મૂળ શોધવાને બદલે માત્ર સરવે કરીને અને સેમ્પલ લઇને સંતોષ માની લેતુ પાલિકા
શહેરનાં પાણીગેટ જુનીગઢી વિસ્તારમાં એક 60 વર્ષના વૃદ્ધાનું મોત
પાણીગેટ વિસ્તારમાં 7, માણેજા,નવાપુરા અને ફતેપુરા વિસ્તારમાં 1-1 કેસ સામે નોંધાયા
WatchGujarat.કોરોના કાળમાં ઓમિક્રોનનો ખતરો મંડારાય રહ્યો છે ત્યારે વધુ એક પાણીજન્ય રોગે વડોદરા શહેરમાં માથું ઉચક્યું છે. પહેલા કોરોના પછી મચ્છરજન્ય રોગ અને હવે પાણીજન્ય રોગ ફેલાતા લોકો ભયભીત થયા છે.સામાન્ય રીતે શહેરમાં ચોમાસાની સિઝનમાં કોલેરાનો રોગચાળો વકરતો હોય છે. પરંતુ અત્યારે ઠંડીની ઋતુમાં શહેરનાં પાણીગેટના જૂનીગઢી વિસ્તારમાં રહેતા વૃદ્ધાનું કોલેરાના કારણે મોત નિપજતા તંત્ર દોડતું થયું છે.બીજી તરફ એક જ દિવસમાં પાણીગેટ વિસ્તારમાંથી કોલેરાના 7 સહિત 10 કેસ નોંધાતા લોકોમાં ભારે દહેશત ફેલાઇ છે.એક જ દિવસમાં કોલેરાના 10 કેસ નોંધાયા છે. જેમાં પાણીગેટ વિસ્તારમાં 7, માણેજા,નવાપુરા અને ફતેપુરા વિસ્તારમાં 1-1 કેસ સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ પરંતુ પાલિકા તંત્રના પાપે શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરા દસ્તક દીધી છે. જેમાં કોલેરાના કારણે એક વૃદ્ધાનું મોત નિપજતા નિંદ્રાધીન તંત્ર દોડતું થયું છે શહેરના પાણીગેટ જુનીગઢી વિસ્તારમાં આવેલા હરિજનવાસમાં રહેતા 60 વર્ષના માલીનીબેન ડાહ્યાભાઈ સોલંકીને ઝાડા- ઉલ્ટી થતા જમનાબાઈ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાંથી એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેઓ મોતને ભેટયા હતા.દૂષિત પાણીના કારણે કોલેરા વકરી રહ્યો છે ત્યારે પાલિકા મૂળ શોધવાને બદલે માત્ર સરવે કરીને અને સેમ્પલ લઇને સંતોષ માની રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં કોલેરાના પાણીગેટ, બાપોદ, ફતેપુરા, નવાપુરા વિસ્તારમાં કેસ નોંધાયા છે. જમનાબાઈ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 5 બાળકોનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં 3 બાળકો પાણીગેટ, 1 આજવા રોડ અને 1 બાળક ફતેપુરાનું છે. પાલિકાના બુલેટીનમાં જણાવ્યાનુસાર 16થી 22 ડિસેમ્બર સુધી શહેરમાં 17 કોલેરાના કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ પાણીગેટમાં 12 કેસ છે. જ્યારે નવાપુરા, ફતેપુરા, બાપોદ, માણેજામાં બીજા કેસ મળ્યાં છે.પાણીગેટના જૂનીગઢી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ચોકઅપ થવાની સમસ્યા સર્જાઈ છે. જેના કારણે વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો છે. બીજી તરફ પાલિકાની એન્જિનિયર વિભાગની ટીમ ત્રણ દિવસથી ફાંફાં મારી રહી છે, પરંતુ તેમને કોઈ સફળતા મળી નહી હોવાનું જાણવા મળ્યું છે.
