સુરતમાં ભેસ્તાન જિલ્લા તાલીમ ભવનના ગ્રાઉન્ડ ઉપર ટ્રેનિંગ દરમિયાન એક શિક્ષક ઢળી પડ્યા હતા
શિક્ષક પુલકીપ્ત પટેલ મહુવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા
શિક્ષક તાલીમ ભવનમાં યોગ અને રમતની ટ્રેનિંગ માટે આવ્યા હતા
7 માસની સગર્ભા શિક્ષકની પત્ની દુઃખદ ઘટનાથી હજી અજાણ
WatchGujarat. સુરતમાં ભેસ્તાન જિલ્લા તાલીમ ભવનના ગ્રાઉન્ડ ઉપર ટ્રેનિંગ દરમિયાન એક શિક્ષકની અચાનક તબિયત લથડી હતી. વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
મૃતક પુલકીપ્ત પટેલ મહુવા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને હાલ સુરત તેઓ ટ્રેનિંગ માટે આવ્યા હતા. આ ઘટના જ્યારે બની ત્યારે દુઃખદ વાત એ છે કે તેઓ અંતિમ સમયે તેઓ પોતાની સગર્ભા પત્ની સાથે પણ વાત કરી શક્યા નહોતા. તેમની પત્નીને સાત મહિનાનો ગર્ભ છે, પતિના મોતના સમાચારથી હજી તેઓને અજાણ રાખવામાં આવ્યા છે.
મૃતકના નજીકના મિત્રોએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાંથી લગભગ 100 જેટલા શિક્ષકો સુરત ભેસ્તાન ખાતે જિલ્લા તાલીમ ભવનમાં યોગ અને રમતની ટ્રેનિંગ માટે આવ્યા હતા. આજે સવારે વોર્મઅપ કરતી વખતે અચાનક પુલકીપ્ત કરશન પટેલને ઉબકા આવવા લાગ્યા, પૂછપરછમાં તેઓ ઘરેથી નાસ્તો કરીને આવ્યા હોવાનું કહેતા થોડો આરામ કરવા કહેવામાં આવ્યું હતું. સવારે 9 વાગ્યે તકલીફ વધી જતાં નજીકના દવાખાને લઈ જવાયા હતા. જ્યાં પ્રેશર સહિતના તમામ ચેકઅપ બાદ આરામ કરવાનું કહેતા પુલકીપ્ત ગ્રાઉન્ડ પર આરામ કરી રહ્યા હતા. બસ થોડીવાર બાદ અચાનક ખેંચ આવી જતા ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા અને 108માં ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
પુલકીપ્ત પરિવારમાં એકના એક દીકરા હતા.તેઓ એક બહેન, નિવૃત પિતા, શિક્ષિકા પત્ની સાથે રહેતા હતા.એટલું જ નહીં પણ 7 માસની સગર્ભા શિક્ષક પત્ની સાથે પણ તેઓ છેલ્લી વાત પણ ન કરી શક્યા હોવાની દુઃખદ ઘટનાથી હજી પત્ની અજાણ હોવાનું જાણવા મળ્યું છે.
સુરતમાં ભેસ્તાન જિલ્લા તાલીમ ભવનના ગ્રાઉન્ડ ઉપર ટ્રેનિંગ દરમિયાન એક શિક્ષક ઢળી પડ્યા હતા
શિક્ષક પુલકીપ્ત પટેલ મહુવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા
શિક્ષક તાલીમ ભવનમાં યોગ અને રમતની ટ્રેનિંગ માટે આવ્યા હતા
WatchGujarat. સુરતમાં ભેસ્તાન જિલ્લા તાલીમ ભવનના ગ્રાઉન્ડ ઉપર ટ્રેનિંગ દરમિયાન એક શિક્ષકની અચાનક તબિયત લથડી હતી. વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
મૃતક પુલકીપ્ત પટેલ મહુવા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને હાલ સુરત તેઓ ટ્રેનિંગ માટે આવ્યા હતા. આ ઘટના જ્યારે બની ત્યારે દુઃખદ વાત એ છે કે તેઓ અંતિમ સમયે તેઓ પોતાની સગર્ભા પત્ની સાથે પણ વાત કરી શક્યા નહોતા. તેમની પત્નીને સાત મહિનાનો ગર્ભ છે, પતિના મોતના સમાચારથી હજી તેઓને અજાણ રાખવામાં આવ્યા છે.
મૃતકના નજીકના મિત્રોએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાંથી લગભગ 100 જેટલા શિક્ષકો સુરત ભેસ્તાન ખાતે જિલ્લા તાલીમ ભવનમાં યોગ અને રમતની ટ્રેનિંગ માટે આવ્યા હતા. આજે સવારે વોર્મઅપ કરતી વખતે અચાનક પુલકીપ્ત કરશન પટેલને ઉબકા આવવા લાગ્યા, પૂછપરછમાં તેઓ ઘરેથી નાસ્તો કરીને આવ્યા હોવાનું કહેતા થોડો આરામ કરવા કહેવામાં આવ્યું હતું. સવારે 9 વાગ્યે તકલીફ વધી જતાં નજીકના દવાખાને લઈ જવાયા હતા. જ્યાં પ્રેશર સહિતના તમામ ચેકઅપ બાદ આરામ કરવાનું કહેતા પુલકીપ્ત ગ્રાઉન્ડ પર આરામ કરી રહ્યા હતા. બસ થોડીવાર બાદ અચાનક ખેંચ આવી જતા ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા અને 108માં ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
પુલકીપ્ત પરિવારમાં એકના એક દીકરા હતા.તેઓ એક બહેન, નિવૃત પિતા, શિક્ષિકા પત્ની સાથે રહેતા હતા.એટલું જ નહીં પણ 7 માસની સગર્ભા શિક્ષક પત્ની સાથે પણ તેઓ છેલ્લી વાત પણ ન કરી શક્યા હોવાની દુઃખદ ઘટનાથી હજી પત્ની અજાણ હોવાનું જાણવા મળ્યું છે.