અધિકારીઓ કોઇ કામ કરતા ન હોવાનો આક્ષેપ મૂકી કાઉન્સિલરે હોબાળો મચાવ્યો
કાઉન્સલરે 50 ફૂટ અંદર જઇને લીકેજ શોધ્યું હતું
કાઉન્સિલર હવે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરશે
watchGujarat.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશી આજે વરસાદી કાંસમાં ઉતર્યા હતા અને તૂટેલી પાણીની લાઈનનું ભંગાણ શોધી નાખ્યું હતું. કાઉન્સિલરે અધિકારીઓ કોઇ કામ કરતા ન હોવાનો આક્ષેપ મૂકી હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનિય બાબત એ છે કે, કોર્પોરેશનના શાસકોની વહીવટી તંત્ર ઉપર પકડ રહી નથી. તે આજની ઘટના ઉપરથી પુરવાર થાય છે.
https://youtu.be/PE2IigiKHMA
વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે એક સપ્તાહ પહેલાં વડોદરા કોર્પોરેશન દ્વારા વરસાદી કાંસની સફાઈ કરવા માટે સ્લેબ તોડીને સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે બાદ આ વરસાદી કાંસમાથી પસાર થતી પાણીની મુખ્ય લાઇનમાં લીકેજ હતું અને આ લાઇનમાંથી પાણી કાંસમાં વહી જતુ હતું. પરિણામે પૂર્વ વિસ્તારમાં પુરતા પ્રેશરથી પાણી મળતું ન હતું. સ્થાનિક કાઉન્સિલર આશિષ જોષી દ્વારા આ બાબતે સંબધિત વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, પાણીનો પ્રશ્ન હલ થતો ન હતો.
દરમિયાન વોર્ડ નંબર 15 ના ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ ઉમા ચાર રસ્તા પાસેના વરસાદી કાંસમાં તપાસ કરી હતી. જ્યાં કાસ ઉપરનો સ્લેબ તૂટી ગયેલો જણાયો હતો. બાદમાં તેઓ 50 ફૂટ અંદર જઈને તેઓએ પાણીની મુખ્યલાઈનનું લીકેજ હોવાનું શોધી કાઢ્યું હતું. તેમણે 10 દિવસ અગાઉ પાણી પુરવઠાના અધિકારી તથા વોર્ડના ડેપ્યુટી એન્જિનિયરને આ અંગેની જાણ પણ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.
આ અંગે મિડીયા સાથે વાત કરતાં ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ જણાવ્યું હતુ કે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કોર્પોરેશનમાં ઇલેકશનનો સમય હતો. ડોર ટુ ડોર કેમ્પેઇનનો સમય હતો.એ વિસ્તારની બહેનોએ જે પાણી માટે રજૂઆત કરી હતી. એ રજૂઆતને ધ્યાનમાં રાખીને આખુ વર્ષ અમે મેયર અને પાણીપૂરવઠાના અધિકારી જોડે આ બાબતની ચર્ચા કરીને નાલંદા ટાંકીને કઇ રીતે સારી રીતે પાણી મળે,તેનુ સમલેવલ કઇ રીતે જળવાય એ વિષય પર અમે આખુ વર્ષ મહેનત કરી હતી. ગયા અઠવાડિયે વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 5ની વચ્ચે ઉમા ચાર રસ્તા પર વરસાદી કાંસની ફસાઇ દરમ્યાન સ્લેપ તોડ્યા બાદ જણાયુ કે અહીંયા પાણીની લાઇન લિકેજ છે. જે કોઇ જાણતુ ન હતુ આ પાણી લિકેજ થઇને વરસાદીમાં વહી જતુ હતુ. આ લીકેજની જાણ થયા બાદ 8 થી 10 દિવસનો સમય પસાર થઇ ગયા બાદ જો કોઇ અધિકારી કામ ન કરતા મને જાતે એવું લાગ્યુ કે હવે મારે કંઇક કરવુ પડશે. કારણ કે જે પાણી વહી જતુ હતુ એ મારા વિસ્તારના લોકો માટે હતુ. એ નાલંદાનું સમલેવલ ઘટતુ ને ઘટતું જ રહેતુ હતુ. આટલી મોટી લાઇનમાં 24 કલાક પાણી લીકેજ હોય એ કઇ રીતે ચલાવી લેવાય એ જ મોટો પ્રશ્ન છે.
વધુમાં જણાવ્યુ હતુ કે ચેરમેન રોજ એ જ વિસ્તારમાંથી પસાર થાય છે. ચેરમેન જાણે છે. જે તે સમયે સ્ટેડિંગ ચાલુ હતી ત્યારે લીકેજનો વિડીયો મેં મોકલ્યો હતો. એટલે હવે એક જ વસ્તુ છે કે ચેરમેન પણ જાણતા હોય અને જો વોર્ડ અધિકારી કામ ન કરતા હોય તો એ મેયર, કમિશ્નર અને ચેરમેને નક્કી કરવાનું છે.
દરમિયાનમાં ઉમા ચાર રસ્તા પાસે વરસાદી કાંસની સફાઈની કામગીરી દરમિયાન કાંસમાં ઉતરીને અમે જાતે તપાસ કરતાં પાણીની મુખ્યલાઈનમાં ભંગાણ પડ્યું હોવાનું શોધી કાઢી વહીવટી તંત્રનું ધ્યાન દોરવામા આવ્યું છે. અમે યુદ્ધના ધોરણે આ કામગીરી થાય તવી આશા અધિકારીઓ પાસે રાખી રહ્યા છે. આ અંગે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે.
