કુલપતિ ચાવડા આજે બપોરે પોલીસ કમિશનર કચેરી આવી પહોંચ્યા
પોલીસ કમિશનર કચેરી પહોંચેલા કુલપતિ કિશોર ચાવડાએ પોલીસ કમિશનર અજય તોમર સાથે ઘટના બાબતે વિસ્તૃત ચર્ચા કરી
ત્યારે કુલપતિની મુલાકાત બાદ હવે આ મુદ્દે આગળ શું વળાંક આવે છે તે જોવું રહ્યું
WatchGujarat. બે દિવસ પહેલા જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ગરબા કાર્યક્રમ દરમ્યાન એબીવીપીના વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા માર મારવાની ઘટનાના ઘેર પ્રત્યાઘાત શિક્ષણ જગતમાં પડ્યા છે. રાજ્યભરની યુનિવર્સટીમાં વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે વીએનએસજીયુના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ સુરત પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી હતી.
કુલપતિ ચાવડા આજે બપોરે પોલીસ કમિશનર કચેરી આવી પહોંચ્યા હતા. જ્યાં તેમને દોઢ કલાક જેટલી કમિશનર સાથે જે ઘટના બની તે બાબતે ચર્ચા કરી હતી. ભાજપની સરકાર હોવા છતાં એબીવીપીના વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની આ ઘટનાએ રાજ્યભરના શિક્ષણ જગતમાં ચર્ચા ઉભી કરી છે.
પોલીસ કમિશનર કચેરી પહોંચેલા કુલપતિ કિશોર ચાવડાએ પોલીસ કમિશનર અજય તોમર સાથે ઘટના બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બાબતે વિદ્યાર્થી સંઘઠન એબીવીપી કોઈપણ રીતે નમતું જોખવા તૈયાર નથી. તેવામાં કુલપતિ દ્વારા અત્યારસુધી આ કેસમાં કેટલી કાર્યવાહી થઇ તેની માહિતી મેળવવામાં આવી હતી.
કુલપતિએ પત્રકારો સાથે વધારે વાતચીત કરવાનું ટાળ્યું હતું પણ તેમને તેટલું ઉમેર્યું હતું કે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે જે ઘર્ષણ થયું છે તે બાબતે ઝડપથી ઉકેલ આવે અને સરખો ન્યાય મળે તે બાબતે પોલીસ કમિશનર જોડે વિસ્તુત ચર્ચા કરવામાં આવી છે. નોંધનીય છે કે આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે કુલપતિની મુલાકાત બાદ હવે આ મુદ્દે આગળ શું વળાંક આવે છે તે જોવું રહ્યું.
કુલપતિ ચાવડા આજે બપોરે પોલીસ કમિશનર કચેરી આવી પહોંચ્યા
પોલીસ કમિશનર કચેરી પહોંચેલા કુલપતિ કિશોર ચાવડાએ પોલીસ કમિશનર અજય તોમર સાથે ઘટના બાબતે વિસ્તૃત ચર્ચા કરી
ત્યારે કુલપતિની મુલાકાત બાદ હવે આ મુદ્દે આગળ શું વળાંક આવે છે તે જોવું રહ્યું
WatchGujarat. બે દિવસ પહેલા જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ગરબા કાર્યક્રમ દરમ્યાન એબીવીપીના વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા માર મારવાની ઘટનાના ઘેર પ્રત્યાઘાત શિક્ષણ જગતમાં પડ્યા છે. રાજ્યભરની યુનિવર્સટીમાં વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે વીએનએસજીયુના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ સુરત પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી હતી.
કુલપતિ ચાવડા આજે બપોરે પોલીસ કમિશનર કચેરી આવી પહોંચ્યા હતા. જ્યાં તેમને દોઢ કલાક જેટલી કમિશનર સાથે જે ઘટના બની તે બાબતે ચર્ચા કરી હતી. ભાજપની સરકાર હોવા છતાં એબીવીપીના વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની આ ઘટનાએ રાજ્યભરના શિક્ષણ જગતમાં ચર્ચા ઉભી કરી છે.
પોલીસ કમિશનર કચેરી પહોંચેલા કુલપતિ કિશોર ચાવડાએ પોલીસ કમિશનર અજય તોમર સાથે ઘટના બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બાબતે વિદ્યાર્થી સંઘઠન એબીવીપી કોઈપણ રીતે નમતું જોખવા તૈયાર નથી. તેવામાં કુલપતિ દ્વારા અત્યારસુધી આ કેસમાં કેટલી કાર્યવાહી થઇ તેની માહિતી મેળવવામાં આવી હતી.
કુલપતિએ પત્રકારો સાથે વધારે વાતચીત કરવાનું ટાળ્યું હતું પણ તેમને તેટલું ઉમેર્યું હતું કે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે જે ઘર્ષણ થયું છે તે બાબતે ઝડપથી ઉકેલ આવે અને સરખો ન્યાય મળે તે બાબતે પોલીસ કમિશનર જોડે વિસ્તુત ચર્ચા કરવામાં આવી છે. નોંધનીય છે કે આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે કુલપતિની મુલાકાત બાદ હવે આ મુદ્દે આગળ શું વળાંક આવે છે તે જોવું રહ્યું.