સચિન જીઆઈડીસીમાં કેમિકલ દુર્ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યા હતા
આ ઘટનાની પોલીસ તપાસમાં મુંબઈ કનેક્શન સામે આવ્યું
મુંબઈની હાઈકેલ કંપનીના ત્રણ અધિકારીઓની પોલીસે અટકાયત કરી
સ્થાનિક મિલમાલિકની ભૂમિકા બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
WatchGujarat. સચિન જીઆઈડીસીમાં ટેન્કરમાંથી ખાંડીમાં કેમિકલ ઠાલવતી વેળાએ ઝેરી અસરથી ૬ લોકોના મોત થયા હતા અને ૨૬ જેટલા લોકોને અસર થતા તેઓને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. આ ઘટનામાં પોલીસે તપાસ કરી મુંબઈની હાઈકેલ કંપનીના ત્રણ અધિકારીઓની અટકાયત કરી છે. ક્રાઇમ બ્રાન્ચે તે ઉપરાંત એક સ્થાનિક મિલમાલિકની ભૂમિકા પણ બહાર આવતા તેની ધરપકડ કરી છે.
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ટેન્કરમાંથી કેમિકલ ખાડીમાં ઠાલવવામાં આવી રહ્યું હતું. તે વેળાએ ઝેરી અસરથી આસપાસ આવેલી મિલમાં કામ કરતા ૬ લોકોના મોત થયા હતા જયારે ૨૬ લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આ ઘટનાને લઈને ખુદ પોલીસ કમિશ્નર ઘટના સ્થળે આવી તપાસ કરી હતી અને જીપીસીબીના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ પણ શરુ કરી હતી.
સુરત ક્રાઇમ બ્રાંચે સચિન વિસ્તારના સ્થાનિક ટ્રાન્સપોર્ટર ઉપરાંત ભરૂચ અને વડોદરામાં દરોડા પાડી ચારની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં ઝેરી કેમિકલ વેસ્ટ મુંબઇ તળોજાની ફાર્મા ક્ષેત્રની હાઇકેલ નામની કંપનીમાંથી વાયા અંકલેશ્વર થઇ સચિન જીઆઇડીસીમાં લાવવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આથી સુરત ક્રાઈમ બ્રાન્ચે હાઇકેલ કંપનીના ત્રણ ઉચ્ચ અધિકારીઓને પુછપરછ માટે સુરત તેડાવ્યા હતા અને તેમની પુછપરછ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે હાઇકેલ કંપનીમાંથી કબજે કરેલા મહત્વના દસ્તાવેજોના આધારે તેમની ઉલટતપાસ કરી હતી. અને તપાસના અંતે પોલીસે હિકલ કંપનીના અધિકારીઓ મનસુખ ગોકળભાઈ પટેલ, અભય સુરેશ દાંડેકર, અને મછીન્દ્રનાથ મુરલીધર ગોર્હેની ધરપકડ કરી છે. મનસુખ કંપનીમાં સસ્ટેનીબીલીટી એન્ડ કોર્પોરેટ ઈએચએસ હેડ છે.
આરોપી અભય કંપનીમાં સપ્લાય ચેઇન વિભાગમાં જનરલ મેનેજર છે. આરોપી મછીન્દ્રનાથ કંપનીમાં ક્રોપ પ્રોડક્શન ડિવિઝનના ઈએચએસ હેડ હેડ છે. આ પ્રકરણમાં બજરંગ ઇન્ડસ્ટ્રીઝ મિલ ના માલિકની ભૂમિકા પણ બહાર આવતા માલિક રમણભાઇ ભલાભાઇ બારીયાની એમ કુલ ચારની ધરપકડ કરી છે. આ ઉપરાંત સચિન જીઆઈડીસીમાં ઝેરી કેમિકલના ગેરકાયદેસર નિકાલમાં 6 શ્રમિકોના મોત થયા હતા. જેમાં પોલીસના માથે માછલા ધોવાતા ફરજમાં બેદરકારી બદલ સચિન જીઆઈડીસી પોલીસ મથકના પી.આઈ. જે.પી.જાડેજાને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધા હતા. તેમના સ્થાને સ્પેશિયલ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.બલદાણીયાની નિમણુંક કરાઈ છે.
