છેલ્લા બે દિવસમાં કોથળા ભરીને મરેલી માછલીઓ બહાર કાઢી હતી
અસંખ્ય માછલીઓના મોત બાદ આખરે તંત્ર જાગ્યું
તળાવમાંથી પાણીના સેમ્પલ લેવાયા
WatchGujarat.કરોડો રૂપિયાના ખર્ચે વડોદરામાં સુરસાગર તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યુ. પરંતુ આ બ્યુટીફિકેશન જળચર જીવો માટે ખતરનાક સાબિત થયુ હોય તેવુ લાગે છે. છેલ્લા કેટલાય સમયથી સૂરસાગર તળાવમાંથી મરેલી માછલીઓ મળી આવી હતી. જ્યારે છેલ્લા બે દિવસથી 800થી 1000 જેટલી મરેલી માછલી મળી આવી હતી. જેને લઇ તંત્ર કામે લાગ્યુ છે .તળાવમાં મરેલી માછલીનાં કોથળાઓ ભરાયા હતા બાદમાં આજે પાલિકાની આરોગ્યની ટીમ દ્વારા તળાવમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ અસંખ્ય માછલીઓના મોત બાદ આખરે તંત્ર જાગ્યું છે અને તળાવમાંથી પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું હતુ. આજે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પાણીનું સેમ્પલ લેવા માટે પહોંચી હતી. તળાવમાં 5 અલગ-અલગ જગ્યા પરથી પાણીના સેમ્પલ લેવાયા હતા. આ સેમ્પલ લેબમાં મોકલવામાં આવશે જ્યાં માછલીઓના મોતનું સાચુ કારણ જાણી શકાશે. 5 જગ્યાએથી પાણી લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યુ છે જેનું ત્રણ-ચાર દિવસ પછી પરિણામ આવશે.
જો કે સ્પષ્ટ છે કે પાણીના એરીયેશનની પ્રક્રિયા હોય તે બંધ કરતા પાણીનું શુદ્ધીકરણ અટકી ગયુ હતુ. મળતી માહિતી મુજબ કોન્ટ્રાકરનો કોન્ટ્રાકટ રિન્યુ ન કરવામાં આવતા તળાવમાં પાણીની શુદ્ધીકરણની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી જેના કારણે માછલીઓના મરણ થયા હતા. જ્યારે હવે પાણીના સેમ્પલના પરિણામ આવ્યા બાદ વધુ માહિતી બહાર આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બીજુ એક કારણ એ પણ માનવામાં આવે છે કે જ્યારથી તળાવને સિમેન્ટનાં કટોરામાં ફેરવવામાં આવ્યુ છે ત્યારથી તળાવમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટી જાય છે.જેના કારણે માછલી અને કાચબાના મરણ થાય છે. ક્યાંયને ક્યાંક તળાવમાં બ્યુટીફિકેશન કરતા સિમેન્ટના કટોરામાં ફેરવતા જળચર જીવોનું જમીન સાથેનો સંપર્ક તૂટ્યો. તેથી માછલીઓના મરણની સંખ્યા વધતી જાય છે. હવે આ વધતી માછલીના મોતથી તંત્ર જાગ્યુ છે અને પાણીના સેમ્પલ લેવાયા છે.
છેલ્લા બે દિવસમાં કોથળા ભરીને મરેલી માછલીઓ બહાર કાઢી હતી
અસંખ્ય માછલીઓના મોત બાદ આખરે તંત્ર જાગ્યું
તળાવમાંથી પાણીના સેમ્પલ લેવાયા
WatchGujarat.કરોડો રૂપિયાના ખર્ચે વડોદરામાં સુરસાગર તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યુ. પરંતુ આ બ્યુટીફિકેશન જળચર જીવો માટે ખતરનાક સાબિત થયુ હોય તેવુ લાગે છે. છેલ્લા કેટલાય સમયથી સૂરસાગર તળાવમાંથી મરેલી માછલીઓ મળી આવી હતી. જ્યારે છેલ્લા બે દિવસથી 800થી 1000 જેટલી મરેલી માછલી મળી આવી હતી. જેને લઇ તંત્ર કામે લાગ્યુ છે .તળાવમાં મરેલી માછલીનાં કોથળાઓ ભરાયા હતા બાદમાં આજે પાલિકાની આરોગ્યની ટીમ દ્વારા તળાવમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ અસંખ્ય માછલીઓના મોત બાદ આખરે તંત્ર જાગ્યું છે અને તળાવમાંથી પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું હતુ. આજે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પાણીનું સેમ્પલ લેવા માટે પહોંચી હતી. તળાવમાં 5 અલગ-અલગ જગ્યા પરથી પાણીના સેમ્પલ લેવાયા હતા. આ સેમ્પલ લેબમાં મોકલવામાં આવશે જ્યાં માછલીઓના મોતનું સાચુ કારણ જાણી શકાશે. 5 જગ્યાએથી પાણી લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યુ છે જેનું ત્રણ-ચાર દિવસ પછી પરિણામ આવશે.
જો કે સ્પષ્ટ છે કે પાણીના એરીયેશનની પ્રક્રિયા હોય તે બંધ કરતા પાણીનું શુદ્ધીકરણ અટકી ગયુ હતુ. મળતી માહિતી મુજબ કોન્ટ્રાકરનો કોન્ટ્રાકટ રિન્યુ ન કરવામાં આવતા તળાવમાં પાણીની શુદ્ધીકરણની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી જેના કારણે માછલીઓના મરણ થયા હતા. જ્યારે હવે પાણીના સેમ્પલના પરિણામ આવ્યા બાદ વધુ માહિતી બહાર આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બીજુ એક કારણ એ પણ માનવામાં આવે છે કે જ્યારથી તળાવને સિમેન્ટનાં કટોરામાં ફેરવવામાં આવ્યુ છે ત્યારથી તળાવમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટી જાય છે.જેના કારણે માછલી અને કાચબાના મરણ થાય છે. ક્યાંયને ક્યાંક તળાવમાં બ્યુટીફિકેશન કરતા સિમેન્ટના કટોરામાં ફેરવતા જળચર જીવોનું જમીન સાથેનો સંપર્ક તૂટ્યો. તેથી માછલીઓના મરણની સંખ્યા વધતી જાય છે. હવે આ વધતી માછલીના મોતથી તંત્ર જાગ્યુ છે અને પાણીના સેમ્પલ લેવાયા છે.