WatchGujarat. IND VS ENG: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી માને છે કે જો ખેલાડીઓ કોવિડ -19 મહામારી પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મુશ્કેલ બાયો-બબલ જીવનમાંથી 'સમયાંતરે વિરામ' લેતા નથી. તો જલ્દી એવો સમય આવી શકે છે કે તણાવ ને કારણે કોઈ ખિલાડી બચશે નહિ. કોહલીએ બાયો-બબલના જીવનને મુશ્કેલ ગણાવતા કહ્યું કે અન્ય ક્રિકેટરોને પણ બેન સ્ટોક્સ (Ben Stokes) જેવો રસ્તો અપનાવવાનું શરૂ કરતા લાંબો સમય લાગશે નહીં. ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરે ભારત સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી (India vs England, 1st Test) માંથી ખસી ગયા છે.
કોહલીએ ઈંગ્લેન્ડ સામે નોટિંધમ ટેસ્ટ પહેલા કહ્યું હતું કે, 'આ બ્રેક્સ મારા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી હું મારી જાતને તાજગી આપી શકું. ટીમનું નેતૃત્વ કરવું અને ટીમની જવાબદારી લેવી તે તણાવપૂર્ણ બની શકે છે. ઉપરાંત, જો તમે લાંબા સમય સુધી બબલની અંદર છો, તો વસ્તુઓ વધુ મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં સમયાંતરે વિરામ લેવો જરૂરી છે.
વિરાટ કોહલીએ કહ્યું, 'જો તમારી પાસે રમવા માટે ખેલાડીઓ બચ્યા નથી તો ક્રિકેટની ગુણવત્તા જાળવવી મુશ્કેલ બની જશે. જેમ તેણે (સ્ટોક્સે) વિરામ લીધો છે, ભવિષ્યમાં વધુ ખેલાડીઓ પણ આવું કરી શકે છે. ખેલાડીઓ અમુક તબક્કે અથવા બીજા સમયે બાયો-બબલ જીવનથી કંટાળી શકે છે.
ઈંગ્લેન્ડમાં જોઈ રહ્યા છે ઓલંપિક
કોહલીએ ટોક્યો ઓલંપિકમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ અભિનંદન આપ્યા હતા. ભારત માટે વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુ (સિલ્વર મેડલ) અને પીવી સિંધુ (બ્રોન્ઝ મેડલ) એ આ ઓલિમ્પિકમાં મેડલ જીત્યા છે જ્યારે લવલીના બોરગોહેન બોક્સિંગમાં મેડલની ખાતરી છે. કોહલીએ કહ્યું, “જ્યારે અમે ડરહમમાં હતા, અમે બધા ઓલંપિક જોઈ રહ્યા હતા, અમે નાસ્તાને બદલે મોટા પડદા અને ટીવી પર તેનો આનંદ માણતા હતા. જ્યારે ભારતીય ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે અમે બધા ઉત્સુકતા સાથે જોઈ રહ્યા હતા.
WatchGujarat. IND VS ENG: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી માને છે કે જો ખેલાડીઓ કોવિડ -19 મહામારી પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મુશ્કેલ બાયો-બબલ જીવનમાંથી 'સમયાંતરે વિરામ' લેતા નથી. તો જલ્દી એવો સમય આવી શકે છે કે તણાવ ને કારણે કોઈ ખિલાડી બચશે નહિ. કોહલીએ બાયો-બબલના જીવનને મુશ્કેલ ગણાવતા કહ્યું કે અન્ય ક્રિકેટરોને પણ બેન સ્ટોક્સ (Ben Stokes) જેવો રસ્તો અપનાવવાનું શરૂ કરતા લાંબો સમય લાગશે નહીં. ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરે ભારત સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી (India vs England, 1st Test) માંથી ખસી ગયા છે.
કોહલીએ ઈંગ્લેન્ડ સામે નોટિંધમ ટેસ્ટ પહેલા કહ્યું હતું કે, 'આ બ્રેક્સ મારા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી હું મારી જાતને તાજગી આપી શકું. ટીમનું નેતૃત્વ કરવું અને ટીમની જવાબદારી લેવી તે તણાવપૂર્ણ બની શકે છે. ઉપરાંત, જો તમે લાંબા સમય સુધી બબલની અંદર છો, તો વસ્તુઓ વધુ મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં સમયાંતરે વિરામ લેવો જરૂરી છે.
વિરાટ કોહલીએ કહ્યું, 'જો તમારી પાસે રમવા માટે ખેલાડીઓ બચ્યા નથી તો ક્રિકેટની ગુણવત્તા જાળવવી મુશ્કેલ બની જશે. જેમ તેણે (સ્ટોક્સે) વિરામ લીધો છે, ભવિષ્યમાં વધુ ખેલાડીઓ પણ આવું કરી શકે છે. ખેલાડીઓ અમુક તબક્કે અથવા બીજા સમયે બાયો-બબલ જીવનથી કંટાળી શકે છે.
ઈંગ્લેન્ડમાં જોઈ રહ્યા છે ઓલંપિક
કોહલીએ ટોક્યો ઓલંપિકમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ અભિનંદન આપ્યા હતા. ભારત માટે વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુ (સિલ્વર મેડલ) અને પીવી સિંધુ (બ્રોન્ઝ મેડલ) એ આ ઓલિમ્પિકમાં મેડલ જીત્યા છે જ્યારે લવલીના બોરગોહેન બોક્સિંગમાં મેડલની ખાતરી છે. કોહલીએ કહ્યું, “જ્યારે અમે ડરહમમાં હતા, અમે બધા ઓલંપિક જોઈ રહ્યા હતા, અમે નાસ્તાને બદલે મોટા પડદા અને ટીવી પર તેનો આનંદ માણતા હતા. જ્યારે ભારતીય ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે અમે બધા ઉત્સુકતા સાથે જોઈ રહ્યા હતા.