960 મિનિટમાં દર મિનિટે લગભગ 72 લોકોને રસી મૂકવામાં આવી
360 કેન્દ્રો ખાતે 69,104 લોકોએ રસી મુકાવતા કેન્દ્ર દીઠ અંદાજે 192 લોકોનું રસીકરણ
WatchGujarat. પ્રધાનમંત્રી જન્મ દિવસ રસીકરણ અભિયાનને સફળ બનાવવા વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રના સચોટ પૂર્વ આયોજન બદ્ધ રીતે કામગીરી કરી હતી. જમીનીસ્તરે સઘન લોકસંપર્ક ધરાવતા સરકારના વિવિધ ખાતાઓ અને પંચાયત પદાધિકારીઓ,જિલ્લા અને તાલુકા પંચાયતો ની વિવિધ સમિતિઓના સદસ્યો,પંચાયત સદસ્યો જેવા લોકોના વ્યાપક સહયોગ થી શુક્રવારની રાત્રીના બાર વાગ્યા સુધીમાં કુલ 69,104 લોકોને રસી દ્વારા કોરોના રક્ષિત કરવામાં સફળતા મળી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે, રાજ્ય સરકારે રસીના પૂરતાં ડોઝ ફાળવ્યા હતા અને રસીકરણ અવિરત ચાલુ રાખવામાં આવ્યું હતું. તેમણે સતત નજર રાખીને માર્ગદર્શન આપવા માટે જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી,આરોગ્ય સહિત તમામ ખાતાઓના અધિકારીઓ અને કર્મચારીઓ તથા જન પ્રતિનિધિઓ અને રસી લેવાની જાગૃતિ બતાવનાર નાગરિકોનો હાર્દિક આભાર માન્યો છે. હકીકતમાં ગુરુવારની રાત્રે જ ગણેશ પંડાલોમાં મંડળોના સહયોગથી જરૂરી વ્યવસ્થાઓ કરીને શ્રીજી ની સન્મુખ રસી આપવાનું જિલ્લાના વિવિધ ગામોમાં શરૂ કરી દેવામાં આવ્યું હતું. એટલે આરોગ્ય તંત્રે ગુરૂ અને શુક્ર, એ બંને દિવસોએ મધ્ય રાત્રિ સુધી લોક આરોગ્યની રક્ષા માટે જાગરણ કર્યું હતું.
ડો. જૈને જણાવ્યું કે, આગોતરી તૈયારીની વ્યૂહ રચનાના ભાગરૂપે અમે જિલ્લામાં પહેલો ડોઝ કોનો બાકી છે અને બીજા ડોઝ માટે કેટલા લોકો ઠરાવેલી સમય મર્યાદા પ્રમાણે પાત્ર છે તેની ઓળખ કરી લીધી હતી. ટેલિફોન કોલ અને આંગણવાડી કાર્યકરો, આશા બહેનો, શિક્ષકગણ અને સહયોગીઓની મદદ થી આ લોકોને સતત રસી લઇ લેવાની યાદ અપાવવાની સાથે, રસી ક્યાં મુકાવી શકાશે અને રાત્રીના બાર વાગ્યા સુધી મુકાવી શકાશે તેની વારંવાર યાદ અપાવી તેમને પ્રેરિત કર્યા હતા. બસ સ્ટેન્ડ સહિતના સ્થળો,શ્રમિક વસાહતો અને હાઇવે પર રસી આપવાના બુથો મૂકવામાં આવ્યા હતા. આ તમામ પ્રયાસોને સરવાળે નોંધપાત્ર સફળતા મળી તેનો આનંદ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, શુક્રવારની સવારના 8 વાગ્યા થી જિલ્લામાં 316 રસિપ્રદાન બુથો પર રસી આપવાનું શરૂ કર્યું જે રાત્રીના 12 વાગ્યા સુધી ચાલુ રહ્યું.
