ભાજપ દ્વારા રાજ્યમાં જન આશિર્વાદ યાત્રાનો પ્રારંભ થતાં વડોદરાના બે મંત્રીઓ શહેરમાં રેલી યોજી કોવિડ ગાઇડ લાઇનનુ છડેચોક ઉલ્લંઘન
બાળ વિકાસ કલ્યાણ મંત્રી મનિષાબેનની રેલીમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યાં
શહેરના પ્રથમ નાગરીક પણ માસ્ક વગર રેલીમાં જોવા મળ્યાં
WatchGujarat. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં વડોદરા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને કાયદો અને મહેસુલ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યાં છે. કોરોનાની બીજી લહેર આજે પણ નજર સામેથી હટતી નથી, કોરોનાની બીજી લહેરના એ દિવસો યાદ કરતા આજે પણ રૂવાળા ઉભા થઇ જાય છે. કોરોનાના ઘાતકી વાયરસથી બચવા માટે સરકારે ખુદ કોવિડ ગાઇડલાઇન બહાર પાડી છે. જેનો તમામે મરજીયાત નહીં પણ ફરજીયાત અમલ કરવાનો રહેશે, પરંતુ આ કોવિડ ગાઇડલાઇનનો અમલ પ્રજા તો કરી જ રહીં છે પણ કાયદા મંત્રી જ્યારે ખુદ તેનો છડેચોક ઉલ્લંઘન કરતા હોય તો પ્રજા પાસેથી પણ અમલની અપેક્ષા કેમ રાખવી જોઇએ ?
કોરોના સંપૂર્ણ રીતે જતો રહ્યો છો એવુ તો હજી સરકાર કે તેમના નિષ્ણાંત તબીબો પણ કહેતા નથી, જ્યારે કોવિડ ગાઇડલાઇનનો અમલ કરવાનુ ફરમાન સરકાર અને કોર્ટ બન્ને ફરમાવ્યો છે. ત્યારે કોરોના જેવા ઘાતક વાયરસથી બચવા માટે સમજુ પ્રજા તેનો અમલ પણ કરી રહીં છે. ચેકિંગમાં ઉભેલી પોલીસ સહેજ પણ જો માસ્ક નિચે હોય તો તુરંત રૂ. 1000નો દંડ વસુલી લે છે. આવા સંજોગોમાં અનેક વખત પ્રજા અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ પણ થયું હોવાના કિસ્સાઓ આપણે જોયા છે.
પરંતુ કોવિડ ગાઇડ લાઇનનો અમલ કરાવતી પોલીસ રાજકીય પાર્ટીઓના કાર્યક્રમોમાં તેનો અમલ કરાવવામાં તદ્દન નિષ્ફળ જોવા મળે છે. રાજ્યમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી જન આશિર્વાદ યાત્રામાં આજે બે રેલીઓ યોજાઇ હતી. જેમાં રાજ્યના કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ખુદ કોવિડ ગાઇડ લાઇનનો ભંગ કરતા નજરે પડે છે. જ્યારે બાળ અને મહિલા વિકાસ મંત્રી મનીષાબેન વકિલની રેલીમાં પણ કોવિડ ગાઇડ લાઇનનો ભંગ થતો જોવા મળ્યો છે.
પરંતુ અહીં મહત્વની બાબત એ છે કે, રાજ્યના કાયદા મંત્રી જેમના સીરે કાયદાનો ચુસ્ત અમલ થાય તેની જવાબદારી છે. તેવા કાયદા મંત્રી જ જો આ રીતે કોવિડ ગાઇડ લાઇનનો ઉલ્લંઘન કરશે તો પ્રજા પાસે તેના અમલની અપેક્ષા રાખવી કેટલી યોગ્ય છે.
ભાજપ દ્વારા રાજ્યમાં જન આશિર્વાદ યાત્રાનો પ્રારંભ થતાં વડોદરાના બે મંત્રીઓ શહેરમાં રેલી યોજી કોવિડ ગાઇડ લાઇનનુ છડેચોક ઉલ્લંઘન
બાળ વિકાસ કલ્યાણ મંત્રી મનિષાબેનની રેલીમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યાં
શહેરના પ્રથમ નાગરીક પણ માસ્ક વગર રેલીમાં જોવા મળ્યાં
WatchGujarat. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં વડોદરા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને કાયદો અને મહેસુલ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યાં છે. કોરોનાની બીજી લહેર આજે પણ નજર સામેથી હટતી નથી, કોરોનાની બીજી લહેરના એ દિવસો યાદ કરતા આજે પણ રૂવાળા ઉભા થઇ જાય છે. કોરોનાના ઘાતકી વાયરસથી બચવા માટે સરકારે ખુદ કોવિડ ગાઇડલાઇન બહાર પાડી છે. જેનો તમામે મરજીયાત નહીં પણ ફરજીયાત અમલ કરવાનો રહેશે, પરંતુ આ કોવિડ ગાઇડલાઇનનો અમલ પ્રજા તો કરી જ રહીં છે પણ કાયદા મંત્રી જ્યારે ખુદ તેનો છડેચોક ઉલ્લંઘન કરતા હોય તો પ્રજા પાસેથી પણ અમલની અપેક્ષા કેમ રાખવી જોઇએ ?
કોરોના સંપૂર્ણ રીતે જતો રહ્યો છો એવુ તો હજી સરકાર કે તેમના નિષ્ણાંત તબીબો પણ કહેતા નથી, જ્યારે કોવિડ ગાઇડલાઇનનો અમલ કરવાનુ ફરમાન સરકાર અને કોર્ટ બન્ને ફરમાવ્યો છે. ત્યારે કોરોના જેવા ઘાતક વાયરસથી બચવા માટે સમજુ પ્રજા તેનો અમલ પણ કરી રહીં છે. ચેકિંગમાં ઉભેલી પોલીસ સહેજ પણ જો માસ્ક નિચે હોય તો તુરંત રૂ. 1000નો દંડ વસુલી લે છે. આવા સંજોગોમાં અનેક વખત પ્રજા અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ પણ થયું હોવાના કિસ્સાઓ આપણે જોયા છે.
પરંતુ કોવિડ ગાઇડ લાઇનનો અમલ કરાવતી પોલીસ રાજકીય પાર્ટીઓના કાર્યક્રમોમાં તેનો અમલ કરાવવામાં તદ્દન નિષ્ફળ જોવા મળે છે. રાજ્યમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી જન આશિર્વાદ યાત્રામાં આજે બે રેલીઓ યોજાઇ હતી. જેમાં રાજ્યના કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ખુદ કોવિડ ગાઇડ લાઇનનો ભંગ કરતા નજરે પડે છે. જ્યારે બાળ અને મહિલા વિકાસ મંત્રી મનીષાબેન વકિલની રેલીમાં પણ કોવિડ ગાઇડ લાઇનનો ભંગ થતો જોવા મળ્યો છે.
પરંતુ અહીં મહત્વની બાબત એ છે કે, રાજ્યના કાયદા મંત્રી જેમના સીરે કાયદાનો ચુસ્ત અમલ થાય તેની જવાબદારી છે. તેવા કાયદા મંત્રી જ જો આ રીતે કોવિડ ગાઇડ લાઇનનો ઉલ્લંઘન કરશે તો પ્રજા પાસે તેના અમલની અપેક્ષા રાખવી કેટલી યોગ્ય છે.