એક તરફ મંત્રી મંડળના સભ્યો શપથ લઇ રહ્યા હતા. તો બીજી તરફ વડોદરામાં મુખ્યમંત્રીનું પોસ્ટર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઉખાડી દીધું
પાલિકાના જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, ઉપરથી આમ આદમી પાર્ટીના પોસ્ટરો કાઢવાનો આદેશ હતો - પિંકલ રામી, આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટીના ત્રણ જેટલા પોસ્ટરો હટાવી દેવાતા આજરોજ વિરોધ કરવામાં આવ્યો
WatchGujarat. એક તરફ રાજ્યના નવા મંત્રી મંડળમાં ધારાસભ્યો મંત્રીપદ માટેની શપથ લઇ રહ્યા હતા. તો બીજી તરફ વડોદરાની પાલિકાની કચેરી બહાર લગાડવામાં આવેલા નવા મુખ્યમંત્રીનું પોસ્ટર ફાડી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.
https://youtu.be/4i6EQCwxOQU
રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે તાજેતરમા જ ભુપેન્દ્ર પટેલની નિમણુંક કરવામાં આવી છે. આજરોજ તેમના નવા મંત્રી મંડળના સભ્યોએ શપથ લીધા હતા. એક તરફ મંત્રી મંડળના સભ્યો શપથ લઇ રહ્યા હતા. તો બીજી તરફ વડોદરામાં મુખ્યમંત્રીનું પોસ્ટર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઉખાડી દીધું હતું. સમગ્ર ઘટના અંગે આમ આદમી પાર્ટીના નેતા પિંકલ રામીએ વાત કરતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ ગોરવા હાઉસીંગમાં ગણેશોત્સવ નિમિત્તે શુભેચ્છાના પોસ્ટર લગાડ્યા હતા. ગતરોજ પાલિકા દ્વારા અમારા અલગ અલગ ત્રણ જગ્યાએથી પોસ્ટરો કાઢી નાંખવામાં આવ્યા હતા. આ અંગે પાલિકાના જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, ઉપરથી આમ આદમી પાર્ટીના પોસ્ટરો કાઢવાનો આદેશ હતો. આથી આજરોજ અમારા પોસ્ટર કાઢી નાંખવા મામલે અમે મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરવા આવ્યા હતા.
વધુમાં પિંકલ રામીએ ઉમેર્યું કે, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે લગાડેલું મુખ્યમંત્રીનું બેનર પણ ખોટી જગ્યાએ લગાડવામાં આવ્યું હોવાથી અમે તેને ઉખાડી દીધું હતું. અને તેને પાલિકાની કચેરીમાં લઇ ગયા હતા. જો અમારા હટાવી દેવામાં બેનર પુન જગ્યા પર લગાવામાં નહિ આવે તો આગામી દિવસોમાં વાતનો વિરોધ કરવામાં આવશે.
એક તરફ મંત્રી મંડળના સભ્યો શપથ લઇ રહ્યા હતા. તો બીજી તરફ વડોદરામાં મુખ્યમંત્રીનું પોસ્ટર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઉખાડી દીધું
પાલિકાના જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, ઉપરથી આમ આદમી પાર્ટીના પોસ્ટરો કાઢવાનો આદેશ હતો - પિંકલ રામી, આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટીના ત્રણ જેટલા પોસ્ટરો હટાવી દેવાતા આજરોજ વિરોધ કરવામાં આવ્યો
WatchGujarat. એક તરફ રાજ્યના નવા મંત્રી મંડળમાં ધારાસભ્યો મંત્રીપદ માટેની શપથ લઇ રહ્યા હતા. તો બીજી તરફ વડોદરાની પાલિકાની કચેરી બહાર લગાડવામાં આવેલા નવા મુખ્યમંત્રીનું પોસ્ટર ફાડી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.
રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે તાજેતરમા જ ભુપેન્દ્ર પટેલની નિમણુંક કરવામાં આવી છે. આજરોજ તેમના નવા મંત્રી મંડળના સભ્યોએ શપથ લીધા હતા. એક તરફ મંત્રી મંડળના સભ્યો શપથ લઇ રહ્યા હતા. તો બીજી તરફ વડોદરામાં મુખ્યમંત્રીનું પોસ્ટર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઉખાડી દીધું હતું. સમગ્ર ઘટના અંગે આમ આદમી પાર્ટીના નેતા પિંકલ રામીએ વાત કરતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ ગોરવા હાઉસીંગમાં ગણેશોત્સવ નિમિત્તે શુભેચ્છાના પોસ્ટર લગાડ્યા હતા. ગતરોજ પાલિકા દ્વારા અમારા અલગ અલગ ત્રણ જગ્યાએથી પોસ્ટરો કાઢી નાંખવામાં આવ્યા હતા. આ અંગે પાલિકાના જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, ઉપરથી આમ આદમી પાર્ટીના પોસ્ટરો કાઢવાનો આદેશ હતો. આથી આજરોજ અમારા પોસ્ટર કાઢી નાંખવા મામલે અમે મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરવા આવ્યા હતા.
વધુમાં પિંકલ રામીએ ઉમેર્યું કે, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે લગાડેલું મુખ્યમંત્રીનું બેનર પણ ખોટી જગ્યાએ લગાડવામાં આવ્યું હોવાથી અમે તેને ઉખાડી દીધું હતું. અને તેને પાલિકાની કચેરીમાં લઇ ગયા હતા. જો અમારા હટાવી દેવામાં બેનર પુન જગ્યા પર લગાવામાં નહિ આવે તો આગામી દિવસોમાં વાતનો વિરોધ કરવામાં આવશે.