અધિકારીઓ કોઇ કામ કરતા ન હોવાનો આક્ષેપ મૂકી કાઉન્સિલરે હોબાળો મચાવ્યો
કાઉન્સલરે 50 ફૂટ અંદર જઇને લીકેજ શોધ્યું હતું
કાઉન્સિલર હવે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરશે
watchGujarat.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશી આજે વરસાદી કાંસમાં ઉતર્યા હતા અને તૂટેલી પાણીની લાઈનનું ભંગાણ શોધી નાખ્યું હતું. કાઉન્સિલરે અધિકારીઓ કોઇ કામ કરતા ન હોવાનો આક્ષેપ મૂકી હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનિય બાબત એ છે કે, કોર્પોરેશનના શાસકોની વહીવટી તંત્ર ઉપર પકડ રહી નથી. તે આજની ઘટના ઉપરથી પુરવાર થાય છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે એક સપ્તાહ પહેલાં વડોદરા કોર્પોરેશન દ્વારા વરસાદી કાંસની સફાઈ કરવા માટે સ્લેબ તોડીને સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે બાદ આ વરસાદી કાંસમાથી પસાર થતી પાણીની મુખ્ય લાઇનમાં લીકેજ હતું અને આ લાઇનમાંથી પાણી કાંસમાં વહી જતુ હતું. પરિણામે પૂર્વ વિસ્તારમાં પુરતા પ્રેશરથી પાણી મળતું ન હતું. સ્થાનિક કાઉન્સિલર આશિષ જોષી દ્વારા આ બાબતે સંબધિત વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, પાણીનો પ્રશ્ન હલ થતો ન હતો.
દરમિયાન વોર્ડ નંબર 15 ના ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ ઉમા ચાર રસ્તા પાસેના વરસાદી કાંસમાં તપાસ કરી હતી. જ્યાં કાસ ઉપરનો સ્લેબ તૂટી ગયેલો જણાયો હતો. બાદમાં તેઓ 50 ફૂટ અંદર જઈને તેઓએ પાણીની મુખ્યલાઈનનું લીકેજ હોવાનું શોધી કાઢ્યું હતું. તેમણે 10 દિવસ અગાઉ પાણી પુરવઠાના અધિકારી તથા વોર્ડના ડેપ્યુટી એન્જિનિયરને આ અંગેની જાણ પણ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.
આ અંગે મિડીયા સાથે વાત કરતાં ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ જણાવ્યું હતુ કે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કોર્પોરેશનમાં ઇલેકશનનો સમય હતો. ડોર ટુ ડોર કેમ્પેઇનનો સમય હતો.એ વિસ્તારની બહેનોએ જે પાણી માટે રજૂઆત કરી હતી. એ રજૂઆતને ધ્યાનમાં રાખીને આખુ વર્ષ અમે મેયર અને પાણીપૂરવઠાના અધિકારી જોડે આ બાબતની ચર્ચા કરીને નાલંદા ટાંકીને કઇ રીતે સારી રીતે પાણી મળે,તેનુ સમલેવલ કઇ રીતે જળવાય એ વિષય પર અમે આખુ વર્ષ મહેનત કરી હતી. ગયા અઠવાડિયે વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 5ની વચ્ચે ઉમા ચાર રસ્તા પર વરસાદી કાંસની ફસાઇ દરમ્યાન સ્લેપ તોડ્યા બાદ જણાયુ કે અહીંયા પાણીની લાઇન લિકેજ છે. જે કોઇ જાણતુ ન હતુ આ પાણી લિકેજ થઇને વરસાદીમાં વહી જતુ હતુ. આ લીકેજની જાણ થયા બાદ 8 થી 10 દિવસનો સમય પસાર થઇ ગયા બાદ જો કોઇ અધિકારી કામ ન કરતા મને જાતે એવું લાગ્યુ કે હવે મારે કંઇક કરવુ પડશે. કારણ કે જે પાણી વહી જતુ હતુ એ મારા વિસ્તારના લોકો માટે હતુ. એ નાલંદાનું સમલેવલ ઘટતુ ને ઘટતું જ રહેતુ હતુ. આટલી મોટી લાઇનમાં 24 કલાક પાણી લીકેજ હોય એ કઇ રીતે ચલાવી લેવાય એ જ મોટો પ્રશ્ન છે.
વધુમાં જણાવ્યુ હતુ કે ચેરમેન રોજ એ જ વિસ્તારમાંથી પસાર થાય છે. ચેરમેન જાણે છે. જે તે સમયે સ્ટેડિંગ ચાલુ હતી ત્યારે લીકેજનો વિડીયો મેં મોકલ્યો હતો. એટલે હવે એક જ વસ્તુ છે કે ચેરમેન પણ જાણતા હોય અને જો વોર્ડ અધિકારી કામ ન કરતા હોય તો એ મેયર, કમિશ્નર અને ચેરમેને નક્કી કરવાનું છે.
દરમિયાનમાં ઉમા ચાર રસ્તા પાસે વરસાદી કાંસની સફાઈની કામગીરી દરમિયાન કાંસમાં ઉતરીને અમે જાતે તપાસ કરતાં પાણીની મુખ્યલાઈનમાં ભંગાણ પડ્યું હોવાનું શોધી કાઢી વહીવટી તંત્રનું ધ્યાન દોરવામા આવ્યું છે. અમે યુદ્ધના ધોરણે આ કામગીરી થાય તવી આશા અધિકારીઓ પાસે રાખી રહ્યા છે. આ અંગે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે.