WatchGujarat. આજે યનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા શૈક્ષણિક 2021-22માં પ્રવેશ માટે કેલેન્ડર અને પરીક્ષાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ કેલેન્ડર મુજબ યુનિવર્સિટીઓએ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે 31 જુલાઈ સુધીમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. UGC એ ચાલુ વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર તેમજ આગામી પરીક્ષાની માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.
UGC દ્વારા જેહાર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, તમામ યુનિવર્સિટીઓએ 31 ઓગસ્ટ, 2021 સુધીમાં અંતિમ વર્ષ અથવા સેમેસ્ટર પરીક્ષાઓ પૂર્ણ કરવાની રહેશે. UGC એ જણાવ્યું છે કે, વિવિધ યુનિવર્સિટીઓમાં UG ની પ્રવેશ પ્રક્રિયા CBSE, ICSE ની રજુઆતને ધ્યાનમાં રાખીને નવું શૈક્ષણિક સત્ર 1 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉના પરિપત્રમાં, કમિશને નિર્દેશ કર્યો હતો કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ રાજ્ય બોર્ડ તેમજ CBSE અને ICSE નું પરિણામ 31 જુલાઈ, 2021 સુધીમાં જાહેર કરવામાં આવશે.
આ માર્ગદર્શિકામાં UGCએ યુનિવર્સિટીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાના આદેશ કર્યા છે. સાથે આગામી 1 ઓક્ટોબરથી નવું સત્ર શરૂ કરવા અંગે નિદર્શ કર્યા છે. યુનિવર્સિટીઓમાં ખાલી બેઠકો ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર આપવામાં આવી છે. તેમજ જો ધોરણ-12 ના પરિણામ જાહેર કરવામાં વિલંબ થાય તો યુનિવર્સિટી 18 ઓક્ટોબરથી નવા શૈક્ષણિક સત્રની યોજના બનાવી શકે છે તેવું પણ આ માર્ગદર્શિકામાં જણાવાયું છે.
કોરોનાને ધ્યાનમાં રાખીને UGC એ યુનિવર્સિટીઓને જણાવ્યું હતું કે, જો ઓક્ટોબર સુધીમાં કોઈ વિદ્યાર્થી દ્વારા પ્રવેશ પરત ખેંચવામાં આવે તો યુનિવર્સિટીએ સંપુર્ણ ફી પરત કરવાની રહેશે. પરંતુ જો વિદ્યાર્થી 31 ડિસેમ્બર 2021 સુધીમાં પ્રવેશ રદ કરે છે, તો યુનિવર્સિટીઓ વધુમાં વધુ 1,000 રૂપિયા પ્રોસેસિંગ ફી તરીકે ચાર્જ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, UGC એ જાહેર કરેલી આ માર્ગદર્શિકા સંબંધિત શિક્ષાત્મક અને વૈધાનિક સંસ્થાઓની કાઉન્સિલની સલાહને આધારે જાહેર કરવામાં આવી છે.
WatchGujarat. આજે યનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા શૈક્ષણિક 2021-22માં પ્રવેશ માટે કેલેન્ડર અને પરીક્ષાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ કેલેન્ડર મુજબ યુનિવર્સિટીઓએ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે 31 જુલાઈ સુધીમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. UGC એ ચાલુ વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર તેમજ આગામી પરીક્ષાની માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.
UGC દ્વારા જેહાર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, તમામ યુનિવર્સિટીઓએ 31 ઓગસ્ટ, 2021 સુધીમાં અંતિમ વર્ષ અથવા સેમેસ્ટર પરીક્ષાઓ પૂર્ણ કરવાની રહેશે. UGC એ જણાવ્યું છે કે, વિવિધ યુનિવર્સિટીઓમાં UG ની પ્રવેશ પ્રક્રિયા CBSE, ICSE ની રજુઆતને ધ્યાનમાં રાખીને નવું શૈક્ષણિક સત્ર 1 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉના પરિપત્રમાં, કમિશને નિર્દેશ કર્યો હતો કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ રાજ્ય બોર્ડ તેમજ CBSE અને ICSE નું પરિણામ 31 જુલાઈ, 2021 સુધીમાં જાહેર કરવામાં આવશે.
આ માર્ગદર્શિકામાં UGCએ યુનિવર્સિટીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાના આદેશ કર્યા છે. સાથે આગામી 1 ઓક્ટોબરથી નવું સત્ર શરૂ કરવા અંગે નિદર્શ કર્યા છે. યુનિવર્સિટીઓમાં ખાલી બેઠકો ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર આપવામાં આવી છે. તેમજ જો ધોરણ-12 ના પરિણામ જાહેર કરવામાં વિલંબ થાય તો યુનિવર્સિટી 18 ઓક્ટોબરથી નવા શૈક્ષણિક સત્રની યોજના બનાવી શકે છે તેવું પણ આ માર્ગદર્શિકામાં જણાવાયું છે.
કોરોનાને ધ્યાનમાં રાખીને UGC એ યુનિવર્સિટીઓને જણાવ્યું હતું કે, જો ઓક્ટોબર સુધીમાં કોઈ વિદ્યાર્થી દ્વારા પ્રવેશ પરત ખેંચવામાં આવે તો યુનિવર્સિટીએ સંપુર્ણ ફી પરત કરવાની રહેશે. પરંતુ જો વિદ્યાર્થી 31 ડિસેમ્બર 2021 સુધીમાં પ્રવેશ રદ કરે છે, તો યુનિવર્સિટીઓ વધુમાં વધુ 1,000 રૂપિયા પ્રોસેસિંગ ફી તરીકે ચાર્જ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, UGC એ જાહેર કરેલી આ માર્ગદર્શિકા સંબંધિત શિક્ષાત્મક અને વૈધાનિક સંસ્થાઓની કાઉન્સિલની સલાહને આધારે જાહેર કરવામાં આવી છે.