શહેરના દિવાળીપુરા વિસ્તારના મુખ્યમાર્ગ પર આવેલા ગટરના ચારથી વધુ ઢાંકણા તૂટેલા અને ખુલ્લી હાલતમાં જોવા મળ્યા
નજીકમાં જ શાક માર્કેટ અને વોકવે હોવાથી આ માર્ગ પર લોકોની મોટી સંખ્યામાં અવજ જવર રહેતી હોય છે
વિસ્તારમાં આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરમાં સમયાંતરે રાજનેતાઓ દર્શનાર્થે આવતાં હોય છે છતાં આ બાબત કોઈના ધ્યાનમાં ન આવી
ચોમાસાના સમયમાં આ રીતે ફૂટપાથ પાસે જ ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી મોટો અકસ્માત સર્જાય શકે છે તેવો સ્થાનિકોમાં ભય
WatchGujarat. વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારના ફૂટપાથ પર આવેલા ગટરના ઢાંકણા ખુલ્લા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના મતે આ વિસ્તારમાં આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરમાં સમયાંતરે સત્તાપક્ષ ભાજપના રાજનેતાઓ દર્શનાર્થે આવતાં હોય છે તેમ છતાં આ બાબત કોઈના ધ્યાને આવી નથી. તંત્રની આવી બેદરકારીના કારણે અહિંથી પસાર થતાં લોકોના જીવ પર જોખમ ઉભું થાય છે. ચોમાસા દરમિયાન જ્યારે અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે ત્યારે ફૂટપાથ પર જ ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી મોટો અકસ્માત સર્જાય તેવો ભય સ્થાનિકોમાં પર્વર્તી રહ્યો છે. ઉલ્લેખનીય છે આ વિસ્તારની નજીકમાં જ વોકવે પાર્ક અને શાક માર્કેટ આવેલું છે. જેના કારણે અહિંયા લોકોની મોટી સંખ્યામાં અવરજવર હોય છે.
દિવાળીપુરા વિસ્તારના આ મુખ્યમાર્ગ પર એક નહીં પણ ચારથી વધુ ગટરના ઢાંકણા આ રીતે ખુલ્લા અને તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે. નજીકમાં જ કષ્ટભંજન દેવનું મંદિર હોવાથી ભક્તોની અવર જવર રહેતી હોય છે. ઉપરાંત અહિંયાથી પસાર થતાં પશુઓના જીવન પર પણ જોખમ રહે છે. આવી સ્થિતિમાં સૌથી વધારે પશુઓ સાથે અકસ્માત થતા હોય છે. અગાઉ પણ એવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં તંત્રની બેદરકારીના કારણે પશુઓ ગટરના ખુલ્લા ઢાંકણામાં ફસાઈ જતાં હોય છે. જેના કારણે તેમને ઈજાઓ પણ થતી હોય છે, જ્યારે કેટલાંક પશુઓ પોતાનો જીવ પણ ગુમાવે છે. પશુઓ ઉપરાંત બાળકો પણ આનો ભોગ બની શકે છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. સ્થાનિક ભક્તના મતે મંદિર સામે જાહેર બાગ આવેલો છે. જ્યાં સવાર સાંજ નિયમીત લોકો સ્વાસ્થ્ય વર્ધક પ્રવૃત્તિઓ કરવા માટે આવે છે. અને અહિં નજીક સાંજે શાક માર્કેટ ભરાય છે. જ્યાં લોકો ખરીદી કરવા મોટી સંખ્યામાં આવે છે. તેની સાથે જ વિસ્તારમાં રખડતા પશુઓ રસ્તા પર હરતા ફરતા દેખાવા સામાન્ય બાબત છે. તેમ છતાં અહિંયા ગટરની જાળવણીને લઇને ઉપેક્ષા કરાતા લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે.
મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવા છતાં આ વિસ્તારમાં ગટરના 4 થી પણ વધુ ઢાંકણા ખુલ્લા અને તૂટેલી હાલતમાં છે. ફૂટપાથ પરથી પસાર થતી વખતે કોઈની પણ સાથે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. ત્યારે અહિંયા રાજનેતાઓ અવાર નવાર આવતા હોવા છતાં આ બાબતને ધ્યાને ન લેતા તંત્ર સામે પણ સવાલો ઉભા થાય છે. ચોમાસાની ઋતુમાં વધારે વરસાદના કારણે કોઈ પણ વ્યક્તિ તેમાં પડી શકે છે. ત્યારે તંત્ર પણ આંખ આડા કાન કારીને બેઠું હોય તેમ લાગી રહ્યું છે. વિસ્તારના મુખ્ય માર્ગ પર આ રીતેની બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રીતે ના ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વડોદરા તંત્ર ક્યારે આ મામલે કામગીરી કરશે તે જોવાનું રહ્યું. આ સ્થિતિને જોતા પ્રશ્ન ઉભો થાય છે કે રાજનેતાઓ જ્યારે આ વિસ્તારમાં આવે છે તો શું એમની નજરમાં આ બાબત નથી આવતી?
