માં શક્તિના આશીર્વાદ મેળવવા માટે કોઈ ઉપવાસ રાખે છે તો કોઈ પૂજા-અર્ચના કરે છે
વડોદરાના શેરખી ગાયત્રી આશ્રમ ખાતે પણ નવરાત્રીમાં માં શક્તિની આરાધના કરવા માટે 1189 અખંડ દિવળા પ્રગટાવવામાં આવ્યા
સુંદર રંગોળી સાથે અખંડ દિવળાની લાંબી હરોળથી આશ્રમમાં એક ભવ્ય દ્રશ્ય સર્જાયું છે
1189 દિવળા જગમગતું શેરખી ગાયત્રી આશ્રમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું
WatchGujarat. નવરાત્રીના પર્વની સાથે હવે તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે માં આદ્યશક્તિના પાવન પર્વ નવરાત્રીના આયોજનની સરકાર દ્વારા પવાનગી મળતા લોકો ગરબે ઘૂમીને ઉજવણી કરી રહ્યા છે. આ પર્વના નવ દિવસ લોકો માતાજીના આશીર્વાદ મેળવવા માટે અનેક કાર્યો કરતાં હોય છે. નવરાત્રીના નવ દિવસ માં આદ્યશક્તિના જુદા-જુદા રૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માં શક્તિના આશીર્વાદ મેળવવા માટે કોઈ ઉપવાસ રાખે છે તો કોઈ પૂજા-અર્ચના કરે છે. વડોદરાના શેરખી ગાયત્રી આશ્રમ ખાતે પણ નવરાત્રીમાં માં શક્તિની આરાધના કરવા માટે 1189 અખંડ દિવળા પ્રગટાવવામાં આવ્યા છે.
https://youtu.be/N4OZiZzQCn0
અખંડ દિવળાનું હિન્દુ સંસ્કૃતિમાં અનોખું મહત્વ હોય છે. કહેવાય છે કે કોઈ મનોકામના પૂરી કરવા માટે માતાજીના નામનો અખંડ દિવળો પ્રગડાવવો જોઈએ. જેથી આપની મનોકામના પૂર્ણ થાય છે. નવરાત્રી અને માં આદ્યશક્તિ પ્રત્યે લોકોમાં એક અનેરી આસ્થા જોવા મળે છે. જે માટે લોકો જુદી જુદી રીતે માની આરાધના કરી તેમણે પ્રસન્ન કરવા માટેના પ્રયત્નો કરે છે. ત્યારે શહેરના શેરખી ગાયત્રી આશ્રમ ખાતે પણ નવરાત્રી નિમિત્તે અનોખું કાર્ય કરવામાં આવ્યું છે. નવરાત્રી પર્વ નિમિત્તે શેરખી ગાયત્રી આશ્રમમાં એક નહીં બે નહીં પરંતુ 1189 અખંડ દિવળા પ્રગટાવવામાં આવ્યા છે. જેના કારણે એક ભવ્ય નજારો સર્જાયો છે.
આ 1189 અખંડ દિવળાથી આખું આશ્રમ જગમગી ઉઠ્યું છે. સુંદર રંગોળી સાથે અખંડ દિવળાની લાંબી હરોળથી આશ્રમમાં એક ભવ્ય દ્રશ્ય સર્જાયું છે. શેરખી ગાયત્રી આશ્રમના લોકો દ્વારા 1189 અખંડ દિવળા પ્રગડાવીને માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં આવી છે. 1189 દિવળા જગમગતું શેરખી ગાયત્રી આશ્રમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રીના નવે નવ દિવસ આશ્રમમાં આ 1189 અખંડ દિવળા પ્રગડાવવામાં આવશે.
માં શક્તિના આશીર્વાદ મેળવવા માટે કોઈ ઉપવાસ રાખે છે તો કોઈ પૂજા-અર્ચના કરે છે
વડોદરાના શેરખી ગાયત્રી આશ્રમ ખાતે પણ નવરાત્રીમાં માં શક્તિની આરાધના કરવા માટે 1189 અખંડ દિવળા પ્રગટાવવામાં આવ્યા
સુંદર રંગોળી સાથે અખંડ દિવળાની લાંબી હરોળથી આશ્રમમાં એક ભવ્ય દ્રશ્ય સર્જાયું છે
WatchGujarat. નવરાત્રીના પર્વની સાથે હવે તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે માં આદ્યશક્તિના પાવન પર્વ નવરાત્રીના આયોજનની સરકાર દ્વારા પવાનગી મળતા લોકો ગરબે ઘૂમીને ઉજવણી કરી રહ્યા છે. આ પર્વના નવ દિવસ લોકો માતાજીના આશીર્વાદ મેળવવા માટે અનેક કાર્યો કરતાં હોય છે. નવરાત્રીના નવ દિવસ માં આદ્યશક્તિના જુદા-જુદા રૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માં શક્તિના આશીર્વાદ મેળવવા માટે કોઈ ઉપવાસ રાખે છે તો કોઈ પૂજા-અર્ચના કરે છે. વડોદરાના શેરખી ગાયત્રી આશ્રમ ખાતે પણ નવરાત્રીમાં માં શક્તિની આરાધના કરવા માટે 1189 અખંડ દિવળા પ્રગટાવવામાં આવ્યા છે.
અખંડ દિવળાનું હિન્દુ સંસ્કૃતિમાં અનોખું મહત્વ હોય છે. કહેવાય છે કે કોઈ મનોકામના પૂરી કરવા માટે માતાજીના નામનો અખંડ દિવળો પ્રગડાવવો જોઈએ. જેથી આપની મનોકામના પૂર્ણ થાય છે. નવરાત્રી અને માં આદ્યશક્તિ પ્રત્યે લોકોમાં એક અનેરી આસ્થા જોવા મળે છે. જે માટે લોકો જુદી જુદી રીતે માની આરાધના કરી તેમણે પ્રસન્ન કરવા માટેના પ્રયત્નો કરે છે. ત્યારે શહેરના શેરખી ગાયત્રી આશ્રમ ખાતે પણ નવરાત્રી નિમિત્તે અનોખું કાર્ય કરવામાં આવ્યું છે. નવરાત્રી પર્વ નિમિત્તે શેરખી ગાયત્રી આશ્રમમાં એક નહીં બે નહીં પરંતુ 1189 અખંડ દિવળા પ્રગટાવવામાં આવ્યા છે. જેના કારણે એક ભવ્ય નજારો સર્જાયો છે.
આ 1189 અખંડ દિવળાથી આખું આશ્રમ જગમગી ઉઠ્યું છે. સુંદર રંગોળી સાથે અખંડ દિવળાની લાંબી હરોળથી આશ્રમમાં એક ભવ્ય દ્રશ્ય સર્જાયું છે. શેરખી ગાયત્રી આશ્રમના લોકો દ્વારા 1189 અખંડ દિવળા પ્રગડાવીને માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં આવી છે. 1189 દિવળા જગમગતું શેરખી ગાયત્રી આશ્રમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રીના નવે નવ દિવસ આશ્રમમાં આ 1189 અખંડ દિવળા પ્રગડાવવામાં આવશે.