બનાસકાંઠાના એક અરજદાને લાંચ માગનારાનું ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ કરનારને જ જેલમાં ધકેલી દીધો
જમીનને નોન એગ્રીકલ્ચર કરવા માટે આપેલી અરજી પર કામ કરવા માટે લાખોની લાંચની માગણી કરતો ઓડીયો-વિડીયો વાઈરલ
સરકારી નોકરી કરનારને જ જામીન તરીકે હાજર કરવાની માગણી, તેમ ન કરી શકે તો જામીન નહી મળે તેવી શક્યતા
મહેસૂલ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી પરંતુ હજી સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી
WatchGujarat. રાજ્યના મેહસૂલ મંત્રીએ પ્રજાને કહ્યું હતું કે જો કોઈ અધિકારી તમારી પાસે લાંચ માંગે તો તેનો ઓડિયો-વિડીયો રેકોર્ડ કરજો, હું કાર્યવાહી કરીશ. પરંતુ તેનાથી વિપરીત સ્થિતી હાલ રાજ્યમાં જોવા મળી રહી છે. તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં લાંચ માગનારનો ઓડિયો-વિડીયો રેકોર્ડ કરી વાયરલ કરનાર વ્યક્તિને જ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર ગુજરાત સરકાર સાથે સોલાર પાવર પ્રોજેક્ટ માટે યુનિટદીઠ રૂ.2.83 ના ભાવે વીજળી આપવાના કરાર કરનાર પાલનપુરના ભરતભાઈ નામના અરજદારે તેની બનાસકાંઠાની જમીનને એનએ નોન એગ્રીકલ્ચર કરી આપવા માટે કરેલી અરજી પર કામ કરવા માટે કલેક્ટર, મામલતદાન અને આડતિયાએ મળીને રૂ,10 લાખની લાંચની માગણી કરતો ઓડીયો વિડીયો વાઈરલ કરનારને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર બનાસકાંઠાના લાખણી તાલુકાના કુંવાણા ગામની છ એકર જમીન સોલાર પાવર પ્રોજેક્ટ નાખવા માટે નોન એગ્રીકલ્ચર કરવા માટે ભરતભાઈએ ઓનલાઈન અરજી કરી હતી. ઓનલાઈન અરજીની સંપૂર્ણ વિધિ કરી દીધા પછી નોન એગ્રીકલ્ચરની અરજી માન્ય ઠરી નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે જમીનનો સત્તાપ્રકાર નક્કી ન થતો હોવાથી એટલે કે તે ખેતીની કે બિનખેતીની અથવા તો સરકારી જમાન છે તે પ્રકાર સ્પષ્ટ થતું ન હોવાનું જણાવીને ભરતભાઈની અરજી સ્વીકારવામાં આવી ન હતી. જેથી અરજીમાં સત્તા પ્રકારમાં શું ખૂંટે છે તે જાણવા માટે તેમણે કલેક્ટર કચેરીનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમને સંતોષજનક જવાબ મળ્યો નહોતો.
કલેક્ટર કચેરી ખાતેથી પણ સંતોષજનક જવાબ ન મળતાં ભરતભાઈએ એક આડતિયાનો સંપર્ક કર્યો હતો. આ આડતિયાએ લાખોની લાંચ માંગી હતી. જેમાં નીચે મુજબ તમામ અધિકારીઓને પૈસા આપવા પડશે તેવું ભરતભાઈને જણાવ્યું હતું.
કલેક્ટરને સ્ક્વેરફૂટ દીઠ રૂ. 2
પ્રાંત ઓફિસરને રૂ. 40,000 થી 50,000
મામલતદારને રૂ. 15,000 થી 20,000
ડીઆરએલને ચોરસફૂટ દીઠ રૂ.2
મહત્વનું છે કે ભરતભાઈએ ટેલિફોન પર આડતિયા સાથે થયેલી આ તમામ વાતનો ઓડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધો હતો. જેમાં 6 એકર જમીનને એનએ કરાવવા માટે રૂ. 10 લાખથી વધુની લાંચ આપવી પડશે તેવું આડતિયાએ જણાવ્યું હતું.
આ ઓડિયો વાઈરલ થયા બાદ ભરતભાઈ મામલતદાર કે.પી.પટેલ નામની મહિલા કચેરીમાં જઈને તેમની સાથે વાતચીત કરી હતી. મામલતદાર પાસે તેમણે જમીનના સત્તાપ્રકાર નક્કી કરનાર ઓથોરિટી કોણ છે અને તે કઈ રીતે નક્કી કરે છે તે અંગે માર્ગદર્શન માગ્યુ હતુ. પરંતુ મામલતદાર કચેરીમાંથી ભરતભાઈને સંતોષજનક ખુલાસો મળ્યો નહોતો. અંદાજે 46 મિનિટથી વધુ સમય સુધી ચાલેલી આ દલીલનું તેમણે ફેસબુક લાઈવ કર્યુ હતુ. પરિણામે સરકારી તંત્ર ગિન્નાયુ હતુ.
ભરતભાઈ સામે સરકારી કચેરીમાં રેકોર્ડિંગ કરવાનો ગુનો નોંધીને તેમને ધરપકડ કરી આગથળા પોલીસ સ્ટેશ ખાતે જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. તેમને જામીન માટે દિયોદર લઈ જવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જામીન મેળવવા માટે સામાન્ય નાગરિક નહિ, પરંતુ સરકારી નોકરી કરતી હોય તેવી જ કોઈ વ્યક્તિને રાખવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. તેમ ન કરી શકે તો તેમને જામીન ન મળે તેવી પણ શક્યતા રહેલી છે. જોકે ત્યાં સુધી ભરતભાઈને સોમવાર સુધીના હંગામી જામીન આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે આ વિવાદના સંદર્ભમાં મહેસૂલ મંત્રીનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. પરંતુ તેમના તરફથી આ સંદર્ભમાં હજી કોઈ પગલાં લોવાયા નથી.
બનાસકાંઠાના એક અરજદાને લાંચ માગનારાનું ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ કરનારને જ જેલમાં ધકેલી દીધો
જમીનને નોન એગ્રીકલ્ચર કરવા માટે આપેલી અરજી પર કામ કરવા માટે લાખોની લાંચની માગણી કરતો ઓડીયો-વિડીયો વાઈરલ
સરકારી નોકરી કરનારને જ જામીન તરીકે હાજર કરવાની માગણી, તેમ ન કરી શકે તો જામીન નહી મળે તેવી શક્યતા
મહેસૂલ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી પરંતુ હજી સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી
WatchGujarat. રાજ્યના મેહસૂલ મંત્રીએ પ્રજાને કહ્યું હતું કે જો કોઈ અધિકારી તમારી પાસે લાંચ માંગે તો તેનો ઓડિયો-વિડીયો રેકોર્ડ કરજો, હું કાર્યવાહી કરીશ. પરંતુ તેનાથી વિપરીત સ્થિતી હાલ રાજ્યમાં જોવા મળી રહી છે. તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં લાંચ માગનારનો ઓડિયો-વિડીયો રેકોર્ડ કરી વાયરલ કરનાર વ્યક્તિને જ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર ગુજરાત સરકાર સાથે સોલાર પાવર પ્રોજેક્ટ માટે યુનિટદીઠ રૂ.2.83 ના ભાવે વીજળી આપવાના કરાર કરનાર પાલનપુરના ભરતભાઈ નામના અરજદારે તેની બનાસકાંઠાની જમીનને એનએ નોન એગ્રીકલ્ચર કરી આપવા માટે કરેલી અરજી પર કામ કરવા માટે કલેક્ટર, મામલતદાન અને આડતિયાએ મળીને રૂ,10 લાખની લાંચની માગણી કરતો ઓડીયો વિડીયો વાઈરલ કરનારને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર બનાસકાંઠાના લાખણી તાલુકાના કુંવાણા ગામની છ એકર જમીન સોલાર પાવર પ્રોજેક્ટ નાખવા માટે નોન એગ્રીકલ્ચર કરવા માટે ભરતભાઈએ ઓનલાઈન અરજી કરી હતી. ઓનલાઈન અરજીની સંપૂર્ણ વિધિ કરી દીધા પછી નોન એગ્રીકલ્ચરની અરજી માન્ય ઠરી નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે જમીનનો સત્તાપ્રકાર નક્કી ન થતો હોવાથી એટલે કે તે ખેતીની કે બિનખેતીની અથવા તો સરકારી જમાન છે તે પ્રકાર સ્પષ્ટ થતું ન હોવાનું જણાવીને ભરતભાઈની અરજી સ્વીકારવામાં આવી ન હતી. જેથી અરજીમાં સત્તા પ્રકારમાં શું ખૂંટે છે તે જાણવા માટે તેમણે કલેક્ટર કચેરીનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમને સંતોષજનક જવાબ મળ્યો નહોતો.
કલેક્ટર કચેરી ખાતેથી પણ સંતોષજનક જવાબ ન મળતાં ભરતભાઈએ એક આડતિયાનો સંપર્ક કર્યો હતો. આ આડતિયાએ લાખોની લાંચ માંગી હતી. જેમાં નીચે મુજબ તમામ અધિકારીઓને પૈસા આપવા પડશે તેવું ભરતભાઈને જણાવ્યું હતું.
કલેક્ટરને સ્ક્વેરફૂટ દીઠ રૂ. 2
પ્રાંત ઓફિસરને રૂ. 40,000 થી 50,000
મામલતદારને રૂ. 15,000 થી 20,000
ડીઆરએલને ચોરસફૂટ દીઠ રૂ.2
મહત્વનું છે કે ભરતભાઈએ ટેલિફોન પર આડતિયા સાથે થયેલી આ તમામ વાતનો ઓડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધો હતો. જેમાં 6 એકર જમીનને એનએ કરાવવા માટે રૂ. 10 લાખથી વધુની લાંચ આપવી પડશે તેવું આડતિયાએ જણાવ્યું હતું.
આ ઓડિયો વાઈરલ થયા બાદ ભરતભાઈ મામલતદાર કે.પી.પટેલ નામની મહિલા કચેરીમાં જઈને તેમની સાથે વાતચીત કરી હતી. મામલતદાર પાસે તેમણે જમીનના સત્તાપ્રકાર નક્કી કરનાર ઓથોરિટી કોણ છે અને તે કઈ રીતે નક્કી કરે છે તે અંગે માર્ગદર્શન માગ્યુ હતુ. પરંતુ મામલતદાર કચેરીમાંથી ભરતભાઈને સંતોષજનક ખુલાસો મળ્યો નહોતો. અંદાજે 46 મિનિટથી વધુ સમય સુધી ચાલેલી આ દલીલનું તેમણે ફેસબુક લાઈવ કર્યુ હતુ. પરિણામે સરકારી તંત્ર ગિન્નાયુ હતુ.
ભરતભાઈ સામે સરકારી કચેરીમાં રેકોર્ડિંગ કરવાનો ગુનો નોંધીને તેમને ધરપકડ કરી આગથળા પોલીસ સ્ટેશ ખાતે જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. તેમને જામીન માટે દિયોદર લઈ જવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જામીન મેળવવા માટે સામાન્ય નાગરિક નહિ, પરંતુ સરકારી નોકરી કરતી હોય તેવી જ કોઈ વ્યક્તિને રાખવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. તેમ ન કરી શકે તો તેમને જામીન ન મળે તેવી પણ શક્યતા રહેલી છે. જોકે ત્યાં સુધી ભરતભાઈને સોમવાર સુધીના હંગામી જામીન આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે આ વિવાદના સંદર્ભમાં મહેસૂલ મંત્રીનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. પરંતુ તેમના તરફથી આ સંદર્ભમાં હજી કોઈ પગલાં લોવાયા નથી.