સુરતના એક વડિલ પાસે જુદા-જુદા 53 પ્રકારના મટીરીયલ્સથી બનેલી 607 શ્રીજીની પ્રતિમા રહેલી છે
અડધાગ્રામથી માંડીને 37 કિલો સુધીની ગણેશજીની પ્રતિમાનું ઘરમાં સંગ્રહસ્થાન બનાવ્યું
તેઓ જ્યાં પણ પ્રવાસ જાય છે ત્યાં જુદા જુદા મટીરીયલ્સ અને જુદા જુદા આકારની પ્રતિમાની ખરીદી કરે છે
તેમની પાસે રહેલી શ્રીજીની તમામ પ્રતિમાઓને ભેગી કરી વજન કરવામાં આવે તો 2.52 ટન વજન થાય, અને ઉંચાઈ 16 ફ્લેટની થઈ શકે
WatchGujarat. આગામી દિવસોમાં ગણેશોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. આ ઉત્સવમાં ગણેશ મંડળો દ્વારા જુદી-જુદી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. જેને જોવા માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે. ગણેશોત્સવ પૂર્ણ થતાં આ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. પરંતુ સુરતના એક એવા વડીલ છે જેમને શ્રીજીની પ્રતિમાઓને પોતાના ઘરમાં જ સાચવી રાખી છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સુરતના પાલ વિસ્તારમાં રહેતાં ભરતભાઈ ઉપાધ્યાય નામના વડિલના ઘરે શ્રીજીની પ્રતિમાનો ખજાનો છે. તેમની ઉંમર હાલ 73 વર્ષથી થઈ ગઈ છે. તેઓ એક હજારથી વધુ ગણેશજીની પ્રતિમા ભેગી કરવા માંગે છે. તેમના આ વિચારમાં તેમના દિકરો સાથ આપશે તેવું પણ તેઓ જણાવે છે.
[caption id="attachment_1391214" align="aligncenter" width="1600"] Surat - lord Ganesh Mausam[/caption]
સુરત શહેરના પાલ વિસ્તારમાં રહેતાં ભરતભાઈ ઉપાધ્યાયે ગણેશજી પર અટુત શ્રધ્ધા અને વિશ્વાસના કારણે પોતાના ઘરે શ્રીજીની અનેક પ્રતિમાઓનો સંગ્રહ કર્યો છે. તેમનું ઘર શ્રીજીની પ્રતિમાનું એક નાનકડું મ્યુઝિયમ બની ગયું છે. જેમાં એક બે નહીં પરંતુ જુદા જુદા 53 મટીરીયલ્સથી બનેલી શ્રીજીની 607 પ્રતિમાનો સંગ્રહ છે. આ અનોખા સંગ્રહમાં અડધો ગ્રામથી માંડીને 37 કિલો સુધીની શ્રીજીની પ્રતિમા રહેલી છે. ભરતભાઈ ગણેશજીના અનોખા ભક્ત છે. 37 વર્ષ પહેલાં તેઓ નોકરી મેળવવા માટે સ્ટ્રગલ કરતાં હતા. આ દરમિયાન તેમના ભાઈએ તેમને એક શ્રીજીની પ્રતિમા ભેંટ આપીને પુજા કરવા જણાવ્યું હતું. બસ ત્યારથી અત્યાર સુધીમાં ભરતભાઈને શ્રીજીની પ્રતિમા ભેગી કરવાનો શોખ લાગ્યો અને 607 પ્રતિમા ભેગી કરી દીધી છે.
આ અંગે વાત કરતાં ભરતભાઈએ જણાવ્યું હતુ કે, તેમના આ અનોખા સંગ્રહમાં 607 ગણેશજીની પ્રતિમા છે. જેમાં ખરીદેલી પ્રતિમા 136 છે. તેઓ જ્યાં પણ પ્રવાસ જાય છે ત્યાં જુદા જુદા મટીરીયલ્સ અને જુદા જુદા આકારની પ્રતિમાની ખરીદી કરે છે. ભરતભાઈ પાસે રહેલી શ્રીજીની તમામ પ્રતિમાઓને એકઠી કરવામાં આવે તો તેનો વજન 2.52 ટન થાય. આ પ્રતિમાઓને એક ઉપર એક ગોઠવવામાં આવે તો 16 ફ્લેટની ઉંચાઈ થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં મારા ઘરમાં દેવસ્થાનથી માંડીને શોકેશ અને ગાર્ડનમાં પણ શ્રીજીની પ્રતિમા મુકવામાં આવી છે. શ્રીજીની પ્રતિમા ભેગી કરવાના તેમનો શોખ તેમના મિત્રોમાં જાણીતો છે. તેથી મિત્રો પણ કોઈ નવી શ્રીજીની પ્રતિમા જોઈ તો લઈને ભરતભાઈને ભેટ આપી રહ્યાં છે. તેમને અત્યારસુધી ભેંટમાં 471 પ્રતિમા મળી છે.
સુરતના એક વડિલ પાસે જુદા-જુદા 53 પ્રકારના મટીરીયલ્સથી બનેલી 607 શ્રીજીની પ્રતિમા રહેલી છે
તેઓ જ્યાં પણ પ્રવાસ જાય છે ત્યાં જુદા જુદા મટીરીયલ્સ અને જુદા જુદા આકારની પ્રતિમાની ખરીદી કરે છે
તેમની પાસે રહેલી શ્રીજીની તમામ પ્રતિમાઓને ભેગી કરી વજન કરવામાં આવે તો 2.52 ટન વજન થાય, અને ઉંચાઈ 16 ફ્લેટની થઈ શકે
WatchGujarat. આગામી દિવસોમાં ગણેશોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. આ ઉત્સવમાં ગણેશ મંડળો દ્વારા જુદી-જુદી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. જેને જોવા માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે. ગણેશોત્સવ પૂર્ણ થતાં આ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. પરંતુ સુરતના એક એવા વડીલ છે જેમને શ્રીજીની પ્રતિમાઓને પોતાના ઘરમાં જ સાચવી રાખી છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સુરતના પાલ વિસ્તારમાં રહેતાં ભરતભાઈ ઉપાધ્યાય નામના વડિલના ઘરે શ્રીજીની પ્રતિમાનો ખજાનો છે. તેમની ઉંમર હાલ 73 વર્ષથી થઈ ગઈ છે. તેઓ એક હજારથી વધુ ગણેશજીની પ્રતિમા ભેગી કરવા માંગે છે. તેમના આ વિચારમાં તેમના દિકરો સાથ આપશે તેવું પણ તેઓ જણાવે છે.
[caption id="attachment_1391214" align="aligncenter" width="1600"] Surat - lord Ganesh Mausam[/caption]
સુરત શહેરના પાલ વિસ્તારમાં રહેતાં ભરતભાઈ ઉપાધ્યાયે ગણેશજી પર અટુત શ્રધ્ધા અને વિશ્વાસના કારણે પોતાના ઘરે શ્રીજીની અનેક પ્રતિમાઓનો સંગ્રહ કર્યો છે. તેમનું ઘર શ્રીજીની પ્રતિમાનું એક નાનકડું મ્યુઝિયમ બની ગયું છે. જેમાં એક બે નહીં પરંતુ જુદા જુદા 53 મટીરીયલ્સથી બનેલી શ્રીજીની 607 પ્રતિમાનો સંગ્રહ છે. આ અનોખા સંગ્રહમાં અડધો ગ્રામથી માંડીને 37 કિલો સુધીની શ્રીજીની પ્રતિમા રહેલી છે. ભરતભાઈ ગણેશજીના અનોખા ભક્ત છે. 37 વર્ષ પહેલાં તેઓ નોકરી મેળવવા માટે સ્ટ્રગલ કરતાં હતા. આ દરમિયાન તેમના ભાઈએ તેમને એક શ્રીજીની પ્રતિમા ભેંટ આપીને પુજા કરવા જણાવ્યું હતું. બસ ત્યારથી અત્યાર સુધીમાં ભરતભાઈને શ્રીજીની પ્રતિમા ભેગી કરવાનો શોખ લાગ્યો અને 607 પ્રતિમા ભેગી કરી દીધી છે.
આ અંગે વાત કરતાં ભરતભાઈએ જણાવ્યું હતુ કે, તેમના આ અનોખા સંગ્રહમાં 607 ગણેશજીની પ્રતિમા છે. જેમાં ખરીદેલી પ્રતિમા 136 છે. તેઓ જ્યાં પણ પ્રવાસ જાય છે ત્યાં જુદા જુદા મટીરીયલ્સ અને જુદા જુદા આકારની પ્રતિમાની ખરીદી કરે છે. ભરતભાઈ પાસે રહેલી શ્રીજીની તમામ પ્રતિમાઓને એકઠી કરવામાં આવે તો તેનો વજન 2.52 ટન થાય. આ પ્રતિમાઓને એક ઉપર એક ગોઠવવામાં આવે તો 16 ફ્લેટની ઉંચાઈ થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં મારા ઘરમાં દેવસ્થાનથી માંડીને શોકેશ અને ગાર્ડનમાં પણ શ્રીજીની પ્રતિમા મુકવામાં આવી છે. શ્રીજીની પ્રતિમા ભેગી કરવાના તેમનો શોખ તેમના મિત્રોમાં જાણીતો છે. તેથી મિત્રો પણ કોઈ નવી શ્રીજીની પ્રતિમા જોઈ તો લઈને ભરતભાઈને ભેટ આપી રહ્યાં છે. તેમને અત્યારસુધી ભેંટમાં 471 પ્રતિમા મળી છે.