પુણ્ય સલિલા તાપી નદીનાં કિનારે સુરતનાં પાલ-હજીરા રોડ પર બિરાજમાન થયું છે અટલ આશ્રમ સ્થિત પારદેશ્વર મહાદેવ મંદિર
સૌરાષ્ટ્રનાં સમર્થ મહંત ગુરૂશ્રી મહાદેવગિરી બાપુની પ્રેરણાથી અને બટુકગિરી સ્વામીનાં પ્રયત્નથી અહિં પ્રસ્થાપિત થઇ શક્યું
WatchGujarat. આ ઉપરાંત ભગવાન શિવજીની સાથે સાથે વિવિધ દેવી-દેવતાઓની પ્રતિમા પણ ભક્તોને આશિર્વાદ આપે છે..જેમાં મા અંબા,હનુમાનજીનાં જાણે સાક્ષાત દર્શન કરીને ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે. શનિદેવની પુજા માટે મોટી શિલા પણ અહિં પ્રસ્થાપિત કરાઇ છે જ્યાં ભક્તો દરરોજ ખાસ કરીને શનિવારે તેલનો ચઢાવો કરીને પુજા-અર્ચના કરે છે. અહિં સૌથી વધુ મહત્વ હનુમાનજીની ભક્તિનું પણ છે. જ્યાં ભક્તો હનુમાનજીની મહાકાય પ્રતિમાને પગે લાગીને પ્રાર્થના કરે છે.
મહાદેવજીનાં આ મંદિરમાં સૌથી નાનું 51 કિલોનું પારાનું શિવલિંગ પણ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. જેની ઉપર નાગદેવતાં પણ પ્રતિકાત્મક રીતે બિરાજમાન કરવામાં આવ્યા છે. વહેલી સવારથી જ અહિં ભક્તોની ભારે જમાવટ રહે છે..અને અહિં આવીને આ શિવલિંગ પર ભક્તો પાણી અને દુધ અને બિલિપત્રનો ચઢાવો કરીને શિવલિંગને પગે પડીને ધન્યતા અનુભવે છે..
https://youtu.be/-v-p1z_zNG0
આ મંદિર સૌથી વધુ જેનાં માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે તે છે અહિંના પારાનાં શિવલિંગ માટે. અટલ આશ્રમ સ્થિત પારદેશ્વર મંદિરમાં સુરતનું,ગુજરાતનું અને વિશ્વનું સૌથી પહેલું 1751 કિલોનું પારાનું શિવલિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનાં સમર્થ મહંત ગુરૂશ્રી મહાદેવગિરી બાપુની પ્રેરણાથી અને બટુકગિરી સ્વામીનાં પ્રયત્નથી અહિં પ્રસ્થાપિત થઇ શક્યું છે પારાનું શિવલિંગ. પારદ શિવલિંગ પરથી જ આ મંદિરનું નામ પારદેશ્વર મહાદેવ મંદિર પડ્યું છે. પારદ શિવલિંગનો અનોખો મહિમા છે. અને તે આપણા ધર્મગ્રંથોમાં વર્ણવેલો છે. રસલિંગ એ જ મહાલિંગ છે, શિવની શક્તિનું ઘર અથવા આસ્થાનું ઘર તેને કહી શકાય. એ પ્રાપ્ત થતાં જ સર્વસિધ્ધિ પ્રાપ્ત થતી હોત છે. ભગવાન શિવે સ્વંય કહ્યું છે કે મને જ્યોર્તિલિંગની પુજા-દર્શનની અપેક્ષા માત્ર એક પારદ શિવલિંગનાં દર્શનથી થઇ શકે છે. એટલે કે પારદ શિવલિંગનું દર્શન માત્ર પુણ્યદાયી છે.
માત્ર પારદ જ નહિં પરંતુ થોડું સોનું અને ચાંદી મિશ્રિત આ શિવલિંગનાં નિર્માણ પુર્વે પારાને હરડે, બહેડા, આમળા, કુંવારપાઠું, બિલિપત્ર, લિંબુનો રસ, છાલું, બંગભસ્મ, રસસિંદુર, હિંગલોક વગેરે સાથે ઘુંટીને ગરમ કરીને સ્થાયી બનાવ્યા બાદ શિવલિંગનાં આકારનાં બિબામાં ઢાળીને નિર્માણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રક્રિયા પાછળ 6 મહિના કરતાં પણ વધુનો સમય અને શ્રમ લાગ્યો છે.
શાસ્ત્રોમાં પારદ શિવલિંગનું ઘણું જ મહત્વ બતાવ્યું છે. તેને દિવ્ય લિંગની સંજ્ઞા પણ આપવામાં આવી છે. ગરૂડ પુરાણમાં પારદ શિવલિંગને ઐશ્વર્યદાયક કહ્યું છે. તેની જીવનમાં એકવાર પણ પુજા કરી લેવાથી અખુટ ધન,અસીમ જ્ઞાન,સંપુર્ણ સિધ્ધી તેમજ અતુલ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
આ મંદિરની સ્થાપના 1977માં થઇ છે. મોટા પારદેશ્વરની સ્થાપનાં 2004માં થઇ છે. પારદ એટલે ભગવાન સ્વંય શિવનું સાક્ષાત રૂપ છે. બાર જ્યોર્તિલિંગમાં સૌથી વધુ મહત્વ પારદ શિવલિંગનું છે. અહિં દેશ-વિદેશથી અસંખ્ય ભક્તો પણ આવે છે. પારદ શિવલિંગનાં દર્શન માટે અસંખ્ય ભક્તો આવે છે. માત્ર સુરતનાં જ નહિં પણ સુરત બહાર અને દેશ-વિદેશોમાં પણ આ શિવલિંગનો મહિમા ઘણો છે. ખાસ કરીને શ્રાવણ માસમાં અને મહિનામાં એકવાર આવતી પ્રદોષની પુજા માટે પણ આ શિવલિંગની પુજા કરવાનું ઘણું ધાર્મિક મહાત્મય છે. એવું પણ કહેવાયું છે કે પારદ શિવલિંગનાં દર્શન માત્રથી 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનું,કરોડો ગાયોનું દાન કરવાનું,એક હજાર સુવર્ણ મુદ્રાઓનું દાન કરવાનું તેમજ બધા તીર્થો પર સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તેની બરાબર જ પારદ શિવલિંગનાં પુજન અને દર્શનથી મળે છે. અને તેથી જ ભક્તો અહિં આવે છે. વહેલી સવારથી જ ભગવાન શિવજીનાં આ પારાની શિવલિંગની પુજા-આરતી અને પાણી તેમજ દુધથી ભવ્ય અભિષેક કરવામાં આવે છે..
શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં પારદ શિવલિંગની પુજા અર્ચના થાય છે ત્યાં બધા જ દેવી દેવતાઓની હાજરી અચુકથી હોય છે. પારદ શિવલિંગની સાથે સાથે અહિં પારદ પેન,પારદ ગુટિકાની થેરાપીનું મહત્વ પણ સમજાવવામાં આવે છે. નિરોગી રહેવા માટે પણ પારાનું મહત્વ હોય તે પણ અતિ અગત્યનું સ્થાન રાખે છે. પારાનું મહત્વ આમ જ્યાં વૈજ્ઞાનિક રીતે પણ છે તે જ પ્રમાણે ધાર્મિક અને આધ્યાત્મિક રીતે પણ તે અતિ મહત્વ રાખે છે. આમ તો કેટલાંક ભક્તોને ત્યાં અંગત પુજા માટે પણ પારદ શિવલિંગ હોય છે. તે ઉપરાંત દહેગામ નજીક,અમદાવાદમાં,સુરતનાં વાઘલધરામાં,મધ્યપ્રદેશ,ઇંદોર અને હરિદ્રારનાં કનકલમાં પણ પારદ શિવલિંગ મંદિર છે. પણ અટલઆશ્રમમાં પારદ શિવલિંગ કે જે 1751 કિલોનું બનેલું છે તે અદભુત છે. જેનાં ઘરમાં પારદ શિવલિંગ હોય તે ઘર તિર્થ સમાન છે. અને આ વિશાળ શિવલિંગનાં દર્શનથી ભાવિક ભક્તોનાં દુ:ખ,દર્દ દુર થયાં છે. સાધારણ રીતે પારદનું શોધન અત્યંત કઠીન છે. તેને નક્કર બનાવવા માટે મુર્ચ્છિત, ખેચરહિત, કીલિત, શંભુવિજિત તથા શોધિત જેવી કઠિન પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ત્યારે પારો નક્કર આકાર ધારણ કરે છે. અને આ શિવલિંગનું અહોભાગ્ય પ્રાપ્ત થયું છે. સુરત શહેરને હજી આવનારા દિવસોમાં આ શિવલિંગને હજી વિસ્તૃત કરવાનું આયોજન પણ કરવામાં આવનાર છે.
