ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામએ શિક્ષકએ શાળામાં જ ગળાફાંસો ખાધાની કરૂણ ઘટના સામે આવી
પોલીસને મળી આવેલ સ્યૂસાઈડ નોટમાં મૃતક શિક્ષક ઘનશ્યામભાઈએ બે ટીપીઓ અને એક આચાર્ય દ્વારા તેમની પાસેથી મોટી રકમની માંગણી કરી ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો
સ્યૂસાઈડ નોટમાં શિક્ષકની કોઈ સહી ન હોવાથી ખરેખર સ્યૂસાઈડ નોટ તેમણે જ લખી છે કે પછી કોઈ અન્યએ જેવા અનેક સવાલ હાલ ચર્ચાઇ રહ્યા છે
[caption id="attachment_1392571" align="aligncenter" width="640"] Gir - teacher end life on teachers day[/caption]
WatchGujarat. આજે શિક્ષક દિને જ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામએ શાળામાં જ એક શિક્ષકએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધાની કરૂણ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં મૃતક શિક્ષકએ બે ટીપીઓ(તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારી) અને એક આચાર્યના ત્રાસથી જીવન ટુંકાવ્યાનું પગલું ભર્યું હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની દીકરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આત્મહત્યા કરતા પહેલા સ્યૂસાઈડ નોટ વોટ્સએપ કરી હતી જેમાં આ લોકોએ માનસિક રીતે ટોર્ચર કર્યા એટલે આ પગલું ભરે છે તેમ લખ્યું હતું.
શાળાના રૂમમાં જ કર્યો આપઘાત
વિશ્વમાં આજે શિક્ષક દિનની ઠેરઠેર ઉજવણી થઈ રહી છે. સર્વત્ર શિક્ષક સમાન ગુરૂઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. તેવા સમયે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામએ શિક્ષકએ શાળામાં જ ગળાફાંસો ખાધાની કરૂણ ઘટના સામે આવી છે. જેની પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરના સમયે ગીરગઢડા તાલુકાના થોરડી ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષક ઘનશ્યામભાઈ અમરેલીયાએ શાળાના જ ઓરડામાં પંખા પર દોરડા વડે લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો. દરમ્યાન શાળાના સ્ટાફનું ધ્યાન પડતા તુરંત જ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ અધિકારી સ્ટાફ સાથે દોડી આવી તપાસ હાથ ધરી હતી. જ્યારે શિક્ષકના મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવેલ હતો. જેમાં શિક્ષક ઘનશ્યામભાઈએ ગળાફાંસો ખાતા પહેલા લખેલ એક સુસાઇડ નોટ પોલીસને મળી આવી હતી.
[caption id="attachment_1392570" align="aligncenter" width="1000"] Gir - teacher end life on teachers day[/caption]
સ્યૂસાઈડ નોટ મૃતકે લખી છે કે નહીં તેની તપાસ શરૂ
પોલીસને મળી આવેલ સ્યૂસાઈડ નોટમાં મૃતક શિક્ષક ઘનશ્યામભાઈએ બે ટીપીઓ અને એક આચાર્ય દ્વારા તેમની પાસેથી મોટી રકમની માંગણી કરી ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જ્યારે મળી આવેલ સ્યૂસાઈડ નોટમાં શિક્ષકની કોઈ સહી ન હોવાથી ખરેખર સ્યૂસાઈડ નોટ તેમણે જ લખી છે કે પછી કોઈ અન્યએ જેવા અનેક સવાલ હાલ ચર્ચાય રહ્યા છે. જો મૃતક શિક્ષકએ જ સુસાઇડ નોટ લખી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મારા પપ્પાને માનસિક રીતે હેરાન કર્યા
મૃતક શિક્ષકની દીકરીમૃતક શિક્ષકની દીકરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મારા પપ્પાને માનસિક રીતે હેરાન કર્યા છે. તેમનું નામ છે જયેશ ગૌસ્વામી, જયેશ રાઠોડ, ગધેસરિયા સાહેબ અને ઝાલાવાડાભાઈએ માનસિક રીતે હેરાન કરીને આત્મહત્યા કરવા મજબૂર કર્યા છે. છેલ્લા એક મહિનાથી ડિપ્રેશનમાં અને એકલા એકલા રહેતા હતા. અમુક લોકોના ફોન આવતા તો તે ડરી જતા હતા.પૈસા અંગે ઘરે વાત કરી હતી. મને પૈસા જોઇએ છે. મારા કર્મચારી મને હેરાન કરે છે. આત્મહત્યા પહેલા વોટ્સએપ ફોટો કર્યો હતો. જેમાં નોટ લખેલી છેકે આ લોકોએ માનસિક રીતે ટોર્ચર કર્યા એટલે આ પગલું ભરે છે. પિતાને ઓકેશનલી ડ્રિંકિંગની ટેવ હતી અને એ લોકો આ ડ્રિકિંગની ફાઈલ ઉપર પહોંચાડશું અને નોકરીનું જોખમ થશે તેમ કહીને હેરાન કરતા હતા.
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામએ શિક્ષકએ શાળામાં જ ગળાફાંસો ખાધાની કરૂણ ઘટના સામે આવી
પોલીસને મળી આવેલ સ્યૂસાઈડ નોટમાં મૃતક શિક્ષક ઘનશ્યામભાઈએ બે ટીપીઓ અને એક આચાર્ય દ્વારા તેમની પાસેથી મોટી રકમની માંગણી કરી ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો
સ્યૂસાઈડ નોટમાં શિક્ષકની કોઈ સહી ન હોવાથી ખરેખર સ્યૂસાઈડ નોટ તેમણે જ લખી છે કે પછી કોઈ અન્યએ જેવા અનેક સવાલ હાલ ચર્ચાઇ રહ્યા છે
[caption id="attachment_1392571" align="aligncenter" width="640"] Gir - teacher end life on teachers day[/caption]
WatchGujarat. આજે શિક્ષક દિને જ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામએ શાળામાં જ એક શિક્ષકએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધાની કરૂણ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં મૃતક શિક્ષકએ બે ટીપીઓ(તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારી) અને એક આચાર્યના ત્રાસથી જીવન ટુંકાવ્યાનું પગલું ભર્યું હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની દીકરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આત્મહત્યા કરતા પહેલા સ્યૂસાઈડ નોટ વોટ્સએપ કરી હતી જેમાં આ લોકોએ માનસિક રીતે ટોર્ચર કર્યા એટલે આ પગલું ભરે છે તેમ લખ્યું હતું.
શાળાના રૂમમાં જ કર્યો આપઘાત
વિશ્વમાં આજે શિક્ષક દિનની ઠેરઠેર ઉજવણી થઈ રહી છે. સર્વત્ર શિક્ષક સમાન ગુરૂઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. તેવા સમયે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામએ શિક્ષકએ શાળામાં જ ગળાફાંસો ખાધાની કરૂણ ઘટના સામે આવી છે. જેની પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરના સમયે ગીરગઢડા તાલુકાના થોરડી ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષક ઘનશ્યામભાઈ અમરેલીયાએ શાળાના જ ઓરડામાં પંખા પર દોરડા વડે લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો. દરમ્યાન શાળાના સ્ટાફનું ધ્યાન પડતા તુરંત જ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ અધિકારી સ્ટાફ સાથે દોડી આવી તપાસ હાથ ધરી હતી. જ્યારે શિક્ષકના મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવેલ હતો. જેમાં શિક્ષક ઘનશ્યામભાઈએ ગળાફાંસો ખાતા પહેલા લખેલ એક સુસાઇડ નોટ પોલીસને મળી આવી હતી.
[caption id="attachment_1392570" align="aligncenter" width="1000"] Gir - teacher end life on teachers day[/caption]
સ્યૂસાઈડ નોટ મૃતકે લખી છે કે નહીં તેની તપાસ શરૂ
પોલીસને મળી આવેલ સ્યૂસાઈડ નોટમાં મૃતક શિક્ષક ઘનશ્યામભાઈએ બે ટીપીઓ અને એક આચાર્ય દ્વારા તેમની પાસેથી મોટી રકમની માંગણી કરી ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જ્યારે મળી આવેલ સ્યૂસાઈડ નોટમાં શિક્ષકની કોઈ સહી ન હોવાથી ખરેખર સ્યૂસાઈડ નોટ તેમણે જ લખી છે કે પછી કોઈ અન્યએ જેવા અનેક સવાલ હાલ ચર્ચાય રહ્યા છે. જો મૃતક શિક્ષકએ જ સુસાઇડ નોટ લખી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મારા પપ્પાને માનસિક રીતે હેરાન કર્યા
મૃતક શિક્ષકની દીકરીમૃતક શિક્ષકની દીકરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મારા પપ્પાને માનસિક રીતે હેરાન કર્યા છે. તેમનું નામ છે જયેશ ગૌસ્વામી, જયેશ રાઠોડ, ગધેસરિયા સાહેબ અને ઝાલાવાડાભાઈએ માનસિક રીતે હેરાન કરીને આત્મહત્યા કરવા મજબૂર કર્યા છે. છેલ્લા એક મહિનાથી ડિપ્રેશનમાં અને એકલા એકલા રહેતા હતા. અમુક લોકોના ફોન આવતા તો તે ડરી જતા હતા.પૈસા અંગે ઘરે વાત કરી હતી. મને પૈસા જોઇએ છે. મારા કર્મચારી મને હેરાન કરે છે. આત્મહત્યા પહેલા વોટ્સએપ ફોટો કર્યો હતો. જેમાં નોટ લખેલી છેકે આ લોકોએ માનસિક રીતે ટોર્ચર કર્યા એટલે આ પગલું ભરે છે. પિતાને ઓકેશનલી ડ્રિંકિંગની ટેવ હતી અને એ લોકો આ ડ્રિકિંગની ફાઈલ ઉપર પહોંચાડશું અને નોકરીનું જોખમ થશે તેમ કહીને હેરાન કરતા હતા.