બરોડા ડેરી મુદ્દે ભાજપમાં ઘમાસાણ, વિરોધ પ્રદર્શન વચ્ચે ડેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના સર્કિટ હાઉસ ખાતે પ્રતિક ધરણા, સાસંદ રંજનબેન ભટ્ટ પણ પહોંચ્યા
કેતન ઈનામદારના સમર્થકોને ડેરી પહોચતા અટકાવાયા, આજે બરોડા ડેરી સામે ધરણા કરવાની મંજૂરી મળી નથી
કેતન ઈનામદારે હલ્લાબોલની ચીમકી ઉચ્ચારી, 'જે પણ પરિણામ આવશે તે આવે.'- કેતન ઈનામદાર
WatchGujarat. પશુપાલકોને બરોડા ડેરી દ્વારા ભાવ વધારો ન ચૂકવાતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાને પડયા છે. ધારાસભ્ય કેતન ઇનામદારને આજે બરોડા ડેરી સામે ધરણા રવાની મંજૂરી ન મળતા હાલ તેઓ સર્કિટ હાઉસ ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા છે. જ્યાં તેઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે હું હાલ સર્કિટ હાઉસમાં ધરણાં પર બેઠો છું. પરંતુ જો આ મુદ્દે યોગ્ય પરિણામ નહીં આવે તો અમારી આ લડત ચાલું રહેશે. ઉલ્લેખનીય છે કે કેતન ઇનામદારના સમર્થકોને પણ સાવલી અને વડોદરામાં અટકાવવામાં આવ્યા છે. આ સાથે બરોડા ડેરીની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
કેતન ઈનામદારે હલ્લાબોલની ચીમકી ઉચ્ચારી
આ અંગે મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, ગુરૂવારનો હલ્લાબોલનો અમારો કાર્યક્રમ યથાવત રહેશે. આજે અમને પોલીસ પરમિશન ન મળતા હાલ હું સર્કિટ હાઉસ ખાતે પ્રતિક ઉપવાસ પર છું. પરંતુ જો બુધવાર સુધીમાં ડેરીના સત્તાધીશો દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય તો અમારો હલ્લાબોલનો કાર્યક્રમ અવિરત રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, એક જવાબદાર વ્યક્તિ અને ધારાસભ્ય તરીકે પોલીસ પરવાનગી વિના હું આંદોલન ન કરી શકું. પરંતુ આશા રાખુ છું કે ડેરીના સત્તાધીશો આ મામલે યોગ્ય નિર્ણય લે. સમાધાનની સંભાવનાઓને નકારતાં કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, આ વખતે કોઈ સમાધાન નહીં થાય, સભાસદો અને દૂધ ઉત્પાદકોને જે ભાવફેર મળવા પાત્ર છે તે મળવો જ જોઈએ.
મને ડેરીના સત્તાધીશો પણ હવે કોઈ વિશ્વાસ રહ્યો નથી – કેતન ઇનામદાર
ઉલ્લેખનીય છે કે અગાઉ આ મામલે ડેરીના સત્તાધીશો સાથે કેતન ઈનામદારનું સમાધાન થયું હતું. પરંતુ તે બાદ પણ યોગ્ય ભાવફેર ન મળતાં આ મુદ્દો ફરી વકર્યો છે. જે અંગે ધારાસભ્ય કેતન ઈનામદારે કહ્યું કે, મને ડેરીના સત્તાધીશો પણ હવે કોઈ વિશ્વાસ રહ્યો નથી. આ અગાઉ પણ તેઓ દ્વારા સામાન્ય સભામાં દૂધ ઉત્પાદકો અને સભાસદોને ભાવફેર આપવાની વાત કરવામાં આવી હતી. તેમ છતાં આ વખતની સામાન્ય સભામાં નફ્ફટાઈથી કોઈ પ્રકારનું પરિણામ ન આપ્યું. જેથી હવે મને તેમના પર વિશ્વાસ રહ્યો નથી. તેમ છતાં મોડવી મંડળના સભ્યો મધ્યસ્થી કરીને જે પરિણામ લાવવા જઈ રહ્યું છે તે પછી હું આશા રાખુ છું કે બરોડા ડેરીના સત્તાધીશોને ભગવાન સતબુદ્ધી આપે અને તેઓ યોગ્ય નિર્ણય આપે.