શહેરના દિવાળીપુરા વિસ્તારના મુખ્યમાર્ગ પર આવેલા ગટરના ચારથી વધુ ઢાંકણા તૂટેલા અને ખુલ્લી હાલતમાં જોવા મળ્યા
નજીકમાં જ શાક માર્કેટ અને વોકવે હોવાથી આ માર્ગ પર લોકોની મોટી સંખ્યામાં અવજ જવર રહેતી હોય છે
વિસ્તારમાં આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરમાં સમયાંતરે રાજનેતાઓ દર્શનાર્થે આવતાં હોય છે છતાં આ બાબત કોઈના ધ્યાનમાં ન આવી
ચોમાસાના સમયમાં આ રીતે ફૂટપાથ પાસે જ ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી મોટો અકસ્માત સર્જાય શકે છે તેવો સ્થાનિકોમાં ભય
WatchGujarat. વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારના ફૂટપાથ પર આવેલા ગટરના ઢાંકણા ખુલ્લા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના મતે આ વિસ્તારમાં આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરમાં સમયાંતરે સત્તાપક્ષ ભાજપના રાજનેતાઓ દર્શનાર્થે આવતાં હોય છે તેમ છતાં આ બાબત કોઈના ધ્યાને આવી નથી. તંત્રની આવી બેદરકારીના કારણે અહિંથી પસાર થતાં લોકોના જીવ પર જોખમ ઉભું થાય છે. ચોમાસા દરમિયાન જ્યારે અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે ત્યારે ફૂટપાથ પર જ ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી મોટો અકસ્માત સર્જાય તેવો ભય સ્થાનિકોમાં પર્વર્તી રહ્યો છે. ઉલ્લેખનીય છે આ વિસ્તારની નજીકમાં જ વોકવે પાર્ક અને શાક માર્કેટ આવેલું છે. જેના કારણે અહિંયા લોકોની મોટી સંખ્યામાં અવરજવર હોય છે.
દિવાળીપુરા વિસ્તારના આ મુખ્યમાર્ગ પર એક નહીં પણ ચારથી વધુ ગટરના ઢાંકણા આ રીતે ખુલ્લા અને તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે. નજીકમાં જ કષ્ટભંજન દેવનું મંદિર હોવાથી ભક્તોની અવર જવર રહેતી હોય છે. ઉપરાંત અહિંયાથી પસાર થતાં પશુઓના જીવન પર પણ જોખમ રહે છે. આવી સ્થિતિમાં સૌથી વધારે પશુઓ સાથે અકસ્માત થતા હોય છે. અગાઉ પણ એવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં તંત્રની બેદરકારીના કારણે પશુઓ ગટરના ખુલ્લા ઢાંકણામાં ફસાઈ જતાં હોય છે. જેના કારણે તેમને ઈજાઓ પણ થતી હોય છે, જ્યારે કેટલાંક પશુઓ પોતાનો જીવ પણ ગુમાવે છે. પશુઓ ઉપરાંત બાળકો પણ આનો ભોગ બની શકે છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. સ્થાનિક ભક્તના મતે મંદિર સામે જાહેર બાગ આવેલો છે. જ્યાં સવાર સાંજ નિયમીત લોકો સ્વાસ્થ્ય વર્ધક પ્રવૃત્તિઓ કરવા માટે આવે છે. અને અહિં નજીક સાંજે શાક માર્કેટ ભરાય છે. જ્યાં લોકો ખરીદી કરવા મોટી સંખ્યામાં આવે છે. તેની સાથે જ વિસ્તારમાં રખડતા પશુઓ રસ્તા પર હરતા ફરતા દેખાવા સામાન્ય બાબત છે. તેમ છતાં અહિંયા ગટરની જાળવણીને લઇને ઉપેક્ષા કરાતા લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે.
મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવા છતાં આ વિસ્તારમાં ગટરના 4 થી પણ વધુ ઢાંકણા ખુલ્લા અને તૂટેલી હાલતમાં છે. ફૂટપાથ પરથી પસાર થતી વખતે કોઈની પણ સાથે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. ત્યારે અહિંયા રાજનેતાઓ અવાર નવાર આવતા હોવા છતાં આ બાબતને ધ્યાને ન લેતા તંત્ર સામે પણ સવાલો ઉભા થાય છે. ચોમાસાની ઋતુમાં વધારે વરસાદના કારણે કોઈ પણ વ્યક્તિ તેમાં પડી શકે છે. ત્યારે તંત્ર પણ આંખ આડા કાન કારીને બેઠું હોય તેમ લાગી રહ્યું છે. વિસ્તારના મુખ્ય માર્ગ પર આ રીતેની બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રીતે ના ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વડોદરા તંત્ર ક્યારે આ મામલે કામગીરી કરશે તે જોવાનું રહ્યું. આ સ્થિતિને જોતા પ્રશ્ન ઉભો થાય છે કે રાજનેતાઓ જ્યારે આ વિસ્તારમાં આવે છે તો શું એમની નજરમાં આ બાબત નથી આવતી?