સવારે થયેલી મિટીંગ બાદ પોલીસ તંત્ર કામે લાગ્યું
વડોદરા શહેરનાં સયાજીગંજ અને સ્ટેશન વિસ્તારમાંથી ભિક્ષુકોને લઇ જવાયા
મહિલા-બાળ વિકાસમંત્રી મનિષા વકીલે જણાવ્યું હતુ કે 100 દિવસમાં ભિક્ષુકમુક્ત વડોદરા બનાવવાનો ટાર્ગેટ
સયાજીગંજ પોલીસના સ્ટાફ દ્વારા વિસ્તારમાંથી ભિક્ષુકોને શોધી તેમને શેલ્ટર હોમમાં લઇ જવાની કામગીરીમાં લાગી
Watchgujrat. નવી સરકાર અને નવા મુખ્યમંત્રી બનતા રાજ્યમાં અનેક નવા નિયમો બહાર પાડવામાં આવ્યા હતા જેને લઇને નવા મંત્રીમંડળ કામે લાગ્યુ હોય તેમ જોવા મળી રહ્યું છે. હાલમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા ત્યારે રસ્તે રખડતા ઢોર અને શહેરમાં ફરતા ભિક્ષુકોને લઇને નિવારણ લાવવા મેયર કેયુર રોકડિયાને ટકોર કરી હતી. જે અંતર્ગત સયાજીગંજ પોલીસ દ્વારા સ્ટેશન અને આસપસાના વિસ્તારમાંથી ભિક્ષુકોને લઇ જવામાં આવ્યા હતા. તમામને બસમાં બેસાડી શેલ્ટર હોમમાં લઇ જવામાં આવશે.
આજે સવારે જ વડોદરા સર્કીટ હાઉસમાં એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજ્યનાં મહિલા-બાળ વિકાસ મંત્રી મનિષા વકીલ ખાસ હાજર રહ્યા હતા. અને મિટીંગ બાદ મિડીયાને માહિતી આપી હતી.જેમાં તેમણે જણાવ્યું હતુ કે આજે પોલીસ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવશે. જેની શરૂઆત સયાજીગંજ અને સ્ટેશન વિસ્તારમાંથી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભિક્ષુકોની સમસ્યાના નિરાકરણ માટે આજે મિટીંગ બોલાવાઇ હતી. તેની વિગતો મનિષા વકીલે દ્વારા મિડીયાને આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે આ મિટીંગનો મુખ્ય ઉદ્દેશ્ય ભિક્ષુક હવે ભિક્ષુક ન રહી સામાન્ય માણસ બને તે હતો.ભિક્ષુક પોતાના પગભર થાય તે માટે સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે.અને 100 દિવસમાં ભિક્ષુકમુક્ત વડોદરા કરવું એ અમારો ટાર્ગેટ છે.આ માટે આજથી જ પોલીસ દ્વારા મેગા ડ્રાય કરવામાં આવશે.
મહિલા-બાળ વિકાસ મંત્રી મનિષા વકીલે જણાવ્યું હતુ કે રાજ્યનાં અન્ય મેટ્રોસિટીમાં આ કામગીરી શરૂ થઇ ગઇ છે.જ્યારે વડોદરામાં પણ આ અંગે કામગીરી હાલમાં ચાલી રહી છે.આ કામગીરી અંતર્ગત અમારો ઉદ્દેશ્ય એ છે કે દરેક ભિક્ષુકને ઓળખ પત્ર આપવામાં આવે.અને સરકારી યોજનાનો લાભ આપવામાં આવે.આ સાથે અનાથ બાળકો,વિધવા સ્ત્રીઓ અને વિધુર પુરુષનો પણ તેને મળતા સરકારી યોજનાના લાભથી જાગૃત કરવામાં આવે.આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી એક કમિટીની રચના કરવામાં આવી છે.આ સાથે કોર્પોરેશન દ્વારા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે.જે અંતર્ગત જે પણ વિસ્તારમાં વધારે ભિક્ષુકો જોવા મળે છે તેનું રજીસ્ટ્રેશન થશે અને દરેકને ઓળખપત્ર આપવામાં આવશે.
આ સર્વે પરથી એ પણ જાણી શકાશે કે ભિક્ષુક ક્યાં કારણથી ભિખ માંગી રહ્યા છે.પછી જે-તે જરૂરિયાત મુજબ તેને સરકારી યોજનાથી જાગૃત કરાવી પગભર કરવા માટેનાં તમામ પ્રયાસ છે. મનિષા વકીલે વધુમાં જણાવ્યું હતુ કે અમારા માટે સૌથી મોટો પડકાર એ છે કે ભિક્ષુક ફરી આ કાર્યમાં ન જોડાય અને પગભર બનીને સારુ જીવન જીવી શકે તે જ અમારો ઉદ્દેશ્ય છે.
સવારે થયેલી મિટીંગ બાદ પોલીસ તંત્ર કામે લાગ્યું
વડોદરા શહેરનાં સયાજીગંજ અને સ્ટેશન વિસ્તારમાંથી ભિક્ષુકોને લઇ જવાયા
મહિલા-બાળ વિકાસમંત્રી મનિષા વકીલે જણાવ્યું હતુ કે 100 દિવસમાં ભિક્ષુકમુક્ત વડોદરા બનાવવાનો ટાર્ગેટ
સયાજીગંજ પોલીસના સ્ટાફ દ્વારા વિસ્તારમાંથી ભિક્ષુકોને શોધી તેમને શેલ્ટર હોમમાં લઇ જવાની કામગીરીમાં લાગી
Watchgujrat. નવી સરકાર અને નવા મુખ્યમંત્રી બનતા રાજ્યમાં અનેક નવા નિયમો બહાર પાડવામાં આવ્યા હતા જેને લઇને નવા મંત્રીમંડળ કામે લાગ્યુ હોય તેમ જોવા મળી રહ્યું છે. હાલમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા ત્યારે રસ્તે રખડતા ઢોર અને શહેરમાં ફરતા ભિક્ષુકોને લઇને નિવારણ લાવવા મેયર કેયુર રોકડિયાને ટકોર કરી હતી. જે અંતર્ગત સયાજીગંજ પોલીસ દ્વારા સ્ટેશન અને આસપસાના વિસ્તારમાંથી ભિક્ષુકોને લઇ જવામાં આવ્યા હતા. તમામને બસમાં બેસાડી શેલ્ટર હોમમાં લઇ જવામાં આવશે.
આજે સવારે જ વડોદરા સર્કીટ હાઉસમાં એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજ્યનાં મહિલા-બાળ વિકાસ મંત્રી મનિષા વકીલ ખાસ હાજર રહ્યા હતા. અને મિટીંગ બાદ મિડીયાને માહિતી આપી હતી.જેમાં તેમણે જણાવ્યું હતુ કે આજે પોલીસ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવશે. જેની શરૂઆત સયાજીગંજ અને સ્ટેશન વિસ્તારમાંથી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભિક્ષુકોની સમસ્યાના નિરાકરણ માટે આજે મિટીંગ બોલાવાઇ હતી. તેની વિગતો મનિષા વકીલે દ્વારા મિડીયાને આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે આ મિટીંગનો મુખ્ય ઉદ્દેશ્ય ભિક્ષુક હવે ભિક્ષુક ન રહી સામાન્ય માણસ બને તે હતો.ભિક્ષુક પોતાના પગભર થાય તે માટે સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે.અને 100 દિવસમાં ભિક્ષુકમુક્ત વડોદરા કરવું એ અમારો ટાર્ગેટ છે.આ માટે આજથી જ પોલીસ દ્વારા મેગા ડ્રાય કરવામાં આવશે.
મહિલા-બાળ વિકાસ મંત્રી મનિષા વકીલે જણાવ્યું હતુ કે રાજ્યનાં અન્ય મેટ્રોસિટીમાં આ કામગીરી શરૂ થઇ ગઇ છે.જ્યારે વડોદરામાં પણ આ અંગે કામગીરી હાલમાં ચાલી રહી છે.આ કામગીરી અંતર્ગત અમારો ઉદ્દેશ્ય એ છે કે દરેક ભિક્ષુકને ઓળખ પત્ર આપવામાં આવે.અને સરકારી યોજનાનો લાભ આપવામાં આવે.આ સાથે અનાથ બાળકો,વિધવા સ્ત્રીઓ અને વિધુર પુરુષનો પણ તેને મળતા સરકારી યોજનાના લાભથી જાગૃત કરવામાં આવે.આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી એક કમિટીની રચના કરવામાં આવી છે.આ સાથે કોર્પોરેશન દ્વારા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે.જે અંતર્ગત જે પણ વિસ્તારમાં વધારે ભિક્ષુકો જોવા મળે છે તેનું રજીસ્ટ્રેશન થશે અને દરેકને ઓળખપત્ર આપવામાં આવશે.
આ સર્વે પરથી એ પણ જાણી શકાશે કે ભિક્ષુક ક્યાં કારણથી ભિખ માંગી રહ્યા છે.પછી જે-તે જરૂરિયાત મુજબ તેને સરકારી યોજનાથી જાગૃત કરાવી પગભર કરવા માટેનાં તમામ પ્રયાસ છે. મનિષા વકીલે વધુમાં જણાવ્યું હતુ કે અમારા માટે સૌથી મોટો પડકાર એ છે કે ભિક્ષુક ફરી આ કાર્યમાં ન જોડાય અને પગભર બનીને સારુ જીવન જીવી શકે તે જ અમારો ઉદ્દેશ્ય છે.