મહિધરપુરા પોલીસને બાતમી મળી હતી કે એક ઇસમ ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લઈને સુરત આવ્યો છે
બાતમીના આધારે પોલીસે રેલ્વે સ્ટેશન સ્થિત બહાર ટેક્ષી પાર્કીગ પાસેથી જનાર્દન સીમનચલ રાઉત નામના ઈસમને ઝડપી પાડ્યો
પોલીસ તપાસમાં તે પાંડેસરા બમરોલી સ્થિત રહેતો હોવાનું જણાવ્યું, અંગઝડતી લેતા 14.17 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો
WatchGujarat. ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરતમાં ગાંજાનો જથ્થો લાવનાર એક ઈસમને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 17.17 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. તેમજ બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહિધરપુરા પોલીસને બાતમી મળી હતી કે એક ઇસમ ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લઈને સુરત આવ્યો છે. બાતમીના આધારે પોલીસે રેલ્વે સ્ટેશન સ્થિત બહાર ટેક્ષી પાર્કીગ પાસેથી જનાર્દન સીમનચલ રાઉત નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં તે પાંડેસરા બમરોલી સ્થિત રહેતો હોવાનું જણાવ્યું હતું તેમજ તેની અંગઝડતી લેતા તેની પાસે રહેલી બેગમાંથી રૂ. 1.41 લાખનો 14.17 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી કુલ 1.44 લાખની મત્તા કબજે કરી હતી
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી ઓરિસ્સાથી આ ગાંજાનો જથ્થો લાવ્યો હતો. તેને ત્યાં એક અજાણ્યા ઇસમેં આ જથ્થો આપ્યો હતો. અને તે આ જથ્થો ઉધના સ્થિત રહેતા મહંતી સાગર ભગવંતએ મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં અવાર નવાર ગાંજાનો જત્થો ઝડપાઈ રહ્યો છે. આરોપીઓ ટ્રેન મારફતે ગાંજાનો જત્થો શહેરમાં ઘુસાડી રહ્યા છે. ત્યારે આવા આરોપીને હાલ તો પોલીસ પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભૂતકાળમાં પણ અનેક વખત ટ્રેનમાં ગાંજાનો જત્થો ઝડપાઈ ચુક્યો છે.
મહિધરપુરા પોલીસને બાતમી મળી હતી કે એક ઇસમ ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લઈને સુરત આવ્યો છે
પોલીસ તપાસમાં તે પાંડેસરા બમરોલી સ્થિત રહેતો હોવાનું જણાવ્યું, અંગઝડતી લેતા 14.17 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો
WatchGujarat. ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરતમાં ગાંજાનો જથ્થો લાવનાર એક ઈસમને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 17.17 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. તેમજ બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહિધરપુરા પોલીસને બાતમી મળી હતી કે એક ઇસમ ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લઈને સુરત આવ્યો છે. બાતમીના આધારે પોલીસે રેલ્વે સ્ટેશન સ્થિત બહાર ટેક્ષી પાર્કીગ પાસેથી જનાર્દન સીમનચલ રાઉત નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં તે પાંડેસરા બમરોલી સ્થિત રહેતો હોવાનું જણાવ્યું હતું તેમજ તેની અંગઝડતી લેતા તેની પાસે રહેલી બેગમાંથી રૂ. 1.41 લાખનો 14.17 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી કુલ 1.44 લાખની મત્તા કબજે કરી હતી
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી ઓરિસ્સાથી આ ગાંજાનો જથ્થો લાવ્યો હતો. તેને ત્યાં એક અજાણ્યા ઇસમેં આ જથ્થો આપ્યો હતો. અને તે આ જથ્થો ઉધના સ્થિત રહેતા મહંતી સાગર ભગવંતએ મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં અવાર નવાર ગાંજાનો જત્થો ઝડપાઈ રહ્યો છે. આરોપીઓ ટ્રેન મારફતે ગાંજાનો જત્થો શહેરમાં ઘુસાડી રહ્યા છે. ત્યારે આવા આરોપીને હાલ તો પોલીસ પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભૂતકાળમાં પણ અનેક વખત ટ્રેનમાં ગાંજાનો જત્થો ઝડપાઈ ચુક્યો છે.