વડોદરાના દેવાંશની ગાંધીનગરમાં હત્યાનો મામલોઃ રૂ. 1050 લૂંટી એક સગીર સહિત ચાર લોકોએ કરી હતી હત્યા, હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે કંઇ થિયરી અપનાવી, જાણો
ગત તા. 8 ઓકટોબરના રોજ સેકટર -27ના બગીચા પાસેથી 25 વર્ષીય દેવાંશ ભાટીયાની હત્યા કરાયેલી લાશ મળી હતી.
દેવાંશ ધ લીલા હોટલમાં ઓફીસ અસોસીએટ તરીકે ફરજ બજાવતો હતો.
દેવાંશના હત્યારાઓને શોધવા પોલીસે અસંખ્યા સીસીટીવી અને મોબાઇલ ટ્રેસ કર્યા પણ કંઇ ના મળ્યું
દેવાંશના હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે તેનો રૂટ નક્કી કર્યો અને એક સગીર સહીત ચાર હત્યારાઓ ઝડપાયા
WatchGujarat. વડોદરાના ભાયલીમાં વિસ્તારમાં રહેતો દેવાંશ ભાટીયા અંદાજીત બે-ત્રણ મહિનાથી ગાંધીનગર સ્થિત ઘ લીલા હોટલમાં ઓફીસ શોસીએટ તરીકે ફરજ બજાવતો હતો. દેવાંશ સ્વભાવે ખૂબ શાંત હતો, નાતો તેની સાથે કોઇ માથાકુટ ના કોઇની સાથે દુશ્મની હતી. છતાંય તેની ક્રુરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓને ઝડપી પાડવા પોલીસની ટીમ કામે લાગી પણ સીસીટીવી અને મોબાઇલ ટ્રેસીંગથી કંઇ હાથ ન લાગ્યું. જેથી આખરે પોલીસે એક રૂટની થિયરી અપનાવી અને એક સગીર સહિત ચાર હત્યારાઓએ માત્ર રૂ. 1050ની લૂંટ કરી દેવાંશની હત્યા કરી હોવાનુ સામે આવ્યું.
આ મામલે ગાંધીનગર રેન્જ આઇ.જી અભય ચુડાસમાએ watchgujarat.com સાથે ટેલિફોનીક વાત કરતા જણાવ્યું કે, દેવાંશની હત્યા કરાયેલી લાશ મળતા જ પોલીસ તેના હત્યારાઓની શોધમાં લાગી હતી. પહેલા તો પોલીસે દેવાંશ અંગે માહિતી એકત્ર કરી જેમાં તે એક હોટલમાં કામ કરતો હોવાનુ જાણવા મળ્યું હતુ, તથા દેવાંશ સ્વભાવે ખૂબ શાંત અને સરળ હતો. જેથી તેની કોઇની સાથે માથાકુટ હોય તે માનવામાં આવતુ ન હતુ.
તેમણે જણાવ્યું કે, જે સ્થળેથી દેવાંશ ભાટીયાની લાશ મળી તે વિસ્તારના અસંખ્ય સીસીટીવી અને મોબાઇલ ટ્રેસીંગ કરવામાં આવ્યા પણ કોઇ સફળતા ન મળી હતી. દેવાંશની હત્યા કોણે કરી અને શા માટે કરી તેનો ભેદ પોલીસને ઉકેલવાનો હતો. જેથી પોલીસે તે દિવસના દેવાંશના રૂટની તપાસ શરૂ કરી, જેમાં દેવાંશના મોબાઇલ લોકેશન ચકાસ્તા અમદાવાદ રાયપુરામાં બંધ થયેલાનુ જણાયું હતુ. પરંતુ તેનુ અગાઉનુ લોકેશન વસ્ત્રાપુરા ખાતે હોય અને ત્યાંથી તેને ટ્રેક કરતા ઓલા બાઇકમાં ગીતા મંદિર ખાતે ઉતર્યો હોવાનુ જણાઇ આવ્યું હતુ. ગીતામંદિરથી બસમાં પથીક આશ્રમ આવે છે, ત્યારબાદ તે રિક્ષામાં બેસી થોડે દૂર સુધી જાય છે પણ કોઇ કારણોસર રિક્ષા ચાલક તેને ઉતારી દે છે.
