મહિધરપુરામાં થયેલી 1.63 કરોડની લુટમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા
આ ઘટનામાં વેપારી સાથે આવેલો દરબાર નામનો વ્યક્તિએ જ ટીપ આપી હોવાનું બહાર આવ્યું
ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 64.10 લાખની મત્તા પણ કબજે કરી
WatchGujarat. સુરતના મહિધરપુરામાં થયેલી 1.63 કરોડની લુટમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આ ઘટનામાં વેપારી સાથે આવેલો દરબાર નામનો વ્યક્તિએ જ ટીપ આપી હોવાનું બહાર આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 64.10 લાખની મત્તા પણ કબજે કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના સાંગલીના ખાનાપુરના પારે ગામના વતની અને સુરતમાં વરાછા હીરાબાગ લક્ષ્મી હોટલની પાસે રહેતા 38 વર્ષીય શરદભાઈ લક્ષ્મણભાઈ સોલંકર વરાછા લંબે હનુમાન રોડ માતાવાડી ભગુનગર ખાતે અંબિકા બુલીયનન નામે સોનાચાંદીનો જથ્થાબંધ વેપાર કરે છે. 6 જાન્યુઆરીના સવારે 11 વાગ્યે તે અમરેલી લાઠીના દામનગરના વેપારી દિલીપભાઈ દેવસંગભાઇ આલગીયાએ વરાછા મીનીબજાર સ્થિત પી.શૈલેશ આંગડીયામાં મોકલેલું 4300 ગ્રામ સોનું વરાછા ખોડીયારનગર સ્થિત એમ ટુ એમ કાપડની દુકાનના માલિક નિલેશભાઈ જાદવાણી પાસેથી મેળવી તેમના માણસ દરબાર સાથે મહિધરપુરા હીરાબજાર રંગરેજ ટાવર દુકાન નં.2 માં મુન સ્ટાર જવેલર્સના સાગરભાઈને આપવા નીકળ્યા હતા. તેઓ મહિધરપુરા સ્થિત સોનું આપી રોકડા રૂપિયા 1.63 કરોડ એક બેગમાં મુકીને તેમની સાથે આવેલા દરબાર નામના વ્યક્તિ સાથે પરત આવી રહ્યા હતા. આ દરમ્યાન કંસારા શેરીમાં વચ્ચે પહોંચ્યા ત્યારે સફેદ મોપેડ પર ત્રણ અજાણ્યા તેમની બાજુમાં આવ્યા હતા અને ચપ્પુની અણીએ રૂપિયાની લુટ કરી ફરાર થઇ ગયા હતા.
આ ઘટનામાં પોલીસે તપાસ શરુ કરી હતી. આ ઘટનામાં વેપારીની સાથે આવેલા દરબાર નામના વ્યક્તિએ જ લુંટની ટીપ આપી હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે મિતેશ સુશીલ સિંહ પરમાર ઉર્ફે દરબારની કડક પૂછપરછ કરી હતી. મિતેશસિહ ઉર્ફે દરબાર સોનાના વેપારથી વાકેફ હતો. આ મિતેશ સિહ ઉર્ફે દરબારે મુખ્ય આરોપી અમરેલી દામનગર ખાતે રહેતા તૌસીફ જકીરભાઈ સૈયદ સાથે મળી લુંટનો પ્લાન બનાવ્યો હતો. અને લુટ કરવા માટે રાજ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઈ દિલીપભાઈ કુવર, શની શાંતિલાલ કથારીયા તથા સમીર નામના ઇસમોને પ્લાનમાં જોડી દીધા હતા જેથી પોલીસે તપાસ કરી ટીપ આપનાર મિતેશ સિહ સુશીલ સિહ પરમાર ઉર્ફે દરબાર, રજુભાઈ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજ મરાઠે અને શનિકુમાર શાંતિલાલ કંથારિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં મુખ્ય આરોપી તૌસીફ જ્કીરભાઈ સૈયદ તથા સમીર ફિરોજભાઈ ભઈલુભાઈ ચુડાસમા હજુ ન નાસ્તા ફરે છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 64.10 લાખ તથા બે મોબાઈલ અને એક મોપેડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહિધરપુરામાં થયેલી 1.63 કરોડની લુટમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા
આ ઘટનામાં વેપારી સાથે આવેલો દરબાર નામનો વ્યક્તિએ જ ટીપ આપી હોવાનું બહાર આવ્યું
ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 64.10 લાખની મત્તા પણ કબજે કરી
WatchGujarat. સુરતના મહિધરપુરામાં થયેલી 1.63 કરોડની લુટમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આ ઘટનામાં વેપારી સાથે આવેલો દરબાર નામનો વ્યક્તિએ જ ટીપ આપી હોવાનું બહાર આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 64.10 લાખની મત્તા પણ કબજે કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના સાંગલીના ખાનાપુરના પારે ગામના વતની અને સુરતમાં વરાછા હીરાબાગ લક્ષ્મી હોટલની પાસે રહેતા 38 વર્ષીય શરદભાઈ લક્ષ્મણભાઈ સોલંકર વરાછા લંબે હનુમાન રોડ માતાવાડી ભગુનગર ખાતે અંબિકા બુલીયનન નામે સોનાચાંદીનો જથ્થાબંધ વેપાર કરે છે. 6 જાન્યુઆરીના સવારે 11 વાગ્યે તે અમરેલી લાઠીના દામનગરના વેપારી દિલીપભાઈ દેવસંગભાઇ આલગીયાએ વરાછા મીનીબજાર સ્થિત પી.શૈલેશ આંગડીયામાં મોકલેલું 4300 ગ્રામ સોનું વરાછા ખોડીયારનગર સ્થિત એમ ટુ એમ કાપડની દુકાનના માલિક નિલેશભાઈ જાદવાણી પાસેથી મેળવી તેમના માણસ દરબાર સાથે મહિધરપુરા હીરાબજાર રંગરેજ ટાવર દુકાન નં.2 માં મુન સ્ટાર જવેલર્સના સાગરભાઈને આપવા નીકળ્યા હતા. તેઓ મહિધરપુરા સ્થિત સોનું આપી રોકડા રૂપિયા 1.63 કરોડ એક બેગમાં મુકીને તેમની સાથે આવેલા દરબાર નામના વ્યક્તિ સાથે પરત આવી રહ્યા હતા. આ દરમ્યાન કંસારા શેરીમાં વચ્ચે પહોંચ્યા ત્યારે સફેદ મોપેડ પર ત્રણ અજાણ્યા તેમની બાજુમાં આવ્યા હતા અને ચપ્પુની અણીએ રૂપિયાની લુટ કરી ફરાર થઇ ગયા હતા.
આ ઘટનામાં પોલીસે તપાસ શરુ કરી હતી. આ ઘટનામાં વેપારીની સાથે આવેલા દરબાર નામના વ્યક્તિએ જ લુંટની ટીપ આપી હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે મિતેશ સુશીલ સિંહ પરમાર ઉર્ફે દરબારની કડક પૂછપરછ કરી હતી. મિતેશસિહ ઉર્ફે દરબાર સોનાના વેપારથી વાકેફ હતો. આ મિતેશ સિહ ઉર્ફે દરબારે મુખ્ય આરોપી અમરેલી દામનગર ખાતે રહેતા તૌસીફ જકીરભાઈ સૈયદ સાથે મળી લુંટનો પ્લાન બનાવ્યો હતો. અને લુટ કરવા માટે રાજ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઈ દિલીપભાઈ કુવર, શની શાંતિલાલ કથારીયા તથા સમીર નામના ઇસમોને પ્લાનમાં જોડી દીધા હતા જેથી પોલીસે તપાસ કરી ટીપ આપનાર મિતેશ સિહ સુશીલ સિહ પરમાર ઉર્ફે દરબાર, રજુભાઈ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજ મરાઠે અને શનિકુમાર શાંતિલાલ કંથારિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં મુખ્ય આરોપી તૌસીફ જ્કીરભાઈ સૈયદ તથા સમીર ફિરોજભાઈ ભઈલુભાઈ ચુડાસમા હજુ ન નાસ્તા ફરે છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 64.10 લાખ તથા બે મોબાઈલ અને એક મોપેડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.