- સચિન જીઆઈડીસીમાં કેમિકલ દુર્ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યા હતા
- આ ઘટનાની પોલીસ તપાસમાં મુંબઈ કનેક્શન સામે આવ્યું
- મુંબઈની હાઈકેલ કંપનીના ત્રણ અધિકારીઓની પોલીસે અટકાયત કરી
- સ્થાનિક મિલમાલિકની ભૂમિકા બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
WatchGujarat. સચિન જીઆઈડીસીમાં ટેન્કરમાંથી ખાંડીમાં કેમિકલ ઠાલવતી વેળાએ ઝેરી અસરથી ૬ લોકોના મોત થયા હતા અને ૨૬ જેટલા લોકોને અસર થતા તેઓને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. આ ઘટનામાં પોલીસે તપાસ કરી મુંબઈની હાઈકેલ કંપનીના ત્રણ અધિકારીઓની અટકાયત કરી છે. ક્રાઇમ બ્રાન્ચે તે ઉપરાંત એક સ્થાનિક મિલમાલિકની ભૂમિકા પણ બહાર આવતા તેની ધરપકડ કરી છે.
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ટેન્કરમાંથી કેમિકલ ખાડીમાં ઠાલવવામાં આવી રહ્યું હતું. તે વેળાએ ઝેરી અસરથી આસપાસ આવેલી મિલમાં કામ કરતા ૬ લોકોના મોત થયા હતા જયારે ૨૬ લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આ ઘટનાને લઈને ખુદ પોલીસ કમિશ્નર ઘટના સ્થળે આવી તપાસ કરી હતી અને જીપીસીબીના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ પણ શરુ કરી હતી.
સુરત ક્રાઇમ બ્રાંચે સચિન વિસ્તારના સ્થાનિક ટ્રાન્સપોર્ટર ઉપરાંત ભરૂચ અને વડોદરામાં દરોડા પાડી ચારની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં ઝેરી કેમિકલ વેસ્ટ મુંબઇ તળોજાની ફાર્મા ક્ષેત્રની હાઇકેલ નામની કંપનીમાંથી વાયા અંકલેશ્વર થઇ સચિન જીઆઇડીસીમાં લાવવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આથી સુરત ક્રાઈમ બ્રાન્ચે હાઇકેલ કંપનીના ત્રણ ઉચ્ચ અધિકારીઓને પુછપરછ માટે સુરત તેડાવ્યા હતા અને તેમની પુછપરછ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે હાઇકેલ કંપનીમાંથી કબજે કરેલા મહત્વના દસ્તાવેજોના આધારે તેમની ઉલટતપાસ કરી હતી. અને તપાસના અંતે પોલીસે હિકલ કંપનીના અધિકારીઓ મનસુખ ગોકળભાઈ પટેલ, અભય સુરેશ દાંડેકર, અને મછીન્દ્રનાથ મુરલીધર ગોર્હેની ધરપકડ કરી છે. મનસુખ કંપનીમાં સસ્ટેનીબીલીટી એન્ડ કોર્પોરેટ ઈએચએસ હેડ છે.
આરોપી અભય કંપનીમાં સપ્લાય ચેઇન વિભાગમાં જનરલ મેનેજર છે. આરોપી મછીન્દ્રનાથ કંપનીમાં ક્રોપ પ્રોડક્શન ડિવિઝનના ઈએચએસ હેડ હેડ છે. આ પ્રકરણમાં બજરંગ ઇન્ડસ્ટ્રીઝ મિલ ના માલિકની ભૂમિકા પણ બહાર આવતા માલિક રમણભાઇ ભલાભાઇ બારીયાની એમ કુલ ચારની ધરપકડ કરી છે. આ ઉપરાંત સચિન જીઆઈડીસીમાં ઝેરી કેમિકલના ગેરકાયદેસર નિકાલમાં 6 શ્રમિકોના મોત થયા હતા. જેમાં પોલીસના માથે માછલા ધોવાતા ફરજમાં બેદરકારી બદલ સચિન જીઆઈડીસી પોલીસ મથકના પી.આઈ. જે.પી.જાડેજાને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધા હતા. તેમના સ્થાને સ્પેશિયલ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.બલદાણીયાની નિમણુંક કરાઈ છે.