વડોદરામાં દુષ્કર્મ બાદ નવસારીમાં યુવતિના જીવન ટુંકાવવાના મામલે અત્યાર સુધી કોઇ નક્કર માહિતી પ્રાપ્ત થઇ શકી નથી
ગૃહમંત્રી મારી બહેનને ન્યાય અપાવીશ તેવા આશ્વાસ વારંવાર આપે છે, પરંતુ તપાસ સંસ્થાઓ આ મામલે કંઇ ઉકાળી શકી નથી
પરિજનોએ ગતરોજ ગૃહમંત્રીને મળીને સંસ્થા પર ગંભીર આરોપો લગાવ્યા
પીડિતાને ન્યાય અપાવવા માટે અધિકારીઓની ફોજ કામે લાગી હોવાનું જણાવી ગૃહમંત્રીએ વધુ એક વખત કેસ ઉકેલવાનું આશ્વાસન આપ્યું
WatchGujarat. નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાત પ્રકરણમાં ઘણા દિવસો વીતી ગયા છે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, વડોદરા ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ, વલસાડ પોલીસ અને ગોત્રી પોલીસ સહિતની એજન્સીઓ તપાસમાં લાગી છે. આ ઉપરાંત આ કેસની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે. તેમ છતાં હજી આ મામલે આરોપીઓની ઓળખ થઈ શકી નથી. ત્યારે હવે આ મામલે પોલીસ દ્વારા સામાન્ય પ્રજા પાસેથી મદદ માંગવામાં આવી છે.
https://youtu.be/HhLG-Mxa9Mc
પીડિતાના માતા પિતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. અને ન્યાયની ગુહાર લગાવી હતી. પીડિતાના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે ઓએસીસ સંસ્થા સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે. ડાયરીનું એક પાનું આ સંસ્થા પાસે મળી આવ્યું છે. જો તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો ઘણી માહિતી બહાર આવી શકે તેમ છે.
તેમણે એ પણ ઉમેર્યું હતું આરોપીઓનો ઈરાદો તેમની દીકરીને મારી નાંખવાનો હતો. પીડિતાના પિતાએ ઓએસીસ સંસ્થા પર સણસણતો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ કેસમાં સંસ્થાની પણ ભૂલ હોય શકે છે. કારણ કે આ સંસ્થાના ભૂતકાળ વિશે ઘણા ઘટસ્ફોટ થયા છે. તેમની દીકરીએ ક્યારેય કોઈનું ખોટું ચલાવી લીધું નથી. તે સંસ્થા વિશે કંઈ જાણતી હતી, અથવા તેને એવું કંઈ જોઈ લીધું હશે જે બાદ તેની સાથે આવું થયું છે. ઓએસીસ સંસ્થા સીધા દિલ્હી સાથે કોઈ અધિકારી સાથે કોન્ટેક્ટમાં હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
આ ચકચારી કેસમાં પીડિત પરિવાર ગૃહ મંત્રી હર્ષ સંઘવીને બીજી વખત મળ્યા હતા.અને જલ્દી જલ્દી આરોપીઓ પકડાય અને તેમને જલ્દી થી જલ્દી સજા થાય તે માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ન્યાય માટે ગુહાર લગાવી હતી.પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પીડિત પરિવારને ફક્ત અને ફક્ત આશ્વાસન આપ્યું હતું ઘટનાને એક મહિનો થયા છતાં હજી સુધી પોલીસના હાથે કોઈ નક્કર પુરાવા લાગ્યા નથી જેથી ગૃહમંત્રીએ પીડિત પરિવારને આપેલું આશ્વાસન ફક્ત વાદા તેરા વાદા સાબિત થઇ રહ્યું છે
આ ઉપરાંત તેમણે પોલીસ પણ કવર લેતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના કારણે તપાસ ધીમી થઈ રહી હોય તેવું જણાવ્યું હતું. નોંધનીય છે કે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કેસમાં અંગત રસ લઈ પોતે પીડિતાના ભાઈ તરીકે ન્યાય અપાવશે તેવી વાત કરી હતી. જોવાનું એ રહે છે કે આ કેસમાં આગળ શું વલાંક આવે છે.
અત્યાર સુધીની તપાસ ક્યાં પહોંચી?
વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં 19 વર્ષીય યુવતી પર થયેલા સામુહિક દુષ્કર્મ કેસમાં ગુનાના 18 દિવસો બાદ SITની રચના કરવામાં આવી હતી. જે બાદ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પીડિતા પર ગત 29 ઓક્ટોબરે વડોદરાના વૅક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો તેની ડાયરીમાં ઉલ્લેખ છે. પોલીસ દ્વારા 35 ટીમો બનાવવામાં આવી છે અને તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 25,000 લોકોની કોલ ડિટેઈલ કાઢવામાં આવી છે. જેમાં 7000 રિક્ષા ચાલકોનો સમાવેશ થાય છે. પોલીસનું માનવું છે કે, જો પીડિતા જીવિત હોત તો કેસ જલ્દી સોલ્વ થઈ ગયો હોત.
અત્યાર સુધીની તપાસમાં ટેક્નિકલ સર્વેલન્સમાં 250 CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા છે. જ્યારે 300થી વધુ સેક્સ્યુલ ઓફ્રેન્ડરની તપાસ કરાઈ છે અને વેકસીન ઇન્સ્ટિટ્યૂટ આસપાસ અને શહેરના તમામ 1000થી વધુ રિક્ષા ચાલકોની પૂછપરછ કરાઈ છે.
આ કેસની તપાસમાં અત્યાર સુધી તપાસ સંસ્થાને માત્ર એક સફળતા મળી છે. જેમાં પીડિતાની સાઇકલ પૈડા કાઢેલી હાલતમાં સિક્યોરિટી ગાર્ડ પાસેથી મળી આવી છે. અત્યાર સુધીની તપાસમાં પીડિતાની સાઈકલ લઈ જનારા સિક્યોરિટી ગાર્ડની કોઈ ભૂમિકા ના હોવાનું સામે આવ્યું છે. સિક્યોરિટી ગાર્ડ બિવારસી સાઈકલ પોતાની દીકરી ફેરવશે, તે હેતુથી લઈને આવ્યો હતો. બીજી તરફ હજુ પણ પોલીસ એએસિસ સંસ્થા પાસેથી કોઈ નક્કર માહિતી મેળવી શકી નથી.
વડોદરામાં દુષ્કર્મ બાદ નવસારીમાં યુવતિના જીવન ટુંકાવવાના મામલે અત્યાર સુધી કોઇ નક્કર માહિતી પ્રાપ્ત થઇ શકી નથી
ગૃહમંત્રી મારી બહેનને ન્યાય અપાવીશ તેવા આશ્વાસ વારંવાર આપે છે, પરંતુ તપાસ સંસ્થાઓ આ મામલે કંઇ ઉકાળી શકી નથી
પરિજનોએ ગતરોજ ગૃહમંત્રીને મળીને સંસ્થા પર ગંભીર આરોપો લગાવ્યા
પીડિતાને ન્યાય અપાવવા માટે અધિકારીઓની ફોજ કામે લાગી હોવાનું જણાવી ગૃહમંત્રીએ વધુ એક વખત કેસ ઉકેલવાનું આશ્વાસન આપ્યું
WatchGujarat. નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાત પ્રકરણમાં ઘણા દિવસો વીતી ગયા છે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, વડોદરા ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ, વલસાડ પોલીસ અને ગોત્રી પોલીસ સહિતની એજન્સીઓ તપાસમાં લાગી છે. આ ઉપરાંત આ કેસની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે. તેમ છતાં હજી આ મામલે આરોપીઓની ઓળખ થઈ શકી નથી. ત્યારે હવે આ મામલે પોલીસ દ્વારા સામાન્ય પ્રજા પાસેથી મદદ માંગવામાં આવી છે.
પીડિતાના માતા પિતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. અને ન્યાયની ગુહાર લગાવી હતી. પીડિતાના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે ઓએસીસ સંસ્થા સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે. ડાયરીનું એક પાનું આ સંસ્થા પાસે મળી આવ્યું છે. જો તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો ઘણી માહિતી બહાર આવી શકે તેમ છે.
