દોઢ વર્ષે તેને એક સાથે બીએલઓએ અલગ અલગ નંબરના બે કાર્ડ આપી દીધા હતા
ભૂલનું ભાન થતાં બીએલઓએ યુવકના ઘરે અડિંગો જમાવી કાર્ડ પરત મેળવવા ધમપછાડા કર્યા
એક કાર્ડ રદ નહીં કરાવો તો બંને કાર્ડ રદ કરી નાખીશું તેવી ધમકી પણ આપી હતી
Watchgujarat.મતદાર સુધારણાના કાર્યક્રમોની જોરશોરથી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ આવા કાર્યક્રમમાં ફરજ બજાવતા બીએલઓ સહિતના સ્ટાફને આવી કામગીરીમાં સહેજ પણ રસ નહોય તેવા અનેક કિસ્સા જોવા મળ્યા હતા, પરંતુ રાજકોટના એક યુવકે ચૂંટણી કાર્ડમાં સરનામું બદલાવવા અરજી કર્યાના મહિનાઓ વિતવા છતાં તેને કાર્ડ નહીં મળતાં યુવકે બીજું ફોર્મ ભર્યું હતું. અને દોઢ વર્ષે તેને એક સાથે બીએલઓએ અલગ અલગ નંબરના બે કાર્ડ આપી દીધા હતા, ભૂલનું ભાન થતાં બીએલઓએ યુવકના ઘરે અડિંગો જમાવી કાર્ડ પરત મેળવવા ધમપછાડા કર્યા હતા એટલું જ નહીં બંને કાર્ડ રદ કરાવી દેવાની ધમકી પણ આપી હતી.
જાણવા મળતી વિગત અનુસાર, જામનગર રોડ પરના કોપરસિટી પ્લસમાં રહેતા મધુસૂદન સી. પંડ્યાએ કહ્યું હતું કે, અગાઉ મોરબી રહેતા હતા ત્યારે તેમની પાસે ચૂંટણીકાર્ડ હતું. 17 વર્ષ પૂર્વે રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેવા આવ્યા હતા, અને ત્યાંથી કોપરસિટી ખાતે રહેવા ગયા હતા, તેમની પાસે જીજે 1 સિરીઝનું ચૂંટણીકાર્ડ હતું, લક્ષ્મીવાડીથી કોપરસિટીનું સરનામું બદલાવવા માટે 7 જાન્યુઆરી 2020ના માલવિયા કોલેજ પાસે આવેલી મામલતદાર કચેરીમાં અરજી કરી હતી, પરંતુ જૂની સિરીઝનું કાર્ડ હોવાથી અપડેટ થતું નહોતું, જેથી કાર્ડ પરનો ફોટો અને સરનામું ચેન્જ કરવા માટે 17 જૂન 2020ના આત્મીય કોલેજ પાસે આવેલી મામલતદાર કચેરીમાં ફરીથી અરજી કરતાં એ દિવસે એ કાર્ડ કેન્સલ કરવા અંગેની તંત્ર દ્વારા પહોંચ અપાઈ હતી, અને નવું કાર્ડ કઢાવવા માટેનો રસ્તો ખુલ્યો હતો.
ત્યારબાદ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરાતા બજરંગવાડી વિસ્તારની સરકારી સ્કૂલમાં પોતે તથા તેના એપાર્ટમેન્ટના અન્ય લોકોએ ફોર્મ ભર્યા હતા. આ પૈકી અન્ય લોકોના કાર્ડ આવ્યા હતા. પરંતુ પોતાનું જ કાર્ડ નહીં નીકળતા તેમણે આ અંગે તપાસ કરી હતી. જેમાં મામલતદાર કચેરીમાંથી તેમનું ફોર્મ જ ગાયબ થઇ ગયાનું જાણવા મળ્યું હતું. મધુસૂદનભાઇ દોઢ વર્ષ સુધી કચેરીઓમાં દોડતા રહ્યા હતા પરંતુ તેમને કાર્ડ મળતું નહોતું એટલું જ નહીં સ્ટાફ દ્વારા યોગ્ય પ્રતિસાદ પણ મળતો નહોતો.
તા.9 નવેમ્બર 2021ના બીએલઓ નરેન્દ્ર બારૈયાએ ફોન કરી બજરંગવાડી ખાતે સ્કૂલેથી કાર્ડ લઇ જવાનું કહેતા મધુસૂદનભાઇ ત્યાં પહોંચ્યા હતા તો બીએલઓ બારૈયાએ મધુસૂદનભાઇને એક નહીં પરંતુ બે ચૂંટણી કાર્ડ આપ્યા હતા. બંને કાર્ડમાં જુદા-જુદા નંબર હતા. બીએલઓએ સહી કરાવી બંને કાર્ડ મધુસૂદનભાઇને આપ્યા હતા. ત્યારબાદ પોતાની ભૂલનું ભાન થતાં જ અઠવાડિયાથી બારૈયાએ મધુસૂદનભાઇને ફોન કરીને એક કાર્ડ રદ કરાવી જવા કહ્યું હતું.
જો કે મધુસૂદનભાઇ પોતાના ધંધાના કામે બહારગામ હોવાથી કાર્ડ રદ કરાવવા નહીં જઇ શકતાં રવિવારે બીએલઓ અને તેની ટીમ મધુસૂદનભાઇના ઘરે પહોંચી હતી. અને અઢી કલાક સુધી પંડ્યા પરિવારના ઘરે જ અડિંગો જમાવ્યો હતો. એટલું જ નહીં એક કાર્ડ રદ નહીં કરાવો તો બંને કાર્ડ રદ કરી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. સાથે જ આવી ભૂલો અનેકવાર થઈ હોવાનું પણ મધુસુદનભાઈ સાથે ફોન પર કરેલી વાતમાં જણાવ્યું હતું. જેને લઈને આખરે મધુસુદનભાઈએ આ અંગે મીડિયાની મદદ માંગી છે. ત્યારે હવે આ મામલે જવાબદારો સામે ક્યારે અને શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું..
દોઢ વર્ષે તેને એક સાથે બીએલઓએ અલગ અલગ નંબરના બે કાર્ડ આપી દીધા હતા
એક કાર્ડ રદ નહીં કરાવો તો બંને કાર્ડ રદ કરી નાખીશું તેવી ધમકી પણ આપી હતી
Watchgujarat.મતદાર સુધારણાના કાર્યક્રમોની જોરશોરથી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ આવા કાર્યક્રમમાં ફરજ બજાવતા બીએલઓ સહિતના સ્ટાફને આવી કામગીરીમાં સહેજ પણ રસ નહોય તેવા અનેક કિસ્સા જોવા મળ્યા હતા, પરંતુ રાજકોટના એક યુવકે ચૂંટણી કાર્ડમાં સરનામું બદલાવવા અરજી કર્યાના મહિનાઓ વિતવા છતાં તેને કાર્ડ નહીં મળતાં યુવકે બીજું ફોર્મ ભર્યું હતું. અને દોઢ વર્ષે તેને એક સાથે બીએલઓએ અલગ અલગ નંબરના બે કાર્ડ આપી દીધા હતા, ભૂલનું ભાન થતાં બીએલઓએ યુવકના ઘરે અડિંગો જમાવી કાર્ડ પરત મેળવવા ધમપછાડા કર્યા હતા એટલું જ નહીં બંને કાર્ડ રદ કરાવી દેવાની ધમકી પણ આપી હતી.