પુણ્ય સલિલા તાપી નદીનાં કિનારે સુરતનાં પાલ-હજીરા રોડ પર બિરાજમાન થયું છે અટલ આશ્રમ સ્થિત પારદેશ્વર મહાદેવ મંદિર
સૌરાષ્ટ્રનાં સમર્થ મહંત ગુરૂશ્રી મહાદેવગિરી બાપુની પ્રેરણાથી અને બટુકગિરી સ્વામીનાં પ્રયત્નથી અહિં પ્રસ્થાપિત થઇ શક્યું
WatchGujarat. આ ઉપરાંત ભગવાન શિવજીની સાથે સાથે વિવિધ દેવી-દેવતાઓની પ્રતિમા પણ ભક્તોને આશિર્વાદ આપે છે..જેમાં મા અંબા,હનુમાનજીનાં જાણે સાક્ષાત દર્શન કરીને ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે. શનિદેવની પુજા માટે મોટી શિલા પણ અહિં પ્રસ્થાપિત કરાઇ છે જ્યાં ભક્તો દરરોજ ખાસ કરીને શનિવારે તેલનો ચઢાવો કરીને પુજા-અર્ચના કરે છે. અહિં સૌથી વધુ મહત્વ હનુમાનજીની ભક્તિનું પણ છે. જ્યાં ભક્તો હનુમાનજીની મહાકાય પ્રતિમાને પગે લાગીને પ્રાર્થના કરે છે.
મહાદેવજીનાં આ મંદિરમાં સૌથી નાનું 51 કિલોનું પારાનું શિવલિંગ પણ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. જેની ઉપર નાગદેવતાં પણ પ્રતિકાત્મક રીતે બિરાજમાન કરવામાં આવ્યા છે. વહેલી સવારથી જ અહિં ભક્તોની ભારે જમાવટ રહે છે..અને અહિં આવીને આ શિવલિંગ પર ભક્તો પાણી અને દુધ અને બિલિપત્રનો ચઢાવો કરીને શિવલિંગને પગે પડીને ધન્યતા અનુભવે છે..
આ મંદિર સૌથી વધુ જેનાં માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે તે છે અહિંના પારાનાં શિવલિંગ માટે. અટલ આશ્રમ સ્થિત પારદેશ્વર મંદિરમાં સુરતનું,ગુજરાતનું અને વિશ્વનું સૌથી પહેલું 1751 કિલોનું પારાનું શિવલિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનાં સમર્થ મહંત ગુરૂશ્રી મહાદેવગિરી બાપુની પ્રેરણાથી અને બટુકગિરી સ્વામીનાં પ્રયત્નથી અહિં પ્રસ્થાપિત થઇ શક્યું છે પારાનું શિવલિંગ. પારદ શિવલિંગ પરથી જ આ મંદિરનું નામ પારદેશ્વર મહાદેવ મંદિર પડ્યું છે. પારદ શિવલિંગનો અનોખો મહિમા છે. અને તે આપણા ધર્મગ્રંથોમાં વર્ણવેલો છે. રસલિંગ એ જ મહાલિંગ છે, શિવની શક્તિનું ઘર અથવા આસ્થાનું ઘર તેને કહી શકાય. એ પ્રાપ્ત થતાં જ સર્વસિધ્ધિ પ્રાપ્ત થતી હોત છે. ભગવાન શિવે સ્વંય કહ્યું છે કે મને જ્યોર્તિલિંગની પુજા-દર્શનની અપેક્ષા માત્ર એક પારદ શિવલિંગનાં દર્શનથી થઇ શકે છે. એટલે કે પારદ શિવલિંગનું દર્શન માત્ર પુણ્યદાયી છે.
માત્ર પારદ જ નહિં પરંતુ થોડું સોનું અને ચાંદી મિશ્રિત આ શિવલિંગનાં નિર્માણ પુર્વે પારાને હરડે, બહેડા, આમળા, કુંવારપાઠું, બિલિપત્ર, લિંબુનો રસ, છાલું, બંગભસ્મ, રસસિંદુર, હિંગલોક વગેરે સાથે ઘુંટીને ગરમ કરીને સ્થાયી બનાવ્યા બાદ શિવલિંગનાં આકારનાં બિબામાં ઢાળીને નિર્માણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રક્રિયા પાછળ 6 મહિના કરતાં પણ વધુનો સમય અને શ્રમ લાગ્યો છે.