- મૂળ શોધવાને બદલે માત્ર સરવે કરીને અને સેમ્પલ લઇને સંતોષ માની લેતુ પાલિકા
- શહેરનાં પાણીગેટ જુનીગઢી વિસ્તારમાં એક 60 વર્ષના વૃદ્ધાનું મોત
- પાણીગેટ વિસ્તારમાં 7, માણેજા,નવાપુરા અને ફતેપુરા વિસ્તારમાં 1-1 કેસ સામે નોંધાયા
WatchGujarat.કોરોના કાળમાં ઓમિક્રોનનો ખતરો મંડારાય રહ્યો છે ત્યારે વધુ એક પાણીજન્ય રોગે વડોદરા શહેરમાં માથું ઉચક્યું છે. પહેલા કોરોના પછી મચ્છરજન્ય રોગ અને હવે પાણીજન્ય રોગ ફેલાતા લોકો ભયભીત થયા છે.સામાન્ય રીતે શહેરમાં ચોમાસાની સિઝનમાં કોલેરાનો રોગચાળો વકરતો હોય છે. પરંતુ અત્યારે ઠંડીની ઋતુમાં શહેરનાં પાણીગેટના જૂનીગઢી વિસ્તારમાં રહેતા વૃદ્ધાનું કોલેરાના કારણે મોત નિપજતા તંત્ર દોડતું થયું છે.બીજી તરફ એક જ દિવસમાં પાણીગેટ વિસ્તારમાંથી કોલેરાના 7 સહિત 10 કેસ નોંધાતા લોકોમાં ભારે દહેશત ફેલાઇ છે.એક જ દિવસમાં કોલેરાના 10 કેસ નોંધાયા છે. જેમાં પાણીગેટ વિસ્તારમાં 7, માણેજા,નવાપુરા અને ફતેપુરા વિસ્તારમાં 1-1 કેસ સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ પરંતુ પાલિકા તંત્રના પાપે શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરા દસ્તક દીધી છે. જેમાં કોલેરાના કારણે એક વૃદ્ધાનું મોત નિપજતા નિંદ્રાધીન તંત્ર દોડતું થયું છે શહેરના પાણીગેટ જુનીગઢી વિસ્તારમાં આવેલા હરિજનવાસમાં રહેતા 60 વર્ષના માલીનીબેન ડાહ્યાભાઈ સોલંકીને ઝાડા- ઉલ્ટી થતા જમનાબાઈ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાંથી એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેઓ મોતને ભેટયા હતા.દૂષિત પાણીના કારણે કોલેરા વકરી રહ્યો છે ત્યારે પાલિકા મૂળ શોધવાને બદલે માત્ર સરવે કરીને અને સેમ્પલ લઇને સંતોષ માની રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં કોલેરાના પાણીગેટ, બાપોદ, ફતેપુરા, નવાપુરા વિસ્તારમાં કેસ નોંધાયા છે. જમનાબાઈ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 5 બાળકોનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં 3 બાળકો પાણીગેટ, 1 આજવા રોડ અને 1 બાળક ફતેપુરાનું છે. પાલિકાના બુલેટીનમાં જણાવ્યાનુસાર 16થી 22 ડિસેમ્બર સુધી શહેરમાં 17 કોલેરાના કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ પાણીગેટમાં 12 કેસ છે. જ્યારે નવાપુરા, ફતેપુરા, બાપોદ, માણેજામાં બીજા કેસ મળ્યાં છે.પાણીગેટના જૂનીગઢી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ચોકઅપ થવાની સમસ્યા સર્જાઈ છે. જેના કારણે વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો છે. બીજી તરફ પાલિકાની એન્જિનિયર વિભાગની ટીમ ત્રણ દિવસથી ફાંફાં મારી રહી છે, પરંતુ તેમને કોઈ સફળતા મળી નહી હોવાનું જાણવા મળ્યું છે.