વડોદરામાં પીપલ ફોર એનિમલ નામની સંસ્થા રખડતા પશુઓની સારસંભાળનું કાર્ય કરે છે
તુલસીધામ સોસાયટીમાં કુતરૂ લોહી લુહાણ હાલતમાં મળી આવતા સ્થાનિકે સંસ્થાના કાર્યકરને જાણ કરી
ઈજાગ્રસ્ત શ્વાનને સારવાર અર્થે ખસેડી નિકુંજ સુથાર વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
WatchGujarat. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી એક સોસાયટીના રહીશે શેરી કૂતરાને માટીનું છૂટ્ટુ કુંડુ મારી આંખ ફોડી નાખી હતી. આ બનાવ અંગે સ્થાનિક રહીશોએ જીવદયા સંસ્થાનો સંપર્ક કરતાં સંસ્થાના કાર્યકર્તાઓ સ્થળ પર દોડી ગયા હતા. અને ઇજાગ્રસ્ત કૂતરાને સારવાર અર્થે ખસેડી હુમલાખોર વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી .
https://youtu.be/3MGXCNIC_4k
મળેલી માહિતી મુજબ વડોદરામાં પીપલ ફોર એનિમલ નામની સંસ્થા રખડતા પશુઓની સારસંભાળનું કાર્ય કરે છે. તા. 22 નવેમ્બરના રોજ ગોત્રી વિસ્તારમાં આવેલી તુલસીધામ સોસાયટીમાંથી જાગૃત વ્યક્તિએ ઉપરોક્ત સંસ્થાના કાર્યકર્તાને જાણ કરી હતી કે , ટેરેસ ઉપર વજનદાર વસ્તુ પડવાનો અવાજ આવતા અમે ટેરેસ ઉપર દોડી ગયા હતા. જ્યાં એક વ્યક્તિ લાકડી સાથે ઉભો હતો અને નજીકમાં કૂતરું લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું. તે કૂતરાની ડાબી આંખ બહાર આવી ગઈ હતી. અને લોહી વહી રહ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્ત કૂતરાની નજીકમાં માટીનું કુંડુ તૂટેલું પડ્યું હતું. વ્યક્તિની પૂછપરછ કરતા સોસાયટીમાં જ રહેતો નિકુંજ સુથાર હોવાનું બહાર આવ્યું હતું . અને તેણે કૂતરા ઉપર મોઢાના ભાગે કુંડુ મારી લાકડીના ફટકા માર્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ તે ત્યાંથી નાસી છૂટયો હતો.
હકીકતના આધારે સંસ્થાના કાર્યકર્તાઓ સ્થળ પર દોડી ગયા હતા. અને ઈજાગ્રસ્ત શ્વાનને સારવાર અર્થે ખસેડી નિકુંજ સુથાર વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી .જેના આધારે પોલીસે પશુ ક્રૂરતા પ્રતિબંધિત અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં પીપલ ફોર એનિમલ નામની સંસ્થા રખડતા પશુઓની સારસંભાળનું કાર્ય કરે છે
તુલસીધામ સોસાયટીમાં કુતરૂ લોહી લુહાણ હાલતમાં મળી આવતા સ્થાનિકે સંસ્થાના કાર્યકરને જાણ કરી
WatchGujarat. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી એક સોસાયટીના રહીશે શેરી કૂતરાને માટીનું છૂટ્ટુ કુંડુ મારી આંખ ફોડી નાખી હતી. આ બનાવ અંગે સ્થાનિક રહીશોએ જીવદયા સંસ્થાનો સંપર્ક કરતાં સંસ્થાના કાર્યકર્તાઓ સ્થળ પર દોડી ગયા હતા. અને ઇજાગ્રસ્ત કૂતરાને સારવાર અર્થે ખસેડી હુમલાખોર વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી .
મળેલી માહિતી મુજબ વડોદરામાં પીપલ ફોર એનિમલ નામની સંસ્થા રખડતા પશુઓની સારસંભાળનું કાર્ય કરે છે. તા. 22 નવેમ્બરના રોજ ગોત્રી વિસ્તારમાં આવેલી તુલસીધામ સોસાયટીમાંથી જાગૃત વ્યક્તિએ ઉપરોક્ત સંસ્થાના કાર્યકર્તાને જાણ કરી હતી કે , ટેરેસ ઉપર વજનદાર વસ્તુ પડવાનો અવાજ આવતા અમે ટેરેસ ઉપર દોડી ગયા હતા. જ્યાં એક વ્યક્તિ લાકડી સાથે ઉભો હતો અને નજીકમાં કૂતરું લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું. તે કૂતરાની ડાબી આંખ બહાર આવી ગઈ હતી. અને લોહી વહી રહ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્ત કૂતરાની નજીકમાં માટીનું કુંડુ તૂટેલું પડ્યું હતું. વ્યક્તિની પૂછપરછ કરતા સોસાયટીમાં જ રહેતો નિકુંજ સુથાર હોવાનું બહાર આવ્યું હતું . અને તેણે કૂતરા ઉપર મોઢાના ભાગે કુંડુ મારી લાકડીના ફટકા માર્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ તે ત્યાંથી નાસી છૂટયો હતો.
હકીકતના આધારે સંસ્થાના કાર્યકર્તાઓ સ્થળ પર દોડી ગયા હતા. અને ઈજાગ્રસ્ત શ્વાનને સારવાર અર્થે ખસેડી નિકુંજ સુથાર વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી .જેના આધારે પોલીસે પશુ ક્રૂરતા પ્રતિબંધિત અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, વધુ તપાસ હાથ ધરી છે.