રાજકોટમાં ફરતી તમામ ઓટો રિક્ષાઓમાં આજથી લાગશે ટી-નંબર
રિક્ષાઓમાં મુસાફરોને દેખાય એ રીતે રિક્ષા નંબર, માલિક, ડ્રાઈવર, મોબાઈલ નંબર વિગતો લખવી પડશે
શહેરમાં ગુનાખોરી રોકવા માટે રાજકોટ ટ્રાફિક શાખા દ્વારા શરૂ કરાઈ કામગીરી
WatchGujarat. મુસાફરો સાથે ચોરી, છેતરપિંડી, અપહરણ કે છેડતીની ઘટના બનતી હોવાથી શહેરમાં ફરતી રિક્ષાઓમાં મુસાફરોને દેખાય એ રીતે રિક્ષા નંબર, માલિક, ડ્રાઈવર, મોબાઈલ નંબર વિગતો લખવી પડશે.
રાજકોટ શહેરમાં સમયાંતરે ઓટો રિક્ષાઓમાં બેસતા મુસાફરોના ખિસ્સા કપાવવા, કિંમતી વસ્તુ કે સામાન ચોરાઈ જવો, અપહરણ કે યુવતીઓ, મહિલાઓની છેડતી થતી હોવાની ઘટનાને રોકવા માટે ટ્રાફિક શાખા દ્વારા આજે તા.18 થી ઓટો રિક્ષામાં ટી–નંબર નોંધણીનું અભિયાન હાથ ધરાશે. એકાદ સાહની મુદત્ત વિત્યા બાદ જે રિક્ષાઓમાં ટી નંબર નહીં હોય તેવી રિક્ષાઓ સામે કાયદાકીય કાર્યવાહી આરંભાશે.
ઓટો રિક્ષાઓમાં મુસાફરોને સ્પષ્ટ્ર રીતે દેખાઈ કે વંચાઈ શકે એ રીતે ચાલકની સીટ પાછળ ભાગે રિક્ષા નંબર, રિક્ષા માલિક, ચાલકના નામ એડ્રેસ, મોબાઈલ નંબર, રજિસ્ટ્રેશન સહિતની વિગતો લખવાની રહેશે. આ ઉપરાંત પોલીસ કંટ્રોલ રૂમનો નંબર પણ અંકિત કરાવવો પડશે.
રિક્ષાઓને ટ્રાફિક શાખા દ્રારા ટી–નંબરો ફાળવવામાં આવશે ટી–નંબર ફાળવણીનો આવતીકાલથી 150 ફટ રિંગ રોડ શિતલ પાર્ક સ્થિત ટોઈંગ સ્ટેશન પરથી આરભં કરાશે. રિક્ષાચાલકોએ રિક્ષાના પુરા ડોકયુમેન્ટ માલિકના આધાર–પુરાવા તેમજ ચાલકે પોતાના આધારે પુરાવાઓ દર્શાવવાના રહેશે ડોકયુમેન્ટ ચેક કર્યા બાદ રિક્ષાઓમાં ટ્રાફિક શાખા દ્રારા ટી નંબર ફાળવણી કરાશે. આ ટી નંબર પણ રિક્ષા અંદર પેસેન્જર જોઈ શકે તે રીતે લખવાનો રહેશે.
ટી નંબરનો પુરો ડેટા ક્રાઈમ બ્રાંચ દ્રારા એકત્રિત કરાશે કયારેય પણ કોઈપણ ઘટના બની હોય તો ટી નંબર માત્રથી રિક્ષાની પુરી ડિટેઈલ પોલીસને મળી શકશે. ટ્રાફિક બ્રાંચ એસીપી વી.કે.મલ્હોત્રાના કહેવા મુજબ શહેરભરમાં અંદાજે 35 હજાર જેવી ઓટો રિક્ષા છે જેમાં અગાઉ દશ હજાર જેવી રિક્ષાનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. બાકીની રિક્ષાઓ માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે. એકાદ સાહ કે તેથી થોડો વધુ સમય રજિસ્ટર ટી નંબર માટે અપાશે.
ત્યારબાદ જે રિક્ષાઓમાં ટી નંબર નહીં હોય તેની સામે કાર્યવાહી થશે. ટી નંબરને લઈને શહેરમાં ડોકયુમેન્ટસ વિના કે ઘણા ખરા પાસે ડ્રાઈવીંગ લાયસન્સ પણ નથી હોતા તેવા ઈસમો દૂર થશે અને આરટીઓ ડોકયુમેન્ટ વિનાની રિક્ષાઓ પણ આપોઆપ બંધ થશે.