બરોડા ડેરીના સત્તાધીશોનું આ જ વલણ રહેશે તો આગામી સમયમાં આ લડત ઉગ્ર સ્વરૂપ લેશે
કેતન ઈનામદારે હલ્લાબોલની ચીમકી ઉચ્ચારી આ મામલે ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું છે કે, બરોડા ડેરીનો કરોડોનો વેપાર નાનામાં નાના પશુપાલકો પર નિર્ભર છે. ત્યારે તેમને જ ભાવ ફેર આપવાની વાત ફગાવે છે. પશુપાલકોના ભાવફેર અપાવવા માટેની અમારી આ લડત છે. બરોડા ડેરીના સત્તાધીશોનું આ જ વલણ રહેશે તો આગામી સમયમાં આ લડત ઉગ્ર સ્વરૂપ લેશે. તેનું પરિણામ ભોગવવા તેઓ તૈયાર રહે. ઉલ્લેખનીય છે કે ડેરી દ્વારા યોગ્ય ભાવફેરની રકમ ન આપવામાં આવતા ગઈકાલે કેતન ઈનામદારના ફાર્મહાઉસ ખાતે જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા અને સાવલી, ડેસર અને ડભોઈના 150 જેટલા મંડળીના મંત્રીઓ વચ્ચે મિટિંગ યોજાઈ હતી.
ધારાસભ્ય કેતનભાઈની માંગ અંગે એકલા ડેરીના ચેરમેન નિર્ણય ન લઈ શકે - સાંસદ રંજન બેન ભટ્ટ
આ સમયે સાંસદ રંજન બેન ભટ્ટ પણ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, ગઈ કાલે બરોડા ડેરીમાં જે બેઠક થઈ તેમાં હુ પણ હાજર હતી. પરંતુ ડેરીના સત્તાધીશો શહેરમાં હાજર ન હોવાથી બેઠક રદ્દ કરવામાં આવી હતી. ડેરીના સત્તાધીશો આજે સાંજ સુધી પરત આવશે. ત્યારે તેમની સાથે આ મામલે ચર્ચા કરવામાં આવશે. ધારાસભ્ય કેતનભાઈની માંગ અંગે એકલા ડેરીના ચેરમેન નિર્ણય ન લઈ શકે, આ માટે અન્ય સત્તાધીશો હાજર રહેવું જરૂરી છે. જેથી સભાસદો માટે કેતન ઈનામદારની જે રજૂઆત છે તે અંગે ડેરીના સત્તાધીશો સાથે અમે ચર્ચા કરીશું અને આ મુદ્દે ઉકેલ આવે તે અંગે પ્રયત્ન કરીશું. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આવતી કાલે કેતન ઈનામદારની પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી સાથે મુલાકાત થશે. આ મામલે યોગ્ય ઉકેલ આવે તે દિશામાં પ્રયત્નો ચાલું છે.
બરોડા ડેરીના સત્તાધીશો જે પોતાની મનમાની કરવા ટેવાયેલા છે, તેઓ પોતે આ ડેરીના માલિક બનીને બેઠા છે
સાવલી ધારાસભ્ય કેતન ઈનામદારના જણાવ્યાં પ્રમાણે ભાજપ પ્રદેસ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે તેઓની હાલમાં જ ફોન પર વાત થઈ હતી. જે બાદ આવતી કાલે સી.આર.પાટીલ કેતન ઈનામદારને મળવા આવી શકે તેવી સંભાવના છે. આ અંગે કેતન ઈનામદારે વધુમાં જણાવ્યું કે, ગુરૂવાર પહેલા ભાવફેર મુદ્દે સારૂ પરિણામ આવી શકે છે. બરોડા ડેરીના સત્તાધીશો જે પોતાની મનમાની કરવા ટેવાયેલા છે, તેઓ પોતે આ ડેરીના માલિક બનીને જે બેઠા છે. જો તેઓ મનસ્વી વહીવટ કરશે તો ઠીક. નહીંતર અત્યારે ભર વરસાદમાં પણ વડોદરા અને છોટાઉદેપૂરના ગામડાંઓમાંથી પશુપાલકો અહિંયા આવ્યા છે, તેમને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છતાં પણ અડિખમ રહ્યાં છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આ આક્રોશ જોવા મળશે. પીક્ચર અભિ બાકી હે, ગુરૂવારે પૂરૂ પીક્ચર જોવા મળશે. આ 2.50 લાખ જેટલા પશુપાલકોના હિતની વાત છે.
આ સાથે કેતન ઈનામદારે બરોડા ડેરીના સત્તાધીશોને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, મને જાણવા મળ્યું છે કે સત્તાધીશો બહાર ગયા છે. જ્યારે અહિંયા દૂધ ઉત્પાદકો પોતાના હક માટે વહેલી સવારથી વડોદરા પહોંચવા માટે નિકળ્યા છે. ભરવરસાદ માં પણ આ પશૂપાલકો ભાવફેર મેળવવા માટે લગત ચલાવી રહ્યાં છે. હવે આવા ડેરીના વહીવટ કર્તાઓ પાસે જનતા અપેક્ષા પણ શું રાખે.