જાણવા મળતી વિગત અનુસાર, જામનગર રોડ પરના કોપરસિટી પ્લસમાં રહેતા મધુસૂદન સી. પંડ્યાએ કહ્યું હતું કે, અગાઉ મોરબી રહેતા હતા ત્યારે તેમની પાસે ચૂંટણીકાર્ડ હતું. 17 વર્ષ પૂર્વે રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેવા આવ્યા હતા, અને ત્યાંથી કોપરસિટી ખાતે રહેવા ગયા હતા, તેમની પાસે જીજે 1 સિરીઝનું ચૂંટણીકાર્ડ હતું, લક્ષ્મીવાડીથી કોપરસિટીનું સરનામું બદલાવવા માટે 7 જાન્યુઆરી 2020ના માલવિયા કોલેજ પાસે આવેલી મામલતદાર કચેરીમાં અરજી કરી હતી, પરંતુ જૂની સિરીઝનું કાર્ડ હોવાથી અપડેટ થતું નહોતું, જેથી કાર્ડ પરનો ફોટો અને સરનામું ચેન્જ કરવા માટે 17 જૂન 2020ના આત્મીય કોલેજ પાસે આવેલી મામલતદાર કચેરીમાં ફરીથી અરજી કરતાં એ દિવસે એ કાર્ડ કેન્સલ કરવા અંગેની તંત્ર દ્વારા પહોંચ અપાઈ હતી, અને નવું કાર્ડ કઢાવવા માટેનો રસ્તો ખુલ્યો હતો.
ત્યારબાદ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરાતા બજરંગવાડી વિસ્તારની સરકારી સ્કૂલમાં પોતે તથા તેના એપાર્ટમેન્ટના અન્ય લોકોએ ફોર્મ ભર્યા હતા. આ પૈકી અન્ય લોકોના કાર્ડ આવ્યા હતા. પરંતુ પોતાનું જ કાર્ડ નહીં નીકળતા તેમણે આ અંગે તપાસ કરી હતી. જેમાં મામલતદાર કચેરીમાંથી તેમનું ફોર્મ જ ગાયબ થઇ ગયાનું જાણવા મળ્યું હતું. મધુસૂદનભાઇ દોઢ વર્ષ સુધી કચેરીઓમાં દોડતા રહ્યા હતા પરંતુ તેમને કાર્ડ મળતું નહોતું એટલું જ નહીં સ્ટાફ દ્વારા યોગ્ય પ્રતિસાદ પણ મળતો નહોતો.
તા.9 નવેમ્બર 2021ના બીએલઓ નરેન્દ્ર બારૈયાએ ફોન કરી બજરંગવાડી ખાતે સ્કૂલેથી કાર્ડ લઇ જવાનું કહેતા મધુસૂદનભાઇ ત્યાં પહોંચ્યા હતા તો બીએલઓ બારૈયાએ મધુસૂદનભાઇને એક નહીં પરંતુ બે ચૂંટણી કાર્ડ આપ્યા હતા. બંને કાર્ડમાં જુદા-જુદા નંબર હતા. બીએલઓએ સહી કરાવી બંને કાર્ડ મધુસૂદનભાઇને આપ્યા હતા. ત્યારબાદ પોતાની ભૂલનું ભાન થતાં જ અઠવાડિયાથી બારૈયાએ મધુસૂદનભાઇને ફોન કરીને એક કાર્ડ રદ કરાવી જવા કહ્યું હતું.
જો કે મધુસૂદનભાઇ પોતાના ધંધાના કામે બહારગામ હોવાથી કાર્ડ રદ કરાવવા નહીં જઇ શકતાં રવિવારે બીએલઓ અને તેની ટીમ મધુસૂદનભાઇના ઘરે પહોંચી હતી. અને અઢી કલાક સુધી પંડ્યા પરિવારના ઘરે જ અડિંગો જમાવ્યો હતો. એટલું જ નહીં એક કાર્ડ રદ નહીં કરાવો તો બંને કાર્ડ રદ કરી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. સાથે જ આવી ભૂલો અનેકવાર થઈ હોવાનું પણ મધુસુદનભાઈ સાથે ફોન પર કરેલી વાતમાં જણાવ્યું હતું. જેને લઈને આખરે મધુસુદનભાઈએ આ અંગે મીડિયાની મદદ માંગી છે. ત્યારે હવે આ મામલે જવાબદારો સામે ક્યારે અને શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું..