સુરતના પલસાણામાં આવેલી સૌમ્ય પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ ફેકટરીમાં ભીષણ આગનો બનાવ
અંદાજે સવારે 3 વાગ્યાની આસપાસ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો
આગની ઘટનામાં જે ત્રણ મજૂર લાપતા હતા તેમના મોત થયા છે
WatchGujarat. સુરતના પલસાણામાં આવેલી સૌમ્ય પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. અંદાજે સવારે 3 વાગ્યાની આસપાસ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગની ઘટનામાં જે ત્રણ મજૂર લાપતા હતા તેમના મોત થયા છે.
સુરતમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બને છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરતના પલસાણાની સૌમ્યા ડાઈગ મિલમાં આગની ઘટના બની હતી. આ આગ મળસ્કે 3:30 અરસામાં લાગી હતી. મિલમાં યાન હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની આંશકા છે. બીજી તરફ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. આગના કારણે ધુમાડા દુર દુર સુધી દેખાઈ રહ્યા હતા આગના કારણે ફાયર વિભાગે મેજર કોલ પણ જાહેર કર્યો હતો.
કંપનીમાં જ્યારે આગ લાગી ત્યારે મજૂરો નાઈટ શિપમાં કામ કરી રહ્યા હતા. રાત્રે ત્રણ સાડા ત્રણ દરમિયાન કંપનીમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં ચાર મજૂરો લાપતા હતા. તેમાંથી એક મજૂરને દોરી વડે રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો. અને જે ત્રણ મજૂરો લાપતા હતા. તેમના મૃતદેહ શોધખોળ દરમિયાન મળ્યા છે. મરનારમાં પ્રવીણ ભાઈ (ઉંમર વર્ષ 17) જગદીશ ભાઈ (ઉંમર 20 વર્ષ) અને કનૈયાલાલ (ઉંમર 27 વર્ષ) તેમના આ ઘટનામાં મોત થયા છે.
ત્રણે મજૂરોએ પોતે ફસાયેલા હોવાનું પોતાના પરિવારોને ફોન કરીને જાણ કરી હતી. ત્યારબાદ ફસાયેલા મજુરોના પરિવારો મિલકત દોડી આવ્યા હતા.
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે આગ લાગ્યાનો કોલ મળતા જ ઘટના સ્થળે પહોંચી આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કર્યો હતો. આગ પર કાબુ મેળવી લેવાયો છે. કુલીંગની કામગીરી ચાલુ છે. અંદર ૩ લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. કુલીંગની કામગીરી દરમ્યાન ૩ લોકોના મૃતદેહ મળ્યા છે. ત્રણેય લોકોના મૃતદેહ બહાર કાઢી લેવાયા છે. કુલીંગની કામગીરી હજુ ૩ કલાકથી વધુ સમય સુધી ચાલશે.
આ ઘટનામાં સુરત, બારડોલી અને ગ્રામ્ય વિસ્તારમાંથી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. હાલમાં આગ કાબુમાં આવી ગયી છે. પરંતુ કુલીંગનું કામ હજુ પણ યથાવત છે. મિલમાં મોટી સંખ્યામાં કામદારો હાજર હતા. એ તમામ કામદારનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. પલસાણા પોલિસનો કાફલો પણ વહેલી સવારે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે 4 કિમી સુધી દૂરથી આગનો ધુમાડો દેખાય આવતો હતો.
આગની ઘટનામાં જે ત્રણ મજૂર લાપતા હતા તેમના મોત થયા છે
WatchGujarat. સુરતના પલસાણામાં આવેલી સૌમ્ય પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. અંદાજે સવારે 3 વાગ્યાની આસપાસ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગની ઘટનામાં જે ત્રણ મજૂર લાપતા હતા તેમના મોત થયા છે.
સુરતમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બને છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરતના પલસાણાની સૌમ્યા ડાઈગ મિલમાં આગની ઘટના બની હતી. આ આગ મળસ્કે 3:30 અરસામાં લાગી હતી. મિલમાં યાન હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની આંશકા છે. બીજી તરફ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. આગના કારણે ધુમાડા દુર દુર સુધી દેખાઈ રહ્યા હતા આગના કારણે ફાયર વિભાગે મેજર કોલ પણ જાહેર કર્યો હતો.
કંપનીમાં જ્યારે આગ લાગી ત્યારે મજૂરો નાઈટ શિપમાં કામ કરી રહ્યા હતા. રાત્રે ત્રણ સાડા ત્રણ દરમિયાન કંપનીમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં ચાર મજૂરો લાપતા હતા. તેમાંથી એક મજૂરને દોરી વડે રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો. અને જે ત્રણ મજૂરો લાપતા હતા. તેમના મૃતદેહ શોધખોળ દરમિયાન મળ્યા છે. મરનારમાં પ્રવીણ ભાઈ (ઉંમર વર્ષ 17) જગદીશ ભાઈ (ઉંમર 20 વર્ષ) અને કનૈયાલાલ (ઉંમર 27 વર્ષ) તેમના આ ઘટનામાં મોત થયા છે.
ત્રણે મજૂરોએ પોતે ફસાયેલા હોવાનું પોતાના પરિવારોને ફોન કરીને જાણ કરી હતી. ત્યારબાદ ફસાયેલા મજુરોના પરિવારો મિલકત દોડી આવ્યા હતા.
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે આગ લાગ્યાનો કોલ મળતા જ ઘટના સ્થળે પહોંચી આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કર્યો હતો. આગ પર કાબુ મેળવી લેવાયો છે. કુલીંગની કામગીરી ચાલુ છે. અંદર ૩ લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. કુલીંગની કામગીરી દરમ્યાન ૩ લોકોના મૃતદેહ મળ્યા છે. ત્રણેય લોકોના મૃતદેહ બહાર કાઢી લેવાયા છે. કુલીંગની કામગીરી હજુ ૩ કલાકથી વધુ સમય સુધી ચાલશે.
આ ઘટનામાં સુરત, બારડોલી અને ગ્રામ્ય વિસ્તારમાંથી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. હાલમાં આગ કાબુમાં આવી ગયી છે. પરંતુ કુલીંગનું કામ હજુ પણ યથાવત છે. મિલમાં મોટી સંખ્યામાં કામદારો હાજર હતા. એ તમામ કામદારનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. પલસાણા પોલિસનો કાફલો પણ વહેલી સવારે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે 4 કિમી સુધી દૂરથી આગનો ધુમાડો દેખાય આવતો હતો.