બહુચર્ચીત આઈપીએસ અધિકારી ડી જી વણઝારાનું ટ્વીટ
ગુજરાતના રાજકારણ પર પોતાના મંતવ્યો વ્યકત કરતા રહે છે
“ગુજરાતમાં રાજકીય અસ્થિરતાનો કપરો કાળ શરૂ થયો છે” : ડી જી વણઝારા
WatchGujarat.બહુચર્ચીત આઈપીએસ અધિકારી ડી જી વણઝારાએ અવાર-નવાર ટ્વીટ કરીને વિવાદમાં રહેતા હોય છે. ખાસ કરીને મોદી સરકાર પર અનેક વખત ટ્વીટ કરીને તેઓ ચર્ચામાં રહ્યા છે ત્યારે ફરી એક વખત હાલમાં ડી.જી વણઝારા દ્વારા કરવામાં આવેલ ટ્વીટની ચર્ચા થઇ રહી છે.
https://twitter.com/VanzaraDg/status/1524468394136944640?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1524468394136944640%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2FVanzaraDg2Fstatus2F1524468394136944640widget%3DTweet
ડી.જી વણઝારાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે “મારે દુઃખ સાથે જણાવવું પડે છે કે ૨૦૧૪ માં શ્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હી ગયા ત્યારથી ગુજરાતમાં રાજકીય અસ્થિરતાનો કપરો કાળ શરૂ થયો છે. મુખ્ય મંત્રી તરીકે તેમના સ્થાને આવેલ આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી કે ભુપેન્દ્રભાઈ પટેલ ને પાંચ વર્ષની ટર્મ પુરી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી”
https://twitter.com/VanzaraDg/status/1524475734051344384?s=20&t=1sh_L5fQSXLASDRgZTwDpQ
આ સાથે જ બીજુ ટ્વીટ કર્યુ છે કે “શું ગુજરાતના શાણા, સમજદાર, જાગૃત અને વ્યવહાર કુશળ લોકો પાસે એવો કોઈ માઈ નો લાલ નથી કે જે પર-પ્રકાશિત ચન્દ્ર ના બદલે સ્વયં-પ્રકાશિત સૂર્યની માફક પોતાના સામર્થ્ય, શક્તિ અને આત્મબળથી સત્તા હાંસલ કરે, રાજ્યને રાજકીય સ્થિરતા આપે અને રાજ્ય નો સર્વાંગી વિકાસ કરે અને સૌનું કલ્યાણ કરે ?”
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના પૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી.વણઝારા રાજકારણને લઇને અવાર નવાર તેઓના મંતવ્યો આપતા રહે છે.
બહુચર્ચીત આઈપીએસ અધિકારી ડી જી વણઝારાનું ટ્વીટ
ગુજરાતના રાજકારણ પર પોતાના મંતવ્યો વ્યકત કરતા રહે છે
“ગુજરાતમાં રાજકીય અસ્થિરતાનો કપરો કાળ શરૂ થયો છે” : ડી જી વણઝારા
WatchGujarat.બહુચર્ચીત આઈપીએસ અધિકારી ડી જી વણઝારાએ અવાર-નવાર ટ્વીટ કરીને વિવાદમાં રહેતા હોય છે. ખાસ કરીને મોદી સરકાર પર અનેક વખત ટ્વીટ કરીને તેઓ ચર્ચામાં રહ્યા છે ત્યારે ફરી એક વખત હાલમાં ડી.જી વણઝારા દ્વારા કરવામાં આવેલ ટ્વીટની ચર્ચા થઇ રહી છે.
https://twitter.com/VanzaraDg/status/1524468394136944640?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1524468394136944640%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2FVanzaraDg2Fstatus2F1524468394136944640widget%3DTweet
ડી.જી વણઝારાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે “મારે દુઃખ સાથે જણાવવું પડે છે કે ૨૦૧૪ માં શ્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હી ગયા ત્યારથી ગુજરાતમાં રાજકીય અસ્થિરતાનો કપરો કાળ શરૂ થયો છે. મુખ્ય મંત્રી તરીકે તેમના સ્થાને આવેલ આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી કે ભુપેન્દ્રભાઈ પટેલ ને પાંચ વર્ષની ટર્મ પુરી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી”
આ સાથે જ બીજુ ટ્વીટ કર્યુ છે કે “શું ગુજરાતના શાણા, સમજદાર, જાગૃત અને વ્યવહાર કુશળ લોકો પાસે એવો કોઈ માઈ નો લાલ નથી કે જે પર-પ્રકાશિત ચન્દ્ર ના બદલે સ્વયં-પ્રકાશિત સૂર્યની માફક પોતાના સામર્થ્ય, શક્તિ અને આત્મબળથી સત્તા હાંસલ કરે, રાજ્યને રાજકીય સ્થિરતા આપે અને રાજ્ય નો સર્વાંગી વિકાસ કરે અને સૌનું કલ્યાણ કરે ?”
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના પૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી.વણઝારા રાજકારણને લઇને અવાર નવાર તેઓના મંતવ્યો આપતા રહે છે.