આમ આદમી પાર્ટીમાં જોડાયેલ સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ગઈકાલે પાર્ટી છોડવાની જાહેરાત કરી
પાર્ટીના કાર્યકરોમાં સોપો પડી ગયો, ગુજરાતનું રાજકારણ ગરમાયું
શહેરના આપા ના કોર્પોરેટરો-કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મહેશ સવાણીની ઓફિસે તેમને મનાવવા માટે પહોંચ્યા
WatchGujarat. ગુજરાતના રાજકારણમાં ફરી એક વાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલ સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ગઈકાલે પાર્ટી છોડવાની જાહેરાત કરતાં પાર્ટીના કાર્યકરોમાં સોપો પડી ગયો હતો. ગઈકાલે સવારે વિજય સુવાળા એ બીજેપી નો ભગવો ધારણ કર્યા બાદ સાંજે મહેશ સવાણી એ પણ તેમના રાજકીય સન્યાસ ની જાહેરાત કરી હતી. જેને લઈને સમગ્ર ગુજરાત ના રાજકારણ માં ખળભળાટ મચ્યો હતો.
થોડા સમય પહેલા જ સુરતના ઉદ્યોગપતિ અને બાપ વગરની દીકરીઓના લગ્ન કરાવનાર પાલક પિતા મહેશ સવાણીએ સુરત ખાતે જ દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સીસોદીયાના હસ્તે આપની ટોપી પહેરીને વિધિવત રીતે આપમાં જોડાયા હતાં. પરંતુ માત્ર સાત જ મહિનામાં તેઓ પાર્ટીથી વિમુખ થઈ ગયા હોવાને કારણે ગઈકાલે તેમણે રાજકીય સન્યાસ જાહેર કર્યો હતો. તેમણે અંગત રીતે જણાવ્યું હતું કે તેઓ કોઈ પાર્ટીમાં જોડાવા ના નથી. તેઓ સેવામાં માણસ છે અને સેવા કરતાં રહેશે.
મહેશ સવાણી એ પાર્ટી છોડ્યા બાદ આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થઈને મહેશ સવાણીની ઓફિસે તેમને મનાવવા માટે પહોંચ્યા હતાં. આપના કાર્યકર્તાઓ દ્વારા મહેશ ભાઈને રજુઆત કરાઈ હતી કે તેઓ તમામ બાબતોને બાજુ એ મૂકીને ફરી પાર્ટીમાં જોડાય. આ દરમ્યાન કેટલાંક કાર્યકર્તાઓતો મહેશ સવાણીને પગે લાગીને પણ વિનંતી કરતાં જોવા મળ્યા હતાં. તો કેટલાંકે મહેશ ભાઈને મનાવવા માટે ઉપવાસ પર ઉતરવાની પણ જાહેરાત કરી હતી. કાર્યકર્તાઓએ તો ત્યાં સુધી કહ્યું કે તમે રાજનીતિ માટે નહીં પરંતુ સમાજની સેવા માટે પાર્ટી સાથે જોડાવ. તમે પક્ષના વડીલ છો અને અમને તમારા માર્ગદર્શનની જરૂર છે.
પાલિકાના વિરોધ પક્ષના નેતા અને આપના કોર્પોરેટર ધર્મેશ ભંડેરીનું કહેવું છે કે તેમને પૂરો વિશ્વાસ છે કે મહેશ ભાઈ ફરીથી આપ સાથે જોડાઈ જશે. મહેશ ભાઈએ સેવા કરવી છે અને અમારી પાર્ટી પણ સેવા કરવામાં જ માને છે જેથી મહેશ ભાઈ ફરીથી આપની ટોપી પહેરશે તેવો વિશ્વાસ તેમને વ્યક્ત કર્યો હતો.
આમ આદમી પાર્ટીમાં જોડાયેલ સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ગઈકાલે પાર્ટી છોડવાની જાહેરાત કરી
શહેરના આપા ના કોર્પોરેટરો-કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મહેશ સવાણીની ઓફિસે તેમને મનાવવા માટે પહોંચ્યા
WatchGujarat. ગુજરાતના રાજકારણમાં ફરી એક વાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલ સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ગઈકાલે પાર્ટી છોડવાની જાહેરાત કરતાં પાર્ટીના કાર્યકરોમાં સોપો પડી ગયો હતો. ગઈકાલે સવારે વિજય સુવાળા એ બીજેપી નો ભગવો ધારણ કર્યા બાદ સાંજે મહેશ સવાણી એ પણ તેમના રાજકીય સન્યાસ ની જાહેરાત કરી હતી. જેને લઈને સમગ્ર ગુજરાત ના રાજકારણ માં ખળભળાટ મચ્યો હતો.
થોડા સમય પહેલા જ સુરતના ઉદ્યોગપતિ અને બાપ વગરની દીકરીઓના લગ્ન કરાવનાર પાલક પિતા મહેશ સવાણીએ સુરત ખાતે જ દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સીસોદીયાના હસ્તે આપની ટોપી પહેરીને વિધિવત રીતે આપમાં જોડાયા હતાં. પરંતુ માત્ર સાત જ મહિનામાં તેઓ પાર્ટીથી વિમુખ થઈ ગયા હોવાને કારણે ગઈકાલે તેમણે રાજકીય સન્યાસ જાહેર કર્યો હતો. તેમણે અંગત રીતે જણાવ્યું હતું કે તેઓ કોઈ પાર્ટીમાં જોડાવા ના નથી. તેઓ સેવામાં માણસ છે અને સેવા કરતાં રહેશે.
મહેશ સવાણી એ પાર્ટી છોડ્યા બાદ આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થઈને મહેશ સવાણીની ઓફિસે તેમને મનાવવા માટે પહોંચ્યા હતાં. આપના કાર્યકર્તાઓ દ્વારા મહેશ ભાઈને રજુઆત કરાઈ હતી કે તેઓ તમામ બાબતોને બાજુ એ મૂકીને ફરી પાર્ટીમાં જોડાય. આ દરમ્યાન કેટલાંક કાર્યકર્તાઓતો મહેશ સવાણીને પગે લાગીને પણ વિનંતી કરતાં જોવા મળ્યા હતાં. તો કેટલાંકે મહેશ ભાઈને મનાવવા માટે ઉપવાસ પર ઉતરવાની પણ જાહેરાત કરી હતી. કાર્યકર્તાઓએ તો ત્યાં સુધી કહ્યું કે તમે રાજનીતિ માટે નહીં પરંતુ સમાજની સેવા માટે પાર્ટી સાથે જોડાવ. તમે પક્ષના વડીલ છો અને અમને તમારા માર્ગદર્શનની જરૂર છે.
પાલિકાના વિરોધ પક્ષના નેતા અને આપના કોર્પોરેટર ધર્મેશ ભંડેરીનું કહેવું છે કે તેમને પૂરો વિશ્વાસ છે કે મહેશ ભાઈ ફરીથી આપ સાથે જોડાઈ જશે. મહેશ ભાઈએ સેવા કરવી છે અને અમારી પાર્ટી પણ સેવા કરવામાં જ માને છે જેથી મહેશ ભાઈ ફરીથી આપની ટોપી પહેરશે તેવો વિશ્વાસ તેમને વ્યક્ત કર્યો હતો.