં કેટલીક મહત્વની બાબતો સામે આવી
જોકે હજી પણ એફ.એસ.એલ.ના રિપોર્ટ ની રાહ જોવામાં આવી રહી છે
WatchGujarat.સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ માં ખાનગી લકઝરી બસ સળગાવવાની ઘટનામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મંગળવારે મોડી સાંજે હચમચાવી દે તેવી આ ઘટના સામે આવી હતી, જેમાં ખાનગી બસમાં આગ લાગતા એક મહિલા બળીને ભડથું થઈ ગઈ હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.
મળતી માહિતી પ્રમાણે આ બસ સુરત થી ભાવનગર જઇ રહી હતી અને દરમિયાન બસમાં એસીનું કોમ્પ્રેસર ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું હતું. તે પછી આ બસમાં આગ લાગી હતી.
જોકે આજે આરટીઓ ઓફિસર હાર્દિક પટેલ તેમજ એફ.એસ.એલ.ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આરટીઓની તપાસમાં કેટલીક મહત્વની બાબતો સામે આવી છે, જે પ્રમાણે આ બસ નોન એસી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સવાલ હવે એ ઉભો થઇ રહ્યો છે કે જો લકઝરી બસ નોન એસી હતી તો આગની લપેટમાં કેવી રીતે આવી ? અને બસમાં બ્લાસ્ટ કેવી રીતે થયો ?
કાપોદ્રા પોલીસ મથકના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે બસની ડીકીમાં સેનીટાઇઝર, પર્ફ્યુમ, કોસ્મેટિક સાધનો, ઇલેક્ટ્રોનિક સાધનો જેવા અન્ય જ્વલનશીલ પદાર્થો પણ હતા. જેના કારણે પણ બળતામાં ઘી હોમવા જેવી સ્થિતિ ઊભી થઇ હતી.
જોકે હજી પણ એફ.એસ.એલ.ના રિપોર્ટ ની રાહ જોવામાં આવી રહી છે તે પછી જ વધુ વિગતો બહાર આવશે તેવી સંભાવના છે. નોંધનીય છે કે આ પહેલા પણ સુરતના સરથાણા વિસ્તારવા આગનો ગંભીર બનાવ બન્યો હતો. જેમાં તક્ષશિલા કોમ્પ્લેક્સ મા ક્લાસીસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને તેમાં 22 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા.