સુરતના સરથાણા વિસ્તારમાં સેલિબ્રેશન હોમ્સ આવેલું છે
બિલ્ડીંગના એલીવેશનમાં લગાવેલા કાચ અવાર નવાર તૂટી પડે છે
રહીશો પોતાના માથે તપેલું મૂકી તેમજ પુરુષોએ માથે હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા હતા એટલું જ નહી અહી બેનર લગાવી વિરોધ પણ કરવામાં આવ્યો
WatchGujarat. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી રેસીડેન્સીમાં રહીશોએ નવરાત્રી દરમ્યાન અનોખો વિરોધ નોંધાવ્યો હતો. બિલ્ડીંગના એલીવેશનમાં લગાવેલા કાચ તૂટી પડતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અનેક ફરિયાદો છતાં કોઈ નિરાકરણ નહિ આવતા રહીશોએ નવરાત્રી દરમ્યાન માથે તપેલી અને હેલમેટ રાખી અને બેનરો લગાવી વિરોધ સાથે નવરાત્રીમાં ગરબે ઘૂમ્યા હતા
https://youtu.be/2whCB9n_bLs
હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. અને સુરતની શેરીઓમાં નવરાત્રીની ધૂમ મચી છે. ખૈલાયાઓ મન મુકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે સુરતમાં નવરાત્રી પર્વ દરમ્યાન અનોખો વિરોધ સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં સેલિબ્રેશન હોમ્સ આવેલું છે. અહી બિલ્ડીંગના એલીવેશનમાં લગાવેલા કાચ અવાર નવાર તૂટી પડ્યા હતા. જેને લઈને રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી આ મામલે રહીશોએ નવરાત્રી પર્વ દરમ્યાન અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સોસાયટીના રહીશો પોતાના માથે તપેલું મૂકી તેમજ પુરુષોએ માથે હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા હતા એટલું જ નહી અહી બેનર લગાવી વિરોધ પણ કરવામાં આવ્યો હતો. રહીશોએ બેનરમાં લખ્યું હતું કે માનવતા મહેંમાનોને નમ્ર વિનંતી કે અહીયા બાલ્કનીના એલીવેશનના કાચ અચાનક પડે છે તો બિલ્ડીંગ થી 10 ફૂટ દુર ચાલો. અમને તમારી ચિંતા છે. પણ અમે જેની પાસેથી ફ્લેટ લીધા છે એને અમારી ચિંતા નથી. અહી ફ્લેટ લેતા પહેલા પ્રમુખ તથા અન્ય સભ્યોની મુલાકાત લેવી કારણ કે સભ્યો અને બિલ્ડર વચ્ચે સોસાયટી બાબતે તકરાર ચાલે છે.
ઈશાબેને જણાવ્યું હતું કે અહી તપેલી લઈને ગરબે ઘૂમ્યા છે. કારણ કે અહી અમારી કોઈ જ સેફટી નથી. અહી છોકરાઓ પણ સેફ નથી. અહી બિલ્ડીંગમાં લગાવેલા કાચ અચાનક તૂટી પડ્યા છે. અમે અનેક ફરિયાદો કરી પરંતુ કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી. અહી કોઈ વ્યક્તિ આવે અને કાચ ગમે ત્યારે તૂટી પડી શકે તેમ છે અને કોઈ દુર્ઘટના ઘટી શકે તેમ છે
રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે રાત્રીના સમયે કાચને અડક્યા વિના કાચ તૂટી પડે છે. અત્યાર સુધીમાં 7 થી 8 વખત આ ઘટના બની ચુકી છે. આ મામલે બિલ્ડર દ્વારા યોગ્ય તપાસ કરાવવી જોઈતી હતી. આમાં અકસ્માત સર્જ્વવાની પુરેપુરી શક્યતા છે. બિલ્ડરે અનેક સુવિધાઓ આપવાના વાયદાઓ કર્યા હતા પરંતુ કોઈ સુવિધા મળી નથી. અમારી માંગ છે કે અહી કાચ તૂટી પડવાની જે ઘટનાઓ બની રહી છે. તેનું પહેલા તો તાત્કાલિક ધોરણે નિકાલ થવો જોઈએ.