- રાજકોટમાં ફરતી તમામ ઓટો રિક્ષાઓમાં આજથી લાગશે ટી-નંબર
- રિક્ષાઓમાં મુસાફરોને દેખાય એ રીતે રિક્ષા નંબર, માલિક, ડ્રાઈવર, મોબાઈલ નંબર વિગતો લખવી પડશે
- શહેરમાં ગુનાખોરી રોકવા માટે રાજકોટ ટ્રાફિક શાખા દ્વારા શરૂ કરાઈ કામગીરી
WatchGujarat. મુસાફરો સાથે ચોરી, છેતરપિંડી, અપહરણ કે છેડતીની ઘટના બનતી હોવાથી શહેરમાં ફરતી રિક્ષાઓમાં મુસાફરોને દેખાય એ રીતે રિક્ષા નંબર, માલિક, ડ્રાઈવર, મોબાઈલ નંબર વિગતો લખવી પડશે.
રાજકોટ શહેરમાં સમયાંતરે ઓટો રિક્ષાઓમાં બેસતા મુસાફરોના ખિસ્સા કપાવવા, કિંમતી વસ્તુ કે સામાન ચોરાઈ જવો, અપહરણ કે યુવતીઓ, મહિલાઓની છેડતી થતી હોવાની ઘટનાને રોકવા માટે ટ્રાફિક શાખા દ્વારા આજે તા.18 થી ઓટો રિક્ષામાં ટી–નંબર નોંધણીનું અભિયાન હાથ ધરાશે. એકાદ સાહની મુદત્ત વિત્યા બાદ જે રિક્ષાઓમાં ટી નંબર નહીં હોય તેવી રિક્ષાઓ સામે કાયદાકીય કાર્યવાહી આરંભાશે.
ઓટો રિક્ષાઓમાં મુસાફરોને સ્પષ્ટ્ર રીતે દેખાઈ કે વંચાઈ શકે એ રીતે ચાલકની સીટ પાછળ ભાગે રિક્ષા નંબર, રિક્ષા માલિક, ચાલકના નામ એડ્રેસ, મોબાઈલ નંબર, રજિસ્ટ્રેશન સહિતની વિગતો લખવાની રહેશે. આ ઉપરાંત પોલીસ કંટ્રોલ રૂમનો નંબર પણ અંકિત કરાવવો પડશે.
રિક્ષાઓને ટ્રાફિક શાખા દ્રારા ટી–નંબરો ફાળવવામાં આવશે ટી–નંબર ફાળવણીનો આવતીકાલથી 150 ફટ રિંગ રોડ શિતલ પાર્ક સ્થિત ટોઈંગ સ્ટેશન પરથી આરભં કરાશે. રિક્ષાચાલકોએ રિક્ષાના પુરા ડોકયુમેન્ટ માલિકના આધાર–પુરાવા તેમજ ચાલકે પોતાના આધારે પુરાવાઓ દર્શાવવાના રહેશે ડોકયુમેન્ટ ચેક કર્યા બાદ રિક્ષાઓમાં ટ્રાફિક શાખા દ્રારા ટી નંબર ફાળવણી કરાશે. આ ટી નંબર પણ રિક્ષા અંદર પેસેન્જર જોઈ શકે તે રીતે લખવાનો રહેશે.
ટી નંબરનો પુરો ડેટા ક્રાઈમ બ્રાંચ દ્રારા એકત્રિત કરાશે કયારેય પણ કોઈપણ ઘટના બની હોય તો ટી નંબર માત્રથી રિક્ષાની પુરી ડિટેઈલ પોલીસને મળી શકશે. ટ્રાફિક બ્રાંચ એસીપી વી.કે.મલ્હોત્રાના કહેવા મુજબ શહેરભરમાં અંદાજે 35 હજાર જેવી ઓટો રિક્ષા છે જેમાં અગાઉ દશ હજાર જેવી રિક્ષાનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. બાકીની રિક્ષાઓ માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે. એકાદ સાહ કે તેથી થોડો વધુ સમય રજિસ્ટર ટી નંબર માટે અપાશે.
ત્યારબાદ જે રિક્ષાઓમાં ટી નંબર નહીં હોય તેની સામે કાર્યવાહી થશે. ટી નંબરને લઈને શહેરમાં ડોકયુમેન્ટસ વિના કે ઘણા ખરા પાસે ડ્રાઈવીંગ લાયસન્સ પણ નથી હોતા તેવા ઈસમો દૂર થશે અને આરટીઓ ડોકયુમેન્ટ વિનાની રિક્ષાઓ પણ આપોઆપ બંધ થશે.