ફેક ન્યુઝ અને ફેક કન્ટેન્ટ આજના સમયમાં પ્રમુખ સમસ્યાઓમાં ની એક મોટી સમસ્યા છે
ફેક કન્ટેન્ટ પર શહેરના સાયબર એક્સપર્ટ દ્વારા ખાસ સર્વે હાથ ધરાયો હતો, જેમાં કેટલીક ચોંકવનારી બાબતો સામે આવી
દુનિયામાં બનતી અનિચ્છનીય ઘટનાઓ પાછળ મોટા ભાગે ફેક કન્ટેન્ટ જવાબદાર- સર્વે
ફેક ન્યૂઝ કે અફવાઓ અંદાજિત 55% માત્ર વૉટ્સએપના માધ્યમથી ફેલાય છે, 90% વૉટ્સએપ યુઝર મેસેજ ચકાસ્યા વગર જ ફોરવર્ડ કરે છે
WatchGujarat. આજના ઈલેક્ટ્રોનિક્સના યુગમાં જોવા મળતી તમામ પ્રકારની સમસ્યાઓમાં ફેક કન્ટેન્ટ પણ પ્રમુખ સ્થાને જોવા મળે છે. ફેક એકાઉન્ટ, ફેક ન્યુઝ, ફેક ઇમેજ, ફેક વિડિઓ વગેરે ફેક કન્ટેન્ટ છે. એવી ખોટી સામગ્રી જેનાથી લોકોને આર્થિક થી લઈને શારિરીક નુકશાન પણ થઈ શકે છે. ભારતમાં પણ ફેક ન્યુઝની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. તેના કારણે અનેક લોકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે વડોદરાના સાયબર એનાલિટિક એક્સપર્ટ મયુર ભુસાવડકર દ્વારા ફેક કન્ટેન્ટ અંગે એક ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે.
આ અંગે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરના જણાવ્યું હતું કે, સમાજમાં ખોટી માહિતી કોઈપણ પ્રકારના લાભ માટે કે બીજાને તેમજ સમાજને નુકસાન કરવાના હેતુથી ફેલાવવી એ આદિકાળથી ચાલી આવતી પરંપરા છે. પરંતુ અત્યારના સમયમાં તે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ થકી પ્રસારિત કરવામાં આવે છે. પરિણામે તેની ફેલાવવાની ગતિ એટલી ઝડપી હોય છે કે આંખોના પલકારામાં તે સમગ્ર દુનિયામાં, કોઈ ચોક્કસ વિસ્તારમાં, ચોક્કસ વર્ગ સુધી પહોંચી શકે છે. જેનાથી સમાજને અને દેશને ખુબજ મોટું નુકસાન થઈ શકે છે અને થયું પણ છે. અત્યારના સમયમાં ફેક એકાઉન્ટ, ફેક ન્યુઝ, ફેક ઇમેજ, ફેક વિડિઓ વગેરે રડાર ટેક્નોલોજીથી ઓપરેટ થતા હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ દેશમાં અને દુનિયામાં એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી હતી જેના મૂળમાં માત્ર "ફેક સામગ્રી" જ જવાબદાર હતી.
[caption id="attachment_557947" align="aligncenter" width="640"] મયુર ભુસાવળકર વડોદરા શહેરના એકમાત્ર ઇન્ડિપેન્ડન્ટ ફેક્ટ ચેકર, સાયબર ક્રાઇમ એક્સપર્ટ, સાયબર થ્રેડ એનાલિસ્ટ છે. તેઓ અગ્રણી ગુજરાતી અખબારમાં કોલમિસ્ટ પણ છે. અને તેઓ પ્રિન્ટ, રેડીયો, સહિતના અનેક માધ્યમો થકી સાયબર ક્રાઇમ વિશે લોકજાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહ્યા છે.[/caption]
"અણુ બૉમ્બ” કરતા પણ વધુ ઘાતક હથિયાર છે ફેક કન્ટેન્ટ
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા સમયે સમયે "ફેક સામગ્રી" ને અંકુશમાં લેવા માટે વિવિધ આકરા અને દંડનીય પગલાં પણ ભરવામાં આવ્યા. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે, તેમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો જ જોવા મળી રહ્યો છે. ફેક ન્યુઝનો ફેલાવો નિરંકુશ બની ચુક્યો છે. જેથી કહી શકાય કે ફેક કન્ટેન્ટએ આજના સમયમાં એક પ્રકારનું "અણુ બૉમ્બ” કરતા પણ વધુ ઘાતક હથિયાર બની ચૂક્યું છે.
