સુરતમાં બનતા પંજાબી સૂટ, બુરખા, દુપટા વાયા ઈરાન કે પાકિસ્તાન, દુબઇ થઈ અફઘાનિસ્તાન પહોંચે
અફઘાનિસ્તાનમાં સર્જાયેલી અરાજકતાએ સુરતના કાપડ વેપારીઓને ચિંતામાં મૂકી દીધા છે - ફોસ્ટાના ડિરેકટર રંગનાથ શારદા
અંધાધૂંધીને પગલે લગભગ 400 કરોડનું પેમેન્ટ અટવાઈ ગયું
WatchGujarat. અફઘાનિસ્તાનમાં સર્જાયેલી અંધાધૂંધીની અસર સુરતના કાપડ બજાર પર જોવા મળી રહી છે. હાલ તાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબજો જમાવતા ત્યાં રાજકીય સ્થિતિ પણ ડામાડોળ થઈ છે. જોકે તેની અસર સુરતના કાપડ ઉધોગ પર પણ પડી છે. સુરતમાં અફઘાનિસ્તાન સાથે વેપાર કરતા વેપારીઓને હવે અટકેલા પેમેન્ટની ચિંતા સતાવી રહી છે. ફોસ્ટાના ડિરેકટર રંગનાથ શારદાનું કહેવું છે કે, કોરોનાને લીધે પહેલાથી જ કાપડ ઉધોગ મંદીમાં ચાલી રહ્યો છે. ત્યાં હવે અફઘાનિસ્તાનમાં સર્જાયેલી અરાજકતાએ સુરતના કાપડ વેપારીઓને ચિંતામાં મૂકી દીધા છે.
સુરતની વાત કરીએ તો સુરત ટેકસ્ટાઈલના લગભગ 125 જેટલા વેપારીઓ અફઘાનિસ્તાન સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વેપાર સંબંધે જોડાયેલા છે. સુરતમાં બનતા પંજાબી સૂટ, બુરખા, દુપટાની અફઘાનિસ્તાનમાં ભારે ડિમાન્ડ છે. આ માલ વાયા ઈરાન કે પાકિસ્તાન, દુબઇ થઈ અફઘાનિસ્તાન પહોંચે છે. છેલ્લા 3 વર્ષથી આ વ્યવસાય વધ્યો હતો. પણ છેલ્લા કેટલાક દિવસોથી આ વેપાર સંપૂર્ણ ખોરવાઈ ગયો છે. હાલ બોર્ડર પર તણાવની સ્થિતિને કારણે ઘણા વેપારીઓ એ અહીંથી મોકલેલો માલ ત્યાં જ અટવાઈ ગયો છે. જેના કારણે લગભગ 400 કરોડનું પેમેન્ટ અટવાઈ ગયું છે. ત્યાં સ્થિતિ ક્યારે સુધરશે એ નક્કી નથી, જેથી વેપારીઓને પણ આ પેમેન્ટ ક્યારે આવશે એ ચિંતા છે.
સુરત ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારી દિનેશ કટિયારે એ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં સુરતથી 50 લાખ મીટરનું કાપડ એક્સપોર્ટ થાય છે. મોટાભાગનું કાપડ વાયા અન્ય શહેરો થકી જ જાય છે. પણ જો કે, ભૂતકાળના અનુભવોને જોતા વેપારીઓએ પણ હવે તાલિબાની અફઘાનિસ્તાન સાથે વેપાર નહિ કરવા મન બનાવી લીધું છે.
સુરતમાં બનતા પંજાબી સૂટ, બુરખા, દુપટા વાયા ઈરાન કે પાકિસ્તાન, દુબઇ થઈ અફઘાનિસ્તાન પહોંચે
અંધાધૂંધીને પગલે લગભગ 400 કરોડનું પેમેન્ટ અટવાઈ ગયું
WatchGujarat. અફઘાનિસ્તાનમાં સર્જાયેલી અંધાધૂંધીની અસર સુરતના કાપડ બજાર પર જોવા મળી રહી છે. હાલ તાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબજો જમાવતા ત્યાં રાજકીય સ્થિતિ પણ ડામાડોળ થઈ છે. જોકે તેની અસર સુરતના કાપડ ઉધોગ પર પણ પડી છે. સુરતમાં અફઘાનિસ્તાન સાથે વેપાર કરતા વેપારીઓને હવે અટકેલા પેમેન્ટની ચિંતા સતાવી રહી છે. ફોસ્ટાના ડિરેકટર રંગનાથ શારદાનું કહેવું છે કે, કોરોનાને લીધે પહેલાથી જ કાપડ ઉધોગ મંદીમાં ચાલી રહ્યો છે. ત્યાં હવે અફઘાનિસ્તાનમાં સર્જાયેલી અરાજકતાએ સુરતના કાપડ વેપારીઓને ચિંતામાં મૂકી દીધા છે.
સુરતની વાત કરીએ તો સુરત ટેકસ્ટાઈલના લગભગ 125 જેટલા વેપારીઓ અફઘાનિસ્તાન સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વેપાર સંબંધે જોડાયેલા છે. સુરતમાં બનતા પંજાબી સૂટ, બુરખા, દુપટાની અફઘાનિસ્તાનમાં ભારે ડિમાન્ડ છે. આ માલ વાયા ઈરાન કે પાકિસ્તાન, દુબઇ થઈ અફઘાનિસ્તાન પહોંચે છે. છેલ્લા 3 વર્ષથી આ વ્યવસાય વધ્યો હતો. પણ છેલ્લા કેટલાક દિવસોથી આ વેપાર સંપૂર્ણ ખોરવાઈ ગયો છે. હાલ બોર્ડર પર તણાવની સ્થિતિને કારણે ઘણા વેપારીઓ એ અહીંથી મોકલેલો માલ ત્યાં જ અટવાઈ ગયો છે. જેના કારણે લગભગ 400 કરોડનું પેમેન્ટ અટવાઈ ગયું છે. ત્યાં સ્થિતિ ક્યારે સુધરશે એ નક્કી નથી, જેથી વેપારીઓને પણ આ પેમેન્ટ ક્યારે આવશે એ ચિંતા છે.
સુરત ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારી દિનેશ કટિયારે એ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં સુરતથી 50 લાખ મીટરનું કાપડ એક્સપોર્ટ થાય છે. મોટાભાગનું કાપડ વાયા અન્ય શહેરો થકી જ જાય છે. પણ જો કે, ભૂતકાળના અનુભવોને જોતા વેપારીઓએ પણ હવે તાલિબાની અફઘાનિસ્તાન સાથે વેપાર નહિ કરવા મન બનાવી લીધું છે.