સુરતના કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 11 વર્ષીય કિશોરી કાપોદ્રા એ.કે.રોડ ઉપર આવેલ જગદગુરૂ શ્રી વલ્લભાચાર્ય વિધાધામમાં અભ્યાસ કરતી હતી
કરાવતા શિક્ષક નિરવ વૌષ્ણવ તેણીને છેલ્લા દોઢ મહિનાથી શારીરિક અડપલા કરતો
કિશોરીએ શાળાએ જવાની ના પાડતા શિક્ષકના પાપનો ભાંડો ફુટ્યો
WatchGujarat. સુરતના કાપોદ્રામાં આવેલી સ્કુલમાં અભ્યાસ કરતી 11 વર્ષીય વિદ્યાર્થીની શિક્ષકે છેડતી કરી હતી. આ મામલે દીકરીએ પરિવારને જાણ કરી હતી. જેથી પરિવારે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
શિક્ષક એટલે ભગવાનના સ્થાને આવે છે. પરંતુ સુરતમાં એક એવી ઘટના બની છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક પરિવાર રહે છે. તેઓની 11 વર્ષીય પુત્રી કાપોદ્રા એ.કે.રોડ ઉપર આવેલ જગદગુરૂ શ્રી વલ્લભાચાર્ય વિધાધામમાં અભ્યાસ કરતી હતી. આ સ્કુલમાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષક નિરવ વૌષ્ણવ તેણીને છેલ્લા દોઢ મહિનાથી શારીરિક અડપલા કરતો હતો. જેથી વિદ્યાર્થીનીએ શાળાએ જવાની ના કહેતી હતી. પરિવારજનોએ સ્કુલે ન જવા બાબતે વિદ્યાર્થીનીની પૂછપરછ કરતા આ વિદ્યાર્થીનીએ શિક્ષકની હરકતની આ સમગ્ર હક્કિત જણાવી હતી. દિકરીના મોઢેથી એક શિક્ષકની આ કરતૂતો જાણીને પરિવારના પગ તળેથી જમીન સરકી ગયી હતી.
પોલીસે ધરપકડ કરી
આ સમગ્ર બનાવ અંગે પરિવાર કાપોદ્રા પોલીસ મથકમાં પહોચ્યો હતો અને પરિવારે આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કાપોદ્રા પોલીસે શિક્ષકની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દીકરી સ્કૂલે જવાની ના કહેતા ઘટના સામે આવી
ઉલ્લેખનીય છે કે પહેલા દીકરી શાળાએ જવાની ના કહેતા હતા પરંતુ પરિવારને એમ હતું કે શાળાએ જવું નહી હોય એટલે બહાના બનાવતી હશે. પરંતુ સતત બાળકીએ આ જ વાત દોહરાવી હતી કે સર મારી સાથે ગંદુ કામ કરે છે. અને આખરે પરિવારે દીકરી પાસેથી સમગ્ર ઘટના જાણી હતી. અને ત્યારબાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. એક શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે પવિત્ર ગુરુ શિષ્યનો સબંધ હોય છે પરંતુ સુરતમાં આ પવિત્ર સબંધ લજવાયો છે. જેને લઈને ચકચાર મચી જવા પામી છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 11 વર્ષીય કિશોરી કાપોદ્રા એ.કે.રોડ ઉપર આવેલ જગદગુરૂ શ્રી વલ્લભાચાર્ય વિધાધામમાં અભ્યાસ કરતી હતી
કિશોરીએ શાળાએ જવાની ના પાડતા શિક્ષકના પાપનો ભાંડો ફુટ્યો
WatchGujarat. સુરતના કાપોદ્રામાં આવેલી સ્કુલમાં અભ્યાસ કરતી 11 વર્ષીય વિદ્યાર્થીની શિક્ષકે છેડતી કરી હતી. આ મામલે દીકરીએ પરિવારને જાણ કરી હતી. જેથી પરિવારે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
શિક્ષક એટલે ભગવાનના સ્થાને આવે છે. પરંતુ સુરતમાં એક એવી ઘટના બની છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક પરિવાર રહે છે. તેઓની 11 વર્ષીય પુત્રી કાપોદ્રા એ.કે.રોડ ઉપર આવેલ જગદગુરૂ શ્રી વલ્લભાચાર્ય વિધાધામમાં અભ્યાસ કરતી હતી. આ સ્કુલમાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષક નિરવ વૌષ્ણવ તેણીને છેલ્લા દોઢ મહિનાથી શારીરિક અડપલા કરતો હતો. જેથી વિદ્યાર્થીનીએ શાળાએ જવાની ના કહેતી હતી. પરિવારજનોએ સ્કુલે ન જવા બાબતે વિદ્યાર્થીનીની પૂછપરછ કરતા આ વિદ્યાર્થીનીએ શિક્ષકની હરકતની આ સમગ્ર હક્કિત જણાવી હતી. દિકરીના મોઢેથી એક શિક્ષકની આ કરતૂતો જાણીને પરિવારના પગ તળેથી જમીન સરકી ગયી હતી.
પોલીસે ધરપકડ કરી
આ સમગ્ર બનાવ અંગે પરિવાર કાપોદ્રા પોલીસ મથકમાં પહોચ્યો હતો અને પરિવારે આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કાપોદ્રા પોલીસે શિક્ષકની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દીકરી સ્કૂલે જવાની ના કહેતા ઘટના સામે આવી
ઉલ્લેખનીય છે કે પહેલા દીકરી શાળાએ જવાની ના કહેતા હતા પરંતુ પરિવારને એમ હતું કે શાળાએ જવું નહી હોય એટલે બહાના બનાવતી હશે. પરંતુ સતત બાળકીએ આ જ વાત દોહરાવી હતી કે સર મારી સાથે ગંદુ કામ કરે છે. અને આખરે પરિવારે દીકરી પાસેથી સમગ્ર ઘટના જાણી હતી. અને ત્યારબાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. એક શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે પવિત્ર ગુરુ શિષ્યનો સબંધ હોય છે પરંતુ સુરતમાં આ પવિત્ર સબંધ લજવાયો છે. જેને લઈને ચકચાર મચી જવા પામી છે.