વ્યસન પાછળ સંતાનો દિવસના 150થી 2000નો ખર્ચ કરે છે : સર્વેમાં ખુલાસો
આર.જે ટિબ્રેવાલ કોમર્સ કોલેજના એનએસએસ યુનિટના વોલિન્યેન્ટ દ્વારા સર્વે
90.8 ટકા લોકોએ કહ્યું યુવા જનરેશન વ્યસનના કારણે પેરેન્ટ્સથી દૂર થતી જઇ રહી છે
WatchGujarat. વ્યસન એ આજની મોટી સમસ્યા બની ગયુ છે પરંતુ તેના વિશે કોઇ વાત કરવા તૈયાર નથી. તેમના બાળકો વ્યસનની લતે ચડ્યા છે તેમના માતા-પિતા તેમના વ્યસન અંગે વાત કરવાની જગ્યાએ સમાજમાં તેને છુપાવતા હોય છે. આવુ ન થાય અને તેમને વ્યસનમાંથી બહાર આવવાનો એક રસ્તો મળે તે માટે આર.જે.ટિબ્રેવાલ કોમર્સ કોલેજના એનએસએસ યુનિટના વોલિયેન્ટર દ્વારા વ્યસન કરતા 150થી વધુ યંગસ્ટર્સના ફેમિલીનો સર્વે કરવામાં આવ્યો. સર્વે કરવા માટે સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સને મળ્યા અને પેરેન્ટસે આંખમાં આંસુઓ સાથે તેમની પરિસ્થિત વર્ણવતા કહ્યું કે, ઘરમાં તેમનાથી વડીલે વ્યસન કરે છે ત્યારે બાળકોને કેમ રોકવા ? જ્યારે 70 ટકા પેરેન્ટ્સે કહ્યુ કે કોરોનામાં જીવનજરૂરિયાતની વસ્તુઓની અછત પડી ગઇ પરંતુ બાળકોએ તેમના વ્યસનમાં કોઇ ફેરફાર ન કર્યો.
સર્વે કરનાર વંશિતા અમીને મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે અમારા ગ્રુપના તમામ મેમ્બર્સ અલગ-અલગ વિસ્તારમાં સર્વે માટે ગયા હતા. મારા અનુભવની વાત કરૂ તો હું જેટલી પેરેન્ટસને મળી તેમાંથી મોટાભાગના પેરેન્ટસે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે મારો દિકરો કે દીકરી વ્યસન કરે છે તે અમને કોઇ ત્રીજા વ્યક્તિ પાસેથી જાણવા નથી મળ્યું. પરંતુ અત્યારના છોકરાઓ માટે વ્યસન એટલું સામાન્ય બની ગયુ છે કે તેઓ જાતે જ તેના માતા-પિતાને કહે છે હા, અમે વ્યસન કરીએ છીએ.જો પરિસ્થિતિ આવી જ રહેશે તો ભવિષ્યનો વિચાર કરી શકીએ.
આ સર્વેમાં નીચે મુજબનાં તારણે સામે આવ્યા
52.5 ટકા વ્યસનીઓએ પોતે વ્યસનથી દૂર જવા ઇચ્છે છે પરંતુ જઇ શકતા નથી
યુવાનોમાં 89.2 ટકા પુરૂષો અને 10.8 ટકા મહિલાઓ વ્યસનના માર્ગે દોરાયેલ છે તેમાં 64.2 ટકા લોકોને ગુટખા,પાન-મસાલાનું 44.2 ટકાને સિગારેટનું 27.5 ટકાને દારૂનું 4.2 ટકાને ડ્રગ્સનું 5 ટકા લોકોને અન્ય વ્યસન છે.
વાર-તહેવારે કે પ્રસંગોપાત 83.1 ટકા યુવાનો જુદા-જુદા પ્રકારના વ્યસન કરે છે.
