પાંડસરા અને સચિનના ઉદ્યોગોને એક લાખ મિલિયન લિટર રિસાઇકલ પાણી પુરૂ પાડી પાલિકાએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો
એક લાખ મિલિયન લિટર ઔદ્યોગિક ગ્રેડનું રિસાઇકલ પાણી પુરૂ પાડી પીવાલાયક પાણીની બચત કરી
ઉદ્યોગોને રિસાઇકલ પાણી પૂરૂ પાડવાની પાલિકાની યોજનાની દેશભરમાં નોંધ લેવાય છે
Watchgujarat. સુરતનાં પાંડસરા અને સચિનના ઉદ્યોગોને એક લાખ મિલિયન લિટર રિસાઇકલ પાણી પુરૂ પાડી પાલિકાએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ઔદ્યોગિક વપરાશ માટે ટર્શરી ટ્રીટ થયેલુ પાણી પુરુ પાડી પાલિકાએ 265 કરોડની માતબર આવક મેળવી છે. એટલું જ નહીં એક લાખ મિલિયન લિટર ઔદ્યોગિક ગ્રેડનું રિસાઇકલ પાણી પુરૂ પાડી પીવાલાયક પાણીની બચત કરી છે.
2014 સુધી પાંડેસરાના ઉદ્યોગોને ઔદ્યોગિક વપરાશ માટે પીવાલાયક પાણી પુરૂ પાડવામાં આવતું હતુ. પાંડેસરાનાં ઉદ્યોગોની રજૂઆતના આધારે પાલિકાએ 2014માં બમરોલી ખાતે ચાલીસ એમએલડીનો ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યો હતો. એ સમયે રિલાઇકલ પાણીનો પ્લાન્ટ કાર્યરત કરનાર પાલિકા દેશની પહેલી પાલિકા બની હતી. આ પ્લાન્ટની સફળતા બાદ પાલિકાએ 2020માં બમરોલી અને ડિડોંલી ખાતે બે નવા પ્લાન્ટ કાર્યરત કર્યા હતા. આ ત્રણ પ્લાન્ટની કાર્યરત કર્યા હતા. આ ત્રણ પ્લાન્ટની કુલ ઉત્પાદન ક્ષમતા દૈનિક 115 એમએલડી છે. 2014માં ચાલીસ એમએલડીનો પ્લાન્ટ કાર્યરત થયા બાદ પાલિકા 40 એમએલડી પીવાલાયક પાણી અને 40 એમએલડી રિસાઇકલ પાણી ભેગુ કરી પાંડેસરાનાં ઉદ્યોગોને રોજ 80 એમએલડી પાણી આપતી હતી. 2020માં બીજા બે પ્લાન્ટ કાર્યરત થતા હવે પીવાલાયક પાણી બંધ કરી ઉદ્યોગોને 115 એમએલડી ટર્શરી ટ્રીટ થયેલું પાણી પૂરૂં પાડવામાં આવે છે.
2014 થી 2021 સુધીના સમયગાળા દરમિયાન પાલિકાએ ઉદ્યોગોને એક લાખ મિલિયન લિટર પાણી પુરૂ પાડ્યું છે. ઉદ્યોગોને રિસાઇકલ પાણી પૂરૂ પાડવાની પાલિકાની યોજનાની દેશભરમાં નોંધ લેવાય છે. પાલિકાના પગલે ચેન્નઇમાં ચાલીસ એમએલડીનો ટર્શરી પ્લાન્ટ કાર્યરત થઇ ચૂક્યો છે.જ્યારે ગાઝીયાબાદમાં ટૂંક સમયમા પ્લાન્ટ કાર્યરત થશે. ચેન્નઇમાં પ્રતિ કિલોલિટરે 100નાં ભાવે ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે. જ્યારે સુરતમાં રૂપિયા 32ના ભાવે પાણી પૂરૂ પાડવામાં આવે છે. વાજબી ભાવ હોવાથી ઉદ્યોગો પર વધારાનું ભારણ પડ્યું નથી.
શહેરની ફરતે પચાસ કિલોમીટરમાં રિસાઇકલ પાણી ફરજિયાત
રાજ્ય સરકારે શહેરની હદની આસપાસના પચાલ કિલોમીટર વિસ્તારમાં રિસાઇકલ પાણી ફરજિયાત કર્યું છે.રાજ્ય સરકારે અમલમાં મૂકેલી પાણી નીતિ અનુસાર શહેરની 50 કિલોમીટર ત્રિજ્યામાં આવેલા ઔદ્યોગિક એકમોએ ઔદ્યોગિક વપરાશ માટે ફરજિયાત રિસાઇકલ પાણીનો જ વપરાશ કરવાનો રહે છે. શહેરની ફરતે હજીરા, કડોદરા સહિતના ઔદ્યોગિક એકમો તાપી અને નહેરના પાણી પર નિર્ભર છે. રાજ્ય સરકારની નીતિ અનુસાર આ તમામ એકમોએ તબક્કાવાર રિસાઇકલ પાણીનો વપરાશ કરવો પડશે.
પાલિકા રિસાઇકલ બાદ હવે ગટરનું પાણી વેચી આવક રળશે
રિસાઇકલ પાણીના વેપારમાં દેશભરમાં નામના મેળવનાર સુરત મનપાએ હવે રિસાઇકલ પાણીની સાથે ગટરમાં ટ્રીટ કર્યા વગરના પાણીનો વેપાર કરી આવક રળવાનું આયોજન કર્યું છે. પાલિકાએ તાજેતરમાં કલરટેક્સ કંપનીને દૈનિક 30 એમએલડી ગટરનું પાણી પુરૂ પાડવાનો નિર્ણય કર્યો છે. ગટરનું પાણી કોઇ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર સીધેસીધું કલરટેક્સ કંપનીને વેચવામાં આવશે. કલરટેક્સ દ્વારા ટર્શરી પ્લાન્ટ ઉભો કરી ગટરનું પાણી રિસાઇકલ કરી ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગ કરશે. રિસાઇકલ પાણીની જેમ જ ગટરનું પાણી વેચવામાં સુરત મનપા દેશમાં પ્રથમ છે.
એક પણ રૂપિયાના કેપિટલ ખર્ચ વગર 256 કરોડની આવક
બમરોલી ખાતે બે ટર્શરી પ્લાન્ટ અને ડિંડોલી ખાતે એક ટર્શરી પ્લાન્ટ પાછળ પાલિકાને એક પણ રૂપિયાનો ખર્ચ થયો નથી. 2014માં બમરોલી ખાતે બનેલો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ રાજ્ય સરકારની સ્વર્ણીય યોજનાની ગ્રાન્ટમાંથી તૈયાર થયો હતો જ્યારે 2020માં બમરોલી અને ડિંડોલી ખાતે તૈયાર થયેલા પ્લાન્ટ કેન્દ્રની અમૃત યોજના અને સ્માર્ટ સિટી યોજનાની ગ્રાન્ટમાંથી તૈયાર થયા છે. આમ એક પણ રૂપિયાના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વગર પાલિકાઓ છેલ્લા સાત વર્ષમાં રૂ.265 કરોડની આવક પ્રાપ્ત કરી છે.
- પાંડસરા અને સચિનના ઉદ્યોગોને એક લાખ મિલિયન લિટર રિસાઇકલ પાણી પુરૂ પાડી પાલિકાએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો
- એક લાખ મિલિયન લિટર ઔદ્યોગિક ગ્રેડનું રિસાઇકલ પાણી પુરૂ પાડી પીવાલાયક પાણીની બચત કરી
- ઉદ્યોગોને રિસાઇકલ પાણી પૂરૂ પાડવાની પાલિકાની યોજનાની દેશભરમાં નોંધ લેવાય છે
Watchgujarat. સુરતનાં પાંડસરા અને સચિનના ઉદ્યોગોને એક લાખ મિલિયન લિટર રિસાઇકલ પાણી પુરૂ પાડી પાલિકાએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ઔદ્યોગિક વપરાશ માટે ટર્શરી ટ્રીટ થયેલુ પાણી પુરુ પાડી પાલિકાએ 265 કરોડની માતબર આવક મેળવી છે. એટલું જ નહીં એક લાખ મિલિયન લિટર ઔદ્યોગિક ગ્રેડનું રિસાઇકલ પાણી પુરૂ પાડી પીવાલાયક પાણીની બચત કરી છે.
2014 સુધી પાંડેસરાના ઉદ્યોગોને ઔદ્યોગિક વપરાશ માટે પીવાલાયક પાણી પુરૂ પાડવામાં આવતું હતુ. પાંડેસરાનાં ઉદ્યોગોની રજૂઆતના આધારે પાલિકાએ 2014માં બમરોલી ખાતે ચાલીસ એમએલડીનો ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યો હતો. એ સમયે રિલાઇકલ પાણીનો પ્લાન્ટ કાર્યરત કરનાર પાલિકા દેશની પહેલી પાલિકા બની હતી. આ પ્લાન્ટની સફળતા બાદ પાલિકાએ 2020માં બમરોલી અને ડિડોંલી ખાતે બે નવા પ્લાન્ટ કાર્યરત કર્યા હતા. આ ત્રણ પ્લાન્ટની કાર્યરત કર્યા હતા. આ ત્રણ પ્લાન્ટની કુલ ઉત્પાદન ક્ષમતા દૈનિક 115 એમએલડી છે. 2014માં ચાલીસ એમએલડીનો પ્લાન્ટ કાર્યરત થયા બાદ પાલિકા 40 એમએલડી પીવાલાયક પાણી અને 40 એમએલડી રિસાઇકલ પાણી ભેગુ કરી પાંડેસરાનાં ઉદ્યોગોને રોજ 80 એમએલડી પાણી આપતી હતી. 2020માં બીજા બે પ્લાન્ટ કાર્યરત થતા હવે પીવાલાયક પાણી બંધ કરી ઉદ્યોગોને 115 એમએલડી ટર્શરી ટ્રીટ થયેલું પાણી પૂરૂં પાડવામાં આવે છે.
2014 થી 2021 સુધીના સમયગાળા દરમિયાન પાલિકાએ ઉદ્યોગોને એક લાખ મિલિયન લિટર પાણી પુરૂ પાડ્યું છે. ઉદ્યોગોને રિસાઇકલ પાણી પૂરૂ પાડવાની પાલિકાની યોજનાની દેશભરમાં નોંધ લેવાય છે. પાલિકાના પગલે ચેન્નઇમાં ચાલીસ એમએલડીનો ટર્શરી પ્લાન્ટ કાર્યરત થઇ ચૂક્યો છે.જ્યારે ગાઝીયાબાદમાં ટૂંક સમયમા પ્લાન્ટ કાર્યરત થશે. ચેન્નઇમાં પ્રતિ કિલોલિટરે 100નાં ભાવે ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે. જ્યારે સુરતમાં રૂપિયા 32ના ભાવે પાણી પૂરૂ પાડવામાં આવે છે. વાજબી ભાવ હોવાથી ઉદ્યોગો પર વધારાનું ભારણ પડ્યું નથી.
શહેરની ફરતે પચાસ કિલોમીટરમાં રિસાઇકલ પાણી ફરજિયાત
રાજ્ય સરકારે શહેરની હદની આસપાસના પચાલ કિલોમીટર વિસ્તારમાં રિસાઇકલ પાણી ફરજિયાત કર્યું છે.રાજ્ય સરકારે અમલમાં મૂકેલી પાણી નીતિ અનુસાર શહેરની 50 કિલોમીટર ત્રિજ્યામાં આવેલા ઔદ્યોગિક એકમોએ ઔદ્યોગિક વપરાશ માટે ફરજિયાત રિસાઇકલ પાણીનો જ વપરાશ કરવાનો રહે છે. શહેરની ફરતે હજીરા, કડોદરા સહિતના ઔદ્યોગિક એકમો તાપી અને નહેરના પાણી પર નિર્ભર છે. રાજ્ય સરકારની નીતિ અનુસાર આ તમામ એકમોએ તબક્કાવાર રિસાઇકલ પાણીનો વપરાશ કરવો પડશે.
પાલિકા રિસાઇકલ બાદ હવે ગટરનું પાણી વેચી આવક રળશે
રિસાઇકલ પાણીના વેપારમાં દેશભરમાં નામના મેળવનાર સુરત મનપાએ હવે રિસાઇકલ પાણીની સાથે ગટરમાં ટ્રીટ કર્યા વગરના પાણીનો વેપાર કરી આવક રળવાનું આયોજન કર્યું છે. પાલિકાએ તાજેતરમાં કલરટેક્સ કંપનીને દૈનિક 30 એમએલડી ગટરનું પાણી પુરૂ પાડવાનો નિર્ણય કર્યો છે. ગટરનું પાણી કોઇ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર સીધેસીધું કલરટેક્સ કંપનીને વેચવામાં આવશે. કલરટેક્સ દ્વારા ટર્શરી પ્લાન્ટ ઉભો કરી ગટરનું પાણી રિસાઇકલ કરી ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગ કરશે. રિસાઇકલ પાણીની જેમ જ ગટરનું પાણી વેચવામાં સુરત મનપા દેશમાં પ્રથમ છે.
એક પણ રૂપિયાના કેપિટલ ખર્ચ વગર 256 કરોડની આવક
બમરોલી ખાતે બે ટર્શરી પ્લાન્ટ અને ડિંડોલી ખાતે એક ટર્શરી પ્લાન્ટ પાછળ પાલિકાને એક પણ રૂપિયાનો ખર્ચ થયો નથી. 2014માં બમરોલી ખાતે બનેલો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ રાજ્ય સરકારની સ્વર્ણીય યોજનાની ગ્રાન્ટમાંથી તૈયાર થયો હતો જ્યારે 2020માં બમરોલી અને ડિંડોલી ખાતે તૈયાર થયેલા પ્લાન્ટ કેન્દ્રની અમૃત યોજના અને સ્માર્ટ સિટી યોજનાની ગ્રાન્ટમાંથી તૈયાર થયા છે. આમ એક પણ રૂપિયાના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વગર પાલિકાઓ છેલ્લા સાત વર્ષમાં રૂ.265 કરોડની આવક પ્રાપ્ત કરી છે.