બરોડા ડેરી મુદ્દે ભાજપમાં ઘમાસાણ, વિરોધ પ્રદર્શન વચ્ચે ડેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના સર્કિટ હાઉસ ખાતે પ્રતિક ધરણા, સાસંદ રંજનબેન ભટ્ટ પણ પહોંચ્યા
કેતન ઈનામદારના સમર્થકોને ડેરી પહોચતા અટકાવાયા, આજે બરોડા ડેરી સામે ધરણા કરવાની મંજૂરી મળી નથી
કેતન ઈનામદારે હલ્લાબોલની ચીમકી ઉચ્ચારી, 'જે પણ પરિણામ આવશે તે આવે.'- કેતન ઈનામદાર
WatchGujarat. પશુપાલકોને બરોડા ડેરી દ્વારા ભાવ વધારો ન ચૂકવાતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાને પડયા છે. ધારાસભ્ય કેતન ઇનામદારને આજે બરોડા ડેરી સામે ધરણા રવાની મંજૂરી ન મળતા હાલ તેઓ સર્કિટ હાઉસ ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા છે. જ્યાં તેઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે હું હાલ સર્કિટ હાઉસમાં ધરણાં પર બેઠો છું. પરંતુ જો આ મુદ્દે યોગ્ય પરિણામ નહીં આવે તો અમારી આ લડત ચાલું રહેશે. ઉલ્લેખનીય છે કે કેતન ઇનામદારના સમર્થકોને પણ સાવલી અને વડોદરામાં અટકાવવામાં આવ્યા છે. આ સાથે બરોડા ડેરીની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
કેતન ઈનામદારે હલ્લાબોલની ચીમકી ઉચ્ચારી
આ અંગે મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, ગુરૂવારનો હલ્લાબોલનો અમારો કાર્યક્રમ યથાવત રહેશે. આજે અમને પોલીસ પરમિશન ન મળતા હાલ હું સર્કિટ હાઉસ ખાતે પ્રતિક ઉપવાસ પર છું. પરંતુ જો બુધવાર સુધીમાં ડેરીના સત્તાધીશો દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય તો અમારો હલ્લાબોલનો કાર્યક્રમ અવિરત રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, એક જવાબદાર વ્યક્તિ અને ધારાસભ્ય તરીકે પોલીસ પરવાનગી વિના હું આંદોલન ન કરી શકું. પરંતુ આશા રાખુ છું કે ડેરીના સત્તાધીશો આ મામલે યોગ્ય નિર્ણય લે. સમાધાનની સંભાવનાઓને નકારતાં કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, આ વખતે કોઈ સમાધાન નહીં થાય, સભાસદો અને દૂધ ઉત્પાદકોને જે ભાવફેર મળવા પાત્ર છે તે મળવો જ જોઈએ.
મને ડેરીના સત્તાધીશો પણ હવે કોઈ વિશ્વાસ રહ્યો નથી – કેતન ઇનામદાર
ઉલ્લેખનીય છે કે અગાઉ આ મામલે ડેરીના સત્તાધીશો સાથે કેતન ઈનામદારનું સમાધાન થયું હતું. પરંતુ તે બાદ પણ યોગ્ય ભાવફેર ન મળતાં આ મુદ્દો ફરી વકર્યો છે. જે અંગે ધારાસભ્ય કેતન ઈનામદારે કહ્યું કે, મને ડેરીના સત્તાધીશો પણ હવે કોઈ વિશ્વાસ રહ્યો નથી. આ અગાઉ પણ તેઓ દ્વારા સામાન્ય સભામાં દૂધ ઉત્પાદકો અને સભાસદોને ભાવફેર આપવાની વાત કરવામાં આવી હતી. તેમ છતાં આ વખતની સામાન્ય સભામાં નફ્ફટાઈથી કોઈ પ્રકારનું પરિણામ ન આપ્યું. જેથી હવે મને તેમના પર વિશ્વાસ રહ્યો નથી. તેમ છતાં મોડવી મંડળના સભ્યો મધ્યસ્થી કરીને જે પરિણામ લાવવા જઈ રહ્યું છે તે પછી હું આશા રાખુ છું કે બરોડા ડેરીના સત્તાધીશોને ભગવાન સતબુદ્ધી આપે અને તેઓ યોગ્ય નિર્ણય આપે.
બરોડા ડેરીના સત્તાધીશોનું આ જ વલણ રહેશે તો આગામી સમયમાં આ લડત ઉગ્ર સ્વરૂપ લેશે
કેતન ઈનામદારે હલ્લાબોલની ચીમકી ઉચ્ચારી આ મામલે ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું છે કે, બરોડા ડેરીનો કરોડોનો વેપાર નાનામાં નાના પશુપાલકો પર નિર્ભર છે. ત્યારે તેમને જ ભાવ ફેર આપવાની વાત ફગાવે છે. પશુપાલકોના ભાવફેર અપાવવા માટેની અમારી આ લડત છે. બરોડા ડેરીના સત્તાધીશોનું આ જ વલણ રહેશે તો આગામી સમયમાં આ લડત ઉગ્ર સ્વરૂપ લેશે. તેનું પરિણામ ભોગવવા તેઓ તૈયાર રહે. ઉલ્લેખનીય છે કે ડેરી દ્વારા યોગ્ય ભાવફેરની રકમ ન આપવામાં આવતા ગઈકાલે કેતન ઈનામદારના ફાર્મહાઉસ ખાતે જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા અને સાવલી, ડેસર અને ડભોઈના 150 જેટલા મંડળીના મંત્રીઓ વચ્ચે મિટિંગ યોજાઈ હતી.
ધારાસભ્ય કેતનભાઈની માંગ અંગે એકલા ડેરીના ચેરમેન નિર્ણય ન લઈ શકે - સાંસદ રંજન બેન ભટ્ટ
આ સમયે સાંસદ રંજન બેન ભટ્ટ પણ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, ગઈ કાલે બરોડા ડેરીમાં જે બેઠક થઈ તેમાં હુ પણ હાજર હતી. પરંતુ ડેરીના સત્તાધીશો શહેરમાં હાજર ન હોવાથી બેઠક રદ્દ કરવામાં આવી હતી. ડેરીના સત્તાધીશો આજે સાંજ સુધી પરત આવશે. ત્યારે તેમની સાથે આ મામલે ચર્ચા કરવામાં આવશે. ધારાસભ્ય કેતનભાઈની માંગ અંગે એકલા ડેરીના ચેરમેન નિર્ણય ન લઈ શકે, આ માટે અન્ય સત્તાધીશો હાજર રહેવું જરૂરી છે. જેથી સભાસદો માટે કેતન ઈનામદારની જે રજૂઆત છે તે અંગે ડેરીના સત્તાધીશો સાથે અમે ચર્ચા કરીશું અને આ મુદ્દે ઉકેલ આવે તે અંગે પ્રયત્ન કરીશું. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આવતી કાલે કેતન ઈનામદારની પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી સાથે મુલાકાત થશે. આ મામલે યોગ્ય ઉકેલ આવે તે દિશામાં પ્રયત્નો ચાલું છે.
બરોડા ડેરીના સત્તાધીશો જે પોતાની મનમાની કરવા ટેવાયેલા છે, તેઓ પોતે આ ડેરીના માલિક બનીને બેઠા છે
સાવલી ધારાસભ્ય કેતન ઈનામદારના જણાવ્યાં પ્રમાણે ભાજપ પ્રદેસ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે તેઓની હાલમાં જ ફોન પર વાત થઈ હતી. જે બાદ આવતી કાલે સી.આર.પાટીલ કેતન ઈનામદારને મળવા આવી શકે તેવી સંભાવના છે. આ અંગે કેતન ઈનામદારે વધુમાં જણાવ્યું કે, ગુરૂવાર પહેલા ભાવફેર મુદ્દે સારૂ પરિણામ આવી શકે છે. બરોડા ડેરીના સત્તાધીશો જે પોતાની મનમાની કરવા ટેવાયેલા છે, તેઓ પોતે આ ડેરીના માલિક બનીને જે બેઠા છે. જો તેઓ મનસ્વી વહીવટ કરશે તો ઠીક. નહીંતર અત્યારે ભર વરસાદમાં પણ વડોદરા અને છોટાઉદેપૂરના ગામડાંઓમાંથી પશુપાલકો અહિંયા આવ્યા છે, તેમને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છતાં પણ અડિખમ રહ્યાં છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આ આક્રોશ જોવા મળશે. પીક્ચર અભિ બાકી હે, ગુરૂવારે પૂરૂ પીક્ચર જોવા મળશે. આ 2.50 લાખ જેટલા પશુપાલકોના હિતની વાત છે.
આ સાથે કેતન ઈનામદારે બરોડા ડેરીના સત્તાધીશોને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, મને જાણવા મળ્યું છે કે સત્તાધીશો બહાર ગયા છે. જ્યારે અહિંયા દૂધ ઉત્પાદકો પોતાના હક માટે વહેલી સવારથી વડોદરા પહોંચવા માટે નિકળ્યા છે. ભરવરસાદ માં પણ આ પશૂપાલકો ભાવફેર મેળવવા માટે લગત ચલાવી રહ્યાં છે. હવે આવા ડેરીના વહીવટ કર્તાઓ પાસે જનતા અપેક્ષા પણ શું રાખે.