સુરતમાં નવા બનેલા મંત્રીઓ તબક્કાવાર જન આશીર્વાદ યાત્રા યોજી રહ્યા છે
શરુઆતમાં રોડ મરામતના અભિયાન ખુબ મોટા પ્રમાણમાં ચલાવવામાં આવ્યું હતું – પુર્ણેશ મોદી
ટ્રાન્સપોર્ટશનમાં સંપુર્ણ પણે ડીઝીટલ ઇન્ડીયાના કન્સેપ્ટ સાથે સંપુર્ણ રીતે લોકોને ઘર બેઠા સુવિધા મળે તેવું આયોજન
WatchGujarat. માર્ગ અને મકાન મંત્રી બન્યા બાદ પુર્ણેશ મોદી પ્રથમ વખત સુરત આવ્યા હતા. સુરતમાં તેઓની જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેઓએ સુરતમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓ દ્વારા હાલમાં થતી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. એટલુ જ નહી ખાડા પુરાણ અભિયાન 90 ટકા સુધી પૂર્ણ થઇ ગયું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
https://youtu.be/--Xk5DCzNfY
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી હતી. અને ત્યારબાદ નવા મંત્રી મંડળની રચના કરવામાં આવી હતી. આ નવા મંત્રી મંડળમાં સુરતની લોટરી લાગી હતી. સુરત શહેરમાંથી 4 ધારાસભ્યોને મંત્રી પદ મળ્યું હતું. 4 મંત્રીઓ બનતા સ્વભાવિક છે કે શહેરીજનોની આશા અપેક્ષાઓ વધી જતી હોય છે. ત્યારે સુરતમાં નવા બનેલા મંત્રીઓ તબક્કાવાર જન આશીર્વાદ યાત્રા યોજી રહ્યા છે. સુરતમાં ધારા સભ્ય પુર્ણેશ મોદીને પણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. માર્ગ અને મકાન મંત્રી બન્યા બાદ પુર્ણેશ મોદી પ્રથમ વખત સુરત આવ્યા હતા. સુરતમાં તેઓની જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી.
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે મંત્રી બન્યા બાદ મારી પાસે પાંચ વિભાગ આવ્યા છે, જેમાં માર્ગ અને મકાન વિભાગ, ટુરીઝન વિભાગ, યાત્રાધામા વિભાગ, નાગરિક ઉડિયન અને વાહન વ્યવહાર આ પાંચેય વિભાગમાં જન સંર્પક ખુબ મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે. શરુઆતમાં રોડ મરામતના અભિયાન ખુબ મોટા પ્રમાણમાં ચલાવવામાં આવ્યું હતું. જે ખુબ સફળ રહ્યું છે. ખાડા પુરાણ અભિયાન 90 ટકા સુધી પૂર્ણ થઇ ગયું છે. જ્યાં જ્યાં વરસાદ છે ત્યાં આગામી સમયમાં કાર્ય પૂર્ણ કરાશે. સી પ્લેન બાબતે મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સુરતમાં કોઝવે અને ઉતરગુજરાત સહિતના સપોર્ટ અધિકારીઓને આપવામાં આવી રહ્યા છે. ૨૫૧ જેટલા તાલુકામાં હેલીપેડ બને તેવી સુચના પણ આપવામાં આવી છે. ગુજરાતમાં આસ્થાના પ્રતિક રૂપે અનેક મંદિરો છે. જ્યાં કોઈ વ્યક્તિને હાલાકી પડે ન અને તમામ સુવિધાઓ મળી રહે તે માટે યાત્રાધામમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
ટ્રાન્સપોર્ટશનમાં પણ સંપૂણ પણે ડીઝીટલ ઇન્ડીયાના કન્સેપ્ટ સાથે સંપુર્ણ રીતે લોકોને ઘર બેઠા સુવિધા મળે તેવું આયોજન પણ કરાઈ રહ્યું છે. જેમાં માત્ર લોકોને ટેસ્ટ દેવા જ રૂબરૂ આરટીઓમાં જવું પડશે. આગામી સમયમાં દશેરા મહોત્સવ આવી રહ્યો છે. ત્યારે દશેરાના દિવસે ડાંગના સુબીર ખાતે દશેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. નવરાત્રીના પહેલા જ દિવસે એક એપ્લીકેશન લોનચ પણ કરી છે. જેમાં પાંચેય વિભાગના કોઈ પણ મહત્વના પ્રશ્નો હોય તો તેમાં લોકો ફરિયાદ કરી શકે છે. અને તે પ્રશ્નોને તાત્કાલિક હલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.