તેમણે જણાવ્યું તે પ્રમાણે આંકડાકીય ગુણાકાર અને ભાગાકાર કરીએ તો રસપ્રદ વિગતો મળે છે. ગુરુવારની રાત્રિના કલાકોને ને બાદ કરીએ તો શુક્રવારે વહેલી સવાર થી મધ્યરાત્રિ સુધીમાં 16 કલાક રસી મૂકવામાં આવી એટલે કે કલાકની 60 મિનિટ પ્રમાણે અંદાજે 960 મિનિટ સુધી રસી મૂકવાની કામગીરી ચાલી. કુલ 69,104 લોકોએ રસી મુકાવી એટલે કે પ્રતિ મિનિટ લગભગ 72 લોકોને રસી આપવામાં આવી.
316 કેન્દ્રો પ્રમાણે ગણતરી માંડીએ તો એક કેન્દ્ર દીઠ સરેરાશ 192 લોકોને રસી મૂકવામાં આવી. 16 કલાક પ્રમાણે અંદાજ બાંધીએ તો દર કલાકે સરેરાશ 4319 લોકોએ રસી લીધી. સેકન્ડસ પ્રમાણે અડ્સટતો બેસાડીએ તો 960 મિનિટની 57600 સેકંડસ માં 69,104 લોકોને રસી મૂકવામાં આવી એટલે પ્રતિ સેકંડ સરેરાશ 1 થી વધુને રસી મૂકવામાં આવી. આ સામુહિક ગણતરી છે. રાજ્ય સરકારે રસીના અંદાજે 1.20 લાખ ડોઝ ફાળવ્યા હતા અને પ્રત્યેક કેન્દ્ર પર રસીનો પૂરતો સ્ટોક જળવાય એની સંકલિત વ્યવસ્થાને લીધે અવિરત રસીકરણ શક્ય બન્યું.
કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને તમામ પ્રાંત અધિકારીઓએ સતત કામગીરીની સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ આપી. મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું. ટોચ થી તળિયા સુધી સંકળાયેલા બધાએ સંકલિત કામગીરી કરી જેથી સંતોષજનક કાર્ય સિદ્ધિ મળી એનો સંતોષ વ્યક્ત કરતાં ડો. જૈને સહુનો દિલ થી આભાર માન્યો છે.
960 મિનિટમાં દર મિનિટે લગભગ 72 લોકોને રસી મૂકવામાં આવી
WatchGujarat. પ્રધાનમંત્રી જન્મ દિવસ રસીકરણ અભિયાનને સફળ બનાવવા વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રના સચોટ પૂર્વ આયોજન બદ્ધ રીતે કામગીરી કરી હતી. જમીનીસ્તરે સઘન લોકસંપર્ક ધરાવતા સરકારના વિવિધ ખાતાઓ અને પંચાયત પદાધિકારીઓ,જિલ્લા અને તાલુકા પંચાયતો ની વિવિધ સમિતિઓના સદસ્યો,પંચાયત સદસ્યો જેવા લોકોના વ્યાપક સહયોગ થી શુક્રવારની રાત્રીના બાર વાગ્યા સુધીમાં કુલ 69,104 લોકોને રસી દ્વારા કોરોના રક્ષિત કરવામાં સફળતા મળી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે, રાજ્ય સરકારે રસીના પૂરતાં ડોઝ ફાળવ્યા હતા અને રસીકરણ અવિરત ચાલુ રાખવામાં આવ્યું હતું. તેમણે સતત નજર રાખીને માર્ગદર્શન આપવા માટે જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી,આરોગ્ય સહિત તમામ ખાતાઓના અધિકારીઓ અને કર્મચારીઓ તથા જન પ્રતિનિધિઓ અને રસી લેવાની જાગૃતિ બતાવનાર નાગરિકોનો હાર્દિક આભાર માન્યો છે. હકીકતમાં ગુરુવારની રાત્રે જ ગણેશ પંડાલોમાં મંડળોના સહયોગથી જરૂરી વ્યવસ્થાઓ કરીને શ્રીજી ની સન્મુખ રસી આપવાનું જિલ્લાના વિવિધ ગામોમાં શરૂ કરી દેવામાં આવ્યું હતું. એટલે આરોગ્ય તંત્રે ગુરૂ અને શુક્ર, એ બંને દિવસોએ મધ્ય રાત્રિ સુધી લોક આરોગ્યની રક્ષા માટે જાગરણ કર્યું હતું.
ડો. જૈને જણાવ્યું કે, આગોતરી તૈયારીની વ્યૂહ રચનાના ભાગરૂપે અમે જિલ્લામાં પહેલો ડોઝ કોનો બાકી છે અને બીજા ડોઝ માટે કેટલા લોકો ઠરાવેલી સમય મર્યાદા પ્રમાણે પાત્ર છે તેની ઓળખ કરી લીધી હતી. ટેલિફોન કોલ અને આંગણવાડી કાર્યકરો, આશા બહેનો, શિક્ષકગણ અને સહયોગીઓની મદદ થી આ લોકોને સતત રસી લઇ લેવાની યાદ અપાવવાની સાથે, રસી ક્યાં મુકાવી શકાશે અને રાત્રીના બાર વાગ્યા સુધી મુકાવી શકાશે તેની વારંવાર યાદ અપાવી તેમને પ્રેરિત કર્યા હતા. બસ સ્ટેન્ડ સહિતના સ્થળો,શ્રમિક વસાહતો અને હાઇવે પર રસી આપવાના બુથો મૂકવામાં આવ્યા હતા. આ તમામ પ્રયાસોને સરવાળે નોંધપાત્ર સફળતા મળી તેનો આનંદ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, શુક્રવારની સવારના 8 વાગ્યા થી જિલ્લામાં 316 રસિપ્રદાન બુથો પર રસી આપવાનું શરૂ કર્યું જે રાત્રીના 12 વાગ્યા સુધી ચાલુ રહ્યું.
તેમણે જણાવ્યું તે પ્રમાણે આંકડાકીય ગુણાકાર અને ભાગાકાર કરીએ તો રસપ્રદ વિગતો મળે છે. ગુરુવારની રાત્રિના કલાકોને ને બાદ કરીએ તો શુક્રવારે વહેલી સવાર થી મધ્યરાત્રિ સુધીમાં 16 કલાક રસી મૂકવામાં આવી એટલે કે કલાકની 60 મિનિટ પ્રમાણે અંદાજે 960 મિનિટ સુધી રસી મૂકવાની કામગીરી ચાલી. કુલ 69,104 લોકોએ રસી મુકાવી એટલે કે પ્રતિ મિનિટ લગભગ 72 લોકોને રસી આપવામાં આવી.
316 કેન્દ્રો પ્રમાણે ગણતરી માંડીએ તો એક કેન્દ્ર દીઠ સરેરાશ 192 લોકોને રસી મૂકવામાં આવી. 16 કલાક પ્રમાણે અંદાજ બાંધીએ તો દર કલાકે સરેરાશ 4319 લોકોએ રસી લીધી. સેકન્ડસ પ્રમાણે અડ્સટતો બેસાડીએ તો 960 મિનિટની 57600 સેકંડસ માં 69,104 લોકોને રસી મૂકવામાં આવી એટલે પ્રતિ સેકંડ સરેરાશ 1 થી વધુને રસી મૂકવામાં આવી. આ સામુહિક ગણતરી છે. રાજ્ય સરકારે રસીના અંદાજે 1.20 લાખ ડોઝ ફાળવ્યા હતા અને પ્રત્યેક કેન્દ્ર પર રસીનો પૂરતો સ્ટોક જળવાય એની સંકલિત વ્યવસ્થાને લીધે અવિરત રસીકરણ શક્ય બન્યું.
કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને તમામ પ્રાંત અધિકારીઓએ સતત કામગીરીની સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ આપી. મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું. ટોચ થી તળિયા સુધી સંકળાયેલા બધાએ સંકલિત કામગીરી કરી જેથી સંતોષજનક કાર્ય સિદ્ધિ મળી એનો સંતોષ વ્યક્ત કરતાં ડો. જૈને સહુનો દિલ થી આભાર માન્યો છે.