ગત તા. 8 ઓકટોબરના રોજ બપોરે 4 વાગ્યાની આસપાસ મહેંદીની હત્યા કરાઇ હોવાનુ પોલીસનુ અનુમાન
શિવાંશ તેની માતાના પગ ઉપર માથુ મૂકી રમી રહ્યો હોવાની એક તસ્વીર સામે આવી છે
શિવાંશ હાલ બાળ સંરક્ષણ ગૃહમાં છે
[caption id="attachment_1411452" align="aligncenter" width="512"] જમીન પર ચાદર પાથરી શિવાંશ તેની માતાની છાયામાં રમતો હતો[/caption]
WatchGujarat. હજી તો માંડ એણે માંની આંગળી પકડી પાપા પગલી ભરવાનુ શરૂ કર્યું હતુ. દુનિયામાં પગ મુક્યો પણ તેની સમજ તેને સહેજ પણ ન્હોતી. માતા-પિતાના સહારે તેને જીવન જીવવાની શરૂઆત કરી હતી. માતા પુત્ર આખો દિવસ સાથે રહીં દિવસ પસાર કરતા, ફૂલ જેવા બાળક સાથે રમતા રમતા દિવસ ક્યાં પુરો થઇ જતો તેની ખબર પણ ન હતી પડતી. એને ક્યાં ખબર હતી કે માતા સાથેનો તેનો આ અંતિમ દિવસ હશે, તે તો માતા મહેંદીના ખોળામાં માથુ મૂકી રમી રહ્યો હતો. મહેંદી જે ચાદર પાથરી બેઠી હતી તે જ ચાદરમાં તેનો ડીકમ્પોઝ થયેલો મૃતદેહ લઇ જવામાં આવ્યો હતો.
[caption id="attachment_1411451" align="aligncenter" width="640"] શિવાંશ જે ચાદર પર રમતો હતો તેમાં જ તેની માતાના દેહને પોટલું વાળી લઇ જવાયો[/caption]
શિવાંશના વાલીની શોધખોળ કરતી પોલીસ તેને તરછોડી જનાર નિર્દય પિતા સચીન દિક્ષીત સુધી પહોંચી ગઇ હતી. સચીનની અટકાયત બાદ બાદ શિવાંશની માતા અંગે તેને પુછતા પહેલા તો મૌન સેવી રાખ્યું હતુ. પરંતુ બાદમાં તે ભાંગી પડ્યો અને બોલી ઉઠ્યો કે, તેની હત્યા કરી નખી છે. મહેંદીની હત્યા કરી સચીને તેનો મૃતદેહ લીલા રંગની બેગમાં મૂકી રસોડાના પ્લેટફોર્મ નિચે મૂકી દીધો હતો. ત્રણ દિવસ બાદ એટલે કે ગઇ કાલે 10 ઓકટોબરના રોજ પોલીસે બપોરના સમયે સચીનને લઇ વડોદરા સ્થિત ખોડિયારનગર ખાતે આવેલા દર્શનલ ઓએસીસની જી બ્લોક પર પહોંચી હતી.
દર્શનમ ઓએસીસના જી બ્લોકના ફ્લેટ નં-102ના દરવાજે પહોંચી ત્યાં જ માથુ ફાટી જાય તેવી દુર્ગંધ આવી રહીં હતી. પોલીસ સમજી ગઇ કે મહેંદીનો મૃતદેહ સડી ગયો છે. ઘરનો દરવાજો ખોલી પોલીસ અંદર પહોંચતા ભારે દુર્ગંધ વચ્ચે રસોડાના પ્લેટફોર્મ નિચે ગેસ સિલીન્ડર મૂકવાની જગ્યાએથી લીલા રંગની બેગમાંથી મહેંદીનો ડીકંમ્પોઝ થયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
મહેંદીની મોત કંઇ રીતે થઇ તેનુ ચોક્કસ કારણ જાણવા મૃતદેહનુ પોસ્ટ મોર્ટમ કરવુ જરૂરી હતુ. પરંતુ મહેંદીનો મૃતદેહ ડીકમ્પોઝ થઇ ગયો હોવાથી તેને પહેલા માળેથી એમ્બ્યૂલન્સ સુધી લઇ જવા માટે સ્ટ્રેચર નહીં પણ એક ચાદર પર મૂકવામાં આવ્યો હતો. આ ચાદર એજ હતી જેના ઉપર મહેંદી બેઠી હતી અને તેના પગ ઉપર માથુ મૂકી શિવાંશ રમી રહ્યો હતો. જો કે મહેંદીનો મૃતદેહ એટલી હદે ડીકમ્પોઝ થઇ ચુક્યો હતો કે તેને જેમાં શિવાંશ માથું મુકીને રમી રહ્યો હતો તે જ ચાદરમાં પોટલું વાળીને લઇ જવો પડ્યો હતો.
શિવાંશ તેની માતાના પગ ઉપર માથુ મૂકી રમી રહ્યો હોવાની એક તસ્વીર સામે આવી છે
શિવાંશ હાલ બાળ સંરક્ષણ ગૃહમાં છે
[caption id="attachment_1411452" align="aligncenter" width="512"] જમીન પર ચાદર પાથરી શિવાંશ તેની માતાની છાયામાં રમતો હતો[/caption]
WatchGujarat. હજી તો માંડ એણે માંની આંગળી પકડી પાપા પગલી ભરવાનુ શરૂ કર્યું હતુ. દુનિયામાં પગ મુક્યો પણ તેની સમજ તેને સહેજ પણ ન્હોતી. માતા-પિતાના સહારે તેને જીવન જીવવાની શરૂઆત કરી હતી. માતા પુત્ર આખો દિવસ સાથે રહીં દિવસ પસાર કરતા, ફૂલ જેવા બાળક સાથે રમતા રમતા દિવસ ક્યાં પુરો થઇ જતો તેની ખબર પણ ન હતી પડતી. એને ક્યાં ખબર હતી કે માતા સાથેનો તેનો આ અંતિમ દિવસ હશે, તે તો માતા મહેંદીના ખોળામાં માથુ મૂકી રમી રહ્યો હતો. મહેંદી જે ચાદર પાથરી બેઠી હતી તે જ ચાદરમાં તેનો ડીકમ્પોઝ થયેલો મૃતદેહ લઇ જવામાં આવ્યો હતો.
[caption id="attachment_1411451" align="aligncenter" width="640"] શિવાંશ જે ચાદર પર રમતો હતો તેમાં જ તેની માતાના દેહને પોટલું વાળી લઇ જવાયો[/caption]
શિવાંશના વાલીની શોધખોળ કરતી પોલીસ તેને તરછોડી જનાર નિર્દય પિતા સચીન દિક્ષીત સુધી પહોંચી ગઇ હતી. સચીનની અટકાયત બાદ બાદ શિવાંશની માતા અંગે તેને પુછતા પહેલા તો મૌન સેવી રાખ્યું હતુ. પરંતુ બાદમાં તે ભાંગી પડ્યો અને બોલી ઉઠ્યો કે, તેની હત્યા કરી નખી છે. મહેંદીની હત્યા કરી સચીને તેનો મૃતદેહ લીલા રંગની બેગમાં મૂકી રસોડાના પ્લેટફોર્મ નિચે મૂકી દીધો હતો. ત્રણ દિવસ બાદ એટલે કે ગઇ કાલે 10 ઓકટોબરના રોજ પોલીસે બપોરના સમયે સચીનને લઇ વડોદરા સ્થિત ખોડિયારનગર ખાતે આવેલા દર્શનલ ઓએસીસની જી બ્લોક પર પહોંચી હતી.
દર્શનમ ઓએસીસના જી બ્લોકના ફ્લેટ નં-102ના દરવાજે પહોંચી ત્યાં જ માથુ ફાટી જાય તેવી દુર્ગંધ આવી રહીં હતી. પોલીસ સમજી ગઇ કે મહેંદીનો મૃતદેહ સડી ગયો છે. ઘરનો દરવાજો ખોલી પોલીસ અંદર પહોંચતા ભારે દુર્ગંધ વચ્ચે રસોડાના પ્લેટફોર્મ નિચે ગેસ સિલીન્ડર મૂકવાની જગ્યાએથી લીલા રંગની બેગમાંથી મહેંદીનો ડીકંમ્પોઝ થયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
મહેંદીની મોત કંઇ રીતે થઇ તેનુ ચોક્કસ કારણ જાણવા મૃતદેહનુ પોસ્ટ મોર્ટમ કરવુ જરૂરી હતુ. પરંતુ મહેંદીનો મૃતદેહ ડીકમ્પોઝ થઇ ગયો હોવાથી તેને પહેલા માળેથી એમ્બ્યૂલન્સ સુધી લઇ જવા માટે સ્ટ્રેચર નહીં પણ એક ચાદર પર મૂકવામાં આવ્યો હતો. આ ચાદર એજ હતી જેના ઉપર મહેંદી બેઠી હતી અને તેના પગ ઉપર માથુ મૂકી શિવાંશ રમી રહ્યો હતો. જો કે મહેંદીનો મૃતદેહ એટલી હદે ડીકમ્પોઝ થઇ ચુક્યો હતો કે તેને જેમાં શિવાંશ માથું મુકીને રમી રહ્યો હતો તે જ ચાદરમાં પોટલું વાળીને લઇ જવો પડ્યો હતો.