સુરતમાં ત્રણ દિવસ પહેલા વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ ગરબા રમી રહ્યા હતા તે વેળાએ ઉમરા પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોંચ્યો
પોલીસ કર્મીઓએ વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો અને આ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા
આજે પણ વિદ્યાર્થીઓએ સુરતની વિવિધ કોલેજો બહાર વિરોધ નોંધાવ્યો હતો
WatchGujarat. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ગરબા રમી રહેલા વિદ્યાર્થી અને ઉમરા પોલીસના સ્ટાફ સાથે ઘર્ષણ થયું હતું. આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતા. આ ઘટનામાં જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ વિરોધ પણ નોધાવી રહ્યા હતા ત્યારે આખરે આ મામલે ઉમરા પી.આઈ. અને પીએસઆઈની બદલી કરવામાં આવી છે. તેમજ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે
સુરતમાં ત્રણ દિવસ પહેલા વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ ગરબા રમી રહ્યા હતા તે વેળાએ ઉમરા પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોચ્યો હતો અને ગરબા બંધ કરાવ્યા હતા જેથી ત્યાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસ કર્મીઓએ વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો અને આ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા. ગુજરાતના કેટલાય જીલાલાઓમાં આ મામલે એબીવીપી દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહી સુરતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. વિદ્યાર્થીઓની માંગ હતી કે આ ઘટનામાં જવાબદાર પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારે આજે રાજ્યના ગૃહ મંત્રી સુરતમાં છે. ત્યારે જ ઉમરા પી.આઈ. કે.આઈ.મોદી, પીએસઆઈની બદલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પીઆઈની સ્પેશીયલ બ્રાંચમાં અને પીએસઆઈની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે. જયારે બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આજે પણ વિદ્યાર્થીઓએ સુરતની વિવિધ કોલેજો બહાર વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કોલેજોની બહાર તાળાબાંધી કરી રસ્તા બ્લોક કરી સુત્રોચાર કરાયા હતા. અને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ પણ ગતરોજ સુરત પોલીસકમિશ્નરને મળ્યા હતા અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા અને મામલાનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ હતી. ત્યારે આજે પીઆઈ અને પીએસઆઈની બદલી કરવામાં આવી છે. ત્યારે હવે આ વિરોધ શાંત થશે કે કેમ તે જોવું રહ્યું.
સુરતમાં ત્રણ દિવસ પહેલા વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ ગરબા રમી રહ્યા હતા તે વેળાએ ઉમરા પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોંચ્યો
પોલીસ કર્મીઓએ વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો અને આ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા
આજે પણ વિદ્યાર્થીઓએ સુરતની વિવિધ કોલેજો બહાર વિરોધ નોંધાવ્યો હતો
WatchGujarat. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ગરબા રમી રહેલા વિદ્યાર્થી અને ઉમરા પોલીસના સ્ટાફ સાથે ઘર્ષણ થયું હતું. આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતા. આ ઘટનામાં જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ વિરોધ પણ નોધાવી રહ્યા હતા ત્યારે આખરે આ મામલે ઉમરા પી.આઈ. અને પીએસઆઈની બદલી કરવામાં આવી છે. તેમજ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે
સુરતમાં ત્રણ દિવસ પહેલા વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ ગરબા રમી રહ્યા હતા તે વેળાએ ઉમરા પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોચ્યો હતો અને ગરબા બંધ કરાવ્યા હતા જેથી ત્યાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસ કર્મીઓએ વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો અને આ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા. ગુજરાતના કેટલાય જીલાલાઓમાં આ મામલે એબીવીપી દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહી સુરતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. વિદ્યાર્થીઓની માંગ હતી કે આ ઘટનામાં જવાબદાર પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારે આજે રાજ્યના ગૃહ મંત્રી સુરતમાં છે. ત્યારે જ ઉમરા પી.આઈ. કે.આઈ.મોદી, પીએસઆઈની બદલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પીઆઈની સ્પેશીયલ બ્રાંચમાં અને પીએસઆઈની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે. જયારે બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આજે પણ વિદ્યાર્થીઓએ સુરતની વિવિધ કોલેજો બહાર વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કોલેજોની બહાર તાળાબાંધી કરી રસ્તા બ્લોક કરી સુત્રોચાર કરાયા હતા. અને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ પણ ગતરોજ સુરત પોલીસકમિશ્નરને મળ્યા હતા અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા અને મામલાનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ હતી. ત્યારે આજે પીઆઈ અને પીએસઆઈની બદલી કરવામાં આવી છે. ત્યારે હવે આ વિરોધ શાંત થશે કે કેમ તે જોવું રહ્યું.