સુરતના સરથાણા વિસ્તારમાં સેલિબ્રેશન હોમ્સ આવેલું છે
બિલ્ડીંગના એલીવેશનમાં લગાવેલા કાચ અવાર નવાર તૂટી પડે છે
રહીશો પોતાના માથે તપેલું મૂકી તેમજ પુરુષોએ માથે હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા હતા એટલું જ નહી અહી બેનર લગાવી વિરોધ પણ કરવામાં આવ્યો
WatchGujarat. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી રેસીડેન્સીમાં રહીશોએ નવરાત્રી દરમ્યાન અનોખો વિરોધ નોંધાવ્યો હતો. બિલ્ડીંગના એલીવેશનમાં લગાવેલા કાચ તૂટી પડતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અનેક ફરિયાદો છતાં કોઈ નિરાકરણ નહિ આવતા રહીશોએ નવરાત્રી દરમ્યાન માથે તપેલી અને હેલમેટ રાખી અને બેનરો લગાવી વિરોધ સાથે નવરાત્રીમાં ગરબે ઘૂમ્યા હતા
હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. અને સુરતની શેરીઓમાં નવરાત્રીની ધૂમ મચી છે. ખૈલાયાઓ મન મુકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે સુરતમાં નવરાત્રી પર્વ દરમ્યાન અનોખો વિરોધ સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં સેલિબ્રેશન હોમ્સ આવેલું છે. અહી બિલ્ડીંગના એલીવેશનમાં લગાવેલા કાચ અવાર નવાર તૂટી પડ્યા હતા. જેને લઈને રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી આ મામલે રહીશોએ નવરાત્રી પર્વ દરમ્યાન અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સોસાયટીના રહીશો પોતાના માથે તપેલું મૂકી તેમજ પુરુષોએ માથે હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા હતા એટલું જ નહી અહી બેનર લગાવી વિરોધ પણ કરવામાં આવ્યો હતો. રહીશોએ બેનરમાં લખ્યું હતું કે માનવતા મહેંમાનોને નમ્ર વિનંતી કે અહીયા બાલ્કનીના એલીવેશનના કાચ અચાનક પડે છે તો બિલ્ડીંગ થી 10 ફૂટ દુર ચાલો. અમને તમારી ચિંતા છે. પણ અમે જેની પાસેથી ફ્લેટ લીધા છે એને અમારી ચિંતા નથી. અહી ફ્લેટ લેતા પહેલા પ્રમુખ તથા અન્ય સભ્યોની મુલાકાત લેવી કારણ કે સભ્યો અને બિલ્ડર વચ્ચે સોસાયટી બાબતે તકરાર ચાલે છે.
ઈશાબેને જણાવ્યું હતું કે અહી તપેલી લઈને ગરબે ઘૂમ્યા છે. કારણ કે અહી અમારી કોઈ જ સેફટી નથી. અહી છોકરાઓ પણ સેફ નથી. અહી બિલ્ડીંગમાં લગાવેલા કાચ અચાનક તૂટી પડ્યા છે. અમે અનેક ફરિયાદો કરી પરંતુ કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી. અહી કોઈ વ્યક્તિ આવે અને કાચ ગમે ત્યારે તૂટી પડી શકે તેમ છે અને કોઈ દુર્ઘટના ઘટી શકે તેમ છે
રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે રાત્રીના સમયે કાચને અડક્યા વિના કાચ તૂટી પડે છે. અત્યાર સુધીમાં 7 થી 8 વખત આ ઘટના બની ચુકી છે. આ મામલે બિલ્ડર દ્વારા યોગ્ય તપાસ કરાવવી જોઈતી હતી. આમાં અકસ્માત સર્જ્વવાની પુરેપુરી શક્યતા છે. બિલ્ડરે અનેક સુવિધાઓ આપવાના વાયદાઓ કર્યા હતા પરંતુ કોઈ સુવિધા મળી નથી. અમારી માંગ છે કે અહી કાચ તૂટી પડવાની જે ઘટનાઓ બની રહી છે. તેનું પહેલા તો તાત્કાલિક ધોરણે નિકાલ થવો જોઈએ.