ફેક કન્ટેન્ટ શું છે ?
ફેક કન્ટેન્ટ એટલે 'બનાવટી સમાચારો' અથવા એવી માહિતી કે જે જાણી જોઈને લોકોને ગેરમાર્ગે દોરવા અથવા છેતરવા માટે વપરાય છે. 'ફેક કોન્ટેન્ટ' એક વિશાળ વટ વૃક્ષ જેવું જ છે, જેની ઘણી શાખાઓ અને પેટા શાખાઓ છે. કોઈની તરફેણમાં પ્રચાર કરવા, ખોટા સમાચારો ફેલાવવા, કોઈ વ્યક્તિ કે સંસ્થાની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવો, ખોટા સમાચારો દ્વારા સમાજને કે ચોક્કસ વર્ગ ને ઉશ્કેરવાનો પ્રયાસ કરવો વગેરે જેવા કાર્યો શામેલ હોઈ શકે છે. સામાન્ય રીતે, આ ફેક કોન્ટેન્ટ લોકોના અભિપ્રાયોને પ્રભાવિત કરવા અને કોઈ વિશિષ્ટ રાજકીય કાર્યસૂચિને પ્રોત્સાહન આપવા માટે ફેલાવવામાં આવે છે. મહત્વનું છે કે ફેક ન્યૂઝ પ્રકાશિત કરવા પાછળ માત્ર ને માત્ર લાભ, લાલચ અને પ્રપંચ રહેલા છે. એવું કહી શકાય કે ફેક ન્યૂઝ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી આચરવામાં આવતું "ઈ-આતંકવાદી" કૃત્ય છે.
કેવી રીતે ફેલાય છે ફેક કન્ટેન્ટ?
આ સર્વેમાં જાણવા મળેલી વિગતો અનુસાર હાલના સમયમાં સૌથી વધુ પ્રમાણમાં ફેક કન્ટેન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ફેલાય છે. મહત્વનું છે કે સોશિયલ મીડિયા ફેક કન્ટેન્ટ ફેલાવનારાઓ માટેનું એક પ્રિય પ્લેટફોર્મ બની ચૂક્યું છે.
જો કોઈ ફેક કન્ટેન્ટ રાજકીય પક્ષ તેમજ રાજકીય નેતાને લગતી હોય તો તે બીજી ફેક કન્ટેન્ટના પ્રમાણમાં 10 ગણી વધુ ઝડપે ફેલાય છે.
જો ધાર્મિક બાબતોને લગતી ફેક કન્ટેન્ટ હોય તો સામાન્ય કન્ટેન્ટની તુલનાએ 100 ગણી વધુ ઝડપે ફેલાય છે.
સોશિયલ મીડિયા જ એક માત્ર એવું માધ્યમ છે જે આવી કન્ટેન્ટને આજના સમયમાં આંખોના પલકારામાં સમગ્ર દુનિયામાં ફેલાવે છે. જયારે આવી કન્ટેન્ટ કાચાકાન ધરાવતા લોકો સુધી પહોંચે તો તેનો ફેલાવવાની ગતિ પ્રકાશ કીરણ કરતાં પણ વધુ હોય છે, જે અત્યાર સુધીના રિસર્ચમાં જાણવા મળ્યું છે.
એન.સી.આર.બી પ્રમાણે ફેક ન્યૂઝ અને અફવાઓના કેસોમાં 214% નો વધારો જોવા મળ્યો હતો
સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે કરેલા આ સર્વેમાં જણાવા મળ્યું છે કે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ મુજબ ભારતમાં ફેક ન્યૂઝ, અફવાઓ સંબંધિત કેસોમાં 214% નો વધારો માત્ર વૈશ્વિક મહામારી દરમિયાન એટલે કે એક વર્ષના સમયગાળામાં જોવા મળ્યો હતો. મહત્વનું છે કે આ સમયગાળા દરિમયાન ફેક ન્યૂઝના કુલ 1,527 કેસ નોંધાયા હતા. જ્યારે ફેક ન્યૂઝના 2019 માં 486 કેસ અને 2018 માં 280 કેસ જ નોંધાયા હતાં. માત્ર મહામારીના સમયમાં ફેક ન્યૂઝના કેસોમાં ધરખમ વધારો થયો છે. જે ખૂબ જ ગંભીર બાબત છે.
આ સર્વેમાં જણાવ્યાં મુજબ સૌથી વધારે ફેક ન્યૂઝ કે અફવાઓ અંદાજિત 55% માત્ર વૉટ્સએપના માધ્યમથી ફેલાય છે. ઉલ્લેખનીય છે કે અત્યારના સમયમાં ટેલીગ્રામ અને ફેસબુક પણ ફેક ન્યુઝ ફેલાવનારાઓની પ્રથમ પસંદગી બની ચૂક્યું છે. ઉપરાંત 90% વૉટ્સએપ યુઝર્સ એવા છે જે મેસેજ ચકાસ્યા વગર જ આગળ ફોરવર્ડ કરે છે. જેના કારણે ફેક કન્ટેન્ટ ઝડપથી ફેલાય છે. એટલું જ નહીં 60% યુઝર્સ એવા છે કે જે સોશિયલ મીડિયા પરથી મળતી તમામ માહિતી પર વિશ્વાસ કરી લેતા હોય છે. આ માહિતી સાચી છે કે નહીં તે અંગે ક્યારેય ચકાસતા નથી. ફેક કન્ટેન્ટ આજના સમયમાં એટલાં ઘાતકી બની ગયા છે કે તેના કારણે ભારતમાં અત્યાર સુધી અનેક લોકોના મોત પણ થઈ ચૂક્યાં છે. જેથી આપણને મળતી કોઈ પણ માહિતી પણ તરત વિશ્વાસ ન કરી લેવો જોઈએ.
ફેક ન્યુઝ અને ફેક કન્ટેન્ટ આજના સમયમાં પ્રમુખ સમસ્યાઓમાં ની એક મોટી સમસ્યા છે
ફેક કન્ટેન્ટ પર શહેરના સાયબર એક્સપર્ટ દ્વારા ખાસ સર્વે હાથ ધરાયો હતો, જેમાં કેટલીક ચોંકવનારી બાબતો સામે આવી
ફેક ન્યૂઝ કે અફવાઓ અંદાજિત 55% માત્ર વૉટ્સએપના માધ્યમથી ફેલાય છે, 90% વૉટ્સએપ યુઝર મેસેજ ચકાસ્યા વગર જ ફોરવર્ડ કરે છે
WatchGujarat. આજના ઈલેક્ટ્રોનિક્સના યુગમાં જોવા મળતી તમામ પ્રકારની સમસ્યાઓમાં ફેક કન્ટેન્ટ પણ પ્રમુખ સ્થાને જોવા મળે છે. ફેક એકાઉન્ટ, ફેક ન્યુઝ, ફેક ઇમેજ, ફેક વિડિઓ વગેરે ફેક કન્ટેન્ટ છે. એવી ખોટી સામગ્રી જેનાથી લોકોને આર્થિક થી લઈને શારિરીક નુકશાન પણ થઈ શકે છે. ભારતમાં પણ ફેક ન્યુઝની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. તેના કારણે અનેક લોકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે વડોદરાના સાયબર એનાલિટિક એક્સપર્ટ મયુર ભુસાવડકર દ્વારા ફેક કન્ટેન્ટ અંગે એક ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે.
આ અંગે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરના જણાવ્યું હતું કે, સમાજમાં ખોટી માહિતી કોઈપણ પ્રકારના લાભ માટે કે બીજાને તેમજ સમાજને નુકસાન કરવાના હેતુથી ફેલાવવી એ આદિકાળથી ચાલી આવતી પરંપરા છે. પરંતુ અત્યારના સમયમાં તે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ થકી પ્રસારિત કરવામાં આવે છે. પરિણામે તેની ફેલાવવાની ગતિ એટલી ઝડપી હોય છે કે આંખોના પલકારામાં તે સમગ્ર દુનિયામાં, કોઈ ચોક્કસ વિસ્તારમાં, ચોક્કસ વર્ગ સુધી પહોંચી શકે છે. જેનાથી સમાજને અને દેશને ખુબજ મોટું નુકસાન થઈ શકે છે અને થયું પણ છે. અત્યારના સમયમાં ફેક એકાઉન્ટ, ફેક ન્યુઝ, ફેક ઇમેજ, ફેક વિડિઓ વગેરે રડાર ટેક્નોલોજીથી ઓપરેટ થતા હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ દેશમાં અને દુનિયામાં એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી હતી જેના મૂળમાં માત્ર "ફેક સામગ્રી" જ જવાબદાર હતી.
[caption id="attachment_557947" align="aligncenter" width="640"] મયુર ભુસાવળકર વડોદરા શહેરના એકમાત્ર ઇન્ડિપેન્ડન્ટ ફેક્ટ ચેકર, સાયબર ક્રાઇમ એક્સપર્ટ, સાયબર થ્રેડ એનાલિસ્ટ છે. તેઓ અગ્રણી ગુજરાતી અખબારમાં કોલમિસ્ટ પણ છે. અને તેઓ પ્રિન્ટ, રેડીયો, સહિતના અનેક માધ્યમો થકી સાયબર ક્રાઇમ વિશે લોકજાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહ્યા છે.[/caption]
"અણુ બૉમ્બ” કરતા પણ વધુ ઘાતક હથિયાર છે ફેક કન્ટેન્ટ
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા સમયે સમયે "ફેક સામગ્રી" ને અંકુશમાં લેવા માટે વિવિધ આકરા અને દંડનીય પગલાં પણ ભરવામાં આવ્યા. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે, તેમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો જ જોવા મળી રહ્યો છે. ફેક ન્યુઝનો ફેલાવો નિરંકુશ બની ચુક્યો છે. જેથી કહી શકાય કે ફેક કન્ટેન્ટએ આજના સમયમાં એક પ્રકારનું "અણુ બૉમ્બ” કરતા પણ વધુ ઘાતક હથિયાર બની ચૂક્યું છે.
ફેક કન્ટેન્ટ શું છે ?
ફેક કન્ટેન્ટ એટલે 'બનાવટી સમાચારો' અથવા એવી માહિતી કે જે જાણી જોઈને લોકોને ગેરમાર્ગે દોરવા અથવા છેતરવા માટે વપરાય છે. 'ફેક કોન્ટેન્ટ' એક વિશાળ વટ વૃક્ષ જેવું જ છે, જેની ઘણી શાખાઓ અને પેટા શાખાઓ છે. કોઈની તરફેણમાં પ્રચાર કરવા, ખોટા સમાચારો ફેલાવવા, કોઈ વ્યક્તિ કે સંસ્થાની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવો, ખોટા સમાચારો દ્વારા સમાજને કે ચોક્કસ વર્ગ ને ઉશ્કેરવાનો પ્રયાસ કરવો વગેરે જેવા કાર્યો શામેલ હોઈ શકે છે. સામાન્ય રીતે, આ ફેક કોન્ટેન્ટ લોકોના અભિપ્રાયોને પ્રભાવિત કરવા અને કોઈ વિશિષ્ટ રાજકીય કાર્યસૂચિને પ્રોત્સાહન આપવા માટે ફેલાવવામાં આવે છે. મહત્વનું છે કે ફેક ન્યૂઝ પ્રકાશિત કરવા પાછળ માત્ર ને માત્ર લાભ, લાલચ અને પ્રપંચ રહેલા છે. એવું કહી શકાય કે ફેક ન્યૂઝ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી આચરવામાં આવતું "ઈ-આતંકવાદી" કૃત્ય છે.
કેવી રીતે ફેલાય છે ફેક કન્ટેન્ટ?
આ સર્વેમાં જાણવા મળેલી વિગતો અનુસાર હાલના સમયમાં સૌથી વધુ પ્રમાણમાં ફેક કન્ટેન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ફેલાય છે. મહત્વનું છે કે સોશિયલ મીડિયા ફેક કન્ટેન્ટ ફેલાવનારાઓ માટેનું એક પ્રિય પ્લેટફોર્મ બની ચૂક્યું છે.
જો કોઈ ફેક કન્ટેન્ટ રાજકીય પક્ષ તેમજ રાજકીય નેતાને લગતી હોય તો તે બીજી ફેક કન્ટેન્ટના પ્રમાણમાં 10 ગણી વધુ ઝડપે ફેલાય છે.
જો ધાર્મિક બાબતોને લગતી ફેક કન્ટેન્ટ હોય તો સામાન્ય કન્ટેન્ટની તુલનાએ 100 ગણી વધુ ઝડપે ફેલાય છે.
સોશિયલ મીડિયા જ એક માત્ર એવું માધ્યમ છે જે આવી કન્ટેન્ટને આજના સમયમાં આંખોના પલકારામાં સમગ્ર દુનિયામાં ફેલાવે છે. જયારે આવી કન્ટેન્ટ કાચાકાન ધરાવતા લોકો સુધી પહોંચે તો તેનો ફેલાવવાની ગતિ પ્રકાશ કીરણ કરતાં પણ વધુ હોય છે, જે અત્યાર સુધીના રિસર્ચમાં જાણવા મળ્યું છે.
એન.સી.આર.બી પ્રમાણે ફેક ન્યૂઝ અને અફવાઓના કેસોમાં 214% નો વધારો જોવા મળ્યો હતો
સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે કરેલા આ સર્વેમાં જણાવા મળ્યું છે કે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ મુજબ ભારતમાં ફેક ન્યૂઝ, અફવાઓ સંબંધિત કેસોમાં 214% નો વધારો માત્ર વૈશ્વિક મહામારી દરમિયાન એટલે કે એક વર્ષના સમયગાળામાં જોવા મળ્યો હતો. મહત્વનું છે કે આ સમયગાળા દરિમયાન ફેક ન્યૂઝના કુલ 1,527 કેસ નોંધાયા હતા. જ્યારે ફેક ન્યૂઝના 2019 માં 486 કેસ અને 2018 માં 280 કેસ જ નોંધાયા હતાં. માત્ર મહામારીના સમયમાં ફેક ન્યૂઝના કેસોમાં ધરખમ વધારો થયો છે. જે ખૂબ જ ગંભીર બાબત છે.
આ સર્વેમાં જણાવ્યાં મુજબ સૌથી વધારે ફેક ન્યૂઝ કે અફવાઓ અંદાજિત 55% માત્ર વૉટ્સએપના માધ્યમથી ફેલાય છે. ઉલ્લેખનીય છે કે અત્યારના સમયમાં ટેલીગ્રામ અને ફેસબુક પણ ફેક ન્યુઝ ફેલાવનારાઓની પ્રથમ પસંદગી બની ચૂક્યું છે. ઉપરાંત 90% વૉટ્સએપ યુઝર્સ એવા છે જે મેસેજ ચકાસ્યા વગર જ આગળ ફોરવર્ડ કરે છે. જેના કારણે ફેક કન્ટેન્ટ ઝડપથી ફેલાય છે. એટલું જ નહીં 60% યુઝર્સ એવા છે કે જે સોશિયલ મીડિયા પરથી મળતી તમામ માહિતી પર વિશ્વાસ કરી લેતા હોય છે. આ માહિતી સાચી છે કે નહીં તે અંગે ક્યારેય ચકાસતા નથી. ફેક કન્ટેન્ટ આજના સમયમાં એટલાં ઘાતકી બની ગયા છે કે તેના કારણે ભારતમાં અત્યાર સુધી અનેક લોકોના મોત પણ થઈ ચૂક્યાં છે. જેથી આપણને મળતી કોઈ પણ માહિતી પણ તરત વિશ્વાસ ન કરી લેવો જોઈએ.