તેમણે એ પણ ઉમેર્યું હતું આરોપીઓનો ઈરાદો તેમની દીકરીને મારી નાંખવાનો હતો. પીડિતાના પિતાએ ઓએસીસ સંસ્થા પર સણસણતો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ કેસમાં સંસ્થાની પણ ભૂલ હોય શકે છે. કારણ કે આ સંસ્થાના ભૂતકાળ વિશે ઘણા ઘટસ્ફોટ થયા છે. તેમની દીકરીએ ક્યારેય કોઈનું ખોટું ચલાવી લીધું નથી. તે સંસ્થા વિશે કંઈ જાણતી હતી, અથવા તેને એવું કંઈ જોઈ લીધું હશે જે બાદ તેની સાથે આવું થયું છે. ઓએસીસ સંસ્થા સીધા દિલ્હી સાથે કોઈ અધિકારી સાથે કોન્ટેક્ટમાં હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
આ ચકચારી કેસમાં પીડિત પરિવાર ગૃહ મંત્રી હર્ષ સંઘવીને બીજી વખત મળ્યા હતા.અને જલ્દી જલ્દી આરોપીઓ પકડાય અને તેમને જલ્દી થી જલ્દી સજા થાય તે માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ન્યાય માટે ગુહાર લગાવી હતી.પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પીડિત પરિવારને ફક્ત અને ફક્ત આશ્વાસન આપ્યું હતું ઘટનાને એક મહિનો થયા છતાં હજી સુધી પોલીસના હાથે કોઈ નક્કર પુરાવા લાગ્યા નથી જેથી ગૃહમંત્રીએ પીડિત પરિવારને આપેલું આશ્વાસન ફક્ત વાદા તેરા વાદા સાબિત થઇ રહ્યું છે
આ ઉપરાંત તેમણે પોલીસ પણ કવર લેતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના કારણે તપાસ ધીમી થઈ રહી હોય તેવું જણાવ્યું હતું. નોંધનીય છે કે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કેસમાં અંગત રસ લઈ પોતે પીડિતાના ભાઈ તરીકે ન્યાય અપાવશે તેવી વાત કરી હતી. જોવાનું એ રહે છે કે આ કેસમાં આગળ શું વલાંક આવે છે.
અત્યાર સુધીની તપાસ ક્યાં પહોંચી?
વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં 19 વર્ષીય યુવતી પર થયેલા સામુહિક દુષ્કર્મ કેસમાં ગુનાના 18 દિવસો બાદ SITની રચના કરવામાં આવી હતી. જે બાદ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પીડિતા પર ગત 29 ઓક્ટોબરે વડોદરાના વૅક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો તેની ડાયરીમાં ઉલ્લેખ છે. પોલીસ દ્વારા 35 ટીમો બનાવવામાં આવી છે અને તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 25,000 લોકોની કોલ ડિટેઈલ કાઢવામાં આવી છે. જેમાં 7000 રિક્ષા ચાલકોનો સમાવેશ થાય છે. પોલીસનું માનવું છે કે, જો પીડિતા જીવિત હોત તો કેસ જલ્દી સોલ્વ થઈ ગયો હોત.
અત્યાર સુધીની તપાસમાં ટેક્નિકલ સર્વેલન્સમાં 250 CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા છે. જ્યારે 300થી વધુ સેક્સ્યુલ ઓફ્રેન્ડરની તપાસ કરાઈ છે અને વેકસીન ઇન્સ્ટિટ્યૂટ આસપાસ અને શહેરના તમામ 1000થી વધુ રિક્ષા ચાલકોની પૂછપરછ કરાઈ છે.
આ કેસની તપાસમાં અત્યાર સુધી તપાસ સંસ્થાને માત્ર એક સફળતા મળી છે. જેમાં પીડિતાની સાઇકલ પૈડા કાઢેલી હાલતમાં સિક્યોરિટી ગાર્ડ પાસેથી મળી આવી છે. અત્યાર સુધીની તપાસમાં પીડિતાની સાઈકલ લઈ જનારા સિક્યોરિટી ગાર્ડની કોઈ ભૂમિકા ના હોવાનું સામે આવ્યું છે. સિક્યોરિટી ગાર્ડ બિવારસી સાઈકલ પોતાની દીકરી ફેરવશે, તે હેતુથી લઈને આવ્યો હતો. બીજી તરફ હજુ પણ પોલીસ એએસિસ સંસ્થા પાસેથી કોઈ નક્કર માહિતી મેળવી શકી નથી.