જમ્મુ-કાશ્મીર ખાતે રોડ અકસ્માતની ઘટનામાં સુરતના યુવાનનું અપમૃત્યુ
શ્રીનગર પોલીસે અકસ્માત બાદ અંકિતના ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલો નંબર જોડીને તેના પરિવારને આ દુઃખદ ઘટનાની જાણ કરી
અકસ્માતમાં મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ, પરિવારના સભ્યો મૃતદેહ લેવા માટે દિલ્હી રવાના થયા
યુવકના મોતને પગલે બે બાળકો નોધારા થયા
WatchGujarat. મંગળવારે મોડી રાત્રે લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક થયેલા એક માર્ગ અકસ્માતના સુરતના 36 વર્ષીય યુવકનું અપમૃત્યુ થતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. આ માર્ગ અકસ્માતમાં એક ગાડી ઉંડી ખીણમાં પડી જવાના કારણે કુલ 9 લોકોના મોત થયા હતા. જેની શ્રીનગર પોલીસે પરિવારને જાણ કરતાં યુવકના ભાઈ અને પિતા મૃતદેહ લેવા માચે દિલ્હી રવાના થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મંગળવારે મોડી રાત્રે લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક કારગિલથી સોનમર્ગ તરફ જઈ રહેલું વાહન 1,200 ફૂટ ઉંડી ખીણમાં ધસી પડવાના કારણે ચાલક સહિત 9 લોકોના મોત થયા છે જ્યારે એક 20 વર્ષીય યુવકને ઈજાઓ પહોંચી છે. મૃતકો પૈકીના 2 લોકો જમ્મુ કાશ્મીરના છે જ્યારે બાકીના સૌ અન્ય રાજ્યના પર્યટકો હતા. અકસ્માત બાદ પોલીસ, સેના અને બીઆરઓના બચાવકર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ બુધવારે સવારે વધુ 2 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં સુરતના એક 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું છે. મૃતક અંકિત સંઘવી પોતે ટુર સંચાલક છે અને તેના પરિવારમાં પત્ની અને બે બાળકો, માતા-પિતા અને એક બહેન, ભાઈ છે. અંકિત સંઘવી ટૂર-સંચાલક હોવાને કારણે જમ્મુ-કાશ્મીર તેમજ અન્ય રાજ્યોમાં જતો હતો. એકાએક બનેલી ઘટનાથી સંઘવી પરિવાર પર વજ્રઘાત પડ્યો હોય એમ આખું પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. મહત્વનું છે કે શ્રીનગર પોલીસે અકસ્માત બાદ અંકિતના ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલો નંબર જોડીને તેના પરિવારને આ દુઃખદ ઘટનાની જાણકારી આપી હતી. ત્યાર બાદ અંકિતના ભાઈ અને પિતા દિલ્હી જવા માટે રવાના થયા છે.
જમ્મુ-કાશ્મીર ખાતે રોડ અકસ્માતની ઘટનામાં સુરતના યુવાનનું અપમૃત્યુ
શ્રીનગર પોલીસે અકસ્માત બાદ અંકિતના ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલો નંબર જોડીને તેના પરિવારને આ દુઃખદ ઘટનાની જાણ કરી
અકસ્માતમાં મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ, પરિવારના સભ્યો મૃતદેહ લેવા માટે દિલ્હી રવાના થયા
યુવકના મોતને પગલે બે બાળકો નોધારા થયા
WatchGujarat. મંગળવારે મોડી રાત્રે લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક થયેલા એક માર્ગ અકસ્માતના સુરતના 36 વર્ષીય યુવકનું અપમૃત્યુ થતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. આ માર્ગ અકસ્માતમાં એક ગાડી ઉંડી ખીણમાં પડી જવાના કારણે કુલ 9 લોકોના મોત થયા હતા. જેની શ્રીનગર પોલીસે પરિવારને જાણ કરતાં યુવકના ભાઈ અને પિતા મૃતદેહ લેવા માચે દિલ્હી રવાના થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મંગળવારે મોડી રાત્રે લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક કારગિલથી સોનમર્ગ તરફ જઈ રહેલું વાહન 1,200 ફૂટ ઉંડી ખીણમાં ધસી પડવાના કારણે ચાલક સહિત 9 લોકોના મોત થયા છે જ્યારે એક 20 વર્ષીય યુવકને ઈજાઓ પહોંચી છે. મૃતકો પૈકીના 2 લોકો જમ્મુ કાશ્મીરના છે જ્યારે બાકીના સૌ અન્ય રાજ્યના પર્યટકો હતા. અકસ્માત બાદ પોલીસ, સેના અને બીઆરઓના બચાવકર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ બુધવારે સવારે વધુ 2 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં સુરતના એક 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું છે. મૃતક અંકિત સંઘવી પોતે ટુર સંચાલક છે અને તેના પરિવારમાં પત્ની અને બે બાળકો, માતા-પિતા અને એક બહેન, ભાઈ છે. અંકિત સંઘવી ટૂર-સંચાલક હોવાને કારણે જમ્મુ-કાશ્મીર તેમજ અન્ય રાજ્યોમાં જતો હતો. એકાએક બનેલી ઘટનાથી સંઘવી પરિવાર પર વજ્રઘાત પડ્યો હોય એમ આખું પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. મહત્વનું છે કે શ્રીનગર પોલીસે અકસ્માત બાદ અંકિતના ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલો નંબર જોડીને તેના પરિવારને આ દુઃખદ ઘટનાની જાણકારી આપી હતી. ત્યાર બાદ અંકિતના ભાઈ અને પિતા દિલ્હી જવા માટે રવાના થયા છે.