વડોદરા સંસ્કારી નગરી હવે ખાડાનગરી બની રહી હોય તેમ લાગી રહ્યું છે
શહેરના અનેક વિસ્તારમાં એકાએક મોટા ભુવા પડતા વડોદરાવાસીઓની મુશ્કેલીઓમાં વધારો
ગોરવા વિસ્તારમાં 10 દિવસ અગાઉ પડેલા ભુવાનું સમારકામ કરવામાં તંત્રની ઉદાસિનતા સામે આવી
અનેક રજૂઆત છતાં પાલિકા તંત્ર દ્વારા માત્ર આડસ લાગાવવામાં આવી, ભુવાનું સમારકામ ન થતાં સ્થાનિકોમાં રોષ
WatchGujarat. દર વર્ષે ચોમાસાની ઋતુમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી લઈને બિસ્માર રસ્તાઓની સમસ્યા સર્જાતી હોય છે. વડોદરાને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરનું તંત્ર લોકોને રોડ-રસ્તા, પીવાનું પાણી સહિતની અનેક જીવન જરૂરિયાતની સુવિધાઓ પુરી પાડવામાં પણ ઉણું ઉતર્યું છે. જેના અનેક ઉદાહરણો આપણી સમક્ષ અવાર નવાર આવતાં હોય છે. તંત્રની ઉદાસીનતાનું આવું જ એક ઉદાહરણ શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સિલ્વર પાર્ક સોસાયટી પાસે જોવા મળ્યું છે. આ સોસાયટીના ગેટ પાસે આવેલા કોરડીયા રોડ પર આખેઆખો માણસ સમાઈ જાય એટલો મોટો ભુવો પડ્યો છે. 10 દિવસ પહેલા આ રોડ પર એકાએક ભુવો પડ્યો હતો. જેની સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરતા અહિંયા આડસ મુકવામાં આવ્યા છે. પરંતુ 10 દિવસ વિતી ગયા હોવા છતાં તંત્ર જાણે નિદ્રામાં હોય એમ ભુવાનું કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. જેના કારણે સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી છે.
શહેરમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં રસ્તાઓ ઉબડ-ખાબડ થઈ જાય છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં એકાએક ભુવા પડતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સિલ્વર પાર્ક સોસાયટીના રહેવાસી જૈમિન રાણાના જણાવ્યા પ્રમાણે, 10 દિવસ અગાઉ સોસાયટીની બહાર આવેલા મુખ્ય રોડ પર મોટો ભુવો પડ્યો હતો. જે અંગે અમે તંત્રને જાણ કરી હતી. તંત્ર દ્વારા એ સમયે અહિંયા આડસ મુકવામાં આવ્યાં છે. પરંતુ 10 દિવસ વિતી ગયા છતાં આ ભુવાનું સમારકામ કરવામાં આવતું નથી. સમય જતાં આ ભુવો મોટો થતો જાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ભુવાના કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોને પણ પારાવાંર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગ પર ભુવો હોવાને કારણે અહિંયા ટ્રાફિકની સમસ્યા પર સર્જાય છે. તંત્રને આ અંગે વાંરવાર રજૂઆત કરવા છતાં પણ તેમના દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી.
વડોદરા મહાનગરપાલિકા તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ આ અંગે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. કોરડીયા રોડ પર છેલ્લા 10 દિવસ રહેલા આ ભુવાનું સમારકામ ન થતાં અનેક પ્રકારની સમસ્યા સર્જાઈ રહી છે. ભુવામાં પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. મહત્વનું છે કે જો વહેલી તકે આ ભુવાનું સમારકાર કરાવવામાં નહીં આવે તો અહિંના સ્થાનિકો મચ્છર જન્ય રોગનો ભોગ બની શકે છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ શહેરના અકોટા વિસ્તારમાં આવેલી હવેલી પાસે આખેઆખો માણસ સમાઈ જાય તેવો મોટો ભુવો પડતા લોકો ટ્રાફિકમાં અટવાયા હતાં. એટલું જ નહીં હાલ વડોદરાના મોટાભાગન રસ્તાઓ ઉબડ-ખાબડ છે. અગાઉ પણ ચોમાસાની ઋતુમાં ભુવાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ત્યારે દર વર્ષે સર્જાતી સમસ્યાનું કોઈ કાયમી સમાધાન નહિં હોવાને કારણે લોકે વર્ષે સુધી આ મુશ્કેલી વેઠવી પડે છે. આવા ઉદાસીન તંત્ર પાસે લોકો શું અપેક્ષા રાખે તે હવે વિચારવાનું રહ્યું.
