WatchGujarat. અંડર-19 વર્લ્ડ કરમાં ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના કેપ્ટન યશ સહિત 5 ખેલાડી કોરોના પોઝિટિવ હોવાથી આ મેચની બહાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આજે ઈન્ડિયન ટીમ છેલ્લી લીગ મેચ રમવા માટે યુગાન્ડા સામે મેદાનમાં ઉતરશે. તેવામાં મુખ્ય ખેલાડી સંક્રમિત હોવાથી ભારતને ફટકો પડ્યો છે.
ઈન્ડિયન ટીમ શનિવારે યુગાંડા વિરૂદ્ધ પોતાની છેલ્લી લીગ મેચ રમશે. બુધવારે આયરલેન્ડ સામેની મેચ પહેલા 6 ખેલાડીને ક્વોરન્ટીન કરાયા હતા. જેમાંથી પાંચ ખેલાડી કેપ્ટન યશ, આરાધ્ય યાદવ, શેખ રશીદ, વાસુ વત્સ, સિદ્ધાર્થ યાદવના રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. વળી માનવ પારખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે હવે 2 દિવસ પછી RT-PCR રિપોર્ટમાં વાસુ વત્સને છોડીને દરેક ખેલાડી પોઝિટિવ આવ્યા છે.
આયરલેન્ડ સામે રમેલા દરેક ખેલાડી નેગેટિવ
ICCના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહતની માહિતી મળલી છે. આયરલેન્ડ સામે રમેલા દરેક ખેલાડીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે કેપ્ટન યશ ધુલમાં કોવિડના ગંભીર લક્ષણો જોવા મળ્યા છે.
તમામ ખેલાડી 5 દિવસ માટે ક્વોરન્ટીન
ટૂર્નામેન્ટના કોરોના પ્રોટોકોલ પ્રમાણે સંક્રમિત દરેક ખેલાડીને 5 દિવસ સુધી ક્વોરન્ટીન રહેવું પડશે. ત્યારપછી અન્ય એક ટેસ્ટના આધારે તે ટીમમાં જોડાશે કે કેમ એની માહિતી મળશે.
29 જાન્યુઆરીએ ટીમની મહત્ત્વપૂર્ણ મેચ
ભારત જો ગ્રુપમાં ટોપ પર રહેશે તો તેનની ક્વાર્ટર ફાઈનલ મેચ 29 જાન્યુઆરીએ રમાશે અને આની પહેલા ધુલ સિવાય તમામ રિકવર થઈ જાય એવી આશા રહેશે.
વેસ્ટઈન્ડિઝ પહોંચતા જ એક સપોર્ટ સ્ટાફ મેમ્બર પોઝિટિવ
યૂએઈમાં એશિયા કપ જીત્યા પછી ઈન્ડિયન ટીમ એમ્સટર્ડમથી વેસ્ટઈન્ડિઝ જવા માટે રવાના થઈ હતી. ત્યાં ગુયાના પહોંચ્યા પછી ઈન્ડિયન ટીમને પાંચ દિવસ સુધી ક્વોરન્ટીન રહેવું પડ્યું હતું અને આ દરમિયાન ટીમનો એક સપોર્ટ સ્ટાફ મેમ્બર પોઝિટિવ આવ્યો હતો. આ સફર દરમિયાન અન્ય ખેલાડી પણ સ્ટાફના સંપર્કમાં આવતા પોઝિટિવ થયા છે.
WatchGujarat. અંડર-19 વર્લ્ડ કરમાં ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના કેપ્ટન યશ સહિત 5 ખેલાડી કોરોના પોઝિટિવ હોવાથી આ મેચની બહાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આજે ઈન્ડિયન ટીમ છેલ્લી લીગ મેચ રમવા માટે યુગાન્ડા સામે મેદાનમાં ઉતરશે. તેવામાં મુખ્ય ખેલાડી સંક્રમિત હોવાથી ભારતને ફટકો પડ્યો છે.
ઈન્ડિયન ટીમ શનિવારે યુગાંડા વિરૂદ્ધ પોતાની છેલ્લી લીગ મેચ રમશે. બુધવારે આયરલેન્ડ સામેની મેચ પહેલા 6 ખેલાડીને ક્વોરન્ટીન કરાયા હતા. જેમાંથી પાંચ ખેલાડી કેપ્ટન યશ, આરાધ્ય યાદવ, શેખ રશીદ, વાસુ વત્સ, સિદ્ધાર્થ યાદવના રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. વળી માનવ પારખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે હવે 2 દિવસ પછી RT-PCR રિપોર્ટમાં વાસુ વત્સને છોડીને દરેક ખેલાડી પોઝિટિવ આવ્યા છે.
આયરલેન્ડ સામે રમેલા દરેક ખેલાડી નેગેટિવ
ICCના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહતની માહિતી મળલી છે. આયરલેન્ડ સામે રમેલા દરેક ખેલાડીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે કેપ્ટન યશ ધુલમાં કોવિડના ગંભીર લક્ષણો જોવા મળ્યા છે.
તમામ ખેલાડી 5 દિવસ માટે ક્વોરન્ટીન
ટૂર્નામેન્ટના કોરોના પ્રોટોકોલ પ્રમાણે સંક્રમિત દરેક ખેલાડીને 5 દિવસ સુધી ક્વોરન્ટીન રહેવું પડશે. ત્યારપછી અન્ય એક ટેસ્ટના આધારે તે ટીમમાં જોડાશે કે કેમ એની માહિતી મળશે.
29 જાન્યુઆરીએ ટીમની મહત્ત્વપૂર્ણ મેચ
ભારત જો ગ્રુપમાં ટોપ પર રહેશે તો તેનની ક્વાર્ટર ફાઈનલ મેચ 29 જાન્યુઆરીએ રમાશે અને આની પહેલા ધુલ સિવાય તમામ રિકવર થઈ જાય એવી આશા રહેશે.
વેસ્ટઈન્ડિઝ પહોંચતા જ એક સપોર્ટ સ્ટાફ મેમ્બર પોઝિટિવ
યૂએઈમાં એશિયા કપ જીત્યા પછી ઈન્ડિયન ટીમ એમ્સટર્ડમથી વેસ્ટઈન્ડિઝ જવા માટે રવાના થઈ હતી. ત્યાં ગુયાના પહોંચ્યા પછી ઈન્ડિયન ટીમને પાંચ દિવસ સુધી ક્વોરન્ટીન રહેવું પડ્યું હતું અને આ દરમિયાન ટીમનો એક સપોર્ટ સ્ટાફ મેમ્બર પોઝિટિવ આવ્યો હતો. આ સફર દરમિયાન અન્ય ખેલાડી પણ સ્ટાફના સંપર્કમાં આવતા પોઝિટિવ થયા છે.