જગત મંદિર દ્વારકા આગામી સાત દિવસ સુધી ભક્તો માટે બંધ રહેશે
કોરોનાના સતત વધતા કેસને પગલે લેવાયો નિર્ણય
17 થી 23 જાન્યુઆરી સુધી રહેશે બંધ, ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે
પારંપરિક રીતે પૂજારીઓ દ્વારા સેવા પુજા અને નિત્યક્રમ રહેશે ચાલુ
[caption id="attachment_1387603" align="aligncenter" width="640"] Dwarka Temple[/caption]
WatchGujarat. રાજ્યભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ કૂદકે ને ભૂંસકે વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર જગત મંદિર દ્વારકા આગામી સાત દિવસ સુધી ભક્તો માટે બંધ રહેશે. જેની તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી છે.
https://twitter.com/DDNewsGujarati/status/1482658764025380866?s=20
17થી 23 જાન્યુઆરી સુધી જગતમંદિર રહેશે બંધ
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિરમાં ભક્તોનો ભારે મેડાવડો જોવા મળે છે. દૂરદૂર થી ભક્તો દ્વારકાધિશના દર્શનાર્થે અહિંયા આવતા હોય છે. પરંતુ રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસના પગલે હવે દ્વારકા મંદિરમાં ભક્તોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર આવતી કાલે 17 જાન્યુઆરીથી આગામી 23 જાન્યુઆરી સુધી જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે.
પારંપરિક રીતે પૂજારીઓ દ્વારા સેવા પુજા અને નિત્યક્રમ રહેશે ચાલુ
જોકે મંદિરમાં પારંપરિક રીતે પૂજારીઓ દ્વારા સેવાપુજા અને નિત્યક્રમ ચાલુ રહેશે. આ સાથે ભક્તો ઓનલાઈન દ્વારકાધિશના દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં dwarkadhish.org ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે.
જગત મંદિર દ્વારકા આગામી સાત દિવસ સુધી ભક્તો માટે બંધ રહેશે
કોરોનાના સતત વધતા કેસને પગલે લેવાયો નિર્ણય
17 થી 23 જાન્યુઆરી સુધી રહેશે બંધ, ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે
પારંપરિક રીતે પૂજારીઓ દ્વારા સેવા પુજા અને નિત્યક્રમ રહેશે ચાલુ
WatchGujarat. રાજ્યભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ કૂદકે ને ભૂંસકે વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર જગત મંદિર દ્વારકા આગામી સાત દિવસ સુધી ભક્તો માટે બંધ રહેશે. જેની તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિરમાં ભક્તોનો ભારે મેડાવડો જોવા મળે છે. દૂરદૂર થી ભક્તો દ્વારકાધિશના દર્શનાર્થે અહિંયા આવતા હોય છે. પરંતુ રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસના પગલે હવે દ્વારકા મંદિરમાં ભક્તોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર આવતી કાલે 17 જાન્યુઆરીથી આગામી 23 જાન્યુઆરી સુધી જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે.
પારંપરિક રીતે પૂજારીઓ દ્વારા સેવા પુજા અને નિત્યક્રમ રહેશે ચાલુ
જોકે મંદિરમાં પારંપરિક રીતે પૂજારીઓ દ્વારા સેવાપુજા અને નિત્યક્રમ ચાલુ રહેશે. આ સાથે ભક્તો ઓનલાઈન દ્વારકાધિશના દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં dwarkadhish.org ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે.