નર્મદા વિકાસ મંત્રી યોગેશભાઈ પટેલના અનુરોધને ત્વરિત પ્રતિસાદ
મહેસાણા અર્બન કો ઓપરેટીવ બેંક માંજલપુર વિસ્તારના શાકભાજીના ફેરિયાઓ નાના ધંધાદારીઓ ને ત્વરિત લોન આપશે
WatchGujarat. મહેસાણા અર્બન કો ઓપરેટીવ બેન્કે નર્મદા વિકાસ મંત્રીશ્રી યોગેશભાઈ પટેલના અનુરોધ ને ત્વરિત પ્રતિસાદ આપતાં માંજલપુર વિસ્તારના શાકભાજીના ફેરિયાઓ અને નાના ધંધાદારીઓ ને રૂ.૧૦ હજારની મર્યાદામાં ત્વરિત ધિરાણ આપવાની અને આવતીકાલ થી જ તેનો અમલ કરવાની જાહેરાત કરી હતી.
યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શાકભાજીના ફેરિયાઓ અને નાના ધંધાદારીઓ ને ખૂબ ઊંચા વ્યાજે રોજગારી માટે ધિરાણ લેવું પડે છે.હું એમનો જામીન બનવા તૈયાર છું પણ બેંક તેમને ધિરાણ આપે. બેંકના પ્રવક્તાએ તરત જ આવા લોકોને સરળતા થી ધિરાણ આપવાની જાહેરાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રીએ પણ આ ત્વરિત પ્રતિભાવને બિરદાવતા અને આનંદ વ્યક્ત કરતા મીઠી ટકોર કરી હતી કે બેંકની શાખા આવતીકાલ થી કામકાજ શરૂ કરશે પણ ધિરાણ આપવાની શરૂઆત તો આજ થી જ થઈ ગઈ. બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નાના લોકો ધિરાણ અચૂક પરત કરે છે અને ક્યારેય ડીફોલ્ટર થતાં નથી. નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે આજે વડોદરા શહેરના માંજલપુર ખાતે ધી મહેસાણા અર્બન કો.ઓપ. બેંકની ૨૦૦૦ જેટલા લોકર અને એ.ટી.એમ. સાથેની વાતનુંકુલિત નૂતન શાખાનો નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલ, સાંસદ રંજનબહેન ભટ્ટની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.
નિતીનપટેલે ઉમેર્યું કે મહેસાણા અર્બન બેંક ગુજરાતના સહકારી ક્ષેત્રની બીજા નંબરની સૌથી મોટી બેંક છે જેની ૫૮ મી શાખાનો પ્રારંભ થયો છે. જે ગૌરવની વાત છે. મહેસાણા અર્બન બેંક વડોદરાના વિકાસ માટે નાના વેપારીઓ, ઉદ્યોગકારો અને વેપારીઓને પોતાનો ધંધો રોજગાર વિકસાવવા ખૂબ જ સરળતાથી ઓછા વ્યાજે લોન ધિરાણ ઉપલબ્ધ કરાવશે.
તેમણે કહ્યું કે મહેસાણા અર્બન બેંક સમગ્ર દેશમાં દસમા નંબરનું સ્થાન ધરાવે છે.આ બેંક રૂ.૬૬૧૪ કરોડની ડિપોઝિટ, રૂ.૪૬૦૬ કરોડના ધિરાણ સાથે રૂ.૧૧૩૨૦ કરોડનું ટર્ન ઓવર કરે છે.માર્ચ - ૨૦૨૧ અંતિત બેન્કે રૂ.૨૦૭ કરોડનો ગ્રોસ નફો કર્યો છે. તેમણે ઉમેર્યું કે કોરોના મહામારીમાં રાજ્યમાં ધંધા ઉદ્યોગ ઠપ હતા ત્યારે રાજ્ય સરકારની વ્યાજ સહાયની શરૂઆત આ બેંક દ્વારા કરવામાં આવી હતી એટલુ જ નહિ નાના વેપારીઓ, કારીગર વર્ગને ઓછા વ્યાજે ધિરાણ આપવામાં આવ્યું હતું.
નર્મદા વિકાસ મંત્રી યોગેશભાઈ પટેલના અનુરોધને ત્વરિત પ્રતિસાદ
મહેસાણા અર્બન કો ઓપરેટીવ બેંક માંજલપુર વિસ્તારના શાકભાજીના ફેરિયાઓ નાના ધંધાદારીઓ ને ત્વરિત લોન આપશે
WatchGujarat. મહેસાણા અર્બન કો ઓપરેટીવ બેન્કે નર્મદા વિકાસ મંત્રીશ્રી યોગેશભાઈ પટેલના અનુરોધ ને ત્વરિત પ્રતિસાદ આપતાં માંજલપુર વિસ્તારના શાકભાજીના ફેરિયાઓ અને નાના ધંધાદારીઓ ને રૂ.૧૦ હજારની મર્યાદામાં ત્વરિત ધિરાણ આપવાની અને આવતીકાલ થી જ તેનો અમલ કરવાની જાહેરાત કરી હતી.
યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શાકભાજીના ફેરિયાઓ અને નાના ધંધાદારીઓ ને ખૂબ ઊંચા વ્યાજે રોજગારી માટે ધિરાણ લેવું પડે છે.હું એમનો જામીન બનવા તૈયાર છું પણ બેંક તેમને ધિરાણ આપે. બેંકના પ્રવક્તાએ તરત જ આવા લોકોને સરળતા થી ધિરાણ આપવાની જાહેરાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રીએ પણ આ ત્વરિત પ્રતિભાવને બિરદાવતા અને આનંદ વ્યક્ત કરતા મીઠી ટકોર કરી હતી કે બેંકની શાખા આવતીકાલ થી કામકાજ શરૂ કરશે પણ ધિરાણ આપવાની શરૂઆત તો આજ થી જ થઈ ગઈ. બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નાના લોકો ધિરાણ અચૂક પરત કરે છે અને ક્યારેય ડીફોલ્ટર થતાં નથી. નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે આજે વડોદરા શહેરના માંજલપુર ખાતે ધી મહેસાણા અર્બન કો.ઓપ. બેંકની ૨૦૦૦ જેટલા લોકર અને એ.ટી.એમ. સાથેની વાતનુંકુલિત નૂતન શાખાનો નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલ, સાંસદ રંજનબહેન ભટ્ટની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.
નિતીનપટેલે ઉમેર્યું કે મહેસાણા અર્બન બેંક ગુજરાતના સહકારી ક્ષેત્રની બીજા નંબરની સૌથી મોટી બેંક છે જેની ૫૮ મી શાખાનો પ્રારંભ થયો છે. જે ગૌરવની વાત છે. મહેસાણા અર્બન બેંક વડોદરાના વિકાસ માટે નાના વેપારીઓ, ઉદ્યોગકારો અને વેપારીઓને પોતાનો ધંધો રોજગાર વિકસાવવા ખૂબ જ સરળતાથી ઓછા વ્યાજે લોન ધિરાણ ઉપલબ્ધ કરાવશે.
તેમણે કહ્યું કે મહેસાણા અર્બન બેંક સમગ્ર દેશમાં દસમા નંબરનું સ્થાન ધરાવે છે.આ બેંક રૂ.૬૬૧૪ કરોડની ડિપોઝિટ, રૂ.૪૬૦૬ કરોડના ધિરાણ સાથે રૂ.૧૧૩૨૦ કરોડનું ટર્ન ઓવર કરે છે.માર્ચ - ૨૦૨૧ અંતિત બેન્કે રૂ.૨૦૭ કરોડનો ગ્રોસ નફો કર્યો છે. તેમણે ઉમેર્યું કે કોરોના મહામારીમાં રાજ્યમાં ધંધા ઉદ્યોગ ઠપ હતા ત્યારે રાજ્ય સરકારની વ્યાજ સહાયની શરૂઆત આ બેંક દ્વારા કરવામાં આવી હતી એટલુ જ નહિ નાના વેપારીઓ, કારીગર વર્ગને ઓછા વ્યાજે ધિરાણ આપવામાં આવ્યું હતું.