જેથી ગાંધીનગર ઘ-5 રૂટ પરથી પસાર થયેલા તમામ વાહનોના નંબરની ઓળખ કરી તેમની પુછપરછ શરૂ કરવામાં આવી, તેવામાં એક રિક્ષા વાળો જેણે દેવાંશને સેકટર 24/27ના કટ પાસે ઉતાર્યો હતો તેણે તેની ઓળખ કરી હતી. દરમિયાન બનાવ સ્થળથી અંદાજીત 400 મીટર દૂર એક અસ્પષ્ટ સીસીટીવી ફુટેજ મળ્યા, જેમાં એક વ્યક્તિ ચાલતી દેખાતી હતી અને તેની પાછળ એક ટુ-વ્હિલર ઉપર ત્રણ-શખ્સો પસાર થઇ રહેલા હોવાનુ જોવા મળ્યું હતુ. જેથી પોલીસે સેકટર-27ના તમામ સીસીટીવી ફુટેજની ચકાસણી શરૂ કરી.
દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે જાણવા મળ્યું કે, દેવાંશની હત્યા કરનારા બાઇક ઉપર આવ્યાં હતા. જેમાં છાપરા વિસ્તારમાં રહેતો માનવ ઉમેશ પવાર, સેકટર-13માં રહેતો આશીષ મહેશભાઇ સોલંકી, ઘનશ્યામ મહેશભાઇ સોલંકી અને એક સગીરની સંડોવાણી બહાર આવતા તેમની અટકાયત કરવામાં આવી હતી.
દેવાંશની હત્યા બાબતે તેમની પુછતાછ કરતા, જાણવા મળ્યું કે, દેવાંશ ચાલતો જઇ રહ્યો હતો, તે સમયે આ ચારેયની નજર તેની ઉપર પડી હતી. જેથી તેમણે દેવાંશને ઉભો રાખી રૂપિયાની માગણી કરી પણ દેવાંશે રૂપિયા ન આપતા તેની સાથે ઝપાઝપી કરી તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. બાદમાં તેના પાકિટામાંથી રૂ. 1050ની રોકડ તથા જરૂરી ડોક્યુમેન્ટ અને મોબાઇલ હેન્ડ્સફ્રી લૂંટી લઇ ફરાર થઇ ગયા હતા.
વડોદરાના દેવાંશની ગાંધીનગરમાં હત્યાનો મામલોઃ રૂ. 1050 લૂંટી એક સગીર સહિત ચાર લોકોએ કરી હતી હત્યા, હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે કંઇ થિયરી અપનાવી, જાણો
ગત તા. 8 ઓકટોબરના રોજ સેકટર -27ના બગીચા પાસેથી 25 વર્ષીય દેવાંશ ભાટીયાની હત્યા કરાયેલી લાશ મળી હતી.
દેવાંશ ધ લીલા હોટલમાં ઓફીસ અસોસીએટ તરીકે ફરજ બજાવતો હતો.
દેવાંશના હત્યારાઓને શોધવા પોલીસે અસંખ્યા સીસીટીવી અને મોબાઇલ ટ્રેસ કર્યા પણ કંઇ ના મળ્યું
દેવાંશના હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે તેનો રૂટ નક્કી કર્યો અને એક સગીર સહીત ચાર હત્યારાઓ ઝડપાયા
WatchGujarat. વડોદરાના ભાયલીમાં વિસ્તારમાં રહેતો દેવાંશ ભાટીયા અંદાજીત બે-ત્રણ મહિનાથી ગાંધીનગર સ્થિત ઘ લીલા હોટલમાં ઓફીસ શોસીએટ તરીકે ફરજ બજાવતો હતો. દેવાંશ સ્વભાવે ખૂબ શાંત હતો, નાતો તેની સાથે કોઇ માથાકુટ ના કોઇની સાથે દુશ્મની હતી. છતાંય તેની ક્રુરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓને ઝડપી પાડવા પોલીસની ટીમ કામે લાગી પણ સીસીટીવી અને મોબાઇલ ટ્રેસીંગથી કંઇ હાથ ન લાગ્યું. જેથી આખરે પોલીસે એક રૂટની થિયરી અપનાવી અને એક સગીર સહિત ચાર હત્યારાઓએ માત્ર રૂ. 1050ની લૂંટ કરી દેવાંશની હત્યા કરી હોવાનુ સામે આવ્યું.
