સુરતના ભાગળ નવાપુરા પારસી શેરી સ્થિત પીપલ્સ બેંક પાસે મનપા દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી
અચાનક માટી ઘસી પડતા ત્યાં કામ કરતો શ્રમિક દબાઈ ગયો
નવાપુરા પારસી શેરી પીપલ્સ બેંક પાસે ડ્રેનેજની કામગીરી દરમ્યાન આ ઘટના બની હતી – ફાયર સુત્ર
WatchGujarat. સુરતના નવાપુર પારસી શેરી પાસે મનપા દ્વારા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમ્યાન માટી ઘસી પડતા એક યુવક ત્યાં દબાયો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગે તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
સુરતના ભાગળ નવાપુરા પારસી શેરી સ્થિત પીપલ્સ બેંક પાસે મનપા દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી. આ દરમ્યાન અહી અચાનક માટી ઘસી પડતા ત્યાં કામ કરતો શ્રમિક દબાઈ ગયો હતો. આ ઘટનાને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાને ત્યાં મનપાના અધિકારીઓ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે નવાપુરા પારસી શેરી પીપલ્સ બેંક પાસે ડ્રેનેજની કામગીરી દરમ્યાન આ ઘટના બની હતી. સવારે 10-30 વાગે ફાયર વિભાગને ઘટના અંગે કોલ મળ્યો હતો જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી ફાયર વિભાગે 3 જ મિનીટમાં યુવકને બહાર કાઢી મસ્કતી હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ 19 વર્ષીય રાજમલ છનાભાઈ સંઘાળા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ તે ડભોલી ચાર રસ્તા ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
સુરતના ભાગળ નવાપુરા પારસી શેરી સ્થિત પીપલ્સ બેંક પાસે મનપા દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી
અચાનક માટી ઘસી પડતા ત્યાં કામ કરતો શ્રમિક દબાઈ ગયો
નવાપુરા પારસી શેરી પીપલ્સ બેંક પાસે ડ્રેનેજની કામગીરી દરમ્યાન આ ઘટના બની હતી – ફાયર સુત્ર
WatchGujarat. સુરતના નવાપુર પારસી શેરી પાસે મનપા દ્વારા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમ્યાન માટી ઘસી પડતા એક યુવક ત્યાં દબાયો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગે તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
સુરતના ભાગળ નવાપુરા પારસી શેરી સ્થિત પીપલ્સ બેંક પાસે મનપા દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી. આ દરમ્યાન અહી અચાનક માટી ઘસી પડતા ત્યાં કામ કરતો શ્રમિક દબાઈ ગયો હતો. આ ઘટનાને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાને ત્યાં મનપાના અધિકારીઓ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે નવાપુરા પારસી શેરી પીપલ્સ બેંક પાસે ડ્રેનેજની કામગીરી દરમ્યાન આ ઘટના બની હતી. સવારે 10-30 વાગે ફાયર વિભાગને ઘટના અંગે કોલ મળ્યો હતો જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી ફાયર વિભાગે 3 જ મિનીટમાં યુવકને બહાર કાઢી મસ્કતી હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ 19 વર્ષીય રાજમલ છનાભાઈ સંઘાળા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ તે ડભોલી ચાર રસ્તા ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.