ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વડોદરામાં
એમ.એસ.યુનિવર્સિટીના ભરતી કૌભાંડ મામલે આપી આકરી પ્રતિક્રિયા
“જે કોઇ પણ જવાબદાર હશે તેની સામે યોગ્ય પગલાં લઇશું.”
WatchGujarat. હાલમાં વડોદરા શહેરમાં એમ.એસ.યુનિવર્સિટીના ભરતી કૌભાંડનો મામલો ચગ્યો છે.શિક્ષણજગતમાં ખળભળાટ મચાવનાર આ મામલો ગાંધીનગર પહોંચ્યો છે.જેને લઇને વડોદરામાં આવેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લઈ સરદારધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન-2026 અંતર્ગત વિઝન, મિશન અને પાંચ લક્ષ્યબિંદુઓ સિદ્ધ કરવા આર્થિક-ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે વિશ્વ પાટીદાર સમાજ મિશન-2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022 પ્રમોશનલ પ્રોગ્રામ-5 નું વડોદરા સરદારધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
સરદારધામ આયોજિત પ્રમોશનલ પ્રોગ્રામ-5 માં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, સુરત ખાતે મળનારી સમિટની તૈયારીના ભાગરૂપે વડોદરામાં આ કાર્યક્રમ યોજાયો છે . જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એમએસ યુનિવર્સિટી ભરતી કૌભાંડ મામલે આકરી પ્રતિક્રિયા આપી હતી.
જેમાં અનેક ઉદ્યોગપતિઓ જોડાયા હોવાથી ગુજરાતને ફાયદો થશે.આ સાથે માં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એમ.એસ.યુનિવર્સિટીના ભરતી કૌભાંડ મામલે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પારદર્શિતા હોવી જરૂરી છે. જે કોઇ પણ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. કોઇને બક્ષવામાં નહીં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં એમ.એસ.યુનિવર્સિટીના ભરતી કૌભાંડ મામલો ગરમાયો છે.જેના પડધા ગાંધીનગર શિક્ષણમંત્રી સુધી પડ્યા છે.સાથે સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવા માંગ કરી છે.જે અંતર્ગત આર.સી.પાટીલે જણાવ્યું હતુ કે જે કોઇ પણ જવાબદાર હશે તેની સામે યોગ્ય પગલાં લઇશું.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વડોદરામાં
એમ.એસ.યુનિવર્સિટીના ભરતી કૌભાંડ મામલે આપી આકરી પ્રતિક્રિયા
“જે કોઇ પણ જવાબદાર હશે તેની સામે યોગ્ય પગલાં લઇશું.”
WatchGujarat. હાલમાં વડોદરા શહેરમાં એમ.એસ.યુનિવર્સિટીના ભરતી કૌભાંડનો મામલો ચગ્યો છે.શિક્ષણજગતમાં ખળભળાટ મચાવનાર આ મામલો ગાંધીનગર પહોંચ્યો છે.જેને લઇને વડોદરામાં આવેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લઈ સરદારધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન-2026 અંતર્ગત વિઝન, મિશન અને પાંચ લક્ષ્યબિંદુઓ સિદ્ધ કરવા આર્થિક-ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે વિશ્વ પાટીદાર સમાજ મિશન-2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022 પ્રમોશનલ પ્રોગ્રામ-5 નું વડોદરા સરદારધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
સરદારધામ આયોજિત પ્રમોશનલ પ્રોગ્રામ-5 માં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, સુરત ખાતે મળનારી સમિટની તૈયારીના ભાગરૂપે વડોદરામાં આ કાર્યક્રમ યોજાયો છે . જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એમએસ યુનિવર્સિટી ભરતી કૌભાંડ મામલે આકરી પ્રતિક્રિયા આપી હતી.
જેમાં અનેક ઉદ્યોગપતિઓ જોડાયા હોવાથી ગુજરાતને ફાયદો થશે.આ સાથે માં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એમ.એસ.યુનિવર્સિટીના ભરતી કૌભાંડ મામલે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પારદર્શિતા હોવી જરૂરી છે. જે કોઇ પણ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. કોઇને બક્ષવામાં નહીં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં એમ.એસ.યુનિવર્સિટીના ભરતી કૌભાંડ મામલો ગરમાયો છે.જેના પડધા ગાંધીનગર શિક્ષણમંત્રી સુધી પડ્યા છે.સાથે સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવા માંગ કરી છે.જે અંતર્ગત આર.સી.પાટીલે જણાવ્યું હતુ કે જે કોઇ પણ જવાબદાર હશે તેની સામે યોગ્ય પગલાં લઇશું.