સુરતમાં નવા બનેલા મંત્રીઓ તબક્કાવાર જન આશીર્વાદ યાત્રા યોજી રહ્યા છે
શરુઆતમાં રોડ મરામતના અભિયાન ખુબ મોટા પ્રમાણમાં ચલાવવામાં આવ્યું હતું – પુર્ણેશ મોદી
ટ્રાન્સપોર્ટશનમાં સંપુર્ણ પણે ડીઝીટલ ઇન્ડીયાના કન્સેપ્ટ સાથે સંપુર્ણ રીતે લોકોને ઘર બેઠા સુવિધા મળે તેવું આયોજન
WatchGujarat. માર્ગ અને મકાન મંત્રી બન્યા બાદ પુર્ણેશ મોદી પ્રથમ વખત સુરત આવ્યા હતા. સુરતમાં તેઓની જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેઓએ સુરતમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓ દ્વારા હાલમાં થતી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. એટલુ જ નહી ખાડા પુરાણ અભિયાન 90 ટકા સુધી પૂર્ણ થઇ ગયું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી હતી. અને ત્યારબાદ નવા મંત્રી મંડળની રચના કરવામાં આવી હતી. આ નવા મંત્રી મંડળમાં સુરતની લોટરી લાગી હતી. સુરત શહેરમાંથી 4 ધારાસભ્યોને મંત્રી પદ મળ્યું હતું. 4 મંત્રીઓ બનતા સ્વભાવિક છે કે શહેરીજનોની આશા અપેક્ષાઓ વધી જતી હોય છે. ત્યારે સુરતમાં નવા બનેલા મંત્રીઓ તબક્કાવાર જન આશીર્વાદ યાત્રા યોજી રહ્યા છે. સુરતમાં ધારા સભ્ય પુર્ણેશ મોદીને પણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. માર્ગ અને મકાન મંત્રી બન્યા બાદ પુર્ણેશ મોદી પ્રથમ વખત સુરત આવ્યા હતા. સુરતમાં તેઓની જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી.
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે મંત્રી બન્યા બાદ મારી પાસે પાંચ વિભાગ આવ્યા છે, જેમાં માર્ગ અને મકાન વિભાગ, ટુરીઝન વિભાગ, યાત્રાધામા વિભાગ, નાગરિક ઉડિયન અને વાહન વ્યવહાર આ પાંચેય વિભાગમાં જન સંર્પક ખુબ મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે. શરુઆતમાં રોડ મરામતના અભિયાન ખુબ મોટા પ્રમાણમાં ચલાવવામાં આવ્યું હતું. જે ખુબ સફળ રહ્યું છે. ખાડા પુરાણ અભિયાન 90 ટકા સુધી પૂર્ણ થઇ ગયું છે. જ્યાં જ્યાં વરસાદ છે ત્યાં આગામી સમયમાં કાર્ય પૂર્ણ કરાશે. સી પ્લેન બાબતે મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સુરતમાં કોઝવે અને ઉતરગુજરાત સહિતના સપોર્ટ અધિકારીઓને આપવામાં આવી રહ્યા છે. ૨૫૧ જેટલા તાલુકામાં હેલીપેડ બને તેવી સુચના પણ આપવામાં આવી છે. ગુજરાતમાં આસ્થાના પ્રતિક રૂપે અનેક મંદિરો છે. જ્યાં કોઈ વ્યક્તિને હાલાકી પડે ન અને તમામ સુવિધાઓ મળી રહે તે માટે યાત્રાધામમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
ટ્રાન્સપોર્ટશનમાં પણ સંપૂણ પણે ડીઝીટલ ઇન્ડીયાના કન્સેપ્ટ સાથે સંપુર્ણ રીતે લોકોને ઘર બેઠા સુવિધા મળે તેવું આયોજન પણ કરાઈ રહ્યું છે. જેમાં માત્ર લોકોને ટેસ્ટ દેવા જ રૂબરૂ આરટીઓમાં જવું પડશે. આગામી સમયમાં દશેરા મહોત્સવ આવી રહ્યો છે. ત્યારે દશેરાના દિવસે ડાંગના સુબીર ખાતે દશેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. નવરાત્રીના પહેલા જ દિવસે એક એપ્લીકેશન લોનચ પણ કરી છે. જેમાં પાંચેય વિભાગના કોઈ પણ મહત્વના પ્રશ્નો હોય તો તેમાં લોકો ફરિયાદ કરી શકે છે. અને તે પ્રશ્નોને તાત્કાલિક હલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.