52.5 ટકા પેરેન્ટસે કહ્યુ કે તેમના બાળકો ફ્રેન્ડ સર્કલમાંથી વ્યસન કરતા શિખ્યા છે.
90.8 ટકા લોકોએ કહ્યું કે, યુવા જનરેશન વ્યસનના કારણે પોતાના પેરેન્ટસથી દૂર થતી જઇ રહી છે.
44.2 ટકા વ્યસનીઓ અકારણ ગુસ્સો જેવી આદતના ભોગ બન્યા છે.
38.3 ટકા વ્યસનીઓમાં પોતાની ભુલ છુપાવવાની વૃત્તિમાં વધારો જોવા મળ્યો
30.8 ટકા વ્યસનીઓ પૌષ્ટિક આહારથી દૂર છે.
30 ટકા વ્યસનીઓમાં શારીરિક દુર્બળતા આવી ગઇ છે.
27.5 ટકા વ્યસનીઓમાં માનસિક ચિંતામાં વધારો નોંધાયો છે.
71.7 ટકા વ્યસનીઓ સમાજ કે સોસાયટીમાં ઉતરતા સ્થાનનો ભોગ બન્યા છે.
62.5 ટકા લોકોને વ્યસનના કારણે ઘરમાં આર્થિક સંકડામણ ઉભી થઇ છે.
70 ટકા વ્યસનીઓને કોરોનાકાળમાં વ્યસનની આદતમાં કોઇ બદલાવ આવ્યો નથી.
88.1 ટકા વ્યસનીઓ વ્યસન છોડવા માટે પ્રત્યક્ષ પ્રયત્ન કરી રહ્યા છએ.
84.2 ટકા લોકોના મતે હાલની તારીખમાં છોકરીઓમાં વ્યસનનું પ્રમાણ વધ્યું છે.
92.5 ટકા લોકોના મતે હાલની તારીખમાં છોકરાઓમાં વ્યસનનું પ્રમાણ વધ્યુ છે.
29.6 ટકા લોકોને નશામુક્ત ભારત અભિયાન વિશે જાણ નથી
વ્યસન પાછળ સંતાનો દિવસના 150થી 2000નો ખર્ચ કરે છે : સર્વેમાં ખુલાસો
આર.જે ટિબ્રેવાલ કોમર્સ કોલેજના એનએસએસ યુનિટના વોલિન્યેન્ટ દ્વારા સર્વે
90.8 ટકા લોકોએ કહ્યું યુવા જનરેશન વ્યસનના કારણે પેરેન્ટ્સથી દૂર થતી જઇ રહી છે
WatchGujarat. વ્યસન એ આજની મોટી સમસ્યા બની ગયુ છે પરંતુ તેના વિશે કોઇ વાત કરવા તૈયાર નથી. તેમના બાળકો વ્યસનની લતે ચડ્યા છે તેમના માતા-પિતા તેમના વ્યસન અંગે વાત કરવાની જગ્યાએ સમાજમાં તેને છુપાવતા હોય છે. આવુ ન થાય અને તેમને વ્યસનમાંથી બહાર આવવાનો એક રસ્તો મળે તે માટે આર.જે.ટિબ્રેવાલ કોમર્સ કોલેજના એનએસએસ યુનિટના વોલિયેન્ટર દ્વારા વ્યસન કરતા 150થી વધુ યંગસ્ટર્સના ફેમિલીનો સર્વે કરવામાં આવ્યો. સર્વે કરવા માટે સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સને મળ્યા અને પેરેન્ટસે આંખમાં આંસુઓ સાથે તેમની પરિસ્થિત વર્ણવતા કહ્યું કે, ઘરમાં તેમનાથી વડીલે વ્યસન કરે છે ત્યારે બાળકોને કેમ રોકવા ? જ્યારે 70 ટકા પેરેન્ટ્સે કહ્યુ કે કોરોનામાં જીવનજરૂરિયાતની વસ્તુઓની અછત પડી ગઇ પરંતુ બાળકોએ તેમના વ્યસનમાં કોઇ ફેરફાર ન કર્યો.