આ મામલે ગાંધીનગર રેન્જ આઇ.જી અભય ચુડાસમાએ watchgujarat.com સાથે ટેલિફોનીક વાત કરતા જણાવ્યું કે, દેવાંશની હત્યા કરાયેલી લાશ મળતા જ પોલીસ તેના હત્યારાઓની શોધમાં લાગી હતી. પહેલા તો પોલીસે દેવાંશ અંગે માહિતી એકત્ર કરી જેમાં તે એક હોટલમાં કામ કરતો હોવાનુ જાણવા મળ્યું હતુ, તથા દેવાંશ સ્વભાવે ખૂબ શાંત અને સરળ હતો. જેથી તેની કોઇની સાથે માથાકુટ હોય તે માનવામાં આવતુ ન હતુ.
તેમણે જણાવ્યું કે, જે સ્થળેથી દેવાંશ ભાટીયાની લાશ મળી તે વિસ્તારના અસંખ્ય સીસીટીવી અને મોબાઇલ ટ્રેસીંગ કરવામાં આવ્યા પણ કોઇ સફળતા ન મળી હતી. દેવાંશની હત્યા કોણે કરી અને શા માટે કરી તેનો ભેદ પોલીસને ઉકેલવાનો હતો. જેથી પોલીસે તે દિવસના દેવાંશના રૂટની તપાસ શરૂ કરી, જેમાં દેવાંશના મોબાઇલ લોકેશન ચકાસ્તા અમદાવાદ રાયપુરામાં બંધ થયેલાનુ જણાયું હતુ. પરંતુ તેનુ અગાઉનુ લોકેશન વસ્ત્રાપુરા ખાતે હોય અને ત્યાંથી તેને ટ્રેક કરતા ઓલા બાઇકમાં ગીતા મંદિર ખાતે ઉતર્યો હોવાનુ જણાઇ આવ્યું હતુ. ગીતામંદિરથી બસમાં પથીક આશ્રમ આવે છે, ત્યારબાદ તે રિક્ષામાં બેસી થોડે દૂર સુધી જાય છે પણ કોઇ કારણોસર રિક્ષા ચાલક તેને ઉતારી દે છે.
જેથી ગાંધીનગર ઘ-5 રૂટ પરથી પસાર થયેલા તમામ વાહનોના નંબરની ઓળખ કરી તેમની પુછપરછ શરૂ કરવામાં આવી, તેવામાં એક રિક્ષા વાળો જેણે દેવાંશને સેકટર 24/27ના કટ પાસે ઉતાર્યો હતો તેણે તેની ઓળખ કરી હતી. દરમિયાન બનાવ સ્થળથી અંદાજીત 400 મીટર દૂર એક અસ્પષ્ટ સીસીટીવી ફુટેજ મળ્યા, જેમાં એક વ્યક્તિ ચાલતી દેખાતી હતી અને તેની પાછળ એક ટુ-વ્હિલર ઉપર ત્રણ-શખ્સો પસાર થઇ રહેલા હોવાનુ જોવા મળ્યું હતુ. જેથી પોલીસે સેકટર-27ના તમામ સીસીટીવી ફુટેજની ચકાસણી શરૂ કરી.
દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે જાણવા મળ્યું કે, દેવાંશની હત્યા કરનારા બાઇક ઉપર આવ્યાં હતા. જેમાં છાપરા વિસ્તારમાં રહેતો માનવ ઉમેશ પવાર, સેકટર-13માં રહેતો આશીષ મહેશભાઇ સોલંકી, ઘનશ્યામ મહેશભાઇ સોલંકી અને એક સગીરની સંડોવાણી બહાર આવતા તેમની અટકાયત કરવામાં આવી હતી.
દેવાંશની હત્યા બાબતે તેમની પુછતાછ કરતા, જાણવા મળ્યું કે, દેવાંશ ચાલતો જઇ રહ્યો હતો, તે સમયે આ ચારેયની નજર તેની ઉપર પડી હતી. જેથી તેમણે દેવાંશને ઉભો રાખી રૂપિયાની માગણી કરી પણ દેવાંશે રૂપિયા ન આપતા તેની સાથે ઝપાઝપી કરી તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. બાદમાં તેના પાકિટામાંથી રૂ. 1050ની રોકડ તથા જરૂરી ડોક્યુમેન્ટ અને મોબાઇલ હેન્ડ્સફ્રી લૂંટી લઇ ફરાર થઇ ગયા હતા.