શાસ્ત્રોમાં પારદ શિવલિંગનું ઘણું જ મહત્વ બતાવ્યું છે. તેને દિવ્ય લિંગની સંજ્ઞા પણ આપવામાં આવી છે. ગરૂડ પુરાણમાં પારદ શિવલિંગને ઐશ્વર્યદાયક કહ્યું છે. તેની જીવનમાં એકવાર પણ પુજા કરી લેવાથી અખુટ ધન,અસીમ જ્ઞાન,સંપુર્ણ સિધ્ધી તેમજ અતુલ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
આ મંદિરની સ્થાપના 1977માં થઇ છે. મોટા પારદેશ્વરની સ્થાપનાં 2004માં થઇ છે. પારદ એટલે ભગવાન સ્વંય શિવનું સાક્ષાત રૂપ છે. બાર જ્યોર્તિલિંગમાં સૌથી વધુ મહત્વ પારદ શિવલિંગનું છે. અહિં દેશ-વિદેશથી અસંખ્ય ભક્તો પણ આવે છે. પારદ શિવલિંગનાં દર્શન માટે અસંખ્ય ભક્તો આવે છે. માત્ર સુરતનાં જ નહિં પણ સુરત બહાર અને દેશ-વિદેશોમાં પણ આ શિવલિંગનો મહિમા ઘણો છે. ખાસ કરીને શ્રાવણ માસમાં અને મહિનામાં એકવાર આવતી પ્રદોષની પુજા માટે પણ આ શિવલિંગની પુજા કરવાનું ઘણું ધાર્મિક મહાત્મય છે. એવું પણ કહેવાયું છે કે પારદ શિવલિંગનાં દર્શન માત્રથી 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનું,કરોડો ગાયોનું દાન કરવાનું,એક હજાર સુવર્ણ મુદ્રાઓનું દાન કરવાનું તેમજ બધા તીર્થો પર સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તેની બરાબર જ પારદ શિવલિંગનાં પુજન અને દર્શનથી મળે છે. અને તેથી જ ભક્તો અહિં આવે છે. વહેલી સવારથી જ ભગવાન શિવજીનાં આ પારાની શિવલિંગની પુજા-આરતી અને પાણી તેમજ દુધથી ભવ્ય અભિષેક કરવામાં આવે છે..
શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં પારદ શિવલિંગની પુજા અર્ચના થાય છે ત્યાં બધા જ દેવી દેવતાઓની હાજરી અચુકથી હોય છે. પારદ શિવલિંગની સાથે સાથે અહિં પારદ પેન,પારદ ગુટિકાની થેરાપીનું મહત્વ પણ સમજાવવામાં આવે છે. નિરોગી રહેવા માટે પણ પારાનું મહત્વ હોય તે પણ અતિ અગત્યનું સ્થાન રાખે છે. પારાનું મહત્વ આમ જ્યાં વૈજ્ઞાનિક રીતે પણ છે તે જ પ્રમાણે ધાર્મિક અને આધ્યાત્મિક રીતે પણ તે અતિ મહત્વ રાખે છે. આમ તો કેટલાંક ભક્તોને ત્યાં અંગત પુજા માટે પણ પારદ શિવલિંગ હોય છે. તે ઉપરાંત દહેગામ નજીક,અમદાવાદમાં,સુરતનાં વાઘલધરામાં,મધ્યપ્રદેશ,ઇંદોર અને હરિદ્રારનાં કનકલમાં પણ પારદ શિવલિંગ મંદિર છે. પણ અટલઆશ્રમમાં પારદ શિવલિંગ કે જે 1751 કિલોનું બનેલું છે તે અદભુત છે. જેનાં ઘરમાં પારદ શિવલિંગ હોય તે ઘર તિર્થ સમાન છે. અને આ વિશાળ શિવલિંગનાં દર્શનથી ભાવિક ભક્તોનાં દુ:ખ,દર્દ દુર થયાં છે. સાધારણ રીતે પારદનું શોધન અત્યંત કઠીન છે. તેને નક્કર બનાવવા માટે મુર્ચ્છિત, ખેચરહિત, કીલિત, શંભુવિજિત તથા શોધિત જેવી કઠિન પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ત્યારે પારો નક્કર આકાર ધારણ કરે છે. અને આ શિવલિંગનું અહોભાગ્ય પ્રાપ્ત થયું છે. સુરત શહેરને હજી આવનારા દિવસોમાં આ શિવલિંગને હજી વિસ્તૃત કરવાનું આયોજન પણ કરવામાં આવનાર છે.