સર્વે કરનાર વંશિતા અમીને મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે અમારા ગ્રુપના તમામ મેમ્બર્સ અલગ-અલગ વિસ્તારમાં સર્વે માટે ગયા હતા. મારા અનુભવની વાત કરૂ તો હું જેટલી પેરેન્ટસને મળી તેમાંથી મોટાભાગના પેરેન્ટસે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે મારો દિકરો કે દીકરી વ્યસન કરે છે તે અમને કોઇ ત્રીજા વ્યક્તિ પાસેથી જાણવા નથી મળ્યું. પરંતુ અત્યારના છોકરાઓ માટે વ્યસન એટલું સામાન્ય બની ગયુ છે કે તેઓ જાતે જ તેના માતા-પિતાને કહે છે હા, અમે વ્યસન કરીએ છીએ.જો પરિસ્થિતિ આવી જ રહેશે તો ભવિષ્યનો વિચાર કરી શકીએ.
આ સર્વેમાં નીચે મુજબનાં તારણે સામે આવ્યા
52.5 ટકા વ્યસનીઓએ પોતે વ્યસનથી દૂર જવા ઇચ્છે છે પરંતુ જઇ શકતા નથી
યુવાનોમાં 89.2 ટકા પુરૂષો અને 10.8 ટકા મહિલાઓ વ્યસનના માર્ગે દોરાયેલ છે તેમાં 64.2 ટકા લોકોને ગુટખા,પાન-મસાલાનું 44.2 ટકાને સિગારેટનું 27.5 ટકાને દારૂનું 4.2 ટકાને ડ્રગ્સનું 5 ટકા લોકોને અન્ય વ્યસન છે.
વાર-તહેવારે કે પ્રસંગોપાત 83.1 ટકા યુવાનો જુદા-જુદા પ્રકારના વ્યસન કરે છે.
52.5 ટકા પેરેન્ટસે કહ્યુ કે તેમના બાળકો ફ્રેન્ડ સર્કલમાંથી વ્યસન કરતા શિખ્યા છે.
90.8 ટકા લોકોએ કહ્યું કે, યુવા જનરેશન વ્યસનના કારણે પોતાના પેરેન્ટસથી દૂર થતી જઇ રહી છે.
44.2 ટકા વ્યસનીઓ અકારણ ગુસ્સો જેવી આદતના ભોગ બન્યા છે.
38.3 ટકા વ્યસનીઓમાં પોતાની ભુલ છુપાવવાની વૃત્તિમાં વધારો જોવા મળ્યો
30.8 ટકા વ્યસનીઓ પૌષ્ટિક આહારથી દૂર છે.
30 ટકા વ્યસનીઓમાં શારીરિક દુર્બળતા આવી ગઇ છે.
27.5 ટકા વ્યસનીઓમાં માનસિક ચિંતામાં વધારો નોંધાયો છે.
71.7 ટકા વ્યસનીઓ સમાજ કે સોસાયટીમાં ઉતરતા સ્થાનનો ભોગ બન્યા છે.
62.5 ટકા લોકોને વ્યસનના કારણે ઘરમાં આર્થિક સંકડામણ ઉભી થઇ છે.
70 ટકા વ્યસનીઓને કોરોનાકાળમાં વ્યસનની આદતમાં કોઇ બદલાવ આવ્યો નથી.
88.1 ટકા વ્યસનીઓ વ્યસન છોડવા માટે પ્રત્યક્ષ પ્રયત્ન કરી રહ્યા છએ.
84.2 ટકા લોકોના મતે હાલની તારીખમાં છોકરીઓમાં વ્યસનનું પ્રમાણ વધ્યું છે.
92.5 ટકા લોકોના મતે હાલની તારીખમાં છોકરાઓમાં વ્યસનનું પ્રમાણ વધ્યુ છે.