વડોદરા સંસ્કારી નગરી હવે ખાડાનગરી બની રહી હોય તેમ લાગી રહ્યું છે
શહેરના અનેક વિસ્તારમાં એકાએક મોટા ભુવા પડતા વડોદરાવાસીઓની મુશ્કેલીઓમાં વધારો
ગોરવા વિસ્તારમાં 10 દિવસ અગાઉ પડેલા ભુવાનું સમારકામ કરવામાં તંત્રની ઉદાસિનતા સામે આવી
અનેક રજૂઆત છતાં પાલિકા તંત્ર દ્વારા માત્ર આડસ લાગાવવામાં આવી, ભુવાનું સમારકામ ન થતાં સ્થાનિકોમાં રોષ
WatchGujarat. દર વર્ષે ચોમાસાની ઋતુમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી લઈને બિસ્માર રસ્તાઓની સમસ્યા સર્જાતી હોય છે. વડોદરાને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરનું તંત્ર લોકોને રોડ-રસ્તા, પીવાનું પાણી સહિતની અનેક જીવન જરૂરિયાતની સુવિધાઓ પુરી પાડવામાં પણ ઉણું ઉતર્યું છે. જેના અનેક ઉદાહરણો આપણી સમક્ષ અવાર નવાર આવતાં હોય છે. તંત્રની ઉદાસીનતાનું આવું જ એક ઉદાહરણ શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સિલ્વર પાર્ક સોસાયટી પાસે જોવા મળ્યું છે. આ સોસાયટીના ગેટ પાસે આવેલા કોરડીયા રોડ પર આખેઆખો માણસ સમાઈ જાય એટલો મોટો ભુવો પડ્યો છે. 10 દિવસ પહેલા આ રોડ પર એકાએક ભુવો પડ્યો હતો. જેની સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરતા અહિંયા આડસ મુકવામાં આવ્યા છે. પરંતુ 10 દિવસ વિતી ગયા હોવા છતાં તંત્ર જાણે નિદ્રામાં હોય એમ ભુવાનું કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. જેના કારણે સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી છે.
શહેરમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં રસ્તાઓ ઉબડ-ખાબડ થઈ જાય છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં એકાએક ભુવા પડતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સિલ્વર પાર્ક સોસાયટીના રહેવાસી જૈમિન રાણાના જણાવ્યા પ્રમાણે, 10 દિવસ અગાઉ સોસાયટીની બહાર આવેલા મુખ્ય રોડ પર મોટો ભુવો પડ્યો હતો. જે અંગે અમે તંત્રને જાણ કરી હતી. તંત્ર દ્વારા એ સમયે અહિંયા આડસ મુકવામાં આવ્યાં છે. પરંતુ 10 દિવસ વિતી ગયા છતાં આ ભુવાનું સમારકામ કરવામાં આવતું નથી. સમય જતાં આ ભુવો મોટો થતો જાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ભુવાના કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોને પણ પારાવાંર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગ પર ભુવો હોવાને કારણે અહિંયા ટ્રાફિકની સમસ્યા પર સર્જાય છે. તંત્રને આ અંગે વાંરવાર રજૂઆત કરવા છતાં પણ તેમના દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી.
વડોદરા મહાનગરપાલિકા તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ આ અંગે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. કોરડીયા રોડ પર છેલ્લા 10 દિવસ રહેલા આ ભુવાનું સમારકામ ન થતાં અનેક પ્રકારની સમસ્યા સર્જાઈ રહી છે. ભુવામાં પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. મહત્વનું છે કે જો વહેલી તકે આ ભુવાનું સમારકાર કરાવવામાં નહીં આવે તો અહિંના સ્થાનિકો મચ્છર જન્ય રોગનો ભોગ બની શકે છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ શહેરના અકોટા વિસ્તારમાં આવેલી હવેલી પાસે આખેઆખો માણસ સમાઈ જાય તેવો મોટો ભુવો પડતા લોકો ટ્રાફિકમાં અટવાયા હતાં. એટલું જ નહીં હાલ વડોદરાના મોટાભાગન રસ્તાઓ ઉબડ-ખાબડ છે. અગાઉ પણ ચોમાસાની ઋતુમાં ભુવાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ત્યારે દર વર્ષે સર્જાતી સમસ્યાનું કોઈ કાયમી સમાધાન નહિં હોવાને કારણે લોકે વર્ષે સુધી આ મુશ્કેલી વેઠવી પડે છે. આવા ઉદાસીન તંત્ર પાસે લોકો શું અપેક્ષા રાખે તે હવે વિચારવાનું રહ્યું.