વિશ્વકર્મા મંદિરમાં કાર્યક્રમનુ આયોજન કરાયું હતું
યુવકની પત્ની માટે ટિફિન મંદિરમાથી ભરી જવાના મુદ્દે થયો હતો હુમલો
બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા યુવકે એકનું માથુ ફાડી નાખિયું
બાપોદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કર્યવાહી હાથ ધરી
WatchGujarat. વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં વિશ્વકર્મા જયંતી નિમિત્તે મહાપ્રસાદીમા ટિફિન ભરવા બાબતે ઝગડો થયા બાદ મામલો હિંસક બન્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા રસોઇયાએ તાવેથા વડે એક યુવકનું માથુ ફોડી નાખ્યું હતું. આ બનાવ અંગે બાપોદ પોલીસ મથકે હત્યાના પ્રયાસ જેવી કલમો અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી.
મુળ ઉત્તર પ્રદેશના અને હાલ વડોદરા શહેરમાં ખોડીયાર નગર વિસ્તારના ક્રૃષ્ણાનગરમાં રહેતા શિતલપ્રસાદ દુધનાથ મિસ્ત્રી (ઉ.36 વર્ષ) સુથાર કામ કરે છે. તેણે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રોજ વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતી નિમિત્તે સવારથી મુખીનગર ત્રણ રસ્તા પાસે આવેલ વિશ્વકર્મા મંદિરમાં કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. અને સાથે જ ત્યા જમણવારનો કર્યક્રમ પણ હતો. જેમા સમાજના લોકો ભેગા થયા હતા.
વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતી નિમિત્તે શિતલપ્રસાદ અને તેના કાકા શ્યામબહાદુર જગદીશ વિશ્વકર્મા રહે (ભાથુજીનગર ન્યુ.વી.આઇ રોડ વડોદરા) મંદિરે પહોંચ્યા હતા. ગત રોજ સાંજના સાડા સાત વાગ્યા હતા. ત્યારે શ્યામબહાદુરના મિત્ર રામસુરત વિશ્વકર્મા અને વિજય વિશ્વકર્મા મંદિરમા મળ્યા હતા. આયોજન નિમિત્તે રામસુરત અને વિજયના પત્ની કોઇ કારણોસર મંદિર આવી શક્યા ન હતા.
મંદિરમાં જમણવાર પણ રાખવામાં રાખવામાં આવ્યું હતું. જેથી રામસુરત અને વિજયે જમવાનું તેમની પત્ની માટે ઘરો લઇ જવાનું વિચાર્યું હતું. જેથી શિતલપ્રસાદ, શ્યામબહાદુર, રામસુરત તથા વિજય મંદિરના રસોડામાં ટિફિન લઇને પહોંચ્યા હતા. દરમિયાન રસોડામા કામ કરતા શિવશંકર વિશ્વનાથ વિશ્વકર્મા રહે (શાંતિનગર સોસાયટી ન્યુ સમા રોડ વડોદરા) એ રામસુરત તેમજ વિજયને અપશબ્દો બોલવાનુ શરૂ કરી દિધું હતું. અને જણાવ્યું હતું કે બીજાના ટિફિન કેમ ભરવા આવો છો. આ વચ્ચે શ્યામબહાદુરે દરમિયાનગીરી કરી હતી અને શિવશંકરને જણાવ્યું હતું કે ઝગડો શા માટે કરે છે. આ વાત સાંભળી શિવશંકર ખુબ ઉશ્કેરાઇ ગયો હતો. અને શિવશંકર શ્યામબહાદુરને પણ અપશબ્દો બોલવાના શરૂ કરી દિધા હતા. અને અચાનક શિવશંકરે નજીકના તપેલામાં મુકેલ તાવેથો લઇ શ્યામબહાદુરના માથામા મારી દીધું હતુ. આથી શ્યામબહાદુરનું માથુ ફાટી ગયું હતું. અને તેઓ ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ઇજાગ્રસ્ત શ્યામબહાદુરને તાતકાલીક ધોરણે સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતા. આ મામલે બાપોદ પોલીસ મથકે હત્યાના પ્રયાસ જેવી કલમો અંતર્ગત ફરીયાદ નોંધાઇ હતી. પોલીસે ફરિયાદના આધારે શિવશંકરની ધરપકડ કરીને આગળની કાયદેસરની કર્યવાહી હાથ ધરી હતી.
- વિશ્વકર્મા મંદિરમાં કાર્યક્રમનુ આયોજન કરાયું હતું
- યુવકની પત્ની માટે ટિફિન મંદિરમાથી ભરી જવાના મુદ્દે થયો હતો હુમલો
- બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા યુવકે એકનું માથુ ફાડી નાખિયું
- બાપોદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કર્યવાહી હાથ ધરી
WatchGujarat. વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં વિશ્વકર્મા જયંતી નિમિત્તે મહાપ્રસાદીમા ટિફિન ભરવા બાબતે ઝગડો થયા બાદ મામલો હિંસક બન્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા રસોઇયાએ તાવેથા વડે એક યુવકનું માથુ ફોડી નાખ્યું હતું. આ બનાવ અંગે બાપોદ પોલીસ મથકે હત્યાના પ્રયાસ જેવી કલમો અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી.
મુળ ઉત્તર પ્રદેશના અને હાલ વડોદરા શહેરમાં ખોડીયાર નગર વિસ્તારના ક્રૃષ્ણાનગરમાં રહેતા શિતલપ્રસાદ દુધનાથ મિસ્ત્રી (ઉ.36 વર્ષ) સુથાર કામ કરે છે. તેણે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રોજ વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતી નિમિત્તે સવારથી મુખીનગર ત્રણ રસ્તા પાસે આવેલ વિશ્વકર્મા મંદિરમાં કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. અને સાથે જ ત્યા જમણવારનો કર્યક્રમ પણ હતો. જેમા સમાજના લોકો ભેગા થયા હતા.
વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતી નિમિત્તે શિતલપ્રસાદ અને તેના કાકા શ્યામબહાદુર જગદીશ વિશ્વકર્મા રહે (ભાથુજીનગર ન્યુ.વી.આઇ રોડ વડોદરા) મંદિરે પહોંચ્યા હતા. ગત રોજ સાંજના સાડા સાત વાગ્યા હતા. ત્યારે શ્યામબહાદુરના મિત્ર રામસુરત વિશ્વકર્મા અને વિજય વિશ્વકર્મા મંદિરમા મળ્યા હતા. આયોજન નિમિત્તે રામસુરત અને વિજયના પત્ની કોઇ કારણોસર મંદિર આવી શક્યા ન હતા.
મંદિરમાં જમણવાર પણ રાખવામાં રાખવામાં આવ્યું હતું. જેથી રામસુરત અને વિજયે જમવાનું તેમની પત્ની માટે ઘરો લઇ જવાનું વિચાર્યું હતું. જેથી શિતલપ્રસાદ, શ્યામબહાદુર, રામસુરત તથા વિજય મંદિરના રસોડામાં ટિફિન લઇને પહોંચ્યા હતા. દરમિયાન રસોડામા કામ કરતા શિવશંકર વિશ્વનાથ વિશ્વકર્મા રહે (શાંતિનગર સોસાયટી ન્યુ સમા રોડ વડોદરા) એ રામસુરત તેમજ વિજયને અપશબ્દો બોલવાનુ શરૂ કરી દિધું હતું. અને જણાવ્યું હતું કે બીજાના ટિફિન કેમ ભરવા આવો છો. આ વચ્ચે શ્યામબહાદુરે દરમિયાનગીરી કરી હતી અને શિવશંકરને જણાવ્યું હતું કે ઝગડો શા માટે કરે છે. આ વાત સાંભળી શિવશંકર ખુબ ઉશ્કેરાઇ ગયો હતો. અને શિવશંકર શ્યામબહાદુરને પણ અપશબ્દો બોલવાના શરૂ કરી દિધા હતા. અને અચાનક શિવશંકરે નજીકના તપેલામાં મુકેલ તાવેથો લઇ શ્યામબહાદુરના માથામા મારી દીધું હતુ. આથી શ્યામબહાદુરનું માથુ ફાટી ગયું હતું. અને તેઓ ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ઇજાગ્રસ્ત શ્યામબહાદુરને તાતકાલીક ધોરણે સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતા. આ મામલે બાપોદ પોલીસ મથકે હત્યાના પ્રયાસ જેવી કલમો અંતર્ગત ફરીયાદ નોંધાઇ હતી. પોલીસે ફરિયાદના આધારે શિવશંકરની ધરપકડ કરીને આગળની કાયદેસરની કર્યવાહી